Book Title: Achalgadh Sachitra Aetihasik Varnan
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 83
________________ અ ચ લ ગ & (૫) અચલગચ્છીય શ્રીવિનયશીલ વાચકે વિ. સં. ૧૭૪ર. માં રચેલ “શ્રીઅર્બુદાચલ ઉત્પત્તિ ચિત્ય પરિપાટી સ્તવન’ ઢાળ ૫, કડી ૭માં લખ્યું છે કે-“કુમારપાલ મહારાજાએ બંધાવેલ મંદિર અચલેશ્વર મહાદેવની પાસે છે, અને તેમાં પિત્તલની એક જિનપ્રતિમા છે.” (આ પિત્તલની પ્રતિમા શ્રી મહાવીર ભગવાનની હોવી જોઈએ.) (૬) શ્રીમાન જ્ઞાનવિમલસૂરિજીએ સં. ૧૭૫૫માં રચેલ પ્રાચીન તીર્થમાલાની ૬૩મી કડીમાં લખ્યું છે કે-“અચલગઢ ગામની બહાર મહારાજા કુમારપાલે બંધાવેલું શ્રીવીરજિનનું મંદિર મૂર્તિઓથી ભર્યું છે.” (૭) શ્રીજ્ઞાનસાગરજીએ વિ. સં. ૧૮૨૧માં રચેલ “તીર્થભાલા સ્તવનની ઢાળ ૭, કડી ૧૪માં લખ્યું છે કે-“મહારાજા કુમારપાલે બંધાવેલું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર અચલગઢના પાદરમાં છે.” (૮) વિ. સં. ૧૮૭૫માં લખાયેલા “આબુકલ્પના હસ્તલિખિત છૂટા પત્રમાં પણ લખ્યું છે કે-“કુમારપાલ મહારાજાનું બંધાવેલું મંદિર, અચલેશ્વર મહાદેવના મંદિરની પાસે છે, અને તેમાં મૂલનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા છે.” આ બધા પ્રમાણે ઉપરથી જણાય છે કે મહારાજા કુમારપાલે આબુ ઉપર મંદિર બંધાવ્યું છે, તે આ જ મંદિર છે. આના સિવાય કરાવનારાના લેખ વિનાનું એવું બીજું એક પણ વિશાળ જિનમંદિર આબુ ઉપર નથી કે જે મહારાજા કુમારપાલે બંધાવ્યું હોય, એવું અનુમાન કરી શકાય.

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140