Book Title: Anandvimalsuri Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 34
________________ થ શ્રી આનંદવિમળમુરિ જીવનચરિત્ર તેમને સમાગે નહિ જોડવાની રીતિ, તપને અભાવ, કિયામાં શિથિલતા, આ સર્વનો ત્યાગ કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરમારાધતાનું જીવન જીવવું, જીવન જીવડાવવું અને તેના જીવન જીવાડવાને પ્રચાર આનું નામ ક્રિોદ્ધાર, આ ક્રિયદ્વાર એક હાથે ન બની શકે માટે મારે તે જીવન જીવી તેમાં રસ ઉત્પન્ન કરનાર વર્ગને ઉભે કરી આખી પલટાએલ સ્થિતિ પલટવી એજ મારૂં મુખ્ય જીવન ધ્યેય રહેવું જોઈએ, અને જે આ પ્રમાણે વ્યવસ્થા થશે તો સંઘમાં થનાર નવદીક્ષિતે પણ નવા પ્રવાહને જીવી જૈન શાસન પ્રભાવના કેઈ અપૂર્વ કરી પૂર્વ મુજબ શાસનધુરાને વહન કરી અવિચ્છિન્ન જગત્ ઊપર પ્રભાવ પાડશે. બસ ગમે તે થાય રાધા રા રેઢું પાતયામિ ની પ્રતિજ્ઞા લીધી અને પોતાના ગુરૂદેવ શ્રીમદ્દ હેમવિમલસૂરીશ્વરજીને પિતાની ભાવના જણાવી, ગુરૂદેવને તો ખુબ આનંદ થયો! ગુરૂદેવની આજ્ઞા લઈને કુવાદિમતે છેદક શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મુનિવૃંદમાં ઉફ્લેષણ જાહેર કરી, ત્યારે ૫૦૦ પાંચશે મુનિ મહારાજેએ તેમને સાથ આપવા વચન આપ્યું અને પ૦૦ સે સાધુઓને લઈને વિક્રમ સંવત ૧૫૮૨ ના વર્ષમાં ચાણસ્મા પાસે આવેલા વડાવલી ગામમાં ક્રિોદ્ધાર કર્યો. આ પહેલાં તપગચ્છની શરૂઆત કરનાર મહાન ઉગ્ર તપસ્વી ધુરંધર મહાત્મા આચાર્ય દેવેશ શ્રીમદ્ જગચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૨૦૦ ની લગભગમાં ક્રિોદ્ધાર કર્યો હતે. ૧ આજે પણ ચાણસ્મા સ્ટેશનથી વડાવલી પાંચ ગાઉ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62