Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 328
________________ ૩૬/-/-/૬૦૪ વિચારમાં કોઈને હોય - કોઈને ન હોય. જે નરકથી નીકળી પૃથ્વીકાયિકમાં જવાનો નથી. તેને ન હોય. જે જવાના છે, તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. તે આ પ્રમાણે – તિર્યંચ પંચેન્દ્રિય ભવથી, મનુષ્ય ભવ કે દેવભવથી કષાય સમુદ્દાતને પ્રાપ્ત થઈ જે એકવાર પૃથ્વીકાયિકોમાં જવાનો છે, તેને એક, બે વાર જવાનો છે તેને બે, ત્રણ વાર જવાનો છે તેને ત્રણ, સંખ્યાીવાર જવાનો છે, તેને સંખ્યાતા - x અનંત કષાય સમુદ્દાત જાણવા. સૂત્રકારે પણ તેમ કહેલું છે. - એ પ્રમાણે ચાવત્ મનુષ્યપણામાં જાણવું. એમ પૃથ્વી જે સૂત્રપાઠ કહ્યો, તે વડે મનુષ્યપણામાં સુધી કહેવું. જેમકે – એકૈક નૈરયિકને અકાયિકપણામાં કેટલા કષાયસમુદ્ધાતો અતીતકાળે થયા હોય ? અનંત. ભાવિમાં કેટલા થાય ? ઈત્યાદિ - ૪ - કહેવું. એ પ્રમાણે મનુષ્ય સૂત્ર સુધી કહેવું. તેમાં અકાયથી મનુષ્યસૂત્ર સુધીનો વિચાર પૃથ્વીકાયિક સૂત્રવત્ કરવો. ૧૭૭ બેઈન્દ્રિય સૂત્રમાં ભાવિકાળે થવાના કષાયસમુદ્દાત વિચારમાં જઘન્યથી એક, બે, ત્રણ સમુદ્ધાતો જે એકવાર જઘન્ય સ્થિતિવાળા બેઈન્દ્રિયના ભવને પામે, તેની અપેક્ષાએ સમજવા. સંખ્યાતી વાર બેઈન્દ્રિયપણાને પામે તેને સંખ્યાતા ઈત્યાદિ અનંત સુધી કષાય સમુદ્દાત ભાવિકાળે પ્રાપ્ત થનાર છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ વિચારવા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય વિશે આ પ્રમાણે વિચારવું – જે એક વખત તિર્યંચ પંચેન્દ્રિયના ભવને પામવાનો છે અને સ્વભાવથી જ અલ્પકષાયી છે, તેને જઘન્યથી એક, બે કે ત્રણ સમુદ્ઘાતો હોય છે. બાકીના તિર્યંચ પંચે ભવને સંખ્યાતી વાર પ્રાપ્ત કરનારા સંખ્યાતા, અસંખ્યાતીવાર પ્રાપ્ત કરનારા અસંખ્યાતા, અનંતીવાર પ્રાપ્ત કનરારાને અનંતા કષાય સમુદ્ઘાતો થવાના છે. જે મનુષ્યસૂત્રમાં ભાવિ કાય સમુદ્દાત સંબંધે આ પ્રમાણે વિચારવું નરકભવથી નીકળી અલ્પકષાયી મનુષ્ય ભવ પામી કષાય સમુદ્દાત વિના જ મોક્ષે જવાનો છે. તેને નથી. બાકીનાને હોય છે. તેમાં એક, બે કે ત્રણવાર કષાય સમુ પ્રાપ્ત કરશે તેને એક, બે કે ત્રણ કષાય સમુદ્ઘાતો હોય છે. સંખ્યાતા ભવો કરનારને કે એકભવમાં પણ સંખ્યાતા કષાય સમુદ્ઘાત કરનારને સંખ્યાતા ઈત્યાદિ અનંત કાય સમુ૰ સુધી કહેવું. - જ્યોતિકપણામાં અતીતકાળે પણ અનંતા કહેવા. ભાવિમાં કોઈને થાય, કોઈને ન થાય. તે પૂર્વવત્ કહેવું. જેને છે તેઓમાં પણ કોઈને અસંખ્યાતા અને કોઈને અનંતા હોય. પણ કદાચ સંખ્યાતા હોય એમ ન કહેવું. કેમકે – જ્યોતિકોને જઘન્યથી અસંખ્યાતા કાળનું આયુ હોવાથી, જઘન્યથી પણ અસંખ્યાતા કપાયસમુદ્ધાતો હોય છે. અનંતવાર જનારાને અનંતા હોય છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિકાળમાં કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ 22/12 E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (89) પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ અનંતા હોય, તેની વિચારણા પૂર્વવત્ એ પ્રમાણે નૈરિયકોને સ્વસ્થાને અને પરસ્થાને કપાય સમુ કહ્યા. હવે અસુકુમારોમાં સ્વસ્થાન અને પરસ્થાનને આશ્રીને કષાય સમુદ્દાતનો વિચાર કરવા કહે છે એકૈક અસુરકુમારને નૈરયિકપણામાં કષાયસમુદ્દાતો અતીતકાળે અનંતા હોય છે. ભાવિ કાળે કોઈને હોય - કોઈન ન હોય . જે - અસુરકુમારના ભવથી નીકળી નકે જવાનો નથી, તેને હોતા નથી, જે નરકે જવાનો છે તેને હોય છે. તેમાં પણ જઘન્યથી સંખ્યાતા હોય છે, કેમકે જઘન્ય સ્થિતિક નસ્કોમાં પણ સંખ્યાતા કષાય સમુદ્ધાતો થાય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા જાણવા. તેમાં જઘન્ય સ્થિતિક નસ્કોમાં વારંવાર અને દીર્ધસ્થિતિક નસ્કોમાં એક કે અનેકવાર જનારને અસંખ્યાતા, અનંતવાર જનારને અનંતા હોય છે. અસુકુમારને અસુકુમારપણામાં અતીતકાળે અનંતા અને ભાવિકાળે એકથી માંડી અનંત સુધી હોય છે. જે ભાવિમાં થનાર છે તે કોઈને હોય અને કોઈને ન હોય. જે અસુરકુમાર ભવના પર્યન્તવર્તી છે અને કષાય સમુદ્દાત કરવાનો નથી, તેમ ત્યાંથી ચ્યવી ફરી અસુકુમાર ભવ પ્રાપ્ત કરવાનો નથી, પણ પછીના ભવે કે પરંપરાએ સિદ્ધિપદને પામશે તેને હોતા નથી. બાકીનાને હોય છે. જેને હોય તેને જઘન્યથી એક, બે, ત્રણ હોય ઈત્યાદિ પૂર્વવત્. ૧૩૮ એ પ્રમાણે નાગકુમારપણામાં અને પછી ચોવીશ દંડકમાં ક્રમથી નિરંતર યાવત્ વૈમાનિકપણામાં વૈરયિવત્ સૂત્ર કહેવું. અર્થાત્ નાગકુમાથી ાનિતકુમારમાં ભાવિમાં કોઈને હોય છે - કોઈને હોતા નથી. હોય તેને સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા હોય છે. પૃથ્વીકાયિકાદિપણામાં યાવત્ મનુષ્યપણામાં જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા હોય છે. વ્યંતરપણામાં જેને થવાના છે, તેને કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત કે કદાચ અનંતા હોય છે. જ્યોતિષ્કમાં જેને થવાના છે તેને કદાચ અસંખ્યાત હોય - કદાચ અનંતા હોય. વૈમાનિકપણામાં પણ એમ જ કહેવું. - x - x - અહીં વિશેષતા બતાવે છે કે – પરંતુ નાગકુમાથી સ્તનિતકુમાર સુધીના બધાંને સ્વસ્થાનની અપેક્ષાથી અવશ્ય ભાવિમાં થવાના એકથી માંડી અનંત સુધી જાણવા. પરસ્થાન અપેક્ષાએ અસુરકુમારવત્ કહેવા. પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં ચાવત્ સ્તનિતકુમારત્વમાં અતીતકાળે અનંતા જાણવા, ભાવના પૂર્વવત્. ભાવિમાં કોઈને હોય કોઈને ન હોય. તેમાં જે પૃથ્વીકાયના ભવથી નીકળી નરકમાં, અસુકુમાર ચાવત્ સ્તનિતકુમારમાં જવાનો નથી, પણ મનુષ્યભવ પામી મોક્ષે જવાનો છે, તેને હોતા નથી. બીજાને હોય છે, જેને હોય તેને જઘન્યથી સંખ્યાતા હોય. કેમકે જઘન્યસ્થિતિક નરકાદિમાં પણ સંખ્યાતા કપાયસમુદ્ધાતો હોય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કે અનંતા હોય છે. તે પૂર્વવત્ વિચારવા.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352