Page #1
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ
[ રસ ] જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈ પણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન હોય છતાં જ્યાં કોઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઈમારતની, સ્થાપત્યની, મૂર્તિની કે એવી કોઈ વિશેષતા આણી હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઊભાં થઈ જાય છે. ગામ અને શહેરે. ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે, બીજા જળાશય અને નાનામોટા પહાડ એ જ મોટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.
જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ કેટલાંક સુંદર તીર્થે ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્તાન કે પશ્ચિમ હિંદુસ્તાન, દક્ષિણ હિંદુસ્તાન કે ઉત્તર હિંદુસ્તાન–જ્યાં જાઓ ત્યાં જૈનેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડની ઉપર જ આવેલાં છે. માત્ર શ્વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંભર સંપ્રદાય સુધ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડોની જ છે. જયાં શ્વેતાંબરેને જરા પણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરનાં તીર્થો દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષનું મન કેવાં કેવાં સ્થાનમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતના સ્થાને પસંદ કરતા. વળી ભક્તવર્ગ છે કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાનોના વિકાસ ઉપરથી જાણી શકાય છે. ગમે તેટલું ભોગમય અને ધમાલિયું જીવન ગાળ્યા પછી પણ છેવટે, અથબ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક, માણસ આરામ અને આનંદ માટે ક્યાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દોડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ.
તીર્થોનું બધું તેજ અને મહત્વ એ આજે મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે. કોઈ જમાનામાં અને તે પણ ક્યાંક કાંઈક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોષ્ઠી ભલે રહી હોય, પણ આજે
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૦૬]
દર્શન અને ચિંતન તે કાશી જેવા એકાદ સ્થળને બાદ કરીએ તે તીર્થસ્થાનેમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તે એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનની પરિષદ હોય, વિચારની ગેષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તે બાજુએ રહી, પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાછવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય અને પિતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તે તપ અને કાં ને વિદ્યા અને કાં તે બન્ને ચેતના પૂરે છે; જ્યારે આજનાં આપણું તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધાં જ જાણે છે. મૂર્તિની માન્યતા અને પ્રાણીઓની પૂજા પછી મનુષ્યપૂજાએ જ્યારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે, ક્તાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વી જીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાન પુરુષના સંઘના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિ પ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબિત કરવાને પૂરતાં સાધન છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તે કેટલા પ્રમાણમાં અને કેવી, તે આપણે નથી જાણતા; પણ જૈન અને બૌદ્ધ સંઘની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિશે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષ તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ, દેવ-દાનવો અને કમળ તેમ જ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ. તેમ છતાં હજી પણ એનાં અવશે તે છે જ.
તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારને વિકાસ છે અને મૂર્તિ પ્રચારની સાથે જ મૃતિનિમણુકળા તેમ જ સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ અને જે મહકતા છે તે તીર્થસ્થાને અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભેગસ્થાનમાં સ્થાપત્ય આવ્યું છે ખરું, પણ તેનું મૂળ ધર્મસ્થાને અને તીર્થસ્થાનમાં જ છે.
જેનેનાં તીર્થો એ કાંઈ બે—પાંચ કે દશ નથી પણ સેંકડોની સંખ્યામાં, અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ, પરંતુ જ્યાં જાઓ ત્યાં
Page #3
--------------------------------------------------------------------------
________________
સાધુત સ્થા અને તીસ્થા તથા તેનો ઉપયોગ
[ ૪૦૦
ચારેતર મળી આવે છે. એ જ એક વખતના જૈન સમાજના વિસ્તારને પુરાવા છે. જૈન તીર્થીની ખાસ એક સંસ્થા જ છે, જોકે આજે શિખર અને શ્વેતાંબર એ એ ભાગમાં તે વહેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસો કાયમને માટે શકાયલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસભાળમાં અને ખીજી ખાખતામાં ખરચાય છે, અને એ તીર્થીની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરા અને સાચા ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી, છતાં અટકળથી ઓછામાં એન્ડ્રુ કહેવું હોય તો એમ કહી શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી એછા કાયમી માણસે નહિ હાય, અને જુદી જુદી અનેક બાબતોમાં પચાસ લાખથી ઓછો ખ થતા નહિ હોય. એ સંસ્થાની પાછળ કેટલીક જગ્યાએ જમીનદારી છે, બીજી પણ સ્થાવર-જંગમ મિલકત છે અને રેકડ નાણું, સાનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ધરમદા અને તદ્દન ખાનગી માલિકીનાં મશિને બાજુએ મૂકીએ તાપણ જેના ઉપર નાનામોટા સંધની માલિકી હાય, દેખરેખ ડ્રાય એવાં સધમાલિકીનાં મંદિરેશના નાનામોટા ભંડારા હોય છે. એ ભડારામાં નાણાનું ખાસ ભડાળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે, ફક્ત શ્વેતાંબરસંધની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછુ એક કરોડ જેટલું તે આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શંકા નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં, તેની સારસંભાળ રાખવામાં અને તે ભરખાઈ ન જાય તે. માટે ચાંપતા ઇલાજો લેવામાં જૈન સંઘે ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના ખીજા કાઈ પણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જૈન સંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચોખવટ તમે ભાગ્યે જ જોશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બીજે કયાંય ખર્ચાય નહિ, વેડફાય નહિ અને કાઈ એને ચાવી ન જાય એ માટે પણ જૈન સધે એક નૈતિક અને વ્યાવહારિક સુંદર વાતાવરણ ઊભું કર્યું` છે. જૈન બચ્ચા દેવદ્રવ્યની એક પણ કાડી, પાતાનાથી બને ત્યાં સુધી, પોતાના અંગત ભાગમાં વાપરવા કદી રાષ્ટ્ર કે તૈયાર હાતા નથી. એમ કરતાં એ, સસ્કારથી જ, બહુ ડરે છે; અને કાંઈક સામાજિક અધારણ પણ એવુ છે કે કાઈ એ દેવદ્રવ્ય પચાવ્યું એમ જાણ થતાં જ એની પાછળ સંધ અથવા સાધુએ પડે છે અને એ વ્યક્તિને જવાબ દેવા ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપાઈ જવાના કિસ્સા મળી આવે ખરા, પણ તે ન છૂટકે જ, અથવા જ્યારે હાથમાં બીજી કાઈ પણ બાજી ન રહી હોય
ત્યારે જ.
તીર્થ સંસ્થા સાથે મૂતિના, મંદિર, ભંડારનો અને સધ નીકળવાના
Page #4
--------------------------------------------------------------------------
________________
*૮ ]
દર્શન અને ચિંતન
એમ ચાર ભારે મનેરજ અને મહત્ત્વના ઇતિહાસ છે. લાકડા, ધાતુ અને પથ્થરે સ્મૃતિ અને દિશમાં કેવી કેવી રીતે, કયા કયા જમાનામાં, કેવા કેવા ભાગ ભજવ્યા, એક પછી બીજી અવસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારામાં અવ્યવસ્થા અને ગડ કેવી રીતે આવ્યાં અને તેની જગ્યાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ કેવી રીતે શરૂ થયાં, નજીકનાં અને દૂરનાં તીથીમાં હજારા અને લાખે! માણસાના સહ્યા યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામેા કરતા એ બધા ઇતિહાસ ભારે જાણવા જેવ હેવા છતાં આપણી આજની મર્યાદાની બહાર છે.
ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે તીર્થાં ઊભાં કર્યાં છે અને ત્યાં જવાને તથા તેની પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાને આપણા ઉદ્દેશ પણ એ જ છે, તેમ છતાં આજ આપણે તી સંસ્થા દ્વારા એ ઉદ્દેશ કેટલો સિદ્ધ કરીએ છીએ એ તમે જ વિચારો. શ્વેતાંબર, દિગ ંબર બન્ને ક્રિકાને આજે પોતાનું પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એકમાત્ર ધામ તીર્થં જ રહ્યાં છે. એમને મંઝિયારા બીજી કાઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઇ રહ્યો હોય અથવા ઝિયાર ન હેાવા છતાં મનિયારાપણાના ફાંસો ઊભા કરતા હોય તે તે માત્ર તીર્થાંમાં જ છે. પ્રસિદ્ધ એવું એક્ તીથ નથી કે જ્યાં બન્ને પક્ષના ઝડા ન હોય અને જેને માટે તેઓ કાર્ટે ન ચઢતા હોય. મારે જરા પણ તરફદારી કર્યાં સિવાય અને કાઈ પક્ષપાતના આરોપ મૂકે તે તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જ્યાં જ્યાં માત્ર દિગબાનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે શ્વેતાંબરે મઝિયાર કરવા ગયા નથી, જ્યારે દુ:ખની વાત એ છે કે દિગબરા એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર શ્વેતાંબરાનું આવિષય પહેલાં હતું અને હજી પણ છે એવાં તીર્થો સુધ્ધાંમાં તે, જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ, દખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. કારેક એક તે ચારેક બીજો પક્ષ જીતે છે. જીતનો આધાર પૈસા અને લડનારાની કુરાળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એક જ મુદ્દા પરત્વે એક પક્ષ આજે તા ખો પક્ષ કાલે જીત મેળવે છે, અને પોતાની જીતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને વધારે ખુશાલી ઊપજે છે. ખન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં એવા સફાર પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કાઈ પણ એક તીર્થંની તકરારના ફેંસલા પેાતાની વિરુદ્ધ થયા છે એમ સાંભ’ ળતાવેંત જ પોતાની અંગત મિલકત જવાના દુ:ખ કરતાં પણ વધારે
Page #5
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપગ
[ ૪૦૯ દુખ અને આધાત લેકે અનુભવે છે, અને એ દુઃખ અને આઘાતમાંથી પાછા ફરી લડવા લેકે લલચાય છે, નાણું ભરે છે અને બુદ્ધિ ખર્ચે છે. આ રીતે એકબીજાની વારાફરતી હારજીતનાં ચક્રે સતત ચાલ્યા કરે છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય છે. એ દળણ –આટાને ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતો. એને પૂરે ફાયદો તે. એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે.
શકે અને દણોને પછી મુસલમાનો આવ્યા. તેમણે જૈન મૂર્તિ અને મંદિર ઉપર હથોડા ચલાવ્યા. એમાંથી બચવા આપણે ફરમાને પણ મેળવ્યાં અને ક્યાંઈક ક્યાંઈક પરાક્રમો પણ કર્યા. આજે આપણે માનીએ છીએ કે આપણાં તીર્થો અને મંદિરે સુરક્ષિત છે. સાચે જ ઉપર ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું, કારણ કે અત્યારે કોઈ આપણાં મંદિરે કે મૂર્તિ સામે આંગળી ઉઠાવતાં પણ વિચાર કરે છે. તેમ છતાં જરાક ઊંડા ઊતરીને જોઈએ તે આપણને લાગશે કે આપણાં તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહેલાં કદી નહોતાં. કોઈ ગિઝની, કોઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગઝેબ આવતે તે તે કાંઈ ચારે ખૂણે ફરી નહેતે વળતા અને જ્યાં પહોંચતા ત્યાં પણ કોઈ ત્રણ સાઠ દિવસ કુહાડાઓ નહોતો ચલાવો. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખીતું પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરોને જલદી સમરાવી લેતા અને ફરી એવા આઘાતથી બચવા કુળ અને બળ વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી ધાર્મિક સ્વતંત્રતા સચવાવાનાં વચનોની વારંવાર રાજ્યકર્તાઓ તરફથી ઘોષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ કે હવે તે કોઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એક રીતે એ શાંતિ રાજ્યકર્તાઓએ અપ એ બદલ
ડે તેમને આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની ગાઠવણ જ એવી કરી છે કે તમે પિતાની મેળે જ પિતાનાં મૂર્તિ અને મંદિરે પર હથોડાઓ ઠેકે, કુહાડાએ મારે અને માથાં પણ ડો. બહારને કઈ તીર્થભંજક ન આવે એવી વ્યવસ્થા તો સરકાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે, પણ તમે પિતે જ પિતાના તીર્થભંજક થાએ અને ધરબારથી પણ બરબાદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી અટકાવવામાં સરકાર ધાર્મિક સ્વતંત્રતામાં દખલગીરી માને છે. એણે એવું તંત્ર ઊભું કર્યું છે કે તમે પોતે જ રાત અને દિવસ એકબીજાનાં મૂર્તિ અને મંદિરે તેયા કરે અને કહ્યા કરે કે આ રાજ્યતંત્રમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૧૦ ]
દર્શન અને ચિંતન. અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે! સીધી રીતે કઈ અમલદાર કે કાયદે તમને નથી કહે કે તમે તમારાં જ મંદિરે ઉપર હડા મારે, પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય વચનોની મેહની જ એવી છે કે તમે હંમેશાં એકબીજાનાં મૂર્તિ અને મંદિરે તોડ્યા કરે અને અંદરોઅંદર લડ્યા કરે. ક્યારેક જીતથી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હંમેશાં તમે લડવાને તૈયાર રહે એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન સમજવાથી જ આપણે પ્રીવીકાઉન્સિલ સુધી દેડીએ છીએ અને જાણે કેળવાયેલા ગણાતા સાંપ્રદાયિક વકીલેને એ સિવાય બીજું કામ જ ન હોય અથવા એ સિવાય એકે કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ જ ન મળવાની હોય, તેમ તેઓ આ દેશમાં અને વિલાયતમાં તીર્થોની લડાઈમાં પિતાની બધી જ શક્તિ ખર્ચા રહ્યા છે. આપણા દેશમાં સૌથી મોટા સત્યનો ઉપાસક પેદા થયો છે એમ તે વકીલે અને આગેવાન પૈસાદાર માને છે, છતાં તકરારને ચુકાદો એમને મન એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારે થવાનો સંભવ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્રનું સ્વરૂપ સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીસ વર્ષને તીર્થોની હારજીતનો ઈતિહાસ જે આપણે વાંચીએ અને અત્યારે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કોણ ચલાવે છે, કેમ પોષાય છે અને એના મૂળ વાંધાઓ શા છે એ જ જાણુંએ તે આપણને આપણું મૂર્ખતાના ભાન ઉપરાંત એ મૂર્ખતાનું પોષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાને પટ્ટો આપનાર, રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાંના કેઈ આ દૃષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે એ છે કે ઝનૂની મુસલમાનોના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયેલા નુકસાન કરતાં આ રાજ્યકાળ દરમ્યાન આપણે આપણા હાથે જ તીર્થરક્ષા નિમિત્તે તીર્થને અને તેના ઉદ્દેશને વધારે વંસ કર્યો છે, અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે અને વધારે એ નાશ કર્યો જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિત થાય છે તે એ છે કે અત્યારે જ આપણું તીર્થો વધારે જોખમમાં છે.
આ તે બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા ભારત આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસંસ્થા નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તેવાં જ્ઞાનની અનિવાર્ય જરૂર છે. કોઈ પણ જમાનામાં જૈન તીર્થે નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ
[૪૧૪ અનુભવી. અત્યારે તો બીજે કઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈથી કેટલાંક તીર્થસ્થાનમાં વિદ્યાલયે સારી રીતે નભી શકે. કેટલાંય આબુ જેવાં પ્રકૃતિરમણીય જૈન તીર્થો છે કે જ્યાં અંગ્રેજો અને બીજા લેકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણને ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે જૈનેને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે, જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે, બીજાનાં વિદ્યાધામો જોઈ રાજી થાય છે, પણ પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જેને કાશીમાં યાત્રાર્થે જાય છે, પણ કેઈને ત્યાંની વિદ્યાગણીની ખબર નથી, વિદ્વાનોની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. ત્યાંનાં વિદ્યાધામો કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી, કારણ કે એમણે પિતાનાં કોઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને ક૯૫ના એક જ છે અને તે એ કે તીર્થસ્થાનમાં મંદિર અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય? બીજું હોવાની શી જરૂર છે પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભક્તિ અને ઉદારતા જેવાં બળ દ્વારા સધાવી જ જોઈએ. જે વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હૈય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાને બ્રહ્મ-આદર્શ તેમની સામે હોય તે સમાજને આ તકરાર પાછળી. બળ ખર્ચવાની બહુ જ થેડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હોતો ત્યાં સુધી માણસ પોતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજ દેશધર્મ આપણને બે વાત શીખવે છે. એક તે આ રાજતંત્રને માયાવી રૂ૫ના ભંગ બની પોતાને જ હાથે પિતાનાં મૂર્તિ અને મંદિરને નાશ ન કરે અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખે.
તીર્થની લડાઈમાં જીતનાર પક્ષ માની લે છે કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજી વાર બીજો પક્ષ તેમ માને છે. પણ બન્ને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથપગ જેવાં અંગેને જ સાચવવા પ્રાણું પાથરે છે અને તેમાંથી ઊડી જતા આત્માને બચાવવા કેઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ, પણ તેમને આ હાથપગને બચાવવા પ્રયત્ન જ ઊલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જેના તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે જીત મેળવી એટલે તેણે હાથ બચા, બીજાએ જીત મેળવી એટલે તેણે
Page #8
--------------------------------------------------------------------------
________________
૪૧૨]
દર્શન અને ચિંતન પગ બચા, પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે; કારણ કે, હમણાં હમણાંની તીર્થની તાજી લડાઈએ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુધ્ધાં કરી ચૂક્યા છે અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર ફ્લેવર જ હોય તે હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી.
સાધુસંસ્થા જાણીને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા ભગવાન મહાવીરને તો આભારી છે, પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગામોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથ ના શિષ્યની વાત આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહતરેહના પ્રશ્નો કરે છે, પણ છેવટે એ પાશ્વપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્ય પરંપરામાં કાં તે સમાઈ જાય છે અને કાં તો તેમને કેટલેક સડેલો ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનને સાધુસંધ ન રૂપે જ ઊભો થાય છે, તે એક સંસ્થાના રૂપમાં ગેઠવાઈ જાય છે. તેના રહેણીકરણીના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમ ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તે એને શાસન કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં પણ નિયમ ઘડાય છે; નાનામોટા અધિકારીઓ નિમાય છે. એ બધાના કામોની મર્યાદા અંકાય છે. સંધસ્થવિર, ગચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, પ્રવર્તક, ગણી વગેરેની મર્યાદાઓ, અરસપરસના વ્યવહાર, કામના વિભાગે, એકબીજાની તકરારના ફેંસલાએ, એકબીજા ગુચછની અંદર કે એકબીજા ગુરની પાસે જવા-આવવાના, શીખવાના, આહાર વગેરેના નિયમેનું જે વર્ણન છેદસૂત્રોમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોને ડહાપણ વિશે માને ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ, પણ આજ કોઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણને અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને -સ્પષ્ટ લાગ્યું છે.
આ દેશના ચારે ખૂણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હેવાનું
Page #9
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસ્થા તથા તેનો ઉપયોગ
[૪૧૩ કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરે છે કે કેટલે ધટાડે થશે તેની ચોક્કસ વિગત આપણી પાસે નથી, છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી તે એ સંસ્થામાં ધટાડે નહેતા જ થે, કદાચ વધારે થયો હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંય ભિક્ષણીઓ જૈન સાધુસંધમાં હતી અને બીજા પરિવ્રાજક પંથોમાં પણ હતી, છતાં એટલું તો ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબૂત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઈચ્છતા. ન હતા, પણ તેમને છેવટે સાધુસંસ્થામાં એમણે સ્થાન આપવું પડ્યું. આ. તેમના પરિવર્તનમાં જૈન સાધુસંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે.
સાધસંસ્થા મૂળમાં હતી તે એક, પણ પછી અનેક કારણે તે વહેંચાતી. ગઈ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા બે મુખ્ય ભેદ પડ્યા. પછી, દરેક ભેદની અંદર બીજા અનેક નાનામોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયો, ચોમેર દેશમાં તેને વિસ્તાર તે ગયો અને નવનવી જાતિ તથા લોકે તેમાં દાખલ થતા ગયા તેમ તેમ સાધુસંસ્થા પણું વિસ્તરતી ગઈ અને મેર ફેલાતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી
અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછાવત્ત શિથિલાચારીને વર્ગ પણ થતું આવ્યું છે. પાસત્યા, કુસીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણને છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાનો પુરાવો છે. કયારેક એક રૂપમાં તે ક્યારેક બીજા રૂપમાં, પણ હંમેશાં આચારવિચારમાં મળે અને એયશન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યા છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પિતાના જીવન દ્વારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસીઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જેરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારકે અને જ્ઞાન, ત્યાગ તેમ જ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા હતા તેમના જ વંશજે બેચાર પેઢીમાં પાછા ખલનાઓ કરનારા થાય અને વળી કઈ એ ખલનાઓ સામે માથું ઊંચકનાર આવી ઊભો રહે. આ બગાડા સુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદો ઈતિહાસ તારવવો હોય તે તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૧૪ ]
દાન અને ચિંતન
સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર, તે ધ્યેયને ઉમેઘ્વાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે તે વનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવુ એટલે તેનાં બંધનો, તેનાં મળા, તેના વિક્ષેપો અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદારને એવા પદાર્થ પાડે શીખવ્યો છે કે જ્યાં સુધી પાતે પોતાનુ જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પોતે પેાતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે ખીજાને શી રીતે દોરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જો કાઈની દોરવણી કરવાની હાય તે પહેલાં, એટલે કે ખીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીનો સમય એ જ સાધનાનો સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને ખીજા લેાકાથી અલગપણું, કાઈ પણ સામાજિક કે ખીજી ખટપટમાં માથું ન મારવાપશુ, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમા—એ બધુ' યોજાયેલુ હતુ. જેમ કાઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઊંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગાંસખધીઓના ત્યાગની અને બીજી કેટલીક સગવડની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જૈન સાધુને માટે પણ છે, પરંતુ જેમ આજે ઉંમર થયા પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં કરાઓ અને કન્યા ખાપ કે મા ખની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પેાતાના વનની ઊંડી વિચારણા કર્યા વિના કે પાકી સ્થિરતા આણ્યા વિના જ માટે ભાગે સાવ ઉપદેશકના કામમાં પડી ગયા. એનું પરિણામ • સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તો નુકસાન જ થયું છે, જે સગવડ અને જે નિવૃત્તિનાં વિધાને જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઊડી જતાં કે ખસી જતાં -અથવા તેા અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડે અને એ નિવૃત્તિનાં સાધના તે જેમ તે તેમ સાધુસસ્થા માટે ઊભાં રહ્યાં; ઊલટુ ઘણીવાર તો એ સગવડા અને એ નિવૃત્તિનાં વિધાનમાં વધારા પણ થયા, અને ખીજી આજીથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાં તે તદ્દન બાજુએ જ રહી ગયું અથવા તો તદ્દન ગૌણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન સાધુસંધના ઇતિહાસમાં ગૃહસ્થા કે રાજાઓને શોભે તેવાં સાધના, સગવડા અને ભપકાએક સાધુની આસપાસ વીટળાયેલા જોઈ એ છીએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ
[૪૫ મૂળમાં તે રાજાઓને પ્રજાને એટલા માટે સેંપાયેલ કે તેઓ પિતાના ક્ષત્રિચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપાયેલું કે તેઓ તેને પિતાના તેજથી કાબૂમાં રાખે અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરને ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જે રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત અને બળસંપન્ન રહે તે આફત વખતે વધારે કામ આપે, એટલા માટે ટાઢતડકાથી બચાવવા છત્ર ચામરની
જના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યા અને કઈ પૂછનાર ન રહ્યું ત્યારે એ રાજાઓ લશ્કર, ખજાન, છત્રચામર વગેરેને પિતાનું જ માનવા લાગ્યા અને પિતાના અંગત સાધન તરીકે એને ઉપયોગ કરવા મંડ્યા. એટલું જ નહિ, પણ પિતાની આડે કેઈ આવે તે એ સાધનને ઉપયોગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા. પિતાનું પ્રજાપાલનનું એય તે બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સેંપવામાં આવેલ સગવડના ભેગમાં જ તેઓ પડી ગયા. જે વસ્તુ રાજાઓ માટે સાચી છે, મનુષ્યસ્વભાવના ઈતિહાસ પ્રમાણે, એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે યોજાયેલી સગવડો અને ઘડેલાં વિધાને જ તેમના હાથમાં રહ્યાં, અને એ સગવડના ભોગમાં અને એ વિધાનોના આચરણમાં જ તેમને સાધુપણું સમજાયું. બીજાઓ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુઓ ૫ણું લેકને એમ જ જાણે-અજાણે સમજાવતા ગયા.
પરંતુ એ ઉપરથી કોઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભોગી અને તદ્દન જડ બની ગઈ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પણ પાડ્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં અંતર્દષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ છે, છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણનો વિસ્તાર તે ગયે અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલે, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણ લેકવસતિમાં આવતે ગયે. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ જોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યો હોય, તે તેની સાથે જ તે સંસ્થાએ લેકેમાં કેટલાક પિતાના ખાસ ગુણ પણ દાખલ
Page #12
--------------------------------------------------------------------------
________________
૪૬ ]
દર્શન અને ચિંતન ક્ય છે, અને તેમ કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીઓ ભાત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પિતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તે એમની સાથે જ ગઈ, કારણ કે એમને પોતાના જીવનની યાદી બીજાઓને સેંપવાની કશી પડી જ ન હતી; પણ જેઓએ અંતર્દષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં અગર ઓછીવતી હોવા છતાં લેકકાર્યમાં પિતાના પ્રયત્નને ફાળે આપેલ હિતે તેની નોંધ તે આપણી સામે વજીલિપિમાં લખાયેલી છે. એકવાના. માંસભોજ અને મદ્યપાથી જનસમાજમાં જે માંસ અને મઘ તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધમ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું કે “ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જૈન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે. સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તે ચાલ્યા જ કરતું કે તેઓ જ્યાં જાય ત્યાં સાત વ્યસનના ત્યાગને શબ્દથી અને જીવનથી પદાર્થપાઠ શીખવે. માંસને તિરસ્કાર, દારૂની ઘણા
અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમ જ બ્રહ્મચર્યનું બહુમાન–આટલું વાતાવરણ લેમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાઓ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હતું તે તેમને અહિંસાને આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તે કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છોડાવવાનું કામ અવિછિન્નપણે સાધુસંસ્થા ચલાળે જતી. એની અસર ઝનૂની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાને પર પણ થયેલી છે, અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ અને જેને સાથે મુસલમાન પણ ઊભા. રહે છે. કેટલાંક મુસલમાની રાજ્ય અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની
–-ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમને પૂર્વજોએ બહુ જ કીમતી ઉપજાઉ ભૂમિ પી છે, અને શક્તિ હોય તે જેમાંથી ભારે પરિણામ નિપજાવી શકાય એવો મહત્તવને અલભ્ય વાર સે છે.
પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભતું અને સંતોષ માની લેવાતો તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફાર શરૂ થાય, બંધિયાર મકાને બદલે નદીના અને સમુદ્રના તટો જ સભાનું સ્થાન લે
Page #13
--------------------------------------------------------------------------
________________
સાધુસજ્યા અને તી સંસ્થા તથા તેના ઉપયોગ
[ ૪૧૭
એટલું લાકમાનસ વિશાળ અને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એના નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી શકાય જ નહિ. આજે સાધુસસ્થા આંધેલાં મકાનામાં છે. તેમની પાસે જનાર કુળધી જૈના જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે, જે લેાકા માંસ ખાય છે અને દારૂ છોડી શકતા નથી, તેવા તા સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસને ત્યાગ કરાવવાની અને કતલ થયેલ ઢોરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરને ત્યાગ કરાવવાની ભારે જરૂર ઊભી થઈ છે. આર્થિક અને નૈતિક અને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તે માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઊભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થા જેમ ખીન્ન સંપ્રદાયના તેમ જૈન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આહ્વાન કરે છે અને કહે છે કે ‘ તમે તમારું કામ સભાળા. દારૂત્યાગ કરાવવા જેવી બાબતમાં તે અમારે વિચાર કરવાપણુ હાય જ નહિ, એ તો તમારા. જીવનવ્યવસાય હતા અને તમારા પૂર્વજોએ એ વિશે ધણુ કર્યું હતું. તમે સંખ્યામાં ઘણા છે. વખત, લાગવગ અને ભાવના ઉપરાંત તમારું ત્યાગીવન એ કામ માટે પૂરતાં સાધન છે; એટલે તમે બીજું વધારે નહિ તે ફક્ત દારૂનિષેધનું કામ તા સંભાળી લે.’ આ મહાસભાની આજ્ઞા કહો કે, આમંત્રણ કહા) ધેાષણા છે. આ ઘેષણાને ઉત્તર જૈન સાધુસંસ્થા । આપે છે એના ઉપર જ એના તેજને અંતે એના જીવનનો આધાર છે.
ધણાં જૈન ભાઈબહેને અને ઘણીવાર સાધુએ પણ એમ કહે છે કે ‘આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. ખીજા પરદેશી આવનારાએએ અને મુસલમાનએ જૈન ધર્મને આધાત પહેાંચાડયો છે, પણ આ અંગ્રેજી રાજ્યથી તા જૈન ધર્મને આધાત પહેાંચ્યા નથી; ઊલટું તેને રક્ષણ મળ્યું છે.' લોકાની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈ એ. જૈન સાધુઓની ખરી મિલકત, ખરી સંપત્તિ અને ખરે વારસા તે એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દાત્યાગનું વાતાવરણ એ જ હતા, અને એ જ હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી સાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂતી જ બાબતમાં જોઈ એ કે એના ત્યાગના હજાર વર્ષોના વારસા ઉપર, આ રાજ્ય આવ્યા પછી શી અસર થઈ છે. જો વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુને એમ લાગે કે તેમના જનતાગત દારૂત્યાગના વારસા આ રાજ્ય આવ્યા પછી નષ્ટ અને નાબૂદ થવા લાગ્યા છે, તો પછી એમણે વિચારવું જોઈ શે કે આપણે જે જૈન ધર્મની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થમાં છે? મંદિર અને
૨૭
Page #14
--------------------------------------------------------------------------
________________
૪૧૮ ]
દર્શન અને ચિંતન મૂર્તિઓ ઉપર કુહાડાએ ન પડે, ભંડાર ન લૂંટાય, પણ જો હજારો વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ (જેને માટે જ મંદિરે, મૂર્તિઓ અને ભંડાર હતા) નાશ પામે, તે આપણે શી રીતે કહી શકીએ કે આપણે ધમ–આપણે ધાર્મિક વારસો–સલામત છે? કોઈ દુષ્ટ પુરુષ કેઈ બાઈનાં ધરેણાં, કીંમતી કપડાં અને તેનાં કોમળ અંગોને જરા પણ નુકસાન પહેચાડ્યા સિવાય જે તેની પવિત્રતાને નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાં તો તમે તમારા નૈતિક ગુણેમાં બરબાદ થાઓ, એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું તિક જીવન ભ્રષ્ટ કરે, અને કાં તે મંદિર, મૂર્તિ અને પ્રજાને મને સોંપી દો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળે. જે આ બેમાંથી એક જ માગણું પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તે તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાને સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને પ્રજાને બચાવી રાખો ? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે ? હું નથી ધારતે કે આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણું એક પણ જૈન સાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતા હોય. આપણા દેશના ઈતિહાસમાં એવા સેંકડો દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણોએ અને બીજાઓએ પોતાના પવિત્ર સંસ્કારે સાચવવા ખાતર બધી જ માલમિલકત, ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સેપ્યા છે. એમણે દીર્ધ દૃષ્ટિથી જોયું કે જે શબ્દ સંરકારે કાયમ હશે તે બહારની વિભૂતિઓ કાલે આવીને ઊભી રહેશે અને એ નહિ હોય તે પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલકાચાર્ય કઈ સ્કૂલ માલમિલકત માટે નહોતા લડ્યા, પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીમતી સપ્ત વ્યસનના ત્યાગને વારસે જોખમમાં છે; એટલું જ નહિ, પણ નાશના મુખમાં છે, અને ખાસ કરીને રાજતંત્રને લીધે જ એ વારસે જોખમાયેલ છે. એવી સ્થિતિમાં કોઈ પણ જૈન, ખાસ કરી સાધુગણ, આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ માની શકે ?
જે અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે ધાર્મિક સ્વતંત્રતાના મેહક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ,
Page #15
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપર
1 ૪૧૯ ઘેરઘેર સરલતાથી પહોંચી શકે એવી દારૂની પર અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓ દ્વારા સુંદર જૈન ધર્મના વારસાને મેર નાશ થઈ રહ્યો છે, તે પછી આજની સાધુસંસ્થાનો શો ઉપયોગ કરવો એ પ્રશ્નને નિકાલ તેઓ કરી શકશે. જૈન સાધુઓને સખ વ્યસનનો ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હોતું. એમની સામે આવનાર નાનકડાશા -વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્ય ક્ષેત્ર કાં તે પીઠા પાસે અને કાં તે પીનારાઓના લત્તાઓમાં ઊભું થાય છે. આજે દારૂ નિષેધની પ્રવૃત્તિમાં જે લોકો કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુએ વધારે સારી રીતે કામ કરી શકે એ દેખીતું છે. અલબત્ત, હવે માત્ર નરકનાં ચિત્ર બતાવીને કે કે સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય; એમાં સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઊભી થઈ છે. એ બધીને અભ્યાસ કરવાથી જૈન સાધુઓમાં જીવતું લેહી વહેશે અને તેમના ચહેરા તેજસ્વી બનશે.
કેટલાક કહેશે કે–સાધુઓ પાસે કોઈ આવે તે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તો સાધુઓ ખુશીથી અને છૂટથી સમજાવે, પણ સાધુઓ, જે પિતાના શાંત ભવનમાં જ કામ કરતા આવ્યા છે તેઓ, પીઠે કે પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર કયાં જાય? એ એમને ન શોભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઈતિહાસ જાણ્યું જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જૈન સાધુઓ તે રાજસભાઓમાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે. મોટા મોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે તથા લશ્કરની છાવણીઓમાં ગયા છે. સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લેકની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પિતાને ધર્મ વિસ્તાર્યો છે. શકિત ન હોવાનું, હિંમત ન હોવાનું કબૂલવું એ એક વાત છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઊભા થયેલાં બીજા કેટલાંય સાધુ-મર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજાએ મૂકીએ, તે પણ દારૂનિષેધની હિલચાલ એવી છે કે જે માટે પિતાના નૈતિક વારસાની દૃષ્ટિએ, સામાજિક ધર્મની દષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લૂણ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ.
કોઈ કહે છે કે – આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે તો એમને
Page #16
--------------------------------------------------------------------------
________________
૪૨૦ ]
દર્શન અને ચિંતન આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું છે એ સમજ જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચક્કસ બંધનમાં નથી હોતી, નથી રહી શકતી; ઊલટું ઘણીવાર તો તે ત્યાં ગૂંગળાઈ જાય છે. જે આધ્યાત્મિકતા જીવનમાં હોય અથવા સાચે જ લાવવી હેય તે તેને કોઈ પણ સાથે વિરોધ નથી. કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પિષી શકાય અને એ બધાંથી છૂટીને પણ ઘણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી તે આવે છે, એને કઈ બાહ્ય વસ્તુ સાથે વિરોધ નથી. અલબત્ત, આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈએ અને એની કૂચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષાર્થ અને પુરુષાર્થને વાત કરીએ છીએ. સપુરુષાર્થ કરે એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નોતરે ઊભી જ છે. લોકોને દારૂ પીતા છેડાવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છેડાવવામાં (અને તે પણ અહિંસા ને સત્ય દ્વારા) સપુરુષાર્થ નહિ તે બીજું શું છે? -~-એને જવાબ કેઈ આગમધર આપશે?
વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાલીસ વર્ષને સાધુસંસ્થાનો ઈતિહાસ આપણને ને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાને પુરાવે તેમાંથી કેટલું મળે છે? છેલ્લાં દશ વર્ષને જ લે. જે પક્ષાપક્ષી, કોટબાજી, ગાળગલેચ અને બીજી સંકુચિતતાએને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તે તો અનિચ્છાએ પણ કબૂલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એક બાજુ દેશહિતના કાર્યમાં કશે જ ફાળે નહિ અને બીજી બાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણું નહિ, એમ બંને રીતે દેવાળું કાઢીને કોઈ પણ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી હજાર વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લોકોમાં માનભેર રહેવા ખાતર પણ, આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચાર્યું જ છૂટકે છે.
કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામ છે કે જેને ત્યાગીગણ અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલો અને બીજા અમલદારે, જે સરકારી તંત્રના અન્યાયનું પોષણ કરી રહ્યા હોય, તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલીસો અને સિપાઈઓ, જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને
Page #17
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા તથા તીર્થસંસ્થા અને તેને ઉપયોગ
[૪૨૧
આ દેશમાં જ રહેવાના છે, તેઓ ફક્ત નજીવી નેકરી માટે અન્યાય ન કરે, જૂઠું ન બોલે, ખુશામત ન કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પિતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી. (૩) કેળવણુને સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજા પણ હિતકારી કામો છે, પરંતુ જે સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તે બીજાં કાર્યો અને ક્ષેત્રે એમને આપોઆપ સૂઝી આવશે અને મળી આવશે.
જે અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુઓ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પિતાનું સ્થાન વિચારી લે, પિતાને કાર્યપ્રદેશ કી લે, તે સહેજે ભળેલ આ તકને લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી શુદ્ધતાઓ ચાલી જાય, કલહે વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ તથા કાતે લાખોને ધુમાડે અટકે અને એટલું તે દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તે પહેલું જ રહેલું છે.
ઉપરનાં કર્તવ્યો કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે થેડી શક્તિવાળા ત્યાગીઓ એ જ કાને નાના ક્ષેત્રમાં પણ કરી શકે.
જોકે ખાસ પજુસણને પ્રસંગ હોઈ અને તેમાં પણ હાજર થયેલ જનતા મોટે ભાગે શ્વેતાંબર હોઈ મેં સાધુ શબ્દ વાપરે છે કે જે જેન સમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતું હોય તેમ સ્થૂળ રીતે લાગશે, પણ આ મારું કથન ભયોદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ, કે જે જૈન સમાજનો એક વગદાર ભાગ છે તે, તે મારા લક્ષ બહાર નથી જ. એ સમાજમાં આજે સાધુસંસ્થા શ્વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણું પાંચ-પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાને ઘણી સદીઓ થયાં અંત જ આવેલો છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકે, એલકે અને બ્રહ્મચારી તેમ જ પંડિતએ લીધેલી છે. એટલે એ બધાને લક્ષીને પણ આ કથન છે, કારણ કે શ્વેતાંબર સમાજને થંભ મનાતા સાધુઓની પેઠે જ દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેને વર્ગ થંભરૂપ મનાય છે અને એ પણ લગભગ સમાજ તેમ જ રાષ્ટ્રની દષ્ટિએ પક્ષઘાતગ્રસ્ત થઈ ગયેલ છે. શ્વેતાંબર છે કે દિગંબર, જેઓ પોતાને ધાર્મિક નહિ તે ઓછામાં ઓછું ધમપંથગામી
Page #18
--------------------------------------------------------------------------
________________ કરર 1. દર્શન અને ચિંતન ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન આંદોલનમાં પિતાનું સ્થાન વિચારી અંદરોઅંદરના ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે અને સ્થળ ચિમાં તેમજ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણામાંથી નહિ છૂટે તે બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ “આમિષાયાદી એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભગના ભેગવનારાઓ છે. છેવટે દેશની મહેનત-મજૂરી અને ભક્તિ ઉપર છવતા પચાસ લાખ જેટલા બાવા, ફકીરે અને સંતોને પણ જરા કહી દઈએ. મહાસભા લાખ ગમે સ્વયંસેવકે માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બિનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વિનાને હું જોઈએ. આ ગુણો ત્યાગીવર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે છે. જનતા એટલે તેમને ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે શાંત અને સુખી ગાદીઓ છેડી દે તો જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનાં તપ અને ત્યાગ હવે તેમના મઠોમાં કચરાઈ ગયાં છે. નાશ પામ્યાં છે. હવે તો એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે. છે, એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પિતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તો, એ. વામનપણું પણ મરણને શરણ છે. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1930