Book Title: Anekantvad Pravesh Author(s): Haribhadrasuri, Hemchandrasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેટલો ભાવાર્થ તેમાંથી નિકળ્યા કરે. માટે જ તેમના ગ્રંથો માત્ર વાંચવા યોગ્ય નથી હોતા પણ ચિંતન કરવા યોગ્ય છે. “અનેકાંતજયપતાકા” પણ ન્યાયના ઉંડા પદાર્થોથી ભરપૂર ચિંતનાત્મક ગ્રંથ છે. તેથી અનેકાંતના પ્રારંભિક અભ્યાસુઓને એમાં પ્રવેશ કરવો થોડો કઠણ પડે તેમ છે. તેથી જેમ નાવમાં ચડવા માટે સીડી સહાયક બને તેમ અનેકાંતજયપતાકામાં પ્રવેશવામાં સહાયક બને તેવા અન્વર્થનામવાળા “અનેકાંતવાદપ્રવેશ” નામના લઘુગ્રંથની તેમણે રચના કરી. આ ગ્રંથના અભ્યાસ દ્વારા “અનેકાંતજયપતાકા” માં સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે. અનેકાંતવાદપ્રવેશ” માં પ્રથમ પૂર્વપક્ષે પોતાની વાત રજુ કરી છે. તેમાં પાંચ વિભાગ કર્યા છે - (૧) સદસદ્ એકાંતવાદ (૨) નિત્યાનિત્ય એકાંતવાદ (૩) સામાન્યવિશેષ એકાંતવાદ (૪) અભિલાપ્યઅનભિલાપ્ય એકાંતવાદ (૫) એકાંતવાદમાં જ મુક્તિ. આ પાંચ વાદોને સિદ્ધ કરવા દ્વારા પૂર્વપક્ષીએ અનેકાંતવાદનો નિરાસ કરવાનો પ્રયાસ કર્યો છે. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 220