Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 322
________________ પુસ્તક ૪-થું પ૧ જાય છે તેમ મેક્ષે જાય ત્યારે શરીરમાં જે પિલાણ હોય તે ઘટ થઈ જાય એટલે પિલાણવાળે ભાગ આત્મ પ્રદેશથી પુરાઈ જાય. તે પુરાવાથી છેવટે જેટલી શરીરની અવગાહના છે તેને ત્રીજો ભાગ ન્યૂન એટલી આત્માની અવગાહના રહે છે. પ્રશ્ન ૩૬–ઈલિકા ગતિ એટલે શું ? સમાધાન-મરણ સમુદ્દઘાતમાં આત્મ પ્રદેશો પોતાને ઉપજવાના સ્થાને જાય ને પાછાં આવે, એટલે ઈયળ જેમ પિતાના શરીરને ભાગ ચાલવું હોય ત્યારે આગળ નાખે, વળી પાછી જાય; તેમ આત્મા મરણ વખતે જ્યાં ઉપજવાનું હોય ત્યાં પોતાના કેટલાક આત્મપ્રદેશ ફેકે છે ને તેમાંથી તે સ્થાને ફેંકેલા પ્રદેશમાંથી) કેટલાક પ્રદેશે જાય અને વળી પાછા આવે ને વળી જાય તેને શાસ્ત્રમાં ઇલિકાગતિ કહેલી છે. પ્રશ્ન ૩૭–આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુ બંધાય તે નિયમ તુટી જનાર આયુષ્યને લાગુ પાડી શકાય કે નહિ? સમાધાન—આયુબંધમાં આયુષ્યને ત્રીજો ભાગ તે અનુક્રમે ભોગવવાની અપેક્ષાએ છે. ત્રીજા ભાગને નિયમ તુટી જનાર આયુષ્ય માટે નથી તેવી રીતે ૩ ૯ ૨૭ ઈત્યાદિ ભાગ પણ નિરૂપક્રમ આયુ વાળા માટે છે. પ્રશ્ન ૩૮–ત્યારે શું આપણું આયુષ્ય સોપક્રમી છે કે નિરૂપકમી છે? સમાધાન–આપણું આયુષ્ય સંપકમીજ છે નિરૂપક્રમી નથી એમ નહિં કહી શકાય, આજે પણ ઉપક્રમ લાગે આયુ જલદી ભગવાય ને તે ભગવાય તે જ સેપક્રમી ગણાય. જેમ ઘડીઆળમાં આઠ દિવસની ચાવી આપી હોય તે નિયમસર ચાલે તે આઠ દિવસ સુધી ચાલે. વચમાં જે કમાન છટકી જાય તે બધી ચાવી બે મિનીટમાં પુરી થાય, તેમ આપણા આયુષ્યના દળીઆ અનુક્રમે ભગવાય તે નિરૂપકમી આયુષ્ય ભગવાય અને વચમાં કેઈક અકસ્માત આવી

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350