SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ભગવાન કહે છે - (૧) શરીર એ જીવ નથી, શરીરથી તદ્દન જુદો જીવ એક સ્વતંત્ર વ્યક્તિ (તત્ત્વ) છે. દા.ત. કોઈના શરીરમાં ભૂત હોય તેમ જીવ, શરીરમાં કેદ પૂરાયેલ છે. જીવ હાથને ઊંચો કરે, તો જ એ ઊંચો થાય (જુઓ ચિત્ર -૧) એક હાથ ઊંચો થયો છે, જ્યારે બીજો હાથ બિચારો એમ જ પડી રહ્યો છે. (૨) જીવ આજ-કાલનો નહિ, સદાનો હયાત છે, નિત્ય છે. ઝાડ, પાણી, કીડા, પશુ, પંખી વગેરે અનંતા શરીરોમાં કેદ પૂરાતો અને ત્યાંથી છૂટતો જીવ આજે અહીં આવ્યો છે. પાછો અહિંથી ઉપડી જવાનો....ક્યાં ? કર્મ લઈ જાય ત્યાં..... (ચિત્ર-૨). (૩) શરીરમાં કેદ પુરાવાનું કારણ - જીવે તેવા કર્મ કર્યા છે, જીવ સારા-નરસા કર્મનો કર્તા છે. હિંસા, અસત્ય, ચોરી, રંગરાગ, ધનસંગ્રહ, આરંભ, સમારંભ વગેરે પાપો કરી કર્મ બાંધે છે. જ્યાં સુધી કર્મ બાંધવાનું ચાલુ ત્યાં સુધી સંસારમાં ભટકવાનું ઉભું રહેવાનું (ચિત્ર-૩) (૪) જીવ કર્મનો ભોક્તા પણ છે. પોતાના કરેલા કર્મના ફળ જીવે પોતે જ ભોગવવા પડે છે. પોતાને સુખ-દુઃખ પોતાના જ કર્મથી મળે છે. પુચકર્મથી સુખ મળે અને પાપકર્મથી દુઃખ મળે. પુણ્યકર્મ ભોગવવા મનુષ્ય લોકમાં કે સ્વર્ગમાં અને પાપકર્મ ભોગવવા તિર્યંચ કે નરકમાં ય જવું પડે છે. (ચિત્ર-૪) (૫) કર્મના બંધનથી કાયમનો છૂટકારો પણ થઈ શકે છે. જેમકે જેલ આદિમાં બેડીના બંધનથી બંધાયેલો ક્યારેક કાયમીપણે મુક્ત થઈ શકે છે. બધા જ કર્મ સંપૂર્ણપણે તૂટે તો અવશ્ય મોક્ષ થાય, પછી કદાપિ કર્મ ન લાગે, સંસારમાં ભટકવું ન પડે, દેવ-નરક-મનષ્ય-તિર્યંચ આદિ. ચારગતિમાંથી એકેયમાં જન્મ-મરણાદિ દુઃખો ભોગવવા ન પડે. (ચિત્ર-૫) () મોક્ષ - કાયમ માટે સંસારથી છુટકારો અને અનંત જ્ઞાન-દર્શન, અનંત શક્તિ અને અનંતા આનંદથી ખીચોખીચ ભરેલ. આવો મોક્ષ મેળવવા માટે બધા જ કર્મોનો નાશ કરવો જોઈએ. તેના ઉપાયો ક્યા ? જે કારણોથી કર્મો બંધાયા તેનાથી વિપરીત કારણોથી અર્થાત્ જિનભક્તિ, તપસ્યા, વ્રત, નિયમ, દાન, સદાચાર, શાસ્ત્રશ્રવણ, અહિંસા, સત્ય, નીતિ, સામાયિક, પ્રતિક્રમણ, ચારિત્રપાલન, પાપપ્રાયશ્ચિત્ત આદિથી કર્મો તૂટે છે. ' આ છ સભ્યત્વના સ્થાનો કહેવાય છે. (૧) આત્મા છે. (૨) નિત્ય છે. (૩) કર્મનો કર્તા છે. (૪) કર્મનો ભોકતા છે. (૫) એનો મોક્ષ છે. (૬) મોક્ષના ઉપાય છે. www.jainelibrary.org
SR No.004988
Book TitleTattvagyan Balpothi Sachitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy