Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 343
________________ ૩૬/-/-/૧૪ ૨09 (104) ઉપાડીને એ પ્રમાણે સંપૂર્ણ જંબુદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં સવાર ફરીને શીઘ આવે. હે ગૌતમ ! ખરેખર તે સંપૂર્ણ જંબૂદ્વીપ વડે તે ગંધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હા, થાય. હે ગૌતમ ! છાસ્થમનુષ્ય તે ગંધના યુગલોને કંઈક વણથી વર્ષ - ગંધથી ગંધ - રસથી સ્ત્ર • સાથી સ્પર્શ રૂપે ગણે - જુઓ ? ભગવન ! એ અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! એ કારણે એમ કહું છું કે - છઠાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોને કંઈક વર્ષથી વરૂપે યાવત્ સાશથી સ્પર્શરૂપે જાણતો-જતો નથી. હે આયુષ્યમાન શ્રમણ ! એટલા સૂક્ષ્મ યુગલો તે છે અને તે સર્વલોકને સ્પર્શીને રહે છે. • વિવેચન-૬૪૪ : ભગવદ્ ! ભાવિતાત્મા અને કેવલિ સમુઠ્ઠાતવાળા અણગારના ઈત્યાદિ. અહીં કેવલિ સમુદ્ધાત કેવળ જ્ઞાનીને હોય છે, છાસ્થોને હોતો નથી. કેવલી નિશ્ચયનયથી અણગાર છે. ગૃહસ્થ નથી, તેમ પાખંડી નથી. તે ભાવિતાભા - સમભાવ વડે ભાવિત આત્મા જેનો છે એવા. કેમકે તે વિશિષ્ટ શુભ અધ્યવસાય યુક્ત છે જો એમ ન હોય તો કેવલિપણું ઘટે નહીં. જેનું સ્વરૂપ કહ્યું છે એવા કેવલિ સમુઠ્ઠાત વડે સમવહત અણગારના જે ચરમ-છેલ્લા સમયે વતતા, કેમકે તે પુદ્ગલો વડે જ સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરે છે. નિર્જર પુદ્ગલો - નિર્જરાને પ્રાપ્ત થયેલ પુદ્ગલો. તાત્પર્ય એ કે લોક વ્યાપી થવાના સમયે આત્મપદેશોથી જુદા પડેલા અને જેઓએ કર્મપણાના પરિણામનો ત્યાગ કરેલો છે, એવા નિશ્ચિત સૂક્ષમ - ચક્ષુ આદિ ઈન્દ્રિયોને અગોચર પુદ્ગલો આપે કહેલા છે? “આયુષ્યમાન્ શ્રમણ” એ ભગવંતે ગૌતમને કરેલ સંબોધન છે. નિશ્ચિત છે કે સર્વલોકને સ્પર્શીને તે પુદ્ગલો રહે છે? એમ ગૌતમે પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું – ‘હા’ - x • x - ‘સૂમ પુદ્ગલો છે' એમ કહ્યું, તે સૂક્ષ્મપણું અપેક્ષાથી પણ હોય, જેમકે આમળા કરતાં બોર સૂમ છે. તેથી ચક્ષુ આદિ ઈન્દ્રિયોને અગોચર રૂપ સૂમપણું પ્રતિપાદન કરવા સૂત્રકારશ્રી કહે છે - ભગવનછાસ્ય મનુષ્ય હમણાં કહેલાં તે નિર્જરા પુદ્ગલોને પહેલાં સામાન્યપણે જાણે છે – જુએ છે ? એની જ વિશેષરૂપે . વ્યાખ્યા કરે છે – જેના વડે યથાવસ્થિત સ્વરૂપનો નિર્ણય થાય તે વર્ણ. એમ વ્યુત્પત્તિ થવાથી વણને ગ્રહણ કરનાર ચક્ષઈન્દ્રિય વડે કૃષ્ણાદિ રૂપવાળા વર્ણને, ગંધ ગ્રાહક ધ્રાણેન્દ્રિય વડે જ - સુંઘવું, કેમકે જે વડે શુભ કે અશુભ ગંધ સુંઘાય તે ગંધ. તે વડે શુભાશુભ ગંધને. રસ વડે - જે વડે આસ્વાદ કરાય તે રસ. રસની ગ્રાહક સનેન્દ્રિય વડે તિકતાદિપ રસને, જે વડે જાણવા યોગ્ય વસ્તુને કર્કશાદિ રૂપ જણાય, સ્પર્શ ગ્રાહક સ્પર્શનેન્દ્રિય વડે કર્કશાદિ રૂપ સ્પર્શને જાણે-જુએ ? ભગવત્ કહે છે – એ અર્થ સમર્થ નથી. ગૌતમ પુનઃ પ્રશ્ન કરે છે. એમ (PROOF-1) ran-40\Book-403 ૨૦૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 કેમ કહ્યું? ઈત્યાદિ ભગવનું કહે છે - હે ગૌતમાં આ પ્રત્યક્ષ જણાતો, આઠ યોજના ઉંચા રનમય જંબૂવૃક્ષ વડે સહિત દ્વીપ તે જંબૂદ્વીપ. બધામાં મધ્યવર્તી છે. કોના મધ્યમાં ? બધાં દ્વીપ અને સમુદ્રોમાં. તે આ રીતે- દ્વીપ સમુદ્રો જંબૂદ્વીપથી આરંભી આગમોક્ત ક્રમે બમણાં-બમણાં વિસ્તારવાળા રહેલાં છે. તેથી દ્વીપસમુદ્રોમાં જંબૂદ્વીપ મધ્યવર્તી છે. તથા સર્વ દ્વીપ સમુદ્રમાં સૌથી નાનો છે. તે આ રીતે - બધાં લવણાદિ સમુદ્રો અને સર્વ ઘાતકીખંડાદિ દ્વીપો, આ જંબૂદ્વીપથી આરંભી બમણાં બમણાં મંડલાકાર વિસ્તારવાળા છે. તેમની અપેક્ષાથી નાનો છે - • તથા વૃત્ત - ગોળાકાર છે. જેથી તેલ વડે તળેલા પુડલાના જેવી આકૃતિવાળો છે. તેલમાં તળેલ પુડલો ઘણું કરી પરિપૂર્ણ વર્તુળાકાર હોય છે, પણ ઘીમાં તળેલો તેવો હોતો નથી, તેથી ‘તેલ’ એ વિશેષણ આપ્યું, તથા જંબૂદ્વીપ ગોળ છે. કેવો ? રથના અંગભૂત ચક, ચકવાત-મંડલ જેવી આકૃતિવાળો છે. એમ સબોક્ત બીજ બે પદ પણ વિચારવા. માથામ - લંબાઈ, faષ - વિસ્તાર વિસ્તાર વડે લાખ યોજન પરિમાણવાળો છે. - x - મહાદ્ધિ - વિમાન પરિવારાદિ જેને છે તે. ચાવતું મહાસૌ વાળો. ચાવતું શદથી મોટી શરીર અને આભરણની કાંતિવાળા, મહાશારીરિક શક્તિ-બળવાળા, મોટી ખ્યાતિવાળા તે મહાયશસ્વી, તથા ઘણાં સાતા વેદનીય કર્મનો ઉદય હોવાથી મહા સુખવાળો અને ક્વચિત્ ‘મહા સર્વg' પાઠ હોવાથી મોટા ઈશ્વર એવી પ્રસિદ્ધિ જેની છે એવો અથવા પોતાના ઐશ્વર્યન જણાવે, પ્રગટ કરે તથા પરિવારાદિ ઋદ્ધિ વડે વર્તે તે, મહેશા કહેવાય. બીજે સ્થાને વૃદ્ધાચાર્યો એમ વ્યાખ્યા કરે છે કે - શીઘ ગમન કરે તેવી અશ્વ-મન, પોત-પોતાના વિષયને વ્યાપ્ત કરે છે માટે પ્રશ્ન - ઈન્દ્રિયો, મહાકૃર્તિવાળા મન અને ઈન્દ્રિયો જેને છે એવો મહાશ્ચાક્ષ દેવ, એક ઘણો ભારે, કેમકે જો નાનો હોય તો તેના ગંધના પગલો વડે સંપૂર્ણ જંબુદ્વીપને વ્યાપ્ત કરવો અશક્ય થાય. અતિ સૂક્ષ્મ છિદ્રોને પણ ઢાંકવાથી વિશિષ્ટ લેપાદિ કરેલા ઉપરના ઢાંકણા વડે સહિત, તેવા ઢાંકણ વિના સૂમ છિદ્રો વડે ઘણાં પુદ્ગલો નીકળી જાય અને તેને ઉઘાડતી વખતે થોડાં રહેવાથી તેના વડે સંપૂર્ણ જંબૂદ્વીપને વ્યાપ્ત કરવનું ઘટે નહીં – - અતિ ઉત્તમ ગંધ દ્રવ્યો વડે પરિપૂર્ણ ભરેલો ડાભડો તેને ઉપાડે છે, એ પ્રમાણે પરિપૂર્ણ હોવાથી કેવળજ્ઞાન સમાન સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વડે, અહીં ચપટી-કાળ સૂચક છે. એટલે ત્રણ ચપટી વગાડાય તેટલાં કાળ વડે • સમયમાં ૨૧વખત ચારે તરફ ભમીને શીઘ આવે -x x- એમ પહેલાં વિવક્ષિત અર્થના બોધનું કારણ દેટાંતનો પીઠિકાબંધ કહ્યો. હવે વિવક્ષિત અર્ચના બોધનું કારણ દષ્ટાંત વાક્ય કહેવાય છે. ખરેખર હે ગૌતમ ! તે સંપૂર્ણ જંબૂદ્વીપ તે ગંઘના ડાભડાથી નીકળેલાં ઘણાં ગંધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હવે ગૌતમ કહે છે - હા વ્યાપ્ત થાય. કેમકે es E:\Maha

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352