________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ભજન પદ સંગ્રહ.
નિન્દા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય; બુદ્ધિસાગર બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખિયું થાય. શાણી. ૬
(સાણંદ) पुत्रीने मानी शिखामण.
(૨૨૦). (ઓધવજી સંદેશે કહેજે શ્યામને–એ રાગ.) શિક્ષા બાલીકાને માતા આપતી, સતત સારી બાલીકાને રાખજે, કરે વિનય મોટાને હરખી હેતથી, દુર્ગને મનથી કાઢી નાખજે. શિક્ષા. ૧ ભણવી વિદ્યા ચીવટ રાખી વહાલથી, કદિ ન રાખે ગાળ દેવાની ટેવ વહેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવજે. શિક્ષા ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતા પિતાને કરજો નિત્ય પ્રણામ; નવરાં આથડવું નહિ પરના આકાણે, દેવગુરૂનાં સ્મરવાં પ્રાત: નામજે. શિક્ષા-૩ રેવું રીસાવું નહિ હઠથી દીકરી, જાડું ચેરી ચૂગલી કરજે ત્યાગજે; વિદ્યાની ખામીથી મૂખ સહુ કહે, કરજે સાચો ધર્મમાર્ગથી રાગજે. શિક્ષા. ૪ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવાથી, હળવે હળવે કાર્યો સર્વે થાય; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દિકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય. શિલા. ૫
(સાણંદ)
For Private And Personal Use Only