Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 46
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ઝન્થ. ૧૨૩ અહો! અહો! શ્રી સદ્ગુરું કરુણાસિંઘુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાથીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ, દાસ, હું દાસ છું. તેહ પ્રભુનો દીન. ૧૨૬ (૧૨૩) આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે, અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્દગુરુએ કૃપા કરીને નિર્ઝન્થનો સર્વ માર્ગ સમજાવ્યો. (૧૨૪) અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ૧૨૫) હું પ્રભુના ચરણ આગળ શું ઘરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે, એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યઘર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મુલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું ઘરું? એક પ્રભુના ચરણને આઘીન વતું એટલે માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. (૧૨૬) આ દેહ, “આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52