Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ ૧૮ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર પુત્ર! સુખેથી ત્યાગના પૂનીત પંથે સંચર અને સ્વપરનું કલ્યાણ કરી જગતને મહાન વિજેતા થા અમારા અંતરના આશિષ છે પણ મેહ અમને તારી પ્રત્યે ખુબ ખેંચે છે, આખરે આ રીતે પૂજ્ય માતાપિતાએ ભવ્ય મહોત્સવ પૂર્વક વાઘજકુંવરને આચાર્યદેવ શ્રીમદુ હેમવિમળરીશ્વરજી મહારાજની પાસે વિક્રમ સંવત ૧૫૫રમાં દીક્ષા અપાવીને સૂરીજીના શિષ્ય બનાવ્યા અને આચાર્યશ્રીએ તેનું અમૃત મેરૂમુનિ નામ રાખ્યું, હવે ભૂતકાળના વાઘજીકુંવર આજે અમૃતમેરૂ મુનિ તરીકે ઓળખાવા લાગ્યા. ભગવાન મહાવીરને પ્રતિપાદિત ધર્મ, સર્વધર્મ અને દેશધર્મ એ બે પ્રકારે છે, તેમાં સર્વધર્મ મૂખ્ય માર્ગ અને દેશ ધર્મ એ મુખ્યની અશક્તિએ ઉપાધ્યાયપદ આદરવા ગ્ય છે. સર્વધર્મના આરાધ કેમાં મુનિવર્ગ ઉપાધ્યાય અને આચાર્ય મહારાજ છે, સ્વ અને પર ભાવના ત્યાગ સ્વરૂપ મુનિ અવસ્થામાં જીવન દઢ બન્યા પછી, ભગવાન પ્રરૂપિત જ્ઞાન દઢ બને છે, અને તે જ્ઞાન સ્વજીવનમાં દઢ બને એટલું જ નહિ પણ મહાન બુદ્ધિમાન અને અર્ધદગ્ધ માણસને અપવાદ અને ઉત્સર્ગને નહિ સમજવાથી જીવનમાં થતા વ્યાહને દલીલ પૂર્વક દુર કરવાની શક્તિ તેમજ શબ્દના અર્થો તેના રહસ્ય ફલિતાર્થ અને ગુરૂગમથી થતી ગંભીર જ્ઞાનવસ્થા પ્રગટ થાય છે. તેવા મહાપુરૂને ઊપાધ્યાયપદ મલે છે. આ અવસ્થા શાસનના સ્તંભ સટશ છે, અર્થાત શાસનપ્રાસાદ અરિહંતના અભાવે આચાર્ય મહારાજ સંભાળે છે અને આચાર્યના સદુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62