Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૩૨
આ ચ લ ગ વિ. સં. ૧૫૬૬ના ફાગણ શુદિ ૧૦ ને સોમવારે, તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિના પરિવારમાં થયેલા શ્રી સુમતિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીકમલકલશસૂરિના શિષ્ય શ્રી જયકલ્યાણસૂરિજી પાસે પ્રતિષ્ઠિત કરાવ્યું છે.
સંઘવી સહસાએ લાખ રૂપિયા ખર્ચીને આ મંદિર બંધાવવા ઉપરાંત તેની પ્રતિષ્ઠા વખતે હજારો માણસને મોટા ઠાઠ સાથેને સંઘ કાઢી, અચલગઢ આવી, મોટી ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કરી તેમાં લાખો રૂપિયા કે સોનામહોર ખચી હતી, એ નિ:સંદેહ વાત છે. પં. શ્રીશીલવિજ્યજીએ સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાલાની કડી કપમાં લખ્યું છે કે “સં. સહસાએ આ પ્રતિષ્ઠામહોત્સવ વખતે સેવકે (સેવક, ભોજક આદિ યાચકે)ને એક લાખ દ્રવ્ય દાનમાં દીધું.” આ ઉપરથી એ સહેજે સમજી શકાશે કે–સં. સહસાએ પ્રતિષ્ઠામહોત્સવ વખતે કેટલું ધન ખેચ્યું હશે, અને તે કેટલે ઉદાર-દાનવીર હશે. સં. સહસાએ મંદિર બંધાવવામાં કેટલું દ્રવ્ય ખચ્યું હશે તેનું અનુમાન આ મંદિરને નજરે નિહાળનાર સહેજે કરી શકે તેમ છે.
થયો છે, પરંતુ શ્રીસુમતિસુંદરસૂરિજીના ઉપદેશથી સંઘવી સહસાએ મહારાવ લાખાની અનુમતિથી આ મંદિર બંધાવવાનું કાર્ય વિ. સં. ૧૫૪૦ પહેલાં જરૂર શરૂ કરી દીધું હશે, એમ લાગે છે.) અચલગઢમાં ચૌમુખજીનું મંદિર બંધાવ્યું.” આ મંદિર સંબંધી તેમજ સંઘવી સહસા અને તેના કુટુંબી સંબંધી વિશેષ હકીક્ત જાણવા માટે “અબુદ પ્રાચીન જૈન લેખ સંદોહ” પૃષ્ઠ ૪૯૮થી ૫૦૬ જુઓ.

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140