Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 273
________________ ૨૭૦ નિરયાવલિયાણું- /૭ ધાર્મિક યાનને ત્યાં સ્થાપન કર્યું. નીચે ઉતરીને વળી કુન્જા વિગેરે યાવત, દાસીના સમૂહવડે પરિવરેલી તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવી, આવીને શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી, વંદના કરી અને પ્રણામ કર્યા. વંદના અને પ્રણામ કરી પરિવાર સહિત ઉભી રહીને જ ધર્મ સાંભળવાની ઈચ્છાથી. નમસ્કાર કરતી સન્મુખ વિનયવડે બે હાથ જોડી સેવા કરવા લાગી. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ યાવતુ કાલીદેવી અને તે મોટી પર્ષદાની આગળ ધર્મકથા કહી. યાવત્ શ્રાવક અથવા શ્રાવિકા તે પ્રમાણે વિચરતા જિનેશ્વરની આજ્ઞાના આરાધક થાય છે. ત્યારપછી તે કાલીદેવી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે ધર્મ સાંભળીને હૃદયમાં ધારીને યાવતુ હર્ષિત થઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર વાંદીને યાવતુ આ પ્રમાણે બોલી કે- “નિશે હે ભગવાન! મારો પુત્ર કાલકુમાર હે રથમુશલ સંગ્રામમાં ઉતર્યો છે. તો ભગવાન ! શું જય પામશે ? કે નહીં જય પામે ? યાવતુ કાલ કુમારને હું જીવતો જોઈશ? હે કાલી! એમ કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કાલીદેવીને આ પ્રમાણે કહ્યું- “નિશ્ચ હે કાલી ! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીવડે થાવત્ પૂણિક રાજા સહિત રથમુશલ નામના સંગ્રામમાં ઉતર્યો ત્યારે તે હેત થયો, મથિત થયો, તેના વીર-સુભટો હણાયા, તેના ચિલવાળી ધ્વજાપતાકા પડી ગઈ, એટલે તે આલોક રહિત દિશાઓને કરતો ચેટકરાજાનો પ્રતિપક્ષ થઈ તેની સન્મુખ આવ્યો તેના રથની સન્મુખ રથને કરી તેની પાસે જલ્દી આવ્યો. તે વખતે તે ચેટકરાજાએ કાલકુમારને આવતો જોયો. કાલકુમારને આવતો જોઈને તત્કાલ ક્રોધ પામ્યો, થાવત્ ક્રોધની જ્વાલા વડે જાજ્વલ્યમાન થયો. પછી તેણે ધનુષ ગ્રહણ કર્યું, બાણ લીધું, વૈશાખસ્થાને રહી બાણને કર્ણ સુધી આકર્ષણ કર્યું, આકર્ષણ. કરીને કાલકુમારને એક જ પ્રહારથી કૂટના પ્રહારની જેમ હણીને જીવીતથી રહીત કર્યો. તેથી હે કાલી! કાલકુમાર કાલધર્મને પામ્યો. છે. તેથી તું તે કાલકુમારને જીવતો જોઈશ નહીં. ત્યારપછી તે કાલી દેવી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની પાસે આ અર્થને સાંભળીને હૃદયમાં ધારીને પુત્રના મોટા શોકે કરીને વ્યાપ્ત થઈ કુહાડાથી કાપેલી ચંપકલતાની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોએ કરીને પડી ગઈ. એક મુહુર્ત પછી તે સ્વસ્થ થઈ ઉભી થઈ, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યા. આ પ્રમાણે તે બોલી- “હે ભગવાન! આ તમે કહ્યું તે એમ જ છે, હે ભગવાન! તે જ પ્રકારે છે, તે ભગવાન! તમારું કહેવું સત્ય છે, હે ભગવાન! તમારા વચનમાં કાંઈ પણ સંદેહ નથી, આ અર્થ સત્ય છે, કે જે તમે કહ્યો છે.“આ પ્રકારે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી, નમસ્કાર કર્યો.ધર્મસંબંધી વાહનપર આરુઢ થઈ, જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. [૮] હે ભગવાન ! એમ કહીને ભગવાને ગૌતમસ્વામીએ વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું – “હે ભગવાન કાલકુમાર, યાવતું રથમુશળ નામના સંગ્રામમાં યુદ્ધ કરવા ઉતર્યા, ત્યારે ચેટકરાજાએ કુટના પ્રહારની જેમ એક પ્રહારથી હણીને જીવિતથી દૂર કર્યા તે કાળ સમયે કાળ કરીને ક્યાં ગયો? શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું કે “આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316