Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 73
________________ - અ ય લ ગ . (૩) શ્રી કુંથુનાથ ભગવાનનું મંદિર અચલગઢનાં મંદિરના કાર્યાલયની પેઢીના મકાનમાં, પેઢીની ગાદી સામે, ઉપરના ભાગમાં શ્રી કુંથુનાથ પ્રભુજીનું દેરાસર આવેલું છે. આ દેરાસરનું મકાન બે ખંડનું અને માથે ધાબાવાળું છે. ભગવાનના ઉપર ધાબામાં શિખર જે. નાને ગુંબજ (ઘૂમટ) બનાવેલ છે. બીજા ખંડની આગળ નાને ચોક છે. દેરાસરની જોડે ઉપાશ્રયનું બે ઓરડાવાળું મકાન આવેલું છે. ઉપાશ્રયની ઉપર તથા સામેના ભાગમાં કાર્યાલયના ૪ ઓરડા છે. આ દેરાસર જૂનું હોય તેમ લાગે છે. અચલગઢનો રહેવાસીઓને હમેશાં દર્શન-પૂજનની અનુકુળતા માટે ધાબાવાળું આ નાનું દેરાસર ગામની અંદર કરાવ્યું હોય તેમ લાગે છે. આ દેરાસર કેણે અને ક્યારે બંધાવ્યું તે ચોક્કસ રીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ શ્રીમાન સેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૫૦૦ લગભગમાં રચેલ “શ્રીઅર્બુદગિરિકલ્પમાં અચલગઢમાં મહારાજા કુમાર પાળે બંધાવેલ શ્રીમહાવીરસ્વામીના એક જ મંદિરનું વર્ણન આપ્યું છે, તે સિવાયના અચલગઢ ઉપરના બીજા એકે મંદિરનું વર્ણન આપ્યું નથી. તેમજ શ્રી શાંતિસૂરિજીકૃત “શ્રીઅબુદાચલ ચિત્ય પરવાડી વિનતિ કે જેમાં રચ્યાસંવત આપ્યો નથી, પણ તેમાં દેલવાડામાં ત્રણ જ મંદિર કહેવાનું લખ્યું છે, તેથી તેની રચના સં. ૧૫૧૫ પહેલાં થઈ હશે એમ ખાતરી થાય છે. આ વિનતિની કડી ૧૬માં અચલગઢમાં મ. કુમારપાલનું બંધાવેલું એક જ મંદિર હેવાનું લખ્યું છે. આ ઉપરથી તલેટીમાં આવેલા મહારાજા

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140