Book Title: Bhajanpad Sangraha Part 01
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ભજન પદ સંગ્રહ.
નિન્દા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય; બુદ્ધિસાગર બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખિયું થાય. શાણી. ૬
(સાણંદ) पुत्रीने मानी शिखामण.
(૨૨૦). (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ.) શિક્ષા બાલીકાને માતા આપતી, સતત સારી બાલીકાને રાખજે, કરે વિનય મોટાને હરખી હેતથી, દુર્ગને મનથી કાઢી નાખજે. શિક્ષા. ૧ ભણવી વિદ્યા ચીવટ રાખી વહાલથી, કદિ ન રાખે ગાળ દેવાની ટેવ વહેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવજે. શિક્ષા ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતા પિતાને કરજો નિત્ય પ્રણામ; નવરાં આથડવું નહિ પરના આકાણે, દેવગુરૂનાં સ્મરવાં પ્રાત: નામજે. શિક્ષા-૩ રેવું રીસાવું નહિ હઠથી દીકરી, જાડું ચેરી ચૂગલી કરજે ત્યાગજે; વિદ્યાની ખામીથી મૂખ સહુ કહે, કરજે સાચો ધર્મમાર્ગથી રાગજે. શિક્ષા. ૪ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવાથી, હળવે હળવે કાર્યો સર્વે થાય; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દિકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય. શિલા. ૫
(સાણંદ)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202