Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 14
________________ પ્રવાસ માટેની પૂર્વભૂમિકા ૨૭ થોડા વખતમાં જ એ બીજા મેટા વિષયો તરફ વળે છે, અને ભારતના પ્રાચીન જ્ઞાનવારસા પર પ્રકાશ ફેકે છે. અમારા સંત પુરુષોના કેટલાક સિદ્ધાંત પશ્ચિમમાં પહોંચી ચૂક્યા છે.” એ અસરકારક રીતે બતાવે છેઃ “પરંતુ કેટલીય બાબતોમાં સાચા ઉપદેશોની બાબતમાં ગેરસમજ પેદા થઈ છે. કેટલીક વાર એમને ખોટી રીતે ગ્રહણ કરવામાં આવ્યા છે. તે પણ, હું એની ફરિયાદ નથી કરતો. આજના ભારતની દશા કેવી છે ? એના ભૂતકાલીન ઉચ્ચતમ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ એ નથી કરી રહ્યું. એની મહાનતા મટી ગઈ છે. એ ખરેખર દુઃખદ છે. વિવેક વગરની પ્રથાઓમાં અટવાઈને અને ધર્મની મિથ્યા માન્યતાઓને ગૂંચવાડામાં પડીને નિરર્થક ધાર્મિક બંધનોમાં બંધાયેલો જનસમાજ કેટલાક સિદ્ધાંતોને વળગી રહ્યો છે.” એવા અધઃપતનનું કારણ શું ?” હું પ્રશ્ન કરું છું. મારા યજમાન શાંત રહે છે. એકાદ મિનિટ ધીરેથી પસાર થાય છે. હું એમના તરફ જોયા કરું છું. એમની આંખ બારીક છતાં અર્ધબીડાયેલી બની જાય છે. પછી એમના મનમાં ભંગ પડે છે. ખરેખર મારા મિત્ર ! એક વખત એ પણ હતો કે અમારા દેશમાં જીવનનાં રહસ્યોની શોધ કરી ચૂકેલા મહાન ઋષિઓ વાસ કરતા. સામાન્ય માણસથી માંડીને રાજામહારાજાઓ પણ એમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરતા. એમની પ્રેરણાથી ભારતીય સંસ્કૃતિ એના સર્વોચ્ચ વિકાસશિખર પર પહોંચી ચૂકેલી. આજે એવા મહાપુરુષોનાં દર્શન ક્યાં થાય છે ? બેત્રણ મહાપુરુષો હશે પરંતુ એ પણ એકદમ અજ્ઞાત દશામાં, એમને વિશે કોઈ માહિતી ના મળે એવા, અને ચાલું જીવનપ્રવાહથી એકદમ દૂર. જ્યારથી એ મહાન સંતપુરુષો કે ઋષિઓ સમાજથી દૂર રહેવા લાગ્યા ત્યારથી અમારું પોતાનું અધઃપતન પણ શરૂ થયું.”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 474