Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 24
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સુખરૂપ માને છે, અપુત્રીયાને પુત્ર એ મહા સુખ મનાય છે, પણ તે જ પત્ર બહુ પુત્રીયાને જેને કમાવાની તાકાત નથી તેને કષ્ટ સ્વરૂપ હોય છે, આથી સુખ અને દુઃખનાં કેન્દ્ર સે સૌને આશ્રયી જુદાં હોય છે, પણ સુખનું ટુંક સ્વરૂપ સ્વાધીન તે સુખ અને પરાધીન તે દુઃખ છે, આ સ્વાધીનતામાં પણ સૌથી પ્રગતિશીલ અવસ્થા તે જ ખરું સુખ જમા મુકેલ માણસ ગમે ત્યારે પૈસા લેવા જાય તો તેને તે મળી શકે છે, અને તે પૈસાથી અનાજ વિગેરે ખરીદી રસોઈ કરી પિતાની સુધા વિગેરે શાંત કરી શકે છે, આ રીતે તે સ્વતંત્ર હોવા છતાં રાઈ વિગેરેની પરાધીનતા, રાત્રે જરૂર પડે તે પરાધીનતા, શરાફ ભાગે તે પરાધીનતા. આ રીતે જેને માણસ સ્વાધીનતા માનતે હોય તે પણ પરાધીન છે, માણસ માતા પિતા સ્ત્રી પુત્ર વિગેરે કુટુંબી જનોને તે પિતાના માને છે, પણ દુઃખ આવે કે માંદગી આવે તો તેને તે પણ પર સ્વરૂપ બને છે, વધુ શું જે શરીરને સાફસુફ કરી તૈયાર રાખવામાં આવે તે શરીર પણ આત્માની અપેક્ષાએ પરસ્વરૂપ બને છે. આથી સુખ સ્વાત્મરમણમાં હોય છે, અને આ સુખ માણસ ત્યારે જ મેળવી શકે છે કે જ્યારે પરસ્વરૂપ ધન, કુટુંબ સ્નેહિ મા બાપ અને શરીર સર્વના ત્યાગ પ્રધાન જીવન જીવવાની તમન્ના હોય અને આ રીતે સુખદુઃખની વ્યાખ્યા મજસવામાં આવે તે માણસની દુનીયાના સુખની પ્રવૃત્તિ પાછળ થતી ઘેલછા આપ આપ અટકી જાય, આ ઘેલછાનો ત્યાગ થતાં માણસ પરિપકવ વિચાર કરી આત્મરમણુતામાં તૈયાર થાય તેને માટે આદર્શપુરૂષને આશ્રય લઈ જીવન સમર્પે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62