________________
એની મુક્તિના માનમાં સૂબાએ પોતે મિજલસ ગોઠવી. પુરાણી દુશ્માનવટ ભૂલીને દોસ્તી માટે હાથ લંબાવતો હોવાનો સુબાએ દંભ કર્યો. પોતાના હાથે જ શેખ અબુબકરને મીઠાઈ પીરસી. મુખમાં રામ અને બગલમાં છૂરી જેવો ઘાટ ઘડ્યો.
શેખે સૂબાના હાથની મીઠાઈ ખાધી. એ મીઠાઈમાં ઝેર હતું. શેખ અબુબકરને તરત ખ્યાલ આવી ગયો. એ ઊઠ્યો અને સૂબા અમીદખાન સાથે હાથ મિલાવતાં કહ્યું,
સૂબાસાહેબ, હવે હું મારા ઘેર જાઉં છું કે જ્યાં બેકારી અને ભૂખમરાનું દર્દ નથી. પણ યાદ રાખજો કે કામદારોની રોજી-રોટી ઝૂંટવનારનું આસન કદી સલામત રહ્યું નથી. ખુદા આ નહીં સાંખે.”
શેખ અબુબકર મિજલસ છોડીને બહાર નીકળ્યો. આજે અમદાવાદમાં જ્યાં મજૂર મહાજનનું મકાન છે ત્યાં સુધી પહોંચતાં પહોંચતાં શેખનું પ્રાણપંખેરું ઊડી ગયું.
ઈ. સ. ૧૯૮૨ની આખરનો એ સમય.
એ દિવસે મજૂરપ્રવૃત્તિના એક મુસ્લિમ આગેવાને હિંદુ કામદારો માટે જાનફેસાની કરીને ઇતિહાસ સર્જ્યો.
જાનફેસાની 0 .