Book Title: Atmasiddhi shastra
Author(s): Shrimad Rajchandra, Ambalal Lalchand
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 44
________________ ૪૧. આત્મસિદ્ધિશાસ્ત્ર એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીંએ કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનનો, આવી અત્ર સમાય; ઘરી મૌનતા એમ કહી, સહજ સમાઘિ માંય. ૧૧૮ છૂટે તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ઘર્મનો મર્મ છે. (૧૧૬) એ જ ઘર્મથી મોક્ષ છે, અને તે જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તે અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાઘ સુખસ્વરૂપ છો. (૧૧૭) તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોઘસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયંજ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાઘ સુખનું ઘામ છો. બીજું કેટલું કહીએ ? અથવા ઘણું શું કહેવું ? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કરે તો તે પદને પામીશ. (૧૧૮) સર્વે જ્ઞાનીઓનો નિશ્ચય અત્રે આવીને સમાય છે એમ કહીને સદ્ગુરુ મૌનતા ઘરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણીયોગની અપ્રવૃત્તિ કરી. Jain Education International For Personal & Private Use Only For www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52