Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 90
________________ પ્ર. ૫અચલગઢનાં જૈન મંદિર એ પ્રમાણે આ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ૨ અને કાઉસગ્ગીયા ૨ મળીને કુલ મૂર્તિઓ ૪ છે. કેરણું – મૂળનાયકજીની પાસે ગર્ભાગારમાં સુંદર નકશીવાળા આરસના બે સ્તંભની ઉપર નકશીદાર આરસની મેરાબવાળું એક તરણું છે. તે બંને સ્તંભેમાં થઈને ભગવાનની ૧૦ મૂર્તિએ કતરેલી છે. - મૂળ ગભારામાં મૂળનાયકની બંને બાજુમાં ઉત્તર-દક્ષિણ માં પબાસણ (પદ્માસન) બનેલ છે, તેમાં ડાબા હાથ તરફનું પબાસણ કરણીવાળું અને જમણા હાથ તરફનું સાદું છે, અને આખા ગૂઢમંડપમાં ભગવાનને બિરાજમાન કરવાની જગા બનેલ છે. પણ હાલમાં તે બધું ખાલી છે. ગર્ભાગાર (મૂળ ગભારા)ના દરવાજાની બારશાખની બને તરફની કરણમાં શ્રાવકે હાથમાં કળશ, ફૂલમાળા વગેરે પૂજાની સામગ્રી લઈને ઊભેલા કેતર્યા છે. ગૂઢમંડપમાં જવાના મુખ્ય દરવાજાની ઉપર મંગલમૂર્તિના માથે ભગવાનની બીજી ત્રણ મૂર્તિઓ કોતરેલી છે, અને દરવાજાની બંને બાજુની ગૂઢમંડપની દીવાલની કરણીમાં બને તરફ થઈને ચાર કાઉસગ્ગીયા તથા બીજી દેવદેવીઓની સુંદર મૂર્તિઓ કતરેલી છે. તે મંદિરની બહારની બાજુની (ભમતી તરફની દીવાલમાં ખુરશી નીચે ચારે બાજુમાં ગજમાળ અને સિંહમાળની લાઈનોની ઉપરની નરથરની લાઈનમાં જાતજાતની સુંદર કેરણી છે. તેમાં ઠેકાણે ઠેકાણે ભગવાનની મૂર્તિઓ, કાઉસગ્ગીયા, આચાર્યો અને સાધુઓની મૂર્તિઓ, પાંચ પાંડવ, મલ્લકુસ્તી,

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140