Page #1
--------------------------------------------------------------------------
________________
સચિત્રો લાંત્વજ્ઞાની
પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજ સાહેબ
Jain Education Intemalional
For. Povále, & Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
વિષય - અનુક્રમ
૮. આ
આપણા ભગવાન આપણા ગુરૂ અને પરમેષ્ઠી
ધર્મ
શ્રાવકોની દિવસણી જિનમંદિર - વિધિ સાત વ્યસન અને અભક્ષ્ય ત્યાગ શરીર અને જીવ
જીવની છ સ્થાનો ૯. જીવો કેટલા પ્રકારના ? ૧૦. જીવનું સ્વરૂપ (અસલી અને નકલી). ૧૧. જીવ, કર્મ, ઈશ્વર ૧૨. અજીવ અને ષદ્રવ્ય ૧૩. વિશ્વ (દ્રવ્ય, પર્યાય) ૧૪. નવતત્ત્વો
૧૫. પુણ્ય અને પપ . ૧૬. આવા ૧૭. સંવર ૧૮. નિર્જરા ૧૯. બધા ૨૦. મોક્ષ
નિત્ય મંગલ - પાઠ ચત્તારિ મંગલ
ચારિ લોગુત્તમાં
ચત્તારિ સરણ પધ્વામિ અરિહંતા મંગલ અરિહંતા લોગુત્તમા
અરિહંતે સરણે પબ્લજ્જામિ સિદ્ધા મંગલ સિદ્ધા લોગુત્તમાં
સિદ્ધ સરણ પધ્વજામિ
સાહુ સરણે પવામિ સાદું લોગુત્તમાં સાહુ મંગલ. કેવલિપન્નરો ધમ્મો લોગુત્તમો .
કેવલિ-પન્નાં ધર્મ સરણે પબ્લજ્જામિ કેવલિ-પનરો ધમ્મો મંગલં (ચાર પદાર્થો લોકોત્તમ છે
(સંસારના ભયથી બચવા માટે અરિહંતો, (ચાર પદાર્થ મંગલ છે - અરિહંતો
- અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને કેવલિ- સિદ્ધો, સુસાધુઓ અને કેવલિ – પ્રરૂપિત સિદ્ધો, સાધુઓ અને કેવલિ-પ્રરૂપિત ધર્મ) પ્રકૃપિત ધર્મ એ ચારે લોકોત્તમ છે.) ધર્મને હું શરણરૂપ સ્વીકાર કરું છું.)
સમ્યકત્વની ધારણા અરિહંતો મહ દેવો, જાવજજીવ સૃસાહુણો ગુણો | | જિણપન્નત્ત તત્ત, અ સમસ્ત મએ ગ્રહ ||
(જીવન-પર્યત અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે, અને જિનેન્ટાર પ્રરૂપિત તત્ત્વ - ધર્મ એ સમ્યકત્વ મેં શરણરુપ સ્વીકાર કર્યું છે.)
S
icoobeyon
Page #3
--------------------------------------------------------------------------
________________
સચિત્ર તત્ત્વજ્ઞાન
બાલપોથી
લેખક
સૂક્ષ્મતત્વચિંતક, વીસમી સદીમાં ચિત્રલેખનોના આધ પ્રણેતા, વર્ધમાન તપોનિધિ, યુવાજનોદ્ધારક, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
પ્રકાશક
દિવ્યદર્શન ટ્રસ્ટ
૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ - ૩૮૭૮૧૦ (ગુજરાત )
www.jave||brary.org
Page #4
--------------------------------------------------------------------------
________________
નૂતન સંરક્કરણ
વીર સંવત ૨૫૩૧
વિક્રમ સંવત ૨૦૬૧ મૂલ્ય ૫૦.૦૦ રૂા. લાભ લીધો અનામી
થયા નિર્જરાના કામમાં શ્રતભક્ત અને ગુરુભક્ત
અનામી સુશ્રાવકો અને શ્રી ધર્મનાથ પો.હે.જેનનગર જૈન સંઘ,અમદાવાદ
પ્રાપ્તિસ્થાના દિવ્યદર્શન ટ્રસ્ટ
દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી,
cl૦. મયંકભાઈ પી.શાહ ધોળકા, જિ. અમદાવાદ - ૩૮૭૮૧૦ ૧૯૨૧, બોરાબજાર સ્ટ્રીટ, પહેલે માળે, મુંબઈ - ૪૦૦૦૦૧ ફોન : ૦૨૭૧૪ - ૨૨૫૪૮૨
ફોન : ૦૨૨ - ૨૨૬૬૬૩૬૩ દિવ્યદર્શન ભવના
દિવ્યદર્શન ટ્રસ્ટ કાળુશીની પોળ, કાલુપુર,
૨૯-૩૦, વાસુપૂજય બંગલોઝ, રામદેવનગર, ફન રિપબ્લિક સામે, અમદાવાદ - ૧
અમદાવાદ - ૩૮૦૦૧૫ ફોન : ૦૭૯ ૨૬૮૬૦૫૩૧
: પ્રિન્ટીંગ :
સિદ્ધચક્ર ગ્રાફિક્સ એ/૧૧૫, પટેલોમાળ, બી. જી. ટાવર, દિબ્દી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ ૩૮૦૦
Phone : (O) 25620579, (R) 26641228, (M) 9825264065
Jairr Education intomahore
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
જનમાનસના જ્ઞાતા, આત્મજાગૃતિના ઉદ્દગાતા, સૂક્ષ્મતત્વચિંતક, પરમશ્રદ્ધેય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ વ્યાવહારિક વિચારધારાને જૈન ટચ આપવાનો સબળ અને સફળ પુરુષાર્થ કર્યો. પ્રભુશાસનના અવ્વલ કોટિના સિદ્ધાંતો રોજબરોજની વિચારધારામાં વણાય તો લોકોનું વિચારધોરણ ઊંચું આવે, તેથી નૈતિક જીવનધોરણ પણ ઊંચું આવે અને વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રિય ચારિત્ર્ય પણ વિકસે. આધ્યાત્મિક શિક્ષણ શિબિરો, વૈરાગ્યમય પ્રવચનો, ચાંદનીના રેલાતા પ્રકાશમાં લખાતાં પ્રેરણાના ઉજાશને ફેલાવતા લેખો અને પુસ્તકો આદિના માધ્યમે પ્રભુશાસનના સિદ્ધાંતને હળવાફુલ બનાવીને જનમાનસમાં ઉતારવાનો પૂજ્યશ્રીએ સક્ષમ પ્રયત્ન કર્યો છે.. | પ્રસ્તુત "સચિત્ર તત્ત્વજ્ઞાન બાલપોથી"માં પણ દેવ-ગુરુ-ધર્મ-જ્ઞાન-દર્શન-ચારિત્ર-જીવવિચાર-નવતત્ત્વ આદિ ઉપયોગી તત્ત્વોને તન બાલભોગ્ય ભાષામાં પૂજ્યશ્રીએ ગળે શિરાની જેમ આપણા મનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. રોજબરોજ બનતી ઘટનાઓના ચિત્રણ દ્વારા જિનશાસનના તત્ત્વોને સમજાવવાનો પ્રાય: આ પ્રથમ પ્રયાસ હશે. ત્યાર પછીના તમામ પ્રયાસો પ્રાયઃ આ પુસ્તક પરથી પ્રેરણા લઈને થયા હોવાની સંભાવના છે. આજથી ૩૨ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ તૃતીય આવૃત્તિ બાદ સર્જાયેલ શૂન્યાવકાશને દૂર કરવાનો અમે આ એક નમ્ર પ્રયાસ કર્યો છે.
પ્રસ્તુત પ્રકાશનમાં પ. પુ. વૈરાગ્યદેશનાદશ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી. સંચમબોધિવિજયજી મ.સા.નું અમને સબળ માર્ગદર્શન મળ્યું છે. પૂજયશ્રીના કલ્પનાચિત્રોને ફરીથી સજીવન કરવામાં ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર વિજયભાઈ શ્રીમાળીએ ઘણી જહેમત ઉઠાવી છે. પ. પૂ. તાર્કિકાગ્રણી આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયસુંદરસૂરિજી મહારાજ સાહેબે 'અનુમોદના" આમુખ લખી આપીને તથા પરિમાર્જિત લખાણને નજર તળે પસાર કરીને પુસ્તકની ઉપાદેયતામાં ઉમેરો કરેલ
પુસ્તક પ્રકાશન શક્ય બનાવવા આર્થિક સહયોગ આપનાર અનામી દાતાશ્રીઓને કેમ ભૂલી શકાય ? શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર જૈન સંઘે પણ જ્ઞાનનિધિમાંથી સુંદર લાભ લીધો છે. સહયોગી તમામનો અંત:કરણથી આભાર...
આધ્યાત્મિક સમજણની દૃષ્ટિએ બાલપણામાં રહેનાર તમામ જીવોને આધ્યાત્મિકતાની સીડીઓ ચડાવવામાં સહાયક બનનાર આ પુસ્તકના અભ્યાસથી સહુ જીવો સમ્યજ્ઞાનનો પ્રકાશ પામી આત્મકલ્યાણ સાધો એ જ શુભાભિલાષા. .
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી
કુમારપાલ વી. શાહ ar ddatior bolgab
Page #6
--------------------------------------------------------------------------
________________
Jain Education Intemational
અનુમોદના
- પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયસુંદરસૂરિજી મ. સા. ધાર્મિક ચિત્રજગને યાદ કરીએ એટલે છેલ્લી સદીમાં પૂ. ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિ મ.સા. યાદ આવ્યા વિના ના રહે.
હજારો વર્ષોથી જૈનશાસનમાં ચિત્રો દ્વારા ધાર્મિક પ્રસંગોની અભિવ્યક્તિની ગૌરવવંતી પરમ્પરા ચાલી આવે છે.
એક આખું પાનું વાંચીને અને જેટલું યાદ ન રહે એટલું એક જ ચિત્ર જોવાથી યાદ રહી જાય તેમાં આશ્ચર્ય નથી.
પૂ. સ્વ. ગુરુદેવશ્રી ઘણીવાર કહેતા કે તીર્થંકર પરમાત્મા આજન્મવૈરાગી હોય છે. છતાં "રાજીમતી કું છોડ કે નેમ સંજમ લીના, ચિત્રામણ જિન જોવતે વૈરાગે મન ભીના” આ પૂજાની પંક્તિઓ જેણે વાંચી હશે તેને ખ્યાલ આવી જશે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનને પણ રાજીમતીને છોડીને સંયમ લેવા જતાં નેમનાથ પ્રભુજીનું ચિત્ર જોઈને મન વૈરાગ્યથી વાસિત, ભીનું ભીનું થઈ ગયેલું.
પૂર્વકાળમાં થઈ ગયેલા ૠષિઓ, મુનિઓ અને ધર્મિષ્ઠ ગૃહસ્થોએ ધાર્મિક ચિતરામણોની પાછળ લાખો રૂપૈયાનો અને કિંમતી સમયનો બહુમૂલ્ય ભોગ આપ્યો છે તે બધાનાં આપણે ૠણી છીએ.
પૂજ્યશ્રીને એક વાતનો ઘણો અફ્સોસ રહેતો કે આજના યુગમાં બિભત્સમાં બિભત્સ ગંદા વિકૃત મલિન દુરાચારોની લ્હાણી કરનારા ચિત્રોને રોજબરોજ જોતાં જોતાં કરોડો લોકો પાપની ગાંસડીઓને ગાંસડીઓ બાંધી રહ્યા છે ત્યારે પ્રજામાં ધર્મ અને નીતિનું શિક્ષણ આપતા ચિત્રોની આર્ટગેલેરી ગામે ગામ અને નગરે નગરે હોવી જોઈએ પણ જૈનોનું આ દિશામાં ધ્યાન હવે લગભગ રહ્યું નથી. જૈનો આવા કાર્યમાં બહુ ઓછો રસ લે છે. ખરેખર જો બાળકો - યુવાનોને સંસ્કારી બનાવવા હોય તો ગામે ગામ દરેક તીર્થોમાં સુસંસ્કારો આપતી ચિત્રશાળાઓ હોવી અતિ જરૂરી છે.
પૂજ્યશ્રી ગુરુદેવે પોતાની હયાતીમાં અતિ કાર્યવ્યગ્રતા રહેવા છતાં ધાર્મિક ચિત્રો તૈયાર કરાવવા પાછળ પુષ્કળ સમયનો ભોગ આપ્યો હતો. ધર્મક્રિયાઓનું ચિત્રાંકન એ એમની કારકિર્દીના
ગગનનો ચમકતો સિતારો છે
પૂ. હેમરત્ન સૂરિજી તથા મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી સ્વ. પૂજ્યશ્રીનો આ વારસો જાળવવા કટિબદ્ધ છે ત્યારે સુશ્રાવક કુમારપાળભાઈની પાસે આપણે એક આશા રાખી શકીએ કે તેઓ પૂજ્ય સ્વ. ગુરુદેવશ્રીના જીવન - પ્રસંગોની પણ ચિત્રમય કિતાબ તૈયાર કરાવે તો એ અમૂલ્ય શ્રદ્ધાંજલિ લેખાશે.
ઈતિ શમ
Page #7
--------------------------------------------------------------------------
________________
सिद्धान्तमहोदधि सुविशालगच्छाधिपति पूज्य आचार्यदेव श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराज
Page #8
--------------------------------------------------------------------------
________________
EVERY
LIVERY
TELLI
परम पूज्य सकलसंघहितचिंतक कलामर्मज्ञ युवाजनोद्धारक आचार्यदेव श्रीमद्
विजयभुवनभानुसूरीश्वरजी महाराज साहेब
gglish
0
SEEEEEEE
220120256250
INWedngibanapr
Page #9
--------------------------------------------------------------------------
________________
યુો સુધી ઝળહળશે,
ભુવનભાનુના અજવાળા...
વીસમી સદીના જિનશાસનના ગગનમાં સૂર્યના જેવું ચમકતું અને ચળકતું વ્યક્તિત્ત્વ હતું, ૫. પૂ. સકલસંઘહિતચિંતક, શાસનસેવાના અનેક કાર્યોના આધ પ્રણેતા, તપ - ત્યાગ - તિતિક્ષા - મૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાન, પૂજ્યશ્રીના વ્યક્તિત્ત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિમુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોના ગ્રંથો નાના પડે, એટલે ચાલો, જીવન યાત્રાના કેટલાક માઈલ સ્ટોનોનું ઉપરછલ્લું માત્ર દિગ્દર્શન કરી લઈએ...
સંસારી નામઃ- કાંતિભાઈ, માતાજીઃ ભૂરીબહેન, પિતાજીઃ ચિમનભાઈ
જન્મઃ- સંવત ૧૯૬૭, ચૈત્ર વદ ૬, તા. ૯-૪-૧૯૧૧ - અમદાવાદ, વ્યાવહારિક અભ્યાસ : GD.A. - C.A. સમકક્ષ. દીક્ષા ઃ- સંવત ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪ ચાણસ્મા નાનાભાઈ પોપટભાઈની સાથે.
વડી દીક્ષા ઃ- સંવત ૧૯૯૧, મહા સુદ ૧૦ ચાણસ્મા. પ્રથમશિષ્યઃ પૂ. મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. (પાછળથી પંન્યાસ) ગુરૂદેવશ્રી :- સિદ્ધાન્ત મહોદધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. ગણિપદ સં. ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના, પંન્યાસપદ: સં. ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર. આચાર્યપદ: સં. ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ.
૧૦૦ ઓળીની પૂર્ણાહુતિઃ સં. ૨૦૨૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા.
૧૦૮ ઓળીની પૂર્ણાહુતિઃ સં. ૨૦૩૫, ફાગણ વદ ૧૩, તા. ૨૫-૩-૧૯૦૯, મુંબઈ.
સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણો ઃ આજીવન ગુરૂકુલવાસ સેવન, સંયમશુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્મભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમતા, તપ-ત્યાગતિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ-શાસ્ત્રાનુસારી પ્રજ્ઞા.
શાસનોપયોગી અતિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા યુવાજનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન - પદાર્થ સંગ્રહ શૈલીનો વિકાસ, તત્ત્વજ્ઞાનજીવનચરિત્રોને લોકમાનસમાં દૃઢ બનાવવા દ્રશ્ય માધ્યમ(ચિત્રો)નો ઉપયોગ, બાલ-દીક્ષા પ્રતિબંધક બિલનો વિરોધ, કતલખાનાને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન - પ્રસાર, સંઘ - એકતા માટેનો પ્રચંડ પુરૂષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્ર શુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષા આદિ ૪૦૦ જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલના તપને વ્યાપક પ્રસિદ્ધિ
કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ - સૂત્ર - ચિત્ર આલ્બમ, ગુજરાતી - હિન્દી બાલપોથી, મહાપુરૂષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૭ ફોટાના બે સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ મ. ના જીવન ચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. ના જીવન ચિત્રો, થાણા - મુનિસુવ્રત સ્વામિજિનાલયમાં શ્રીપાળ - મયણાના જીવન ચિત્રો આદિ...
પ્રિય બાબતો : શાસ્ત્ર - સ્વાધ્યાય ઘોષ, સાધુ - વાંચતા, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા - ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમજીવનની પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વિવેચન. તપસાધનાઃ વર્ધમાનતપની ૧૦૮ ઓળી, છટ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલ આદિ, ફ્રૂટ, મેવો, મિષ્ટાન્ન આદિનો જીવનભર ત્યાગ....
ચારિત્ર પર્યાયઃ ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાયઃ ૨૦ વર્ષ, કુલ આયુષ્ય : ૮૨ વર્ષ,
કુલ પુસ્તકોઃ ૧૧૪ થી વધુ.
રવ હસ્તે દીક્ષાપ્રદાનઃ ૪૦૦ થી વધુ, સ્વહસ્તે પ્રતિષ્ઠાઃ ૨૦, સ્વનિશ્રામાં ઉપધાનઃ ૨૦, સ્વહસ્તે અંજનશલાકા ૧૨ કુલ શિષ્ય - પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર: ૩૮૦
કાળધર્મ સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, અમદાવાદ,
の
Page #10
--------------------------------------------------------------------------
________________
16
न
व
शरिहंत भगवान 0
088899999998089806
Page #11
--------------------------------------------------------------------------
________________
- ૪૩ ૪
Ա
G
Education In
આપણા ભગવાન કોણ ? અરિહંત ભગવાન. એ તીર્થંકર કહેવાય, એ જિનેશ્વર પણ કહેવાય. અરિહંત એટલે દે આદિને પણ પૂજ્ય એટલે કે પૂજન કરવા યોગ્ય. તીર્થંકર એટલે વિશ્વના તમામ જીવોને તારનાર ધર્મતીર્થના સ્થાપક. જિનેશ્વર એટલે રાગ-દ્વેષ આદિ આત્મિક દોષોને જીતનારમાં અગ્રેસર. એ પરમાત્મા છે. પરમ(શ્રેષ્ઠ) પુરૂષ છે. પાતાલલોક - મધ્યલોક અને ઊર્ધ્વલોક એમ ત્રણે લોકના નાથ છે. સુરાસુરેન્દ્રોથી પૂજિત છે.
શ્રી આદીશ્વર, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી મહાવીરસ્વામિ એવા કુલ ચોવીશ તીર્થંકરો થઈ ગયા. આ ચોવીસ તીર્થંકરોને ચોવીશી કહેવાય. શ્રી આદિશ્વર આદિની પહેલા અનંત ચોવીશી થઈ ગઈ અને ભવિષ્યમાં પણ અનંત ચોવીશી થશે.
આપણા ભરતક્ષેત્રની ઉત્તરે મહાવિદેહ ક્ષેત્ર છે, એવા કુલ ૫ મહાવિદેહ છે. ત્યાં શ્રી સીમંધર સ્વામિ વગેરે ૨૦ વિહરમાન (હાલ વિચરતા) તીર્થંકર દેવો વિધમાન છે (જુઓ સામેના ચિત્રમાં) તેઓ દેવતાએ રચેલા ચાંદી-સોના અને રત્નથી બનેલા ત્રણ ગઢવાલા સમવસરણમાં બેસીને ધર્મનો ઉપદેશ આપે છે. ત્યાં ગૌતમસ્વામી જેવા ગણધર અને બીજા મુનિરાજો તથા ઈન્દ્રો, દેવો, રાજાઓ અને અન્ય લોકો પણ આવેલા છે. ત્યાં નગરના અને જંગલના પશુઓ પણ જાતિવેર ભૂલી તેમનો ધર્મોપદેશ સાંભળવા આવે છે. સર્વ કોઈ પ્રભુની વાણીને પોતાની ભાષારૂપે સાંભળે છે અને તેથી સમજી શકે છે.
અરિહંત ભગવાનને રાગ નથી, દ્વેષ નથી, હાસ્ય નથી, શોક નથી, હર્ષ (મજા) કે ઉદ્વેગ (દુઃખ) કાંઈ નથી, એ વીતરાગ છે. તેમણે દીક્ષા લઈ, તપસ્યા કરી, અનેક સંકટો - કષ્ટો સહ્યા, તેમાં જરા પણ ચલિત ન થતા ધ્યાનમગ્ન રહી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન (પરિપૂર્ણ જ્ઞાન) પ્રાપ્ત કર્યું, એ રીતે તેઓ સર્વજ્ઞ થયા. ભૂતકાળ - વર્તમાનકાળ અને ભવિષ્યકાળ - ત્રણે કાળનું એ બધું ય જાણે. તેમણે જગતને સત્ય તત્ત્વ દર્શાવ્યું છે, મોક્ષનો માર્ગ એટલે ધર્મ તેમણે સમજાવ્યો છે, આત્માના સાચા સુખની સમજણ તેમણે આપી છે.
(જુઓ-સામે એ ભગવાનનું દેરાસર છે, એમાં એમની મૂર્તિ-પ્રતિમા છે) એમની પૂજા-ભક્તિ કરવાથી બહુ પુણ્ય થાય, પાપ ધોવાય, સારી ગતિ મળે. એમનું નામ જપવાથી પણ પુણ્ય વધે.
જૈનશાસનમાં પરમાત્મા થવાનો કોઈને ખાસ ઈજારો નથી આપ્યો. જે કોઈ અરિહંતની, સિદ્ધની, જૈનશાસનની, આચાર્યાદિ સાધુઓની સારી રીતે આરાધના કરે, ખૂબ ભક્તિ કરે... અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની પ્રશંસનીય સાધના કરે, યા તો તીર્થ-સંઘની અસાધારણ સેવા-ભક્તિ કરે, સર્વ જીવોને તારવાની કરૂણાબુદ્ધિથી પ્રશસ્ત (શુભ) પ્રયત્નો કરે, વિધિપૂર્વક લાખ નવકાર ગણે, દેવદ્રવ્યની રક્ષા-વૃદ્ધિ, શાસન-પ્રભાવના કરે, વગેરે જિનેશ્વર દેવોએ ફરમાવેલા શુભ કર્તવ્યોથી તે ઉત્તમ આત્મા પણ ‘તીર્થંકર’ થઈ શકે છે.
G
Page #12
--------------------------------------------------------------------------
________________
®®® 00 00 00 00 00 *®*®0 00 00 00 00 ® ® ®
20 00 00 00 00 00 00 0 a
0 0
0 00 00 00 00 00
Page #13
--------------------------------------------------------------------------
________________
આ આપણ ગુરૂ કોણ ?
=>> 6 = % 6 20
नमो अर्धवाणी नमो सिद्धाणं नमो आयरियाणं
આ
नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच नमुषकारो
સાધુ-મુનિરાજ. એ જ સાચા ગુરૂ છે. કેમકે એમણે કંચન-કામિની-માલ-મિલકત, સગા-વ્હાલા, હિંસામય ઘરવાસ વગેરે સંસાર-મોહ તજી દીક્ષા લીધી છે.
સ્થૂલ કે સૂક્ષ્મ(મોટા કે નાના) કોઈપણ જીવને મારવો નહિ, જરાય અસત્ય - જુઠું બોલવું નહિ, માલિકે આપ્યા વિનાનું કાંઈ I પણ લેવું નહિ, સ્ત્રીનો સદા સંપૂર્ણપણે ત્યાગ (બ્રહ્મચર્યનું પાલન કરવું), રાતી પાઈ પણ રાખવી નહિ (પૈસા આદિ માલમિલકતનો
સર્વથા ત્યાગ), આવા પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા લઈ જેઓ જીવનભર એ પાંચ શીલ પાળે છે.
તેઓ કાચું પાણી, અગ્નિ, લીલી વનસ્પતિ, સ્ત્રી, બાલિકા વગેરેને અડકે પણ નહિ. મઠ-મકાન-ઝૂંપડી પણ રાખે નહિ. રસોઈ પોતે કરે નહિ, પોતાના માટે બીજા પાસે કરાવે નહિ, પોતાના માટે કરેલી રસોઈ લે નહિ, તેઓ ગૃહસ્થોને ત્યાંથી ઘરઘરથી થોડું થોડું રાંધેલું અન્ન યાચી (માંગી) ભિક્ષાવૃત્તિથી પોતાનો નિર્વાહ ચલાવે છે(જીવન નિભાવે છે). રાતે પાણી પણ લે નહિ.
તેઓ ખુલ્લે પગે ચાલીને વિહાર કરતા ગામેગામ જાય છે. દિવસ-રાત ધર્મક્રિયા કરવી, શાસ્ત્રો ભણવા, સાથે રહેલા બિમાર, તપસ્વી, વૃદ્ધ આદિ સાધુઓની સેવા કરવી, તપશ્ચર્યા કરવી એ તેમનું સતત ધર્મસાધનાની સુગંધથી સભર સાધુજીવન છે. (જુઓ ચિત્ર-૧) તેઓ લોકોને માત્ર ધર્મ શીખવે-સમજાવે છે. તીર્થંકર ભગવંતે કહેલા તત્ત્વો દયા, દાન, વ્રત, નિયમ, ત્યાગ, તપસ્યા, દેવ
. ગુરૂની ભક્તિ વગેરેનો ઉપદેશ આપે છે.
આ ગુરૂ ત્રણ પ્રકારે - સૌથી મોટા આચાર્ય - એ શાસનની સેવા-રક્ષા કરે છે. તીર્થંકર પ્રભુની ગેરહાજરીમાં તેઓ શાસનના રાજા ગણાય. બીજા ઉપાધ્યાય - એ સાધુઓને શાસ્ત્રો ભણાવે છે. અને ત્રીજા સાધુ કે જે આચાર્ય - ઉપાધ્યાય ભગવંતોએ શીખડાવેલી સંયમજીવનની મોક્ષમાર્ગની સાધના કરે છે. આ ત્રણેય ગુરૂદેવો કર્મોનો ક્ષય (નાશ) કરી મોક્ષ પામે ત્યારે સિદ્ધ ભગવાન બને.
(૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પાંચ પરમેષ્ઠી કહેવાય. (તેમને પરમેષ્ઠી કહીને પણ બોલાવાય), એમને નમસ્કાર કરવાનું સૂત્ર - નવકાર મંત્ર - નમસ્કાર મહામંત્ર છે.
જો એકવાર નવકાર ધ્યાનથી (શુભ ભાવે - એકાગ્રતાથી) ગણવામાં આવે તો પાપકર્મો - જે બહુ જ મોટા જથ્થામાં પડેલા છે
सव्वपाशपणासणी मंगलाी वा खान्देनिंग nee ee it'
મે જેટલા કર્મો તૂટી જાય. (૧ સાગરોપમ એટલે અસંખ્ય વર્ષ) એક છૂટી નવકારવાળી એટલે ૧૨ નવકાર ગણતા છ હજાર સાગરોપમ
તૂટે અને એક બાંધી (પાકી) નવકારવાળી એટલે ૧૦૮ નવકાર ગણતા ૫૪ હજાર સાગરોપમ જેટલા કર્મ તૂટે.
નવકાર ધ્યાનથી ગણવા માટે ઊપરના પદો વાંચી વાંચીને ગણવા....
૧૧
Page #14
--------------------------------------------------------------------------
________________
धर्म
FESTTTTTTT
। दान
शील व्रत
भावना
अभयदान
lain Educatie internationale
For Prive Personal Use gay
30
Page #15
--------------------------------------------------------------------------
________________
pers
ધર્મ કરીએ તો ઘણાં સુખ મળે, પાપ કરીએ તો બહુ દુઃખ મળે. પાપ કરવાથી કૂતરા, બિલાડા, કીડા, મંકોડા થવું પડે, નરકમાં રાક્ષસના હાથે બહુ પીડાવું પડે. જ્યારે ધર્મ કરવાથી ઊંચે જવાય, વિમાનમાં દેવ થવાય અને મોક્ષ મળે, પછી કંઈ દુઃખ જ નહિ, સુખ અને સુખ....
સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહ્યો તે જ સાચો ધર્મ. એમણે ચાર પ્રકારનો ધર્મ બતાવ્યો છે. દાન, શીલ, તપ અને ભાવ.
(અ) દાનધર્મમાં : -
(૧) ભગવાનની પૂજા-ભક્તિ કરવાની, દૂધ (જલ) ચંદન, કેસર, ફૂલ, ધૂપ, ઘીનો દીવો, ચોખા (અક્ષત) ફળ અને નૈવેધ (મિઠાઈ, પતાસા, સાકર વિ.) વગેરે અર્પણ કરવાનું.
(૨) સાધુ-મુનિરાજને વહોરાવવાનું : ભોજન, વસ્ત્ર, ઔષધ (દવા) આદિ દાન આપવાનું.
(૩) અપંગ, અસહાય, અંઘ, અનાથ, દીન-દુઃખી આદિને ખાવા-પીવાનું, કપડા, ઠંડીમાં ધાબળો આદિ આપવાનું.
(૪) કીડી-મકોડા વગેરે કોઈપણ જીવને મારવા નહિ - અભયદાન દેવાનું. તે માટે નીચે જોઈને ચાલવાનું.... (૫) ધર્મકાર્યોમાં (દેરાસર-ઉપાશ્રય બાંધકામ, સાધર્મિક ભક્તિ, શિબિર-પાઠશાલા આદિમાં) દાન આપવાનું. (૬) બીજાઓને ધાર્મિક જ્ઞાન આપવું, તેમાં સહાયતા કરવાની.
(બ) શીલધર્મમાં - બ્રહાચર્ય, સદાચાર, વ્રત - નિયમ(બાધા), સામાયિક, સુદેવ-સુગુરૂ-સુધર્મ પર અટલ શ્રદ્ધા, માતા-પિતા-વિદ્યાગુરુ- દેવ-ગુરુ- વડીલ આદિનો વિનય કરવો વગેરે ધર્મમય જીવન વ્યવહાર રાખવો.
(ક) તપધર્મમાં - નવકારશી (સૂર્યોદયથી ૪૮ મિનિટ પછી મુઠ્ઠી વાળી નવકાર ગણી વાપરવું તે), પોરસિ, બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ શક્તિ પ્રમાણે કરવાનું. ઉણોદરી - ભૂખ કરતા ઓછું ખાવાનું, મનને મલિન કરે તેવી વિગઈઓ- દૂધ, ઘી, મિઠાઈ વગેરેમાંથી એકાદ તજવાનું (છોડવાનું), ધર્મક્રિયામાં સમતાથી કષ્ટ સહન કરવાનું, ધાર્મિક અધ્યયન (સ્વાધ્યાય) કરવું, પાપોનો ગુરૂ સમક્ષ એકરાર (પ્રાયશ્ચિત્ત), સંઘની સેવા, ધ્યાન એ બધાનો તપમાં સમાવેશ થાય છે, તેમાંથી શક્ય તેટલું કરવું.
(ડ) ભાવધર્મમાં - સારી ભાવના ભાવવી, જેમકે - અહો ! આ સંસાર અસાર છે, કાચામાયા બધુ નાશવંત છે, ધર્મ જ સાર છે. અરિહંત આદિ પરમેષ્ઠી સાચા તારક છે. સર્વ જીવો મારા મિત્ર છે. સૌ પાપથી બચો, સૌ સુખી થાઓ, સૌ જીવો મોક્ષ પામો’. ‘હું એકલો આત્મા છું, કાયા વગેરે બધું મારાથી જુદું
છે......'
અહિંસા, સંયમ અને તપ એ મુખ્ય ધર્મ છે. ધર્મનો પાયો - મૂળ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ એટલે અરિહંત એ જ મને માન્ય દેવ, એમના વચન પર દૃઢ શ્રધ્ધા તથા સાચા સાધુ જ ગુરૂ તરીકે માન્ય
અને તેમના પર શ્રદ્ધા - પ્રેમ.....
૧૩
www.jalmelibrary.org
Page #16
--------------------------------------------------------------------------
________________
တင်းအား အ
68 68 68 68 68 68 62 22 22 82 82
(४)
OG
CHOMOXONG
दिनचर्या
6246
8278
83 83 83 88 89 69 68 69 69 69 62
(G)
(E)
PU
GIMESSY PD CAD CD CD CD C
RRRRRRRRRRRR RR PR RR PR
(2)
64569 50 36 60 65 65 65 65 60606
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦૦૬ થી ૭ ૬૫૦ જેટ
ઝવારે વહેલા જાગવું. જાગતા જ ‘નમો અરિહંતાણં' બોલવું. પથારી (ગાદલું) છોડી, નીચે બેસી શાંત ચિત્તે ૭-૮ નવકાર ગણવા. પછી વિચારો કે ‘હું કોણ ? હું જૈન મનુષ્ય-બીજા જીવોથી ઘણો વધારે વિકાસ પામેલો. માટે મારે શુભકાર્યરૂપ ધર્મ જ કરવો જોઈએ. તે માટે અત્યારે સારો અવસર છે'.
ઊઠીને માત-પિતાને પગે લાગવું. પછી પ્રતિક્રમણ કરવું. તે ન બને તો સામાયિક કરવી, તે પણ ન થઈ શકે એમ હોય તો સકલ તીર્થ સૂત્ર બોલી સર્વ તીર્થોને ભાવથી વંદના કરવી. અને ભરહેસર સજ્ઝાય બોલી મહાન આત્માઓને યાદ કરવા. રાત્રિના પાપો માટે મિચ્છામી દુક્કડં કહેવું. પછી ઓછામાં ઓછું નવકારશી પચ્ચક્ખાણ ધારવું. પર્વતિથિ હોય તો બેઆસણું, એકાસણું, આયંબિલ વગેરે શક્તિ મુજબ ધારવું. દેરાસર ભગવાનના દર્શન કરવા જવું. ત્યાં પ્રભુના ગુણોને અને ઉપકારોને યાદ કરવા. ઉપાશ્રયે જઈ ગુરૂ મહારાજને વંદન કરવા, સુખશાતા પૂછવી, ભાત-પાણીનો લાભ આપવા વિનંતી કરવી, ધારેલું પચ્ચક્ખાણ કરવું.
સૂર્યોદયથી ૪૮ મિનિટ પછી નવકારશી પચ્ચક્ખાણ પરાય,
૧/૪ દિવસ ગયે પોરિસી, ૧/૪ + ૧/૮ દિવસ જાય ત્યારે સાઢ પોરિસી, ૧/૨ દિવસ ગયે પુરિમુટ્ટ પચ્ચક્ખાણ પરાય. નવકારશીથી નરકગતિ લાયક ૧૦૦ વર્ષના પાપ તુટે. પોરિસીથી ૧૦૦૦ વર્ષના, સાઢ પોરિસીથી દસ હજાર વર્ષના, પુરિમુઢ અથવા બિયાસણાથી લાખ વર્ષના પાપો તૂટે છે.
સ્નાન કરીને સ્વચ્છ જુદા કપડા પહેરીને હંમેશાં ભગવાનની પૂજા કરવી. પૂજા (ભક્તિ) કર્યા વિના ભોજન ન કરાય. પૂજા માટે બની શકે તો પૂજનની સામગ્રી (દૂધ, સુખડ, કેસર, ધૂપ, ફુલ, દીપક, વરખ, આંગીની અન્ય સામગ્રી, ચોખા, ફલ, નૈવેધ આદિ) ઘરેથી લઈ જવી જોઈએ.
ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાન - ઉપદેશ સાંભળવો. પ્રભુની વાણી સાંભળવાથી સાચી સમજણ મળે, શુભ ભાવના વધે, જીવન સુધરતું જાય.....
h
સાંજના સૂર્યાસ્ત થતા પહેલા જ જમી લેવું. શ્રાવકથી મહાપાપકારી રાત્રિભોજન ન થાય. જમ્યા બાદ દેરાસરે દર્શન કરવા, ધૂપપૂજા, આરતી, ઉતારવા, સાંજે પ્રતિક્રમણ કરવું. પછી ધાર્મિક વાંચવું - ભણવું - પાઠશાલાએ દરરોજ જવું. કદાપિ જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, નિંદા ન કરવી, બીડી - સિગરેટ ન પીવી, જુગાર ન રમવો, ઝઘડો ન કરવો, જીવદયા પાળવી, પરોપકાર કરતાં રહેવું.
१५
www.jain itsary o
Page #18
--------------------------------------------------------------------------
________________
වල ලල ලල ලල ලල ලල ලd |Tea වල ලල ලල ලල ලල ලල ලල්
ම ලල ලල ලල ලල ලල ලල ලල ලල ලලලල ලල ලල ලල ලල මම
For Private & Personal use only
Page #19
--------------------------------------------------------------------------
________________
આપણા વીતરાગ ભગવંતની દિવ્ય અને ભવ્ય પ્રતિમાઓ જેમાં હોય તેને જિનમંદિર કહેવાય.
જિ. દેરાસર પણ કહેવાય. ભગવાનની પ્રતિમા ભગવાનના સ્વરૂપની આપણને ઝાંખી કરાવે છે. દરેક જૈને
દેરાસર રોજ જવું જોઈએ.
જિનમંદિર જવાનો ભાવ જાગતા (ઈચ્છા થતાં) એક ઉપવાસ જેટલો લાભ મળે છે. માટે ખૂબ ભાવોલ્લાસથી દેરાસરે જવું. ચાલતા કીડી વગેરે જીવ ન મરે, માટે નીચે જોઈને ચાલવું. જિનાલયના શિખરના દર્શન થતાં જ બે હાથ જોડી, સહેજ માથું નમાવીને ‘નમો જિણાણું' કહેવું. વળી ક્યારેય દેરાસર પાસેથી નીકળીએ ત્યારે એ જ રીતે ‘નમો જિણાણં’ બોલવું.
જિનમંદિરમાં પેસતા સંસારના કાર્યો અને તેની વિચારણાનો ત્યાગ કરવા માટે ‘નિસીહિ' કહેવું. પછી પ્રભુને ફરતે પ્રભુની જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા (પ્રભુજીને વચ્ચે રાખી ગોળાકારે સ્તુતિ બોલતા ફરવું તે) દેવી. એથી સંસારમાં ભમવાનું મટે.
પછી પ્રભુજીની સામે અર્ધા નમી ‘નમો જિણાણં' કહેતાં, ભગવાનનું મુખ જોતાં જોતાં પ્રણામ કરવા,પછી ગદ્-ગદ્ (પ્રભુભક્તિથી સભર ભીના) સ્વરે સારી પ્રભુ-સ્તુતિ બોલવી અને ભાવના ભાવવી કે ‘અહો ! કલ્પવૃક્ષને ય ટપી જાય એવું, સંસારના દુઃખોનો નાશ કરનારૂં કેવું સુંદર પ્રભુદર્શન - વંદન કરવાનું સદ્ભાગ્યે મને મળ્યું છે’.
પછી વાસક્ષેપ - ધૂપ-દીપ-સાથિયો કરી ચૈત્યવંદન કરવું.
ન્હાઈને, પૂજાના કપડા પહેરીને ગયા હોઈએ ત્યારે સ્તુતિ કર્યા પછી ખેસના છેડાથી મુખકોશ બાંધી કેસર ઘસી લેવું. તિલક (ભાઈઓને બદામ આકારનો ચાંદલો, બહેનોને ગોળ ચાંલ્લો) કરી (પ્રભુપૂજા સિવાયના કાર્યોનો ત્યાગ કરવા રૂપ) બીજી નિસીહિ કહી ગભારામાં પેસવું.
પ્રભુપ્રતિમા પર મોરના પીંછાઓથી બનેલ કોમળ મોરપીંછી ફેરવવી જેથી જીવજન્તુ દુર થાય. પછી મોટુ કપડું (કેસરપોથો - કેસર લૂછવા માટેનું) પાણીમાં પલાળી પ્રતિમા પરથી વાસી કેસર ઉતારી લેવું. ખૂણામાંથી કેસર ન નીકળે તો ધીમેથી વાળાકૂંચીથી સાફ કરવું. પછી કળશને બે હાથે પકડી પ્રક્ષાલ (અભિષેક) કરવો. પછી (મુલાયમ વસ્ત્રોના બનેલા) ત્રણ અંગલુછણાથી પ્રભુપ્રતિમાને સ્વચ્છકોરી કરવી.
_s__ @ w
(દે
શ
શ
વિ
પછી પ્રભુજીને ચંદન - બરાસનું વિલેપન કરવું, કેસર-સુખડથી નવ અંગે તિલકો કરવા, વરખ હોય તો છાપવા, બાદલુ - રેશમ- પુષ્પ - સોના ચાંદી - હીરા આદિના અલંકાર આદિથી અંગરચના (પ્રતિમાજીની શોભા) કરાય, કુલ ચડાવવા, ધૂપ-દીપક કરવા, ચામર, પંખો, દર્પણ આદિ ધરવા.
પછી ગભારાની બહાર આવી, પ્રભુજીની સામે રહી, તેમનો જન્માભિષેક ઉત્સવ, રાજ્યાદિમાં પણ વૈરાગ્યમય અવસ્થા, દીક્ષાજીવન, તપસ્યા, તીર્થંકર અવસ્થા વગેરે ભાવવું.
પછી ચોખાથી સાથિયો કરી, ફળ-નૈવેધ આદિ અર્પણ કરી ભાવપૂજા સિવાયના કાર્યોના ત્યાગરૂપ ત્રીજી નિસીહિ કહી ચૈત્યવંદન કરવું. ઘંટનાદ કરવો.
૧૭
Page #20
--------------------------------------------------------------------------
________________
(४) मक्ख
न
मदिरा
रात्रिभोजन
(३) मध
GECE
बासी आदि
अभक्ष्य
कंदमूल
For Privat a personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧) ધૂત - જુગાર (૨) માંસાહાર (૩) દારૂ (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી અને (૭) પરસ્ત્રી-ગમન, એ છ વ્યસનો અશુભ કાર્યો એ ૭ મહાપાપકર્મ બંધાવનારા અને નરકમાં લઈ જનારા છે. જૈનોને તો એ સર્વ બાધા-નિયમથી સર્વથા બંધ હોય, નિયમ વિના (પાપ ન કરવા છતાં) પાપકર્મ બંધાયે જાય છે.
વળી, જૈનથી અભક્ષ્ય ન ખવાય, કેમકે એમાં સૂક્ષ્મ અને ત્રસ (હાલતા-ચાલતા) જીવો બહુ હોય છે. એ ખાવાથી બહુ પાપ લાગે, બુદ્ધિ બગડે, શુભ કર્તવ્ય ન થઈ શકે. પરિણામે આ ભવમાં અને પરલોકમાં પણ બહુ દુઃખી દુઃખી થવું
વ્ય પડે.
સા
૭૩ ૭
સ
૨૦ ૨ ૪ ૪ –
ભ
માંસ, દારૂ, મધ અને માખણ (છાશમાંથી બહાર કાઢ્યા પછીનું માખણ) એ ચારે અભક્ષ્ય ગણાય છે. કંદ-મૂળ, લીલ-ફૂગ, વગેરે પણ અભક્ષ્ય છે. કારણ કે એમાં અનંતા જીવો હોય છે. તે સિવાય વાસી અન્ન, સંધાન (બોળ અથાણુંપાણીના અંશ સાથેનું અથાણું) વિદળ (કઠોળ) સાથે કાચા દહીં-છાશ, કુલફી, બે રાત પછીના દહીં-છાશ, તથા બરફ, બરફ ગોળા, આઈસ્ક્રીમ, કુલફી, કોલ્ડ્રીંકસ વગેરે પણ અભક્ષ્ય ગણાય. રાત્રિભોજન પણ ન કરાય. (જુઓ ચિત્ર-૧) તેમાં માંસ ખાનાર બળદ બન્યો છે અને કસાઈથી કપાઈ રહ્યો છે.
(ચિત્ર - ૨) માણસ દારૂ પીને ગટરમાં પડ્યો છે, તેના પહોળા થયેલા મોઢામાં કુતરૂં પેશાબ કરે છે.
(ચિત્ર-૩) મધપુડા પર અસંખ્ય જંતુઓ ચોંટીને મરે છે. માખીઓ વિષ્ટા વગેરેના અપવિત્ર પુદ્ગલો લાવી એમાં ભરે છે. વાઘરી ધૂણી ધખાવીને મધપૂડાને કોથળામાં મૂકે છે, એમાં ઢગલાબંધ માખીઓ મરે છે.
(ચિત્ર-૪) માં માખણમાં તે જ વર્ણના (રંગના) અસંખ્ય જીવો સૂક્ષ્મદર્શક યંત્ર (Microscope) દ્વારા દર્શાવ્યા
(ચિત્ર-૫) માં રાત્રે ખાનાર બિલાડી, ઘૂવડ, ચામાચિડીયું વગેરે થાય છે. હોટલમાં અભક્ષ્ય હોય, અભક્ષ્યના ભેળસંભેળ (ભેળસેળ) હોય માટે હોટલ | લારી-ગલ્લા / ધાબાઓ પરનું ન ખવાય. ફાસ્ટફુડ વગેરે પણ ન ખવાય.
(ચિત્ર-૬) માં ગરમ કર્યા વિનાના દહીં, છાશ કે દુધ કઠોળ સાથે ભળવાથી તત્કાળ અસંખ્ય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે. એવી રીતે વાસી નરમ પૂરી, ભાખરી, રોટલી-રોટલા, માવા વગેરેમાં તથા બરાબર તડકે તપાવ્યા વિનાના
ૐ અથાણામાં (સંભેળ-બોળ અથાણું) અને બે રાત ઉપરના દહીં-છાશમાં પણ અસંખ્ય જીવો જન્મે છે, આથી એ બધું
અભક્ષ્ય-ભક્ષણ ન કરવા યોગ્ય બને છે.
છે.
તથા કંદમૂળ, કાંદા, બટાટા, આદુ, લસણ, મૂળા, ગાજર, શક્કરિયા વગેરેમાં પણ કણે-કણે અનંતા જીવો છે. રિંગણ વગેરે પણ અભક્ષ્ય છે. ભેજથી ખાખરા-પાપડ વગેરે પર લીંલ-ફૂગ વળે એ પણ અનંતકાય છે. તેથી ન ખવાય.
૧૯
Page #22
--------------------------------------------------------------------------
________________
जीव सहित शरीर
मृत शरीर
जीव
3
Jain Educagon interation
22
For Pro
personal use any
38
•
32
wwwgainelibrary.
Page #23
--------------------------------------------------------------------------
________________
આપણે કોણ છીએ ? આપણે જૈન છીએ. ‘જેન એટલે ?’ જિનેશ્વર ભગવાનને માને તે જૈન. એમનું કહેલું બધું (મનફાવતું થોડું નહીં, બધું જ) માને તે જૈન. આપણે જૈન છીએ, ત્યારે ‘આપણે' એટલે કોણ ? “આપણે” એટલે શરીર નહિં. શરીર તો જડ છે. આપણે એટલે જીવ-આત્મા-ચેતન. શરીરને જ્ઞાન થતું નથી. જીવને જ્ઞાન થઈ શકે છે.
આપણને સુખ-દુઃખ થાય છે, જ્ઞાન થાય છે, સમજણ પડે છે, લાગણી થાય છે. આપણને ગુસ્સો આવે છે, અભિમાન જાગે છે, ક્ષમા-નમ્રતા રાખીએ છીએ, આપણને ઈચ્છા થાય છે, વિચાર આવે છે, આ બધું કોને થાય છે આત્માને, શરીરને નહીં. જે શરીરને થતું હોય તો મૃતદેહમાં બધી જ ઈન્દ્રિયો વિધમાન છે. તેને પણ સંવેદના થવી જોઈએ, તે થતી નથી કારણ કે ત્યાં શરીર છે, આત્મા નથી.
| આત્માંનું કેટલુંય ગયા જન્મોના કર્મ અને સંસ્કારને લીધે થાય છે માટે એકસરખી પરિસ્થિતિમાં પણ દરેક જીવના સુખ-દુઃખ, ક્રોધ, ક્ષમા વગેરેમાં ભેદ પડે છે, અલગ-અલગ પ્રકારના થાય છે. શરીર તો પુદગલ-માટીનું બનેલું છે. એને આમાંનું કાંઈ ન થાય. એને કાંઈ સુખ નહીં, દુઃખ નહીં, જ્ઞાના-ઈચ્છા-લાગણી વગેરે કશું થાય નહિ, મડદાને ક્યાં એમાંનું કશુંય થાય છે ? માટે શરીર પોતે જીવ નથી. આપણને સુખ-દુઃખ વગેરે થાય છે માટે આપણે જીવ છીએ, શરીરમાં કેદ પૂરાયેલા આત્મા છીએ. (પાંજરામાં પૂરાયેલા પંખીની જેમ). | જીવને આંખથી જોવું હોય તો તે જુએ, આંખ એની મેળે નથી જતી. જીવ પોતે ધારે તો હાથ પગને હલાવે કે શરીરને ગતિમાન કરે, નહિતર એ બિચારા પડ્યા રહે છે. તેથી જીવ, શરીરથી સ્વતંત્ર વ્યક્તિ છે, સ્વતંત્ર તત્ત્વ છે. | શરીર તો તે તે ભવમાં નવું બન્યું છે, જીવને કર્મસત્તાએ ભૂતની જેમ ચોંટાડયું છે, પરંતુ જીવ તો અનાદિકાળથી આ સંસારમાં ભટકતો આવ્યો છે. માટે જ કોઈકને પૂર્વજન્મયાદ આવે છે. આપણો જીવ ઝાડ, પણી, વાયુ, કીડા-મંકોડા, પશુ-પંખી વગેરે અવતારોમાં અનંતી વાર જઈ આવ્યો છે, એટલે કે તેવો બન્યો છે.
- અહિં આપણને મનુષ્ય શરીર મળ્યું છે, આ પણ ઘણાં ઘરડા માણસોની જેમ છૂટી જવાનું છે (એટલે કે આપણે પણ મરી જવાનું છે) અને ફરી જીવને પરભવમાં ક્યાંક જવું પડવાને છે. તેથી આ શરીરનો, ઈન્દ્રિયોનો મોહ ન રાખવો જોઈએ, તેની ટાપટીપ, સજાવટ ટેસથી ન કરવા જોઈએ, એની ખાતર પાપ ન કરવા જોઈએ. પાપ કરવાથી જીવને દુર્ગતિમાં જવું પડે, પાપનું ફળ-દુખ અવશ્ય ભોગવવું પડે છે.
૨૧
Page #24
--------------------------------------------------------------------------
________________
Geo - Geo โa 35 32394 3 Cace : Cate 22C3C3C9e98282833
-
(2)
+
Cากกระบวนกากปากหtion
Go G
o
2
Go
S
Cาพโดยรวม
Page #25
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ભગવાન કહે છે - (૧) શરીર એ જીવ નથી, શરીરથી તદ્દન જુદો જીવ એક સ્વતંત્ર વ્યક્તિ (તત્ત્વ) છે. દા.ત. કોઈના
શરીરમાં ભૂત હોય તેમ જીવ, શરીરમાં કેદ પૂરાયેલ છે. જીવ હાથને ઊંચો કરે, તો જ એ ઊંચો થાય
(જુઓ ચિત્ર -૧) એક હાથ ઊંચો થયો છે, જ્યારે બીજો હાથ બિચારો એમ જ પડી રહ્યો છે. (૨) જીવ આજ-કાલનો નહિ, સદાનો હયાત છે, નિત્ય છે. ઝાડ, પાણી, કીડા, પશુ, પંખી વગેરે
અનંતા શરીરોમાં કેદ પૂરાતો અને ત્યાંથી છૂટતો જીવ આજે અહીં આવ્યો છે. પાછો અહિંથી ઉપડી
જવાનો....ક્યાં ? કર્મ લઈ જાય ત્યાં..... (ચિત્ર-૨). (૩) શરીરમાં કેદ પુરાવાનું કારણ - જીવે તેવા કર્મ કર્યા છે, જીવ સારા-નરસા કર્મનો કર્તા છે. હિંસા,
અસત્ય, ચોરી, રંગરાગ, ધનસંગ્રહ, આરંભ, સમારંભ વગેરે પાપો કરી કર્મ બાંધે છે. જ્યાં સુધી
કર્મ બાંધવાનું ચાલુ ત્યાં સુધી સંસારમાં ભટકવાનું ઉભું રહેવાનું (ચિત્ર-૩) (૪) જીવ કર્મનો ભોક્તા પણ છે. પોતાના કરેલા કર્મના ફળ જીવે પોતે જ ભોગવવા પડે છે. પોતાને
સુખ-દુઃખ પોતાના જ કર્મથી મળે છે. પુચકર્મથી સુખ મળે અને પાપકર્મથી દુઃખ મળે. પુણ્યકર્મ ભોગવવા મનુષ્ય લોકમાં કે સ્વર્ગમાં અને પાપકર્મ ભોગવવા તિર્યંચ કે નરકમાં ય જવું પડે છે.
(ચિત્ર-૪) (૫) કર્મના બંધનથી કાયમનો છૂટકારો પણ થઈ શકે છે. જેમકે જેલ આદિમાં બેડીના બંધનથી
બંધાયેલો ક્યારેક કાયમીપણે મુક્ત થઈ શકે છે. બધા જ કર્મ સંપૂર્ણપણે તૂટે તો અવશ્ય મોક્ષ થાય, પછી કદાપિ કર્મ ન લાગે, સંસારમાં ભટકવું ન પડે, દેવ-નરક-મનષ્ય-તિર્યંચ આદિ.
ચારગતિમાંથી એકેયમાં જન્મ-મરણાદિ દુઃખો ભોગવવા ન પડે. (ચિત્ર-૫) () મોક્ષ - કાયમ માટે સંસારથી છુટકારો અને અનંત જ્ઞાન-દર્શન, અનંત શક્તિ અને અનંતા
આનંદથી ખીચોખીચ ભરેલ. આવો મોક્ષ મેળવવા માટે બધા જ કર્મોનો નાશ કરવો જોઈએ. તેના ઉપાયો ક્યા ? જે કારણોથી કર્મો બંધાયા તેનાથી વિપરીત કારણોથી અર્થાત્ જિનભક્તિ, તપસ્યા, વ્રત, નિયમ, દાન, સદાચાર, શાસ્ત્રશ્રવણ, અહિંસા, સત્ય, નીતિ, સામાયિક, પ્રતિક્રમણ, ચારિત્રપાલન, પાપપ્રાયશ્ચિત્ત આદિથી કર્મો તૂટે છે. ' આ છ સભ્યત્વના સ્થાનો કહેવાય છે. (૧) આત્મા છે. (૨) નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે. (૪) કર્મનો ભોકતા છે. (૫) એનો મોક્ષ છે. (૬) મોક્ષના ઉપાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
Va
S
एकेन्द्रिय
प्रत्येक वनस्पतिकाय
अपकाय
S
तेजसकाय
वनस्पतिकाय
Main Education International
S
नारा
अलसियां
चंदनक
सीप
इन्द्रगोप
खटमल
सफेद जू
मकड़ो
S
द्वीन्द्रिय
गोकिट
शंख
S
कोडी
त्रीन्द्रिय ३ तीतली
दीमक
चतुरन्द्रिय ४
चींटी
बीच्छू
खंडमकड़ी
मच्छर
S
टिड्डी
मकड़ी
मकखी
भवरा
बग
S
For Private
स्थलचर
जलचर
S
पंचेन्द्रिय ५
Sonal Use Only
S
खेचरतियंच
मनुष्य
नारकी
देव
wwwww.jangllibrary.org.
Page #27
--------------------------------------------------------------------------
________________
જીવો બે પ્રકારના હોય છે. (૧) સંસારી અને (૨) મુક્ત (મોક્ષના). સંસારી એટલે ચાર ગતિમાં સંસરણ (ભ્રમણ) કરનારા, કર્મથી બંધાયેલા, કાયામાં કેદ પૂરાયેલા. મુક્ત એટલે સંસારમાંથી છૂટેલા - કર્મ અને શરીર વિનાના...
સંસારી જીવ બે પ્રકારના (૧) સ્થાવર અને (૨) ત્રસ.
સ્થાવર એટલે સ્થિર - પોતાની મેળે પોતાની કાયાને જરાય હલાવી ચલાવી શકે નહિ. તે દા.ત. ઝાડનો જીવ.
ત્રસ એટલે તેથી ઊલટા - સ્વેચ્છાથી હાલી-ચાલી શકે તે દા.ત. કીડી, મંકોડા, મચ્છર વગેરે.
સ્થાવર જીવોને માત્ર એક જ સ્પર્શન ઈન્દ્રિયવાળું (ચામડી જ ફક્ત) શરીર હોય છે. ત્રસ જીવોને એકથી વધુ એટલે કે બે થી પાંચ ઈન્દ્રિયવાળા શરીર હોય છે. એમાં કઈ એકેક ઈન્દ્રિય વધારે છે તેનો ક્રમ સમજવા માટે આપણી જીભથી ઉપર કાન સુધી જોવું. બેઈન્દ્રિયને ચામડી + જીભ (સ્પર્શન + રસન), તેઈન્દ્રિયને એમાં નાક (ઘાણ) વધારે, ચઉરિન્દ્રયને આંખ (ચક્ષુ) વધારે, પંચેન્દ્રિયને કાન (શ્રોત્ર) વધારે.
' (૧) એકેન્દ્રિય સ્થાવર જીવના પાંચ પ્રકાર-(૧) પૃથ્વીકાય (માટી, પત્થર, ધાતુ, રત્ન આદિ) (૨) અકાય (પાણી, બરફ, ધુમ્મસ, ઝાકળ વગેરે) (૩) તેઉકાય (અગ્નિ, વીજળી, દીવાનો પ્રકાશ આદિ) (૪) વાયુકાય (હવા, પવન, પંખા, એ.સી.ની ઠંડી હવા આદિ)(૫) વનસ્પતિકાય (ઝાડ, પાન, શાક, ફળ, ફૂલ, લીલ, ફૂગ વિગેરે
(બ) બેઈન્દ્રિયઃ કોડી, શંખ, જળો, અળસિયા, કરમિયા આદિ.... (ક) તેઈન્દ્રિય: કીડી, માંકડ, મકોડા, ઉધઈ, ઈયળ, કીડા, ધનેડા આદિ. (ડ) ચતુરિન્દ્રિય - ચઉરિન્દ્રયઃ ભમરા, ડાંસ, મચ્છર, માખી, તીડ, વીંછી આદિ. . . (ઈ) પંચેન્દ્રિય - નારક, તિર્યચ, મનુષ્ય, દેવ. નારક - ઘણા પાપકર્મ ભેગા થવાથી રાક્ષસોના (પરમાધામીના) હાથે સતત જ્યાં દુઃખી થવાનું તે. તિર્યંચ ૩ પ્રકારના - જલચર, સ્થલચર, ખેચર. જલચર-પાણીમાં જીવનારા માછલા, મગર વગેરે
સ્થલચર - જમીન પર ફરનારા - ગિરોલી, સાપ, વાઘ-સિંહ-વરૂ આદિ જંગલી પશુ અને ગાયકૂતરા વગેરે શહેરી પશુઓ.
ખેચર-આકાશમાં ઊડનારા - પોપટ, ચકલી, મોર આદિ પંખીઓ, ચામાચીડીયા.... મનુષ્ય - આપણા જેવા,
દેવ - ખૂબ પુણચકર્મ ભેગા થાય ત્યારે આપણી ઉપર દેવલોકમાં સુખની સામગ્રીથી ભરપુર ભવ મળે તે.
l
aringorg
Page #28
--------------------------------------------------------------------------
________________
गति, शरीर
इंद्रियादि
यश, अपयश
सौभाग्य दौर्भाग्यादि
ऊंचकुल नीचकुल
नामकर्म
जन्म जीवन
मृत्यु
गोत्रकर्म
अगुरु
लघुता
अरुपिता
आयुष्य
स्थिति अक्षय
अज्ञान
ज्ञानावरण
अनंत
ज्ञान
जीव
अनंत सुख
वेदनीय
दर्शन अनंत
दर्शनावरण
शाता अशाता
For Private Personal Use Only
सम्यग्दर्शन बीतरागता
अनंतवीर्य
आदि
अंतराय
अंधापादि निद्रा
मोहनीय
कृपणता दरिद्रता पराधीनता
दुर्बलतादि
मिथ्यात्व
अविरति
राग-द्वेष
काम क्रोधादि
Page #29
--------------------------------------------------------------------------
________________
» = ૨ = ૨૬ ૨૪ ૪
લી)
તાંબામાં ભળી ગયેલું સોનું ઝાંખું દેખાય છે, છતાં સોનું પોતે અંદર શુદ્ધ છે તેવી રીતે જીવ પોતે અંદરખાને શુદ્ધ હોવા છતાં જડ કર્મ-રજ (કર્મનો કચરો) એમાં ભળી ગયેલ હોવાથી મલિન બન્યો છે. એના અસલી સ્વરૂપમાં અનંતજ્ઞાન વગેરે ગુણો છે, શક્તિઓ છે પરંતુ તે કર્મના આવરણથી ઢંકાઈ જઈ તેનું રૂપ મલિન થયું છે તેથી નકલી સ્વરૂપ પ્રગટ થયું છે.
જીવને સૂર્ય જેવો સમજીએ તો એમાં આઠ જાતના ગુણરૂપી પ્રકાશ કહેવાય. સૂર્ય પર આઠ જાતના વાદળ આવી જાય તેમ જીવ પર આઠ જાતના કર્મરૂપી વાદળો આવી જવાથી તેનો પ્રકાશ ઢંકાઈ ગયો છે અને તેની સાથે જીવ પર નકલી વાતો ઊભી થઈ ગઈ. દા.ત. જ્ઞાનાવરણ કર્મથી જીવમાં રહેલું અનંતજ્ઞાન (સર્વજ્ઞપણું) ઢંકાઈ જઈને અજ્ઞાનપણું, મૂર્ખાપણું, મંદબુદ્ધિપણું, ભૂલકણો સ્વભાવ આદિ ઉભા થયા....
સામેના ચિત્રમાં જીવનું (એટલે કે આપણું) આંતરિક સ્વરૂપ કેવું ભવ્ય છે તે બતાવ્યું છે. પરંતુ આજે કર્મરૂપી વાદળોથી ઘેરાયેલા આપણે કેવા ભેળસેળીયા સ્વરૂપવાળા બની ગયા છીએ તેની નીચેની કોઠામાં સ્પષ્ટતા છે.
જીવનું સ્વરૂપ
જીવનું નકલી સ્વરૂપ
(૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન
(૧) અજ્ઞાન, મંદ, મૂર્ખ, જડ, ભૂલકણો. (૨) આંખ વગેરે ન હોવી એટલે આંધળા, બહેરા, લુલા, લંગડાપણું, ઉંઘના પ્રકારો. (૩) મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષ્યા આદિ..
(૩) સમ્યગ્દર્શન વીતરાગતા
(૪) અનન્ત વીર્યાદિ
(૫) અનન્ત સુખ (૬) અજર-અમરતા
(૭) અરૂપીપણું
(૮) અગુરુલઘુપણું
એને ઢાંકનારા કર્મરૂપી વાદળો (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય
(૩) મોહનીય કર્મ
(૪) અંતરાય કર્મ
(૫) વેદનીય કર્મ (૬) આયુષ્ય કર્મ (૭) નામકર્મ
(૮) ગોત્ર કર્મ
૨૭
(૪) દુર્બલતાપણું, કૃપણપણું, દરિદ્રપણું, પરાધીનપણું. (૫) શાતા (સુખ) અશાતા (કષ્ટ, પીડા, દુઃખ).
(૬) જન્મ, જીવન, મરણ,
(૭) નરકાદિ ગતિ, એકેન્દ્રિયાદિ શરીર,
રૂપ, જશ, અપજશ, સૌભાગ્ય, દુર્ભાગ્યાદિ. (૮) ઉચ્ચકુલ, નીચકુલ.
www.jainulltbrary.org
Page #30
--------------------------------------------------------------------------
________________
है
। ईश्वर कर्ता नहीं, कर्म कर्ता है।
9898989698989
भक्ति
हिंसा
वैराग्य
परिग्रह
झूठ
दान ज्ञान
चोरी
दया तप
रंगराग
भारतासापरतात
*
म
Page #31
--------------------------------------------------------------------------
________________
S = 0 6
Ꭶ
COUNT
જીવને કોણે બનાવ્યો ? દુનિયા કોણે બનાવી?
જીવ નવો નથી બન્યો, એ આકાશની જેમ અનાદિકાળથી (જેની કોઈ શરૂઆત નથી તે અનાદિ) છે. જીવના કર્મ એના નવા નવા શરીર બનાવે છે પરંતુ કોઈ ઈશ્વર જીવ બનાવતો નથી. નવું તો શરીર બને છે, જીવ તો એનો એ જ રહે છે.
દુનિયા એટલે શું? જમીન, પર્વત, નદી, ઝાડ એ બધું ને ! એ બધું શું છે? એકેન્દ્રિય જીવના શરીર. તો એ પણ તે જીવોના કર્મથી બન્યા છે, કોઈ ઈશ્વરે બનાવ્યા નથી. તો આ શરીરો બનાવનાર કર્મ એટલે શું? કર્મ એ પણ સૂક્ષ્મ પુદ્ગલ (દ્રવ્ય) છે.
(જુઓ ચિત્ર નં. ૧, ૨, ૩) પવન ઘરમાં ધૂળ લાવે છે, હવા ચક્કીને ફેરવે છે, લોહચુંબક લોઢાને ખેંચે છે. ત્યાં ધૂળ લાવનાર, ચક્કી ફેરવનાર કે લોઢાને ખેંચનાર કોઈ ઈશ્વર છે? નથી ને !
એવી રીતે જીવના કર્મ જીવ પર શરીરના પુદ્ગલ ચોંટાડે છે. બાકી શરીર બનાવનાર કોઈ બ્રહ્મા નથી. (ચિત્ર-૪) કર્મ જીવને જુદી જુદી ગતિમાં ફેરવે છે, જીવની પાસે સુખ-દુઃખના સાધનો ખેંચી લાવે છે. જીવને સુખી-દુઃખી બનાવે છે. આ બધું કરનાર કોઈ ઈશ્વર નથી, પણ કર્મ છે. (ચિત્ર-૫)
કર્મથી જ નવા નવા શરીર, કર્મથી શેઠાઈ, કર્મથી પૈસા, કર્મથી બંગલો, કર્મથી બિમારી, કર્મથી બંધન, કર્મથી માર અને કર્મથી મોત વગેરે હોય છે.
એ કર્મ ક્યાંથી આવ્યા?
જીવ પ્રભુભક્તિમાં તરબોળ હોય, વૈરાગ્ય, જ્ઞાન, દાન, દયા, તપ વગેરેમાં રત હોય ત્યારે તેને શુભકર્મ (પુણ્ય)
ચોટે છે.
જીવ હિંસા, અસત્ય (જૂઠ), ચોરી, રંગરાગ, ખૂબ ધન ભેગું કરવાની ઈચ્છા કે ભેગું કરેલું સાચવી રાખવાની મૂર્છા રૂપ પરિગ્રહ વગેરેમાં આસક્ત હોય, ત્યારે તેને અશુભકર્મ (પાપ) ચોંટે છે.
દીવા પરનું ઢાંકણું તેના પ્રકાશને ઢાંકે છે તેમ જીવ પર રહેલા કર્મ જીવના જ્ઞાન, સુખ, શક્તિ વગેરેને ઢાંકી દે છે. પરંતુ ગુરુદેવના ઉપદેશ મુજબ ધર્મ કરવામાં આવે, ચારિત્ર લઈ ખૂબ ખૂબ તપ-ત્યાગ-સંયમ-સ્વાધ્યાય આદિ કરવામાં આવે તો તેના પ્રભાવે બધા જ કર્મોનો નાશ થાય અને જીવ પોતે શિવ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત પરમાત્મા બને છે એટલે કે મોક્ષ પામે છે. (ચિત્ર-૬)
૨૯
www.jalmellbrary.org
Page #32
--------------------------------------------------------------------------
________________
मिट्टी
Set काष्ट
पत्थर
धात्
रत्न
Jain Education intemational
शब
मकान
पुद्गलास्तिकाय
의원회의 요
लो
का
का
Inlin
स्ति दिन
अ
लो
का
का
श
स्थि
최석에서의 외과전
ति
ष्टा
गति सहाय दृष्टान्त
का
ल
Page #33
--------------------------------------------------------------------------
________________
જેમાં જ્ઞાન નથી, ચૈતન્ય નથી, જે સહજ રીતે પોતાની રીતે કોઈ કાર્ય કરવા સમર્થ નથી તે અજીવ કહેવાય, જડ કહેવાય. દા.ત. થાંભલો, લાકડું વગેરે.... આવા અજીવ વિશ્વમાં પાંચ છે.
(૧) પુદ્ગલ (૨) આકાશ (૩) કાળ (૪) ધમસ્તિકાય અને (૫) અધમસ્તિકાય.... જેમાં રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ હોય એટલે કે સામાન્યથી જે દેખી શકાય છે, સ્પર્શી શકાય છે, ચાખી કે સુંઘી શકાય છે તે બધું, જેના સંચોગ - વિભાગ (ભેગા થવું- છૂટા થવું), વૃદ્ધિ-હાનિ (વધવું-ઘટવું) થાય એટલે કે પૂરણ (વધવું) - ગલન (ઘટવું-સડવું-નાશ પામવું) થઈ શકે છે તે પુદ્ગલ કહેવાય. દા.ત. લાકડું, માટી, મકાન, પથ્થર, અસ્ત્રો, શસ્ત્રો, મડદું વિગેરે. અવાજ (શબ્દ), અંધકાર, છાયા (પડછાયો) એ બધા પુદ્ગલ છે. મન અને કર્મ પણ પુદ્ગલ છે. બીજી વસ્તુને રહેવા માટે જે સ્થાન (જગ્યા) આપે છે તે આકાશ કહેવાય. બીજા દ્રવ્યો સહિતનું આકાશ તે લોકાકાશ અને લોકથી બહારનું આકાશ તે અલોકાકાશ. ત્રીજા ચિત્રમાં બતાવ્યા મુજબ બે પગ પહોળા કરી કેડે હાથ દઈ ઉભેલા માણસ જેવી જગ્યા તે લોકાકાશ, બહારનું અલોકાકાશ. ક્ષણ, મિનીટ, કલાક, દિવસ-રાત, માસ-વર્ષ, એ બધો કાળ કહેવાય. તેના મુખ્ય આધાર એવા સૂર્યના ચિત્રથી કાળ બતાવ્યો છે. જીવ અને પુદ્ગલ ગમનાગમન (જવું અને આવવું) કરે છે, તો તે અનન્ત આકાશમાં ક્યાંના ક્યાંય કેમ નથી જતા ? વેરવિખેર કેમ થતા નથી ? અમુક જ ભાગમાં કેમ વ્યવસ્થિત રહે છે ? કારણ કે, એટલા જ ભાગમાં એમને ગતિ કરવા માટે જોઇતી સહાયક વસ્તુ છે-એનું નામ ધમસ્તિકાય દ્રવ્ય છે. જેમ પાણી માછલીને ચાલવામાં સહાયક છે તેમ જીવ અને પુદ્ગલને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે. અશક્ત વૃદ્ધ મનુષ્યને ઊભા રહેવામાં લાકડી જેમ સહાયક બને છે તેમ જીવ અને પુદ્ગલને સ્થિરતામાં સહાયક વસ્તુ - અધમસ્તિકાય દ્રવ્ય છે. આ પાંચેય અજીવ દ્રવ્યો છે તેમાં પુદગલ દેખી શકાય તેવું મર્ત છે. બાકીના ચાર અમૂર્ત છે. એમાં જીવદ્રવ્યને ઊમેરતા કુલ ૬ (છ) દ્રવ્યો મનાય છે. આજની વિજળી શક્તિ, વરાળ-શક્તિ, અણુશક્તિ (એટમ-બોંબ), એરોપ્લેન, રેડિયો, ટી.વી., ફોન, ઈન્ટરનેટ, ઉપગ્રહો, વિવિધ યંત્ર - શક્તિ એ બધા પુદગલ દ્રવ્યો અને પુદ્ગલ શક્તિ છે.
૩૧
For Private & Fun
Page #34
--------------------------------------------------------------------------
________________
१४ राजलोक
५ अनुतर १ अवेयक
देव
table
ऊर्ध्वलोक
लोकांतिक
१२
देव
किल्बिषिक
लोक
Đ®®®®®®®®®®®®®®®®®®®®®®®®®®®®®®
-किल्बिषिक चर-स्थिर ज्योतिष्क द्वीप समुद्र नरक?
DOO000000000000000®®®®®®®®ब
व्यंतर भवनपति
नरक
अधोलोक
नरक३
नरक
नरक ५
नरक ७
Page #35
--------------------------------------------------------------------------
________________
~ ૧૫૭ ૩ ૨ ==
વિશ્વ શું છે ?
દ્રવ્યોનો (છ દ્રવ્યોનો) સમૂહ એ વિશ્વ છે. છ દ્રવ્યમાં આકાશ એક દ્રવ્ય છે. આકાશના અમુક ભાગમાં બાકીના જીવ, પુદ્ગલ વગેરે પાંચે દ્રવ્યો રહે છે. એટલા ભાગને લોક કે લોકાકાશ અને બાકીના ભાગને અલોક કે અલોકાકાશ કહે છે. લોકાકાશને જૈનો વિશ્વ તરીકે, બ્રહ્માંડ તરીકે માને છે.
(બાજુમાં લોકનું ચિત્ર છે) આપણે લોકના મધ્યભાગમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતા સમુદ્ર, દ્વીપ, સમુદ્ર, દ્વીપ એમ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. વચ્ચે મેરુપર્વત છે. તેની આસપાસ સૂર્યચન્દ્ર ફરે છે. તેના સતત ફરતા રહેવાથી દિવસ-રાત થાય છે.
ઉપર ૧૨ દેવલોકો છે, તેની ઉપર ૯ ત્રૈવેયક દેવવિમાનો (દેવોમાં જ અલગ-અલગ પ્રકાર) છે, એની ઉપર પાંચ અનુત્તર દેવવિમાનો છે. એની ઉપર સિદ્ધશિલા છે, તેની પણ ઉપર મોક્ષ પામેલા સિદ્ધ ભગવંતો બિરાજે છે. આપણી નીચે વ્યંતર દેવોના નગરો છે. તેની નીચે ભવનપતિ દેવોના ભવનો છે. તેમની નીચે નારકી જીવોના છ નરકસ્થાનો છે.
દ્રવ્ય એટલે શું ?
જેમાં ગુણો રહે, પર્યાયો-અવસ્થાઓ થાય તે દ્રવ્ય કહેવાય. દા.ત. સોનામાં પીળાપણું, ચળકાટ, ભારેપણું વગેરે ગુણો છે. કંઠી (ચેન), કડું, વીંટી, ઘડિયાળ વગેરે તેની અવસ્થાઓ થાય છે. તેથી સોનું દ્રવ્ય કહેવાય અને તેની અવસ્થાઓ એ પર્યાય કહેવાય.
ગુણ અને પર્યાયવાળું તે દ્રવ્ય - કોઠો. પર્યાય
૧
૨
3
૪
૫
9
દ્રશ્ય
Øས
પુદ્ગલ
આકાશ
ધર્માસ્તિકાય
અધર્માસ્તિકાય
ફાળ
ગુણ
જ્ઞાન, દર્શન, સુખ આદિ
રૂપ, રસ આદિ
અવકાશ (જગ્યા) દાન ગતિસહાયકતા સ્થિતિ-સહાયકતા વર્તના-હોવું, થવું
33
મનુષ્યપણું, પશુપણું, રાજાપણું, ભિખારીપણું, બાળપણ, યુવાની સંસારી, મુક્ત. પૃથ્વીપણું, માટીપણું, ઘડાપણું ઠિકરાપણુ, (માટીના પર્યાયો) ઘટાકાશ, ગૃહાકાશ, દુકાનાકાશ જીવને સહાયકતા, પુદ્ગલને સહાયકતા જીવને સહાયકતા, પુદ્ગલને સહાયકતા ભૂતકાળ, વર્તમાન, ભવિષ્યકાલ
Page #36
--------------------------------------------------------------------------
________________
60
60
% ९ तत्त्व 60 • 6 6 6 68 68 69 80 88 88 8 8 88 800059 0829 88 88 88
आश्रव ५
अजीव २
(कर्म - बंध ८)
जीव १
आश्रव ५
(पुण्य ३ पॉप ४)
(संवर ६)
Pee0
निर्जरा ७
(निर्जरा ७)
60 63 68
Jain Bacana fare only sea है 600
Educat
मोक्ष ९
Page #37
--------------------------------------------------------------------------
________________
ด થ
GL
વો
જુઓ સામે ચિત્ર (૧) માં જીવને એક સરોવર જેવો બતાવ્યો છે. સરોવરમાં આમ તો ચોખ્ખું પાણી છે, પરંતુ એમાં નીકો દ્વારા કચરો ભરાયો છે. આ કચરો એકમેક થઈ ગયો છે. એમાં બે રંગના વિભાગ છે. કેટલોક કચરો દેખાવમાં સારો છે, કેટલોક ખરાબ. (ચિત્ર-૨) હવે જો નીકો બંધ થાય તો નવો કચરો ન આવે અને ઉપરથી તેમાં ચૂર્ણ નખાય તો કચરો સાફ થતો જાય. છેવટે સઘળો કચરો સાફ થઈ જતાં સરોવર નિર્મળ પાણીભર્યું બની રહે... (ચિત્ર-૩)
(૧)
આપણા જીવમાં અત્યારે આ સ્થિતિ છે. મૂળભૂત રીતે એમાં નિર્મળ જ્ઞાન, દર્શન, સુખ વગેરે રૂપી પાણી છે. પરંતુ એમાં કર્મકચરો ભરાયો છે. આ કર્મ અજીવ છે.
(૨)
(3)
કર્મના ૫ણ બે વિભાગ છે. સારાં ફળ (સુખ) આપનારા કર્મ તે પુણ્ય...
(૪)
ખરાબ ફળ (દુઃખ) આપનારા કર્મ તે પાપ...
(૫)
કર્મ જે નીક (ખાળ જેવું)થી વહી આવે છે તે આસવ. ઈન્દ્રિયોની અધીનતા (આંખ, નાક, કાન, જીભને મનગમતું જ કરવું, ટી.વી. હોટલ, બિભત્સ ગીતો આદિ), હિંસા, જૂઠ આદિ અવ્રત (બાધાપૂર્વક પાપનો ત્યાગ ન કરવો તે) કષાય વગેરે આસવ કહેવાય.
GST E
આસવ - નીકને ડૂચા દેવા કે ઢાંકણ ઢાંકવું તે સંવર. સારી ભાવના, સામાયિક, અહિંસા, ક્ષમા વગેરે સંવર છે.
જૂના કર્મોનો નાશ કરનાર ચૂર્ણ તે નિર્જરા. તપસ્યા, સ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત વગેરે નિર્જરા છે.
સંસારી જીવની સાથે કર્મ એકમેકપણે ચોંટે તે બંધ.
સર્વ કર્મોનો નાશ થતાં જીવ પ્રગટ કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત સુખાદિવાળો બને તે મોક્ષ. એટલે કે જીવ પોતાના મૂળભૂત સ્વરૂપને પ્રાપ્ત કરે તે મોક્ષ.
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ અને (૯) મોક્ષ, એ નવતત્ત્વો કહેવાય. એ તીર્થંકર ભગવાને જે પ્રમાણે બતાવ્યા તે પ્રમાણે જે માને - એના પર સચોટ, દૃઢ શ્રદ્ધા રાખે. તેનામાં સમકીત-સમ્યક્ત્વ - સમ્યગ્દર્શન થયું કહેવાય. સમ્યક્ત્વ આવે તો મોક્ષ નક્કી થઈ જાય.
34
For Private & Person
Page #38
--------------------------------------------------------------------------
________________
මම ඔන්න මම ගම මම මගෙ ලඟ
| QUවූ |Q
ම ම
ම ම ම ම
මම ලි
पुण्य फल
qIq fd
i
E
බහූලමු. ඔබ ලඟ මම ලල ලල ලලලල ලඟ ල ලල ලල ලල මමමගෑම
Page #39
--------------------------------------------------------------------------
________________
આ જગતમાં જીવનું ધાર્યું કેમ નથી થતું ? પ્રયત્ન કરવા છતાં મનગમતી સફળતા કેમ મળતી નથી ? અણધારેલી આફત કેમ આવે છે ? બે ભિન્ન ભિન્ન વ્યક્તિઓને એકસરખા સંયોગ હોવા છતાં એકને લાભ અને બીજાને નુકશાન કેમ થાય છે ? એકને સુખ ä અને બીજાને દુઃખ કેમ મળે છે ?
કહો, એ બધા પુણ્ય-પાપના ખેલ છે. કર્મ (ભાગ્ય) બે જાતના હોય છે. એક સારા (શુભ-સુખ આપનાર) અને બીજા ખરાબ (અશુભ-દુઃખ આપનાર). સારા કર્મ તે પુણ્ય, ખરાબ કર્મ તે પાપ. પુણ્ય જીવને સુખ આપે, મનગમતું આપે, સદ્ગુદ્ધિ આપે, પાપ દુઃખ એ આપે, અણગમતું આપે, દુર્બુદ્ધિ આપે.
૨ ==
ઉપરના પહેલા ચિત્રમાં - શેઠાઈ, મેવા-મિઠાઈ, ધમધોકાર ધંધો, બંગલો, મોટર, હષ્ટપુષ્ટ શક્તિશાલી શરીર અને દેવવિમાન દેખાય છે, એ પુણ્ય હોય તો મળે છે.
બીજા ચિત્રમાં બળદને ભારે બોજ અને ચાબખા, મજૂરી, દુર્બલતા, ભંગીપણું (કચરો ઉઠાવવો પડે), બળવાન ની લાત ખાવી પડે, મહેનત કરવા છતાં વિધા ન ચડે, જેલ અને નરક દેખાય છે. એ પૂર્વે કરેલા પાપનું ફળ છે. આવા કર્મના કુલ ૧૫૮ ભેદ છે. તેમાં - શાતા વેદનીય નામના પુણ્યથી સારૂં આરોગ્ય મળે, ઉચ્ચ ગોત્ર પુણ્યથી સારા-ઊંચા કુળમાં જન્મ મળે. દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય પુણ્યથી દેવ-મનુષ્ય થવાય. શુભ નામકર્મથી સારી ગતિ, સારૂં રુપ, સારો બાંધો, યશ-કીર્તિ, સૌભાગ્ય (લોકપ્રિયતા, લોકમાન્યતા) વગેરે મળે....
અશાતા વેદનીય પાપકર્મથી દુઃખ, વેદના, રોગ આવે. નીચગોત્રથી ઢેઢ-ભંગીના કુળમાં જન્મ થાય, અશુભ નામકર્મથી એકેન્દ્રિયાદિપણું, કીડા - મંકોડાપણું, અપજશ, અપમાન વગેરે મળે, જ્ઞાનાવરણ પાપથી ભણવાનું ન આવડે, યાદ ન રહે, મોહનીય પાપથી દુર્બુદ્ધિ, ક્રોધ, અભિમાન, લોભ વગેરે થાય. અંતરાય - પાપથી ધાર્યું ન મળે, ન ભોગવાય, દુર્બલતા રહે વગેરે થાય છે.
પુણ્યકર્મ બાંધવાતા ઉપાયો - સાધુ-સાધર્મિક આદિ સુપાત્રને દાન, ગુણવાનની અનુમોદના, પરમાત્મા આદિની સ્તુતિ, ભક્તિ, નમસ્કાર, દયા, વ્રત-નિયમ, તપસ્યા, ક્ષમા રાખવી, સત્ય બોલવું, નીતિ પાળવી, સારા વિચાર અને સારા આચારોમાં આગળ વધવું વગેરે..
પાપર્મ બાંધવાના કારણો છે - દેવ - ગુરુ અને ધર્મની - નિન્દા આશાતના કરવી, ધર્મમાં અંતરાય (અટકાયત), હિંસા, અસત્ય-જૂઠ, અનીતિ, દુરાચાર, ભ્રષ્ટાચાર, કષાયો કરવા, ઈન્દ્રિયોના વિષયોમાં લંપટતા (સારૂં સારૂં દેખી તરત મેળવવાની તલપ) શિકાર, જુગાર, કંદમૂળ, હોટલ આદિ અભક્ષ્ય ભક્ષણ, રાત્રિભોજન વગેરે....
Education International
39
For Private & Personal Dinty
ww.jainelibrary.org
Page #40
--------------------------------------------------------------------------
________________
8
आस्रव र
कषाय
ईन्द्रिय मिथ्यात्व
कषाय ईन्द्रिय मिथ्यात्व
अव्रत
अव्रत
योग
क्रिया
योग
क्रिया प्रमाद
प्रमाद
in Education remational
For Private
opal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
- પરચ- પાપ એટલે કે શુભ-અશુભ કર્મ, જીવનમાં કોણ લાવે છે ? આસવ... કપડાપર તેલનો ડાઘ હોય તેના પર જેમ ધૂળ ચોંટે તેમ આસવના કારણે આત્મા પર કર્મધૂળ ચોંટે છે, અથવા આસવ એ જાણે કે જીવરૂપી ઘરની બારીઓ છે, એમાંથી કર્મરૂપી ધૂળ જીવરૂપી ઘરમાં ઘૂસે છે. અથવા આસવ એ જાણે કાણાં બાકોરાં છે, જેના દ્વારા કર્મધૂળ જીવમાં ભરાય છે. (જુઓ ચિત્ર.).
અથવા પાઠ ૧૪ ના ચિત્ર મુજબ આસવ જાણે નીક છે, જેમ ઘરની ખાળ લાઈન મેલું પાણી ગટરમાં ભેગુ કરે છે, નીકો સરોવરમાં કચરો તાણી લાવે છે તેમ ઈન્દ્રિય વગેરે આસવો જીવમાં કર્મકચરો લાવી ભેગો કરે છે.
આસવ મુખ્ય પાંચ છે. (૧) ઈન્દ્રિય (૨) કષાયો (૩) અવ્રતો (૪) રોગો અને (૫) ક્રિયાઓ. આપણી આંખો, જીભ, કાન વગેરે ઇન્દ્રિયો, દેખાતા જડ પદાર્થો તરફ રાગ - દ્વેષથી (ગમાઅણગમાથી) દોડે છે અને તક્ષણ જીવ સાથે કર્મનો જથ્થો ચોંટે છે. આમ વૈષયિક પદાર્થો પર
રાગ-દ્વેષ કરવા તે કર્મબંધનું કારણ છે. (૨) આપણે ક્રોધ કરીએ, ગર્વ લાવીએ, માયા-કપટ સેવીએ કે લોભ-તૃષ્ણા - મમતાનું સેવન
કરીએ તો તત્કાળ આત્મા પર કર્મ ચોંટે છે. આ બધા કષાયો કહેવાય. એજ રીતે હાસ્ય (મશ્કરીથી કે સ્વાભાવિક), શોક, હર્ષ (રાજીપો) ખેદ, ભય, મેલ-દુર્ગધ આદિ પ્રત્યે કે તેવા વસ્ત્રાદિ ધારણ કરનાર પ્રત્યે તિરસ્કાર-દુગંછા, ઈષ્ય, વૈર, કુમતિ, કામવાસના આ બધાને પણ કષાયોમાં સમજવાના. . . ભલે ક્યારેક હિંસા ન કરીએ, જૂઠ ન બોલીએ, ચોરી-અનીતિ ન આચરીએ, સ્ત્રી-સંબંધ કે વધુપડતા મોજશોખ ન કરીએ કે અતિશય ધન માલ પરિગ્રહ ન રાખીએ, પરંતુ જે ‘એ હું નહિ જ કરુ’ એવું વ્રત - પ્રતિજ્ઞા (બાધા) ન હોય તો એ અવ્રત-અવિરતિ આસવ કહેવાય. એનાથી પણ પાપકર્મ ન કરવા છતાં કર્મ બંધાય છે. જેમ ઘર ન વાપરવા છતાં માલિકી હોય તો ટેક્ષ
ભરવો પડે છે તેમ પાપ ન કરવા છતાં તે કરવાની અપેક્ષા રાખવાથી પાપકર્મ બંધાય છે. (૪) આપણે મનથી વિચાર, વચનથી વાણી અને કાયાથી વર્તન કરીએ તે ‘ચોગ’ આસવ છે. એમાં
વિચારવું, બોલવું, હાથ-પગ હલાવવા-ચાલવું-દોડવું વગેરે આવે... ક્રિયા આસવમાં મિથ્યાત્વ વગેરેની ચેષ્ટા-પ્રવૃત્તિ આવે. કુલ ૨૫ પ્રકારની ક્રિયાઓ છે જે ગુરુદેવના સત્સંગથી જાણવી.
આ તો કર્મબંધના સામાન્ય કારણભૂત આસવ ગમ્યા. વળી દરેક કર્મના જુદા જુદા આસવો પણ છે. દા.ત. જ્ઞાન-જ્ઞાનીની, પુસ્તક વગેરેની આશાતનાથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. જીવની દયા શાતાવેદનીય પૂણ્ય બંધાવે વગેરે. • દેવ, ગુરુ અને ધર્મનો રાગ, પાપ પર દ્વેષ, ધર્મક્રિયા એ શુભ આસવ છે.
()
(૫)
૩૯ ]
|
Page #42
--------------------------------------------------------------------------
________________
संवर
80 68 60 68 69 88 88 88 2 83 888888888888
गुप्ति
समिति
परिसह
क्षमा
Clan Educatorinirmalignant 6665
Sor Pri
भावना (मरुदेवी)
Use Only 2
38 89 80 88 89 99 886
CCCCCC
चारित्र
wainelibrary.org
C
Page #43
--------------------------------------------------------------------------
________________
સં
આસવથી આત્મામાં કર્મ ચોટે છે, એ આસવને અટકાવનારી, બંધ કરનારી, કર્મને રોકનારી જે પ્રવૃત્તિ તે સંવર કહેવાય.
એવા કર્મને રોકનારા સંવર મુખ્યત્વે ૬ છે.
(૧) સમિતિ (૨) ગુપ્તિ (૩) પરિષહ (૪) યતિધર્મ (૫) ભાવના અને (૬) ચારિત્ર,
(૧)
સમિતિ એટલે સારી રીતે સાવધાનીપૂર્વક - જયણા(કાળજી)વાળી પ્રવૃત્તિ. જેમકે (૩)ચાલવામાં જીવ ન મરે એની કાળજી (b) બોલવામાં હિંસક કે જૂઠું ન બોલાય તેની કાળજી(C) હિંસા, માયા, અહંકાર આદિ પાપો વિના ખાન-પાન આદિ જીવનજરૂરિયાતની સામગ્રી મેળવાય અને વપરાય તેની કાળજી(d)વસ્તુ લેવા-મૂકવામાં કે (૯)મલ-મૂત્રાદિ તજવાના સ્થાને પણ જીવ ન મરે તેવી કાળજી લેવી તે....
(૨) ગુપ્તિ એટલે અશુભ (ખરાબ-નઠારા) વિચાર, વાણી અને વર્તનને અટકાવી શુભ વિચાર,વાણી અને વર્તનમાં રમતા રહેવું.
Conne
(૩) પરિષહ એટલે ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ડાંસ, મચ્છર, રોગ-વેદના, અજ્ઞાન વગેરેને કર્મના નાશમાં સહાયક સમજી શાંતિથી સહન કરી લેવા, તેમજ સત્કાર, હોંશિયારી વગેરેમાં જરા પણ અહંકાર કે હર્ષ ન કરવો એ પણ પરીષહ...
(૫)
(૬)
યતિ-ધર્મ એટલે કે સાધુ ભગવંતોના જીવનમાં સહજપણે વણાઈ ગયેલ વર્તન. તે ૧૦ પ્રકારે - (૧) ક્ષમા (૨) નમ્રતા (વિનયશીલ થવું) (૩) સરળતા (૪) નિર્લોભતા (સામગ્રી કે સંયોગ પર આસક્તિ નહીં) (૫) સત્ય (૬) સંયમ(૭) તપ (૮) ત્યાગ (૯) અપરિગ્રહ, જરૂરતથી વધારે સામગ્રી રાખવી નહિ. અને (૧૦) બ્રહ્મચર્ય...
આ તત્ત્વ જેમ જેમ જીવનમાં વણાતા જાય તેમ કર્મ આવતા અટકે.
ભાવના એટલે વૈરાગ્ય, ભક્તિ, ઉદારતા આદિ ગુણો પેદા કરનાર સારૂં ચિંતન. દા.ત. જગતના બધા જ સંયોગો નાશવંત છે. જીવને દેવ-ગુરુ અને ધર્મ વિના કોઈનું શરણ નથી. સંસાર વિચિત્ર અને અસાર છે વગેરે... શાસ્ત્રોમાં અનિત્ય, અશરણ વગેરે ૧૨, મૈત્રી આદિ ૪ આદિ અનેક પ્રકારે ભાવનાઓ બતાવી છે.
ચારિત્ર એટલે પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરીને હિંસા આદિ પાપ પ્રવૃત્તિઓને છોડવી તે -
સામાયિક વગેરે...
પ્રભુભક્તિ - શાસનસેવા વગેરે ધર્મકાર્યમાં જોડાવાથી સાંસારિક પાપ પ્રવૃત્તિ જેટલી અટકે તેટલા પ્રમાણમાં સંવર થયો કહેવાય.
૪૧
Page #44
--------------------------------------------------------------------------
________________
*
निर्जरा
* अनशनादि
* प्रायश्चित्त
कायकष्ट
स्वाध्याय
वैयावच्च
कायोत्सर्ग
कष्ट
संलीनता
विनय
ध्यान
S
ain Educatioasternational
2
For Privatlersonal Use Only
www.tainelibrary.orosya
Page #45
--------------------------------------------------------------------------
________________
© w
સંવરથી નવા કર્મ બંધાતા અટકે પણ જૂના બાંધેલાનું શું?
તે શેનાથી નાશ પામે ? નિર્જરાથી પૂર્વે બંધાયેલા જૂના કર્મ નાશ પામે છે.
તપથી કર્મનો નાશ થાય છે તેથી અહીં નિર્જરા તરીકે બાહ્ય અને અત્યંતર તપ લેવાનો છે. * બાહ્યતપમાં શું શું ગણાય ? આ,
(૧) અનશનઃ અર્થાત્ પચ્ચક્ખાણપૂર્વક ભોજનનો સર્વથા કે આંશિક ત્યાગરૂપ ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે. (૨) ઉનોદરિકા : ભૂખ કરતાં ઓછું ખાવું. (પા, અર્ધો કે પોણાભાગ જેટલું ઓછું.)
(૩)વૃત્તિસંક્ષેપ ખાવાની ચીજોની સંખ્યાનો સંક્ષેપ - ઘટાડો. (કું.............. થી વધુ દ્રવ્યો નહીં વાપરૂં તે મુજબ) (૪) રસ - ત્યાગ : દૂધ, દહિં, ઘી, તેલ, ગોળ-સાકર, તળેલું વગેરેમાંથી બધાનો અથવા કોઈનો ત્યાગ.
(૫) કાચ-ક્લેશ : ધર્મક્રિયાના કષ્ટ ઉઠાવવા, જેમકે સાધુ ભગવંતો પગે ચાલીને વિહાર કરે, લોચ, મોટી સંખ્યામાં ખમાસમણ દેવા,
ઊભા ઊભા કલાકો સુધી કાઉસગ્ગ કરવા વગેરે.
(૬) સંલીનતાઃ મન - વચન - કાચાને સ્થિર રાખવા. દા.ત. મૌન, કષાયની લાગણી કે ઈચ્છા પર અંકુશ રાખવો વગેરે. અભ્યન્તર તપમાં શું આવે?
(૧) પ્રાયશ્ચિત્ત ગુરુ આગળ ખુલ્લા દિલે પાપોનો એકરાર કરી તેના દંડરૂપે તપ આદિ કરી આપવો.
(૨) વિનયઃ દેવ, ગુરૂ, જ્ઞાન વગેરેનું બહુમાન અને ભક્તિ.
(૩) વૈયાવચ્ચ સંઘ, સાધુ આદિની સેવા... તેમાંય બાલક, વૃદ્ધ, ગ્લાન (માંદા), તપસ્વી આદિની વિશિષ્ટ સેવા કરવી. (૪) સ્વાધ્યાયઃ ધાર્મિક શાસ્ત્ર ભણવા, ભણાવવા, યાદ કરવા...
(૫) ધ્યાન : એકાગ્ર મનથી તીર્થંકરોની આજ્ઞા, કર્મના શુભ-અશુભ ફળ, રાગ-દ્વેષના નુકશાનો, લોકસ્થિતિ (વિશ્વનું સ્વરૂપ) વગેરેનું ચિંતન.
(૬) કાઉસગ્ગ (કાયોત્સર્ગ) : હાથ લંબાવી મૌનપણે ધ્યાનમાં સ્થિર ઉભા રહેવું.
આ બાર પ્રકારમાંથી ગમે તે તપ થાય તેટલા પ્રમાણમાં સેવવો (આચરવો), એનાથી અગણિત કર્મ-પુદ્ગલના જથ્થાના ભુક્કા ઉડે. કર્મ તોડવાના લક્ષ્યથી ઈચ્છાપૂર્વક જો તપ કરાય તો સકામ-નિર્જરા થાય અને બીજી, ત્રીજી લાલસાથી કે પરાધીનપણે કાયકષ્ટ વેઠવાનું કે ભૂખ્યા રહેવાનું થાય તો અકામનિર્જરા થાય. સકામ-નિર્જરામાં કર્મક્ષય ઘણો થાય અને સદ્ગતિ મળે.
૪૩
Page #46
--------------------------------------------------------------------------
________________
®®®®®®®®ल बंध ®®®®®®®®
लोह-अग्नि
600000
दूध - पानी
DOREMADRAMAD 99900000 छळछ®®ORE
Page #47
--------------------------------------------------------------------------
________________
ધ
જેમ કેદી દોરડાથી ઉપર-નીચે-વચમાં બંધાઈ જાય છે તેમ સંસારી જીવ સંપૂર્ણપણે ચારેબાજુથી કર્મથી બંધાય છે એટલે એને કાયાની કેદમાં (જેલમાં) પૂરાવું પડે છે, ચાર ગતિમાં ભમવું પડે છે. સારા ભાવથી પુણ્યકર્મ બંધાય (સોનાની બેડી) અને ખરાબ ભાવથી પાપકર્મ બંધાય (લોઢાની બેડી). બંને આત્માને સંસારમાં બાંધે છે.
લોઢાના ગોળાને તપાવતા અગ્નિ એકમેક થઈ જાય છે, દૂધમાં પાણી રેડતા બંને એકરૂપ થઈ જાય છે તેમ આત્મામાં કર્મ એકરૂપ થઈ જાય છે. કર્મ એકરૂપ થતાંની સાથે જ કર્મનો સ્વભાવ (પ્રકૃતિ - જીવ પર પડનારો પ્રભાવ) કાળ (સ્થિતિ-કેટલો સમય રહેશે?) તીવ્ર-મંદ રસ (તેની અસર કેટલી થશે?) અને પ્રમાણ (Quantity-જથ્થો-પ્રદેશ) નક્કી થઈ જાય છે. એને કર્મના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કહેવાય છે.
સુંઠ વગેરેનો (સૂંઠ, ગોળ, ઘી આદિ એકરૂપ કરીને) લાડુ બનાવ્યો હોય તો તેની પ્રકૃતિ (સ્વભાવ) જેમકે વાય (ગેસ) હરવાની, તેની સ્થિતિ - અમુક દિવસ સુધી ટકશે પછી બગડી જશે, એનો રસ તીખો, ગળ્યો અને તેમાં ૫૦-૧૦૦ ગ્રામ જેટલું પ્રમાણ - જથ્થો હોય છે.
ને એવી રીતે કર્મ બાંધતી વખતે કેવા ભાવથી કર્મ બાંધ્યું છે તેના આધારે કર્મના વિભાગ પડી જઈને કોઈની પ્રકૃતિ જ્ઞાનને રોકવાની, કોઈની શાતા- અશાતા (સુખ-દુઃખ) આપવાની તો કોઈની (રાગ-દ્વેષ મિથ્યાત્વ આદિ) મોહ કરાવવાની વગેરે પ્રકૃતિ નક્કી થાય છે તથા એમાં અમુક અમુક કર્મ-અણને ટકવાની અમુક કાલ-સ્થિતિ, તીવ્ર ચા મંદ રસ અને દરેક વિભાગમાં કર્મ-પુગલનો અમુક અમુક જથ્થો નક્કી થાય છે. કાળ પાકે ત્યારે (યોગ્ય સમય આવે ત્યારે) કર્મ તેવું-તેવું ફળ દેખાડે છે.
કર્મના સારા-નરસા ફળો ભોગવતા જીવ ગાંડો-ઘેલો થાય છે, અને ઈન્દ્રિયો, કષાયો, આરંભ, પરિગ્રહ વગેરે દ્વારા નવા નવા કર્મ બાંધે છે. પૂર્વકર્મ પણ એ જ રીતે બાંધેલા. આ ભાંજગડ (મથામણ) અનાદિકાલથી ચાલી આવે છે, એથી સંસાર અનાદિકાળથી ચાલે છે.
સારી ભાવના અને ધર્મસાધનામાં રહીએ તો કોઈ પાપ-કર્મ બંધાતા અટકે છે અને બાંધેલા કેટલાય પાપકર્મપુરમાં ફેરવાઈ જાય છે, કેટલાક પાપકર્મનો રસ ઘટી, પચકર્મનો રસ વધી જાય છે તો કેટલાક પાપકર્મ સર્વથા નાશ પામે છે. બધા જ પાપો સર્વથા નાશ પામે ત્યારે સંસારના જન્મ-મરણના ફેરાનો અંત આવે છે એટલે કે જીવ મોક્ષમાં જાય છે.
|| ૪૫ |
wanita
Page #48
--------------------------------------------------------------------------
________________
God - Hi,
-80 தே தே தே தே 20 28 280 28 28 88
Co
88 8 0 30 30 38 38 8 8 8 0 0
H
factiontney :லலில்tலே
2820233233 33 638
Page #49
--------------------------------------------------------------------------
________________
આસવનો ત્યાગ કરી સંવરનું આચરણ કરાય એટલે નવા કર્મ આવતા અટક્યા. નિર્જરાના ભેદોને આચરતા આચરતા જૂના કમી નાશ પામી જાય. પછી આત્મા સર્વકર્મથી રહિત બને એનું નામ મોક્ષ...
- જે કારણોથી સંસાર ચાલે છે કે લંબાય છે, તેનાથી વિરુદ્ધ કારણ સેવતાં સંસાર જરૂર અટકે અને મોક્ષ થાય, જેમ બહુ ઠંડા પવનથી શરદી લાગી હોય તે ગરમી સેવવાથી મટી સ્વસ્થતા મળે છે.
પરંતુ અનાદિકાળથી થયેલો આત્મા અને કર્મનો સંયોગ કેવી રીતે છૂટો પડે ? જેમ ખાણમાંથી નીકળેલું સોનું એની હયાતીથી માંડીને (પરાપૂર્વથી) માટી સાથે ભળેલું હોય છે છતાં તે એના પર ખાર, અગ્નિ વગેરે પ્રયોગથી ચોખ્ખ-સો ટચનું સોનું બને છે. તેમાં સમ્યકત્વ, સંયમ, જ્ઞાન, તપસ્યા વગેરેથી અનાદિથી મેલો કર્મથી ભરેલો આત્મા પણ તદ્દન શદ્ધ અને મુક્ત બને છે. કર્મના સંયોગથી સંસાર છે તો કર્મ દૂર થવાથી મોક્ષ થાય છે, પછી કદાપિ કર્મ બંધાય નહિ, સંસાર ઊભો થાય નહિ.'
સંસારમાં વારંવાર જન્મવું પડે, મરવું પડે, નરકમાં ય જવું પડે. કતરા, બિલાડા, ગીધડા, કીડા, કીડી-મંકોડા, ઝાડ-પાન, પૃથ્વી વગેરે કાંઈ કાંઈ થવું પડે. કેટલા દુ:ખ ! કેટલી ઘોર તકલીફ ! કેવું આત્માનં ભયંકર અપમાન ! સંસારમાં શરીર છે માટે ભૂખ લાગ, તરસે લાગે, રોગ આવે, શોક થાય, દરિદ્રતા, અપમાન, ગુલામી, વિટંબણા, ચિંતા, સંતાપ વગેરે દુઃખ, દુઃખ ને દુઃખ આવે.
મોક્ષમાં શરીરનું વળગણ જ હોતું નથી. એકલો અરૂપી શુદ્ધ આત્મા હોય છે, એટલે કોઈ દુઃખ નહિ. એકલું સુખ-અનહદ અનંત સુખ હોય છે. ત્યાં કોઈ શત્રુ નહિ, કોઈ જ રોગ નહિ, કોઈ ઉપાધિ નહિ, કોઈ ઈચ્છા જ નહિ માટે અનંત સુખ....
પ્રશ્ન - મોક્ષમાં ખાવા-પીવાનું, હરવા, ફરવાનું કે કશું કરવાનું નહિ તો સુખ શું ?
ઉત્તર - ખાવું પડે, પીવું પડે, કરવું પડે એ તો બધી ઉપાધિ છે. એ ભૂખ, તરસ, જરૂરિયાત વગેરેની પીડામાંથી જન્મે છે. મોક્ષમાં કોઈ પીડા જ નથી તો શા માટે ઉપાધિ હોય ? શા માટે તૈયાબળાપા હોય ? ત્યાં તો અનંત એવું કેવલજ્ઞાન છે. એ જ્ઞાનમાં આખું જગત રખાયા કરે...
અનંતા આત્મા મોક્ષમાં ગયા છે, એ સિદ્ધ ભગવંતો કહેવાય. કોટિ કોટિ નમસ્કાર એ સિદ્ધ ભગવંતોને...
પર કલીક કે જિત, સંતાપ વગેરે કોઈ દુખ નહિ.
૪૭
SE Day
Page #50
--------------------------------------------------------------------------
________________
Intere
चल शरीर
इंद्रियादि
सौभाग्य
दो
जन्म जीवन
Cat
जीव
स्थिति
STE SAVICE
Jain Education international
बदन
Sight
कृपारि
१०
१७
७
अजगर
तो नहीं तस्वी
પુસ્તકનો વીતેલો ભૂતકાળ
OF
मंदिर आज
A
A STA
१४
आश्रव
१८
for Prate & Pitapti Cius Onity
कषाय
विध्याय
अग्रव
योग क्रिया
प्रमाद
डा
काम
इन्द्रिय
मिथ्यात्व
जनत
योग
क्रिया
प्रमाद्
700
१५)
१६)
१४ राज लो
140
Chance
NEPA
Mara
१३
Page #51
--------------------------------------------------------------------------
________________
કંઠસ્થ કરવા યોગ્ય શુભ નામાવલી
૨૪ તીર્થકરોનાં નામો.
ن ن و
શ્રી ઋષભદેવ ૨. શ્રી અજિતનાથ ૩. શ્રી સંભવનાથા ૪. શ્રી અભિનંદન સ્વામી ૫. શ્રી સુમતિનાથા ૬. શ્રી પદ્મપ્રભ સ્વામી
શ્રી સુપાર્શ્વનાથ શ્રી ચન્દ્રપ્રભ સ્વામી શ્રી સુવિધિનાથ શ્રી શીતલનાથ
શ્રી શ્રેયાંસનાથ ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી
૧૩. શ્રી વિમલનાથ ૧૪. શ્રી અનન્તનાથ ૧૫ શ્રી ધર્મનાથ ૧૬ શ્રી શાન્તિનાથ ૧૦. શ્રી કુંથુનાથ ૧૮. શ્રી અરનાથ
૧૯. શ્રી મલ્લિનાથ ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૧. શ્રી નમિનાથ ૨૨. શ્રી નેમિનાથ ૨૩. શ્રી પાર્શ્વનાથ ૨૪. શ્રી મહાવીર સ્વામી
나 왜
અરિહંતના ૧૨ ગુણો ૧. અશોક વૃક્ષ ૩. દિવ્ય ધ્વનિ ૫. ત્રણ છત્રો ૭. ચામર ૯. અપાયાપગમાતિશય ૧૧. વચનાતિશય ૨. દેવકૃત પુષ્પવૃષ્ટિ ૪. દેવદુંદુભી ૬. ભામંડલ ૮. સિંહાસન ૧૦. જ્ઞાનાતિશય ૧૨. પૂજાતિશય ભગવાન મહાવીરના ૧૧ ગણધરો. શ્રી મહાવીર પ્રભુના નવપદી.
શ્રાવકના ૧૨ વાતો
૧. પ્રાણતિપાત વિરમણ વ્રત ૧૦ મહા શ્રાવકો. ૧. શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામી
પ ૧. અરિહંત
૨. મૃષાવાદ વિરમણ વ્રત
૧. આનન્દ ૨. શ્રી અગ્નિભૂતિ સ્વામી.
૨. સિદ્ધ
૩. અદત્તાદાન વિરમણ વ્રત ૨. કામદેવ શ્રી વાયુભૂતિ સ્વામી
૩. આચાર્ય
૪. ૩. ચુલની પિતા
સ્વદાર - સંતોષ શ્રી વ્યક્ત સ્વામી
૪. ઉપાધ્યાય
પરસ્ત્રીગમન વિરમણ વ્રત ૫. શ્રી સુધમ સ્વામી
૪. સુરાદેવ
૫. સાધુ ૫. પરિગ્રહ પરિમાણ વ્રત ૬. શ્રી મંડિત સ્વામી.
પ, ચુલ્લશતિક
૬. દર્શન ૬. દિગ - પરિમાણ વ્રતા શ્રી મર્યપુત્ર સ્વામી
૬. કુંડગોલિક
છે. જ્ઞાની
૭. ભોગોપભોગ વિરમણ ગુણ શ્રી અકંપિત સ્વામી
૭. સદાલપુત્ર
૮. ચારિત્ર
૮. અનર્થદંડ વિરમણ વ્રત વ્રત ૯. શ્રી અચલભ્રાતા સ્વામી
૮. મહાશતક
૯. તપ
૯. સામાયિક વ્રત ૧૦. શ્રી મેતાર્ય સ્વામી.
૯. નંદિનીપિતા
૧૦. દેશાવકાશિક વ્રત શિક્ષા ૧૧. શ્રી પ્રભાસ સ્વામી
૧૦.સાલિહીપિતા
૧૧. પૌષધોપવાસ વ્રત ૧૨ અતિથિ - સંવિભાગ
« i j j k $ $
૪
Jain Education infemational
For Privale & Personal use only
Page #52
--------------------------------------------------------------------------
________________ અક્ષરજ્ઞાન દ્વારા બાળકના જીવનના વિકાસની આધારશિલા બને છે બાળકની બાલપોથી. તત્ત્વના જ્ઞાન દ્વારા સહુના આત્મવિકાસની આધારશિલા બનશે આ શશ્ચિશ લવજ્ઞાળી, બાલોથી. $ જો જીવનની સાચી દિશાનું માર્ગદર્શન જોઈતું હોય, - 4 વિશ્વની વિચિત્રતાઓનો રહસ્યસ્ફોટ કરવો હોય, જ જુગજૂના-ઈશ્વર કોણ છે ? ક્યાં છે ? અને કેવા છે? તેવા પ્રશ્નોના સચોટ સમાધાન જોઈતા હોય ? જ સમગ્ર ધર્મનો સાર Short & Sweet રીતે માત્ર 20 પાનામાં તમારે મેળવવો હોય તો, આ પુસ્તકને તમારે વાંચવું જ રહ્યું... | ઉઠાવો પુસ્તક, ખોલો પાનું, આંખ પહોળી થઈ જશે, ચિત્ત પ્રસંન બની જશે... SIDDHACHAKRA GRAPHICS PHOTO For Private Personal Use Only