Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 231
________________ ૧૫: ધર્મોપદેશ કટુ પણ હિતકર જોઈએ? 35 • હિતકર વસ્તુ અવશ્ય કહેવી : • ધર્મ અનુષ્ઠાન કરતાં પુદ્ગલની અભિલાષાને છોડો ! • ભાવના યોગ્ય રીતે કેળવો ! • સ્થાન ઊંચું તેમ જોખમદારી વધારે : પાપ પણ બેડી અને પુણ્ય પણ બેડી ! • પ્રભુને શા માટે પૂજવા ? • સત્ત્વશીલ બનો ! • લલિતાંગ કુમારનું ચરિત્ર : વિષય : ધર્મોપદેશમાં પુનરુક્તિ દોષ નથી. અનુષ્ઠાનના પ્રકાર - પુદ્ગલની અભિલાષાનો ત્યાગ એ જ ધર્મનું લક્ષ્ય. સ્થાનની જોખમદારી ... પૂજાનો આશય. હિતકર વાત કટુ હોવા છતાં રોજ કહેવી. પ્રિયાદિ હોય તો સારું પણ ન બને છતાં હિત થાય તો કટુ પણ બોલીને હિત સાધવું જ. ભવનો ભય પેદા થાય તો જ ધર્મ જચે. એ જ બાદ એના પ્રકાર જાણવાની ઇચ્છા થાય. અશુભ તજાય, શુભ ભજાય. સંસારરાગ ત્યજવો અને મોક્ષ માટે જ ધર્મ કરવો. આ બધી વાતોની સાથોસાથ જેમ સ્થાન ઊંચું તેમ જોખમ પણ વધુ એ મુદ્દો ખીલવવા ભગવાન શ્રી મહાવીર પ્રભુશ્રી પાર્શ્વનાથ, કુમારપાળ અને છેવટે બલિતાંગકુમારનું ચરિત્ર કહી છેવટે પંચતંત્રની શિકારી અને કબૂતરની વાર્તા દ્વારા ધર્મમાં દઢતા કેળવવી જોઈએ એ વાત જડબેસલાક બેસાડી છે. મુવાક્ષાત • દુનિયાના વિષયના પૂજારીઓ, એ માટે જ ધર્મ કરતા હોય તેઓ ધર્મને ક્યારે ઠોકર મારશે એ કહેવાય નહિ. • હિતની આશા રાખીને સાંભળવા આવનાર પાસે, એની શરમમાં પડીને કે એનાથી લેવાઈ જઈને હિતની વાત ન કહે, તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કોણ ? • ઉન્માર્ગે લઈ જનારી દેશના સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા ! • ચમત્કારો માટે પૂજા કરનારો સમ્યત્ત્વની વાસનાનો લોપ કરી મિથ્યાત્વને વધારનારો છે. • જે ક્રિયાથી - વિષયનો વિરાગ થાય, કષાયનો ત્યાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ક્રિયામાં અપ્રમાદ થાય તે ધર્મ ! • જૈન ભલે આસક્તિયોગે ત્યાગ ન કરી શકે, પણ ધર્મ ઉપર આફત આવે ત્યારે તો અવશ્ય ત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274