Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 22
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇંદ્રના વિષયનું, પણ આત્માને ભાન. પર (૫૦) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે, પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. (૫૧) તે આત્મા દ્રષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય ? કેમકે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળ સૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાઘ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાઘ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે, તે જીવનું સ્વરૂપ છે. (૫૨) કર્ણેઢિયથી સાંભળ્યું તે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈદ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇઢિયે દીઠેલું તે કરેંદ્રિય જાણતી નથી. અર્થાતુ સૌ સૌ ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઈદ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે Jain Education International onal For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52