Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૪૧
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ
આ ઉત્ક્રાન્તિના ક્રમમાં મોહનો ક્ષય થાય છે. અહીં આધ્યાત્મિકદશાનું ઉત્થાન થતાં ક્ષાયિકભાવોનું પ્રાગટય થાય છે. તેવો ઈશારો કર્યો છે, અર્થાત્ સૂક્ષ્મમોહ પણ ક્ષય પામે છે અને ઉત્તમ ગુણશ્રેણી પ્રગટ થાય છે. આ ગુણશ્રેણીમાં તેનું અંતિમ મહાફળ નિર્વાણ છે, મુકિત છે. તે મુકિતને જીવ પ્રાપ્ત કરે છે. પામે પદ નિર્વાણ એમ કહીને અંતિમ દશામાં જીવ આરુઢ થાય છે. તે સ્પષ્ટ કર્યું છે. આપણે અહીં ૪૦ અને ૪૧ બન્ને ગાથાનો સળંગ વિચાર કરી પુનઃ એકવાર આખી સાંકળ પર દ્દષ્ટિપાત કરશું. ૩૯ મી ગાથામાં (૧) આવી દશા (૨) સુયોગની પ્રાપ્તિ (૩) મોક્ષ માર્ગની પ્રાપ્તિ (૪) અંતર રોગનો નાશ, આ ચાર પદનું વિવરણ કરી સાંકળનો શુભારંભ કર્યો અને તેમાં ૪૦ અને ૪૧ મી ગાથામાં સાત પદનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. (૨) ઉત્તમ બોધ
(૧) ઉત્તમ દશા
(૩) સુવિચારણા
(૫) નિજજ્ઞાન અને સુવિચારણા બન્નેનો સુયોગ (૭) પદ નિર્વાણ અર્થાત્ નિર્વાણ પદ.
આ રીતે ગાથા ૩૯, ૪૦, ૪૧ ના એ બધા ભાવોનું ગણિત અગિયાર કડીની સાંકળને સૂચિત કરે છે. આ સદ્ગુણની સાંકળ આધ્યાત્મિક ભૂમિની ક્રમિક અગિયાર (૧૧) અવસ્થા પાર કરી નિર્વાણ પદને મેળવે છે.
(૪) A - સુખ શાંતિ,
(૬)
B - નિજજ્ઞાન
મોહનો ક્ષાયિકભાવ
ખરેખર આત્માર્થીના લક્ષણોમાં આ ત્રણ ગાથામાં કવિરાજે મોતી, હીરા, માણેક પાર્થયા છે. એક સુંદર વસ્ત્રમાં ફૂલોનું અદ્ભૂત ભરત કર્યું છે. આત્મજ્ઞાનીની ચાદરને સ્વચ્છ બતાવી તેમાં રહેલા અલગ અલગ ગુણોનું વિવરણ કર્યા પછી આખી ચાદર અખંડભાવે એક છે અને તે જ આત્માર્થ છે. આવા આત્માર્થને વરેલો જીવ તે આત્માર્થી છે અને આત્માર્થી જીવ જ સદ્ગુરુનો આશ્રય લઈ ભકિતયોગમાં રમણ કરી નિર્વાણ પદને મેળવે છે. આ રીતે સચોટ ઉપદેશ આપી અહીં આત્માર્થીનું પ્રકરણ સમાપ્ત કરી ૪૨ મી ગાથામાં પુનઃ ઉપસંહાર કરી અર્ધી ગાથા ઉપસંહારનો ઉલ્લેખ કરે છે, જયારે ૪૨ મી ગાથાનો ઉત્તરાર્ધ હવે પોતે કયા શાશ્વત ભાવોને દાર્શનિક રીતે વિચાર કરશે તે સ્વયં કહેશે અસ્તુ.
અહીં આપણે ૪૧ મી ગાથામાં આવેલા જે ભાવો છે તેની થોડી તાત્ત્વિક મીમાંસા કરી ૪૨ મી ગાથાનો ઉપોદ્ઘાત કરશું. ૪૧ મી ગાથામાં ક્ષય મોહ એવો શબ્દ વાપર્યો છે અને તેના પરિણામે પામે પદ નિર્વાણ તેમ કહ્યું છે. મોહક્ષયમાં જ્ઞાનને કારણભૂત માન્યું છે. આ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન નથી. તેમજ સાંભળેલું શાસ્ત્રજ્ઞાન પણ નથી, પરંતુ નિજજ્ઞાન' એવો શબ્દ વાપર્યો છે. જ્ઞાનના બે વિષય છે. પરાઙમુખી અને સ્વમુખી. જ્ઞાન જયારે અન્ય દ્રવ્યોને વિષય કરી તેના
૩૯૨