Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 109
________________ અ અ લ ગ 4 તે ગૌમુખદ્વારા ઝરણાનું પાણી નિરંતર–બારે માસ-કુંડમાં પડ્યા કરે છે. પાસે જ નાની તલાવડી જે પાણીને ખાડે છે. જ્યારે જ્યારે ગૌમુખથી કુંડમાં વધારે પાણી આવે છે ત્યારે તે પાણી તલાવડીમાં કાઢી નાખવામાં આવે છે. • શિવાલયની સામે એક ઊંચા ચોતરા ઉપર ચંપાવૃક્ષની. નીચે એક સાદી છત્રીમાં બ્રહ્માજીની આરસની સાવ નાની ચૌમુખ મૂર્તિ છે, અને પગલાં જેડી ૧ છે. ચંપાના થડની ઓથમાં એક શિવલિંગ વગેરે છે. વાવડીની કુંડ તરફની દીવાલના ગોખલામાં ગણપતિની એક મૂર્તિ છે. શ્રીતીર્થવિજયઆશ્રમ (બ) – ભૂગઆશ્રમમાં એક જરા ઊંચી ટેકરીના એક મોટા પથ્થર પર ચેગિરાજ શ્રી શાંતિસૂરિ માટે, તેમના ઉપદેશથી, શ્રીવિજયકેસરસૂરિજીના સ્મરણાર્થે, પાંચ ગૃહસ્થની મદદથી, “શ્રીતીર્થવિજ્યઆશ્રમ” નામનું પાકું મકાન વિ. સં. ૧૯૮૮માં બંધાવવામાં આવ્યું છે. તેમાં એક એારડે, તેની આગળ ઓસરી અને માથે અગાસી બનેલી છે. અહીંથી ચોમુખજીનું મંદિર, જૈન ધર્મશાળા, શાંતિઆશ્રમ, કારખાનાનાં મકાને વગેરેને દેખાવ બહુ સુંદર લાગે છે, અને. ચૌમુખજીના મંદિરથી આ તીર્થવિજયઆશ્રમની આસપાસનું કુદરતી દક્ષ્ય ઘણું મહર લાગે છે. આ આશ્રમની જોડે જ ભૃગુ આશ્રમનાં ૪–૫ ઝૂંપડાં. છે, તેમાં એક મહંત રહે છે, તથા જતા-આવતા સાધુઓ. ઊતરે છે. અહીંના મહંત, યાત્રાળુઓ તથા મુસાફરોને. ઊતરવાની અને જમવાની વ્યવસ્થા કરાવી આપે છે. અહીં

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140