Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ आवश्यक निर्युक्ति : श्रीतिलकाचार्य लघुवृत्तिः 11311 પ્રકાશકીય જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ-આઠ દાયકા સુધી પ્રવચન ગંગાનું વહેણ વહેવડાવી ભારતભરના ભવ્યોને જિનાજ્ઞા-મર્મનું મહાપ્રદાન કર્યું હતું. તેના મૂળમાં તેઓ શ્રીમદે આજીવન કરેલી આગમાદિ શ્રુતની અપ્રમત્ત ઉપાસના હતી. તેઓ શ્રીમદ્દ્ની શ્રુતસિદ્ધિ અને શ્રુતવિનિયોગની હાર્દિક અનુમોદનાના બીજરૂપ તેઓ શ્રીમની પુણ્યસ્મૃતિને શાશ્વત બનાવવા કાજે અમોએ તેઓ શ્રીમદૂના મંત્રતુલ્ય નામ સાથે સંકળાયેલ ‘પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા' પ્રકાશિત કરવાનો શુભ નિર્ણય કર્યો હતો. તેઓ શ્રીમદૂના પટ્ટાલંકાર સુવિશાલ ગચ્છાધિરાજ પૂ.આ.શ્રી. વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી આ શ્રેણીમાં અમો ઠીક-ઠીક આગળ વધી શકયા હતા. વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી.વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજની છત્રછાયા અને તેઓશ્રીના શિષ્યપ્રવર પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શનને પામી વિવિધ શ્રુતસેવી મુનિવરો આદિ દ્વારા વિવિધ વિષયના પ્રતાકાર તેમજ પુસ્તકાકાર અનેક ગ્રંથો છપાયા બાદ આજે શ્રેણીના ૧૯મા પુષ્પ તરીકે 'આવશ્યકનિર્યુક્તિ' ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રાચીન અપ્રગટ ગ્રંથનું વિદ્વર્ય પૂ. મુનિરાજશ્રી પુણ્યકીર્તિ વિ. સંશોધન કરી રહ્યા હતા તેમને વિનંતિ કરતાં આ ગ્રંથ પ્રકાશન કરતાં અમને અવિશેષ આનંદની અનુભૂતિ થઈ રહી છે. - સન્માર્ગ પ્રકાશન **** प्रकाशकीय 11311

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 522