Page #1
--------------------------------------------------------------------------
________________
શ્વારા સાર # ૨
કર સેવકા
પાસ શંખ
ET.)
રાષRBA
.
- પ.પૂ, દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવશ્રી ગુણરત્નસુરીશ્વરજી મ. સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
શંખેશ્વરજીના અઠ્ઠમતપની વિધિ (૧) ૧૨ ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા, ૧૨ સાથિયા, ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ, ૨૦
માળા
(૨) ખમાસમણાનો દૂહો સકલપ્રસનસદા, શંખેશ્વર સુખકાર (૩) કાઉસગ્નની વિધિ
પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છા સંહિસહ ભગવત્ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કાઉસગ્ગ કરુ. ઈચ્છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધનાર્થે કરેમિકાઉસગ્ન વંદણવત્તિઓએ... અન્નત્ય બોલી ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ સાગરવર ગંભીરા
સુધી પછી પ્રગટ લોગસ્સબોલવો. (૪) પ્રભુપૂજા અને ત્રણ ટંકદેવવંદનકરવું. (૫) બનેટંકપ્રતિક્રમણ કરવું.
મંત્રજાપ:- ૐ હ્રીં શ્ર ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાયશ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (૪૫+૪૦+૪૦ અથવા ૪૦-૪૦+૪૫=૧૨૫ માળા ત્રણ દિવસમાં ગણવી. ૐ હું અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ (૧૨૫ માળા ત્રણ દિવસમાં)
પોષ દશમીની એકાસણાથી આરાધના (૧) માગસર વદ૯, ૧૦, ૧૧ આ ત્રણ દિવસ એકાસણા કરવા. (૨) તેમાં વદ૯ના દિવસે સાકરના પાણીનું ઠામચોવિહાર સાથે એકાસણું કરવું. (૩) વદ ૧૦ના રોજે ખીરનું એકાસણું ઠામચોવિહાર સાથે કરવું. (૪) વદ ૧૧ નારોજે ચાલુ તિવિહાર એકાસણું કરવુ. (૫) વદ ૯ અને વદ ૧૦ ના રોજે "ૐ હું શ્ર પાર્શ્વનાથ અહત નમઃ" ની ૨૦
નવકારવાળી ગણવી. વદ ૧૧ ના રોજે "ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ" ની ૨૦ નવકારવાલી
ગણવી. (૭) ત્રણે દિવસે શ્રી પાર્શ્વનાથ સ્વામી આરાધનાર્થ કાઉગ્ન કરું એ પદ બોલી
સાગર પર ગંભીરા સુધી ૧૨ લોગસ્સનો કાઉસ્સગ કરવો. (૮) દરરોજ ૧૨ ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા, ૧૨ સાથિયા કરવા. (૯) ત્રણ ટંકદેવવંદન અને બેટંકપ્રતિક્રમણ કરવા. (૧૦) દર મહીને વદ ૧૦ના એકાસણું તિવિહાર કરવું. અને ક્રિયા ઉપર મુજબ તે
દિવસે કરવી. (૧૧) આ આરાધના ૧૦વર્ષ ૧૦મહીના સુધી કરવાની છે.
Foresonal &
vate Use
Page #3
--------------------------------------------------------------------------
________________
સોરકર સે
પાસ એક
શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો સચિત્ર ઈતિહાસ
લેખક પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.
પ્રઠાશ8 જિનગુણ આરાધક ટ્રસ્ટ ૧૫૧ કીકા સ્ટ્રીટ, ગુલાલવાડી, મુંબઈ - ૪૦૦૦૪
ફોન : ૨૩૪૦૪૦૯૧, ૨૩૮૬૦૫૮૧ પ્રકાશન - ૨૦૦૫
મૂલ્ય : ૨૦/
સાદરભેટ પોષ દશમ નિમિત્તે તા. ૫-૬-૭ જાન્યુઆરીએ શંખેશ્વર મહાતીર્થમાં સામૂહિક અઠ્ઠમના તપસ્વિઓને વસા વસંતબેન વાડીલાલ પરિવાર ધોરાજીવાળા તરફથી મહેશભાઈ - પ્રકાશભાઈ - જયેન્દ્રભાઈ : રેખાબેન - મીનાબેન - વિભાબેન - કુંજ - રાજ
અમદાવાદ,
Jain Elation Internat
Pe USDOM
jaineletal or
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશદના બે બોલ
પુણ્યશાળીઓ !
આપ જાણો જ છે કે, પરમાત્મા પાર્થપ્રભુનો પ્રભાવ અજબગજબનો છે. તેમાં પણ વર્તમાનકાળમાં વીતરાગ શંખેશ્વરપાર્શ્વ પ્રભુનો મહિમા વિશેષ જોવામાં આવે છે. તે વીતરાગ પરમાત્માની વિશેષ ભક્તિ થાય, તેથી અહીં પોષદશમી આદિના સામુહિક અઠ્ઠમ, ઉપધાન, ચેત્રી ઓળી, દીક્ષા વગેરે ભવ્ય આયોજનો થાય છે. તેમજ લાખો યાત્રિકો આ તીર્થની યાત્રાએ આવે છે.
આવા પ્રગટપ્રભાવી શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુના ગયા વર્ષે સામુહિક અઠ્ઠમપ્રસંગે ત્રણ પ્રવચનો અપાયા હતા. તે કલમથી કંડારી મુખ્યતઃ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. અને ગોપી આર્ટીસ્ટે બનાવેલ, અને "ક્ષમાવતાર પાર્શ્વનાથ" સચિત્ર કલ્પસૂત્ર છાણી આદિના પુસ્તકમાંથી ચિત્રો સાભાર લેવામાં આવ્યા છે. આ પુસ્તક વાંચી વંચાવી પ્રભુભક્તિમાં રસિક બની સર્વે મોક્ષ પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા. ભગવાનની વાણીની વિરુધ્ધ કાંઈપણ લખવામાં આવ્યું હોય, તો મિચ્છામિ દુક્કડમ્.
- લિ. પ્રકાશક વિષયાત્મ ૧ શંખેશ્વર પાર્શ્વનાથની ઐતિહાસિકતા અને પ્રભાવ.. ૨ જીર્ણોદ્ધારના ઐતિહાસીક મળતાં અનુમાનો ૩ ભવયાત્રા(પાર્શ્વનાથ ભગવાનના સચિત્ર૧૦ ભવો) ૪. જિન જભ્યાજી જિણવેલા જનની ઘરે..... ૪ પોષ દશમીની કથા .. ૫ શંખેશ્વર પાર્શ્વનાથના ચૈત્યવંદન, સ્તવન, થોયો ................. ૬ તીર્થમાં સગવડતા
... (ટાઈટલ પેજ ૩) ૭ તીર્થમાં બીજા જિનાલયો ........................................(ટાઈટલ પેજ ૪)
: પ્રિન્ટીંગ: સિધ્ધચક્ર ગ્રાફિક્સ
એ/૧૧૫, પહેલોમાળ, બી.જી. ટાવર, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૪
Phone : (O) 25620579, (R) 26641223, (M) 9825264065 For Personal & Private Use Only
www.jainelibrary org
Page #5
--------------------------------------------------------------------------
________________
પાસ શંખેશ્વારા સારર સેવકા,
પ્રવચન ૧ શંખેશ્વર પાર્શ્વનાથની ઐતિહાસિકતા અને પ્રભાવ
नारका अपि मोदन्ते, यस्य कल्याणक पर्वसु |
पवित्रं तस्य चरित्रं, को वा वर्णयितुं क्षमः ||१|| જેમના ચ્યવન આદિ કલ્યાણકપર્વોમાં નરકના જીવો પણ આનંદ પામે છે, એવા પરમાત્મા તીર્થંકરના સર્વોત્કૃષ્ટ ચરિત્રનું વર્ણન કરવા માટે કોણ સમર્થ બની શકે છે? અર્થાત્ કોઈ પણ સમર્થ બની શકતા નથી. બધા જ અસમર્થ છે. છતાં કંઈકદિગ્દર્શન કરવા માટે શાસ્ત્રોમાં આપેલ વર્ણન અહીં જણાવવામાં આવે છે. અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંત ફરમાવે છે કે અનાદિ કાળથી જીવનો આ સંસાર ચાલે છે. કારણ કે અનંત પુદ્ગલ પરાવર્તથી જીવ જન્મમરણ કરતો આવ્યો છે.
એકપુગલપરાવર્તમાં અનંત કાલચક્ર હોય છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એક કાલચક્રમાં એક ઉત્સર્પિણી અને અવસર્પિણી હોય છે. દરેક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાલમાં ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ કાલ હોય છે. તેમાં ૨૪ તીર્થકરો થાય છે. આ ભરતક્ષેત્રમાં ગઈ ઉત્સર્પિણીના નવમા દામોદર તીર્થકરનું ચ્યવન શ્રાવણ વદ ૭મધ્યરાત્રિએ થયું. ત્યારબાદ તેમનો જન્મવૈશાખ વદ ૧૩ ની મધ્યરાત્રિએ થયો, ત્યારબાદ દીક્ષા વૈશાખ વદ ૧૪ ના રોજ થઈ અને પોષ સુદ ૯ના દિવસે ઘાતિ કર્મનો નાશ થવાથી પ્રભુને કેવળજ્ઞાન થયું.
ત્યારથી દામોદર પરમાત્મા અષ્ટ પ્રાતિહાર્ય આદિ શોભાથી યુક્ત બન્યા. દેવોએ સમવસરણની રચના કરી. ત્યાં પ્રભુએ સર્વજીવહિતકર ધર્મતીર્થની સ્થાપના કરી. જેથી જીવો મુક્તિમાર્ગપામે અને અનંત દુઃખમય સંસારમાંથી છુટકારો મેળવો.
મહાવીર સ્વામી
એક દિવસ સમવસરણમાં આષાઢી | શ્રાવકે દામોદર તીર્થંકર પ્રભુને
સમવસરણમાં દામોદર તીર્થકર ભગવાનની
આષાઢી પ્રશ્ન પુછે છે.
Jain duca on Internal ona
Fer Persyal Ponte Use
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂછયું કે મારી મુક્તિ ક્યારે થશે? કોના શાસનમાં થશે? ચરમાવર્તમાં આવેલ સમકિતી આત્માઓને મુક્તિ મેળવવાની તાલાવેલી હોય છે. તેમના દિલમાં મોક્ષનો વિચાર ઘોળાતો હોય છે. તેથી જ્યારે જ્યારે કેવલજ્ઞાની પરમાત્મા મળે, તો પૂછે કે મારું ભવભ્રમણ ક્યારે મટશે? મારો મોક્ષ ક્યારે થશે? એ સિવાય તેવા આત્માઓને ભૌતિક સમૃદદ્ધિ અંગે કશું પૂછવાનું મન જ ન થાય.
જેમકે રામચંદ્રજીએ પણ જયભૂષણ કેવલજ્ઞાની મુનિને આવા પ્રકારના પ્રશ્નો પૂછયા હતા.
દામોદર તીર્થંકર પ્રભુએ આષાઢી શ્રાવકને જણાવ્યું કે અવસર્પિણી કાલની આવતી ચોવીશીમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના ગણધર બનીને તમે મોક્ષે જશો. કલ્પસૂત્રમાં પાર્થ પ્રભુના આર્યઘોષ ગણધર મતાન્તરે મહાગુણી વિજય ગણધર થયા. એવું સ્પષ્ટ વિધાન આવે છે. તે વખતે પાર્થપ્રભુનો આત્મા સમ્યકત્વ પણ પામ્યો નહોતો, કારણ કે લગભગ ૧૮ કોડાકોડી સાગરોપમ પછી પાર્થપ્રભુ થવાના હતા અને પાર્થપ્રભુના ૧૦ ભવનો કુલ કાલ તો થોડા જ સાગરોપમ છે, છતાં પાર્થપ્રભુના ગણધર થવાનું અને તેમના શાસનમાં મોક્ષમાં જવાનું જાણી આષાઢીના હૃદય સાગરમાં ભાવોની ભરતી આવી. પાર્થપ્રભુની કૃપા વરસશે અને હું તેમનો ગણધર બનીશ, મોક્ષ પામીશ. તેથી પાર્થપ્રભુની આરાધનાહમણાંથી શરુ કરી દઉં. પ્રભુપાર્શ્વનાથનું નામસ્મરણ અને પરમાત્માની પ્રતિમાનું પૂજન આ બે આરાધના કરવાનો નિર્ણય કર્યો. તેથી તેણે દામોદરતીર્થકર પ્રભુના કહેવા પ્રમાણે પાર્શ્વપ્રભુની પ્રતિમાનું નિર્માણ કરાવી, શુભમુહૂર્તમાં જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. પ્રભુપૂજા કરતાં કરતાં વૈરાગ્યભાવમાં અભિવૃદ્ધિ થતાં આષાઢી ચારિત્ર લઈ નિરતિચાર પાલન કરીને છેલ્લે અનશન કરી વૈમાનિક દેવ બન્યા. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને તે પાર્શ્વપ્રતિમા વૈમાનિક દેવલોકમાં લઈ ગયા. સ્થાપના તીર્થંકર પરમાત્માનું કેટલું મહત્વ છે? તે આ ઘટના ઉપરથી સમજી શકાય છે. ત્યારબાદ આ પ્રતિમા જ્યોતિષ દેવના સૂર્ય વિમાનમાં, ચંદ્રવિમાનમાં, ૧૦માં, ૧૨મા દેવલોક વગેરેમાં પૂજાતાં વચ્ચે વચ્ચે પૃથ્વી પર નમિ- વિનમી આદિથી પૂજાતી રહી.
For Personal Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
છેવટે અસુરનિકાયના નાગેન્દ્ર ધરણેન્દ્ર અને પદ્માવતીના આવાસમાં પરમાત્માની પ્રતિમા ઘણા સમયથી પૂજાતી હતી. પ્રભુ પ્રતિમા શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે કેવી રીતે પ્રસિદ્ધિ પામી ?
નેમિનાથ પ્રભુ ગૃહસ્થાવાસમાં હતા, ત્યારે વઢિયાર દેશમાં સરસ્વતી નદીના કિનારે શ્રી કૃષ્ણજી અને જરાસંઘનું ભયંકર યુદ્ધ થયું. એ વાસુદેવ અને પ્રતિવાસુદેવનું નિર્ણાયકયુદ્ધ હતું.
ઔચિત્ય આદિના કારણે નેમિનાથ પ્રભુ પણ યુદ્ધમાં પધાર્યા. જરાસંઘે આવે શમાં આવીને શ્રીકૃષ્ણજીના સૈન્ય ઉપર
જરાવિદ્યા નાંખી દીધી. . જરાસંઘ કૃષ્ણજીના સૈન્ય ઉપર જરાંવિધા નાંખે છે. તેથી શ્રીકૃષ્ણજીના બધા સૈનિકો વૃધ્ધ જેવા નિઃસત્વ થઈ ગયા. હતવીર્ય બનેલા સૈનિકો બધા ઘરડા ભાસવા લાગ્યા. તેમના હાથમાંથી હથિયારો હેઠા પડવા લાગ્યા. તેથી શ્રીકૃષ્ણજી શોકસાગરમાં ડુબી ગયા. ત્યારે ત્યાં રહેલા નેમિનાથ પ્રભુએ તેમનું આર્તધ્યાન દૂર કરવા પોતે આશ્વાસન આપતાં શ્રી કૃષ્ણજીને કહ્યું કે "ગભરાવવાની કોઈ જરૂર નથી. નિરવદ્ય ઉપાયરૂપે તમે અઠ્ઠમતપ કરીને આષાઢીશ્રાવકે ભરાવેલી પાર્શ્વપ્રતિમા પદ્માવતીદેવી પાસેથી પ્રાપ્ત કરો. તેમનું સ્નાત્ર જલ સૈન્ય ઉપર છાંટશો, તો આ જરા દૂર થઈ જશે, જરાવિદ્યા નાશ પામી જશે, તેની કશી અસર નહિ રહે. બધા સૈનિકોનું વૃધ્ધત્વ સમાપ્ત થઈ જશે. યુવાની ઝળહળવા માંડશે."
કૃષ્ણજી અમારીને જાપ કરે છે. પદ્માવતી દેવી પાથપ્રભુની પ્રતિમા લઈ આવે છે,
શ્રી કૃષ્ણજીએ મહા માંગલિક અઠ્ઠમતપ કર્યો. યુદ્ધનો મોરચો નેમિનાથ પ્રભુ અને બલદેવજીએ સંભાળી લીધો. તેમાં શત્રુસૈન્યમાં કોઈનું મૃત્યુથવાનદીધું.
For Personal & Private Use Only
www.jajnelibrary.org
Page #8
--------------------------------------------------------------------------
________________
પદ્માવતીએ આવીને શ્રીકૃષ્ણજીને પૂછયું "બોલો શું જોઈએ છે?" શ્રી કૃષ્ણજીએ આષાઢી શ્રાવકે ભરાવેલ પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમાની માંગણી કરી. તરત જ પદ્માવતી નાગલોકમાં જઈ ત્યાંથી પ્રભુ પ્રતિમા લઈ આવીને શ્રી કૃષ્ણજીને આપી. | શ્રી કૃષ્ણજીએ સ્નાત્ર મહોત્સવ કર્યો. તેનું સ્નાત્રજલ સૈન્ય ઉપર છાંટયું કે, તે તરત જ જરાવિદ્યા નાશ થઈ ગઈ અને સૈનિકો જાણે આળસ મરડીને સજ્જ થયા હોય, તેમ યુવાનીમાં ઝળકવા માંડયા. સજ્જ થયેલા સૈનિકો જરાસંઘના સૈન્ય ઉપર તૂટી પડયા, તે જોઈ જરાસંઘે પોતાનું છેલ્લુશસ્ત્ર સુદર્શનચક્ર શ્રી કૃષ્ણજી ઉપર છોડયું. પરંતુ તે ચક્ર શ્રી કૃષ્ણજીને ત્રણ પ્રદક્ષિણા આપી તેમના હાથમાં આવી ગયું. શ્રી કૃષ્ણજીએ તે જ ચક્રથી જરાસંઘ ઉપર પ્રહાર કર્યો. તેથી તેનું મૃત્યુ થયું. શ્રીકૃષ્ણજીનો વિજય થયો. તેથી કૃષ્ણજીએ શંખ વગાડયો.
શંખનાદ થવાથી નેમિનાથ પ્રભુના કહેવાથી કૃષ્ણજીએ તે સ્થાને શંખપુર ગામ વસાવ્યું. ત્યાં
જિનાલયમાં પાર્થપ્રભુને કૃષ્ણજી શંખનાદ કરે છે.
પ્રતિષ્ઠિત કર્યા. ત્યારથી
પ્રભુની પ્રતિમા શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધિ પામી છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુની કેટલીક પ્રતિમાઓ "ગુણના માધ્યમથી" કેટલીક ગામના માધ્યમથી અને કેટલીક આકૃતિ આદિથી ઓળખાય છે. દાખલા
તરીકે.
(૧) ચિન્તામણી પાર્શ્વનાથ, વિનહર પાર્શ્વનાથ, ઉવસગ્ગહરં પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ વગેરે પ્રભુના ગુણના માધ્યમથી ઓળખાય છે.
For Personal & Private Use Only
www jair elibrary.org શ્રી વિનહંરા પાર્ટનાયા
Page #9
--------------------------------------------------------------------------
________________
(૨) જીરાવલા પાર્શ્વનાથ, ભીલડી પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ શંખેશ્વર પાર્શ્વનાથ વગેરે ગામના માધ્યમથી ઓળખાય છે.
કરાવેલા પાકાય
(૩) સહસ્ત્રફણા પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ વગેરે પ્રતિમાઆકૃતિ આદિથી ઓળખાય છે.
ત્યારબાદ લગભગ ૮૭,000 વર્ષ સુધી આ શંખેશ્વર પ્રભુજી પૃથ્વી ઉપર આજ સુધી અખંડપણે પૂજાઈ રહ્યા છે. તે દરમ્યાન જિનમંદિરના અનેક જીર્ણોદ્ધાર થયા છે.
શ્રી Aિતી , પED નાણ
જિર્ણોદ્ધારના ઐતિહાસિક મળતાં અનુમાનો ૧) વિ. સં. ૧૧૫૦થી ૧૧૯૯ ના કાળમાં સોલંકી રાજાઓ ગુજરાતમાં
રાજ્ય કરતાં હતાં. તેમાં સિદ્ધારાજ જયસિંહ રાજાના દંડનાયક સજ્જન મંત્રીએ પ.પૂ. આ. દેવચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના પ.પૂ. આ. હેમચંદ્રસૂરીશ્વરજી ના ઉપદેશથી જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિષ્ઠા
કરાવી છે. આવું એક ઐતિહાસિક અનુમાન થાય છે. ૨) વિ. સં. ૧ ૨૮૬ પછી શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. ના ઉપદેશથી
વસ્તુપાલ તેજપાલે જીર્ણોદ્ધાર કરાવી બાવન જીનાલય બનાવ્યું. ૩) ચૌદમી સદીના પ્રારંભમાં ઝંઝુપુરનગરના દુર્જનશબ્દ રાજાએ
જિર્ણોદ્ધાર કરાવ્યો. ( ૪) ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં મુસલમાન રાજાઓના આક્રમણો થયા.
તેમાં આ મંદિરનો ધ્વંસ થયો. પણ આ પ્રતિમાજી જમીનમાં સંતાડી | દેવાયા હતા.
એકદંત કથા a રોજ એક ગાયખાડાપાસે દુધ ઝરી જતી હતી. ગાયના માલિકે તપાસણા aroog
Jain Education Internative
Page #10
--------------------------------------------------------------------------
________________
7c
કરતાં જાણ્યું કે અહીં ચમત્કારિક તત્વ હશે. તેથી ત્યાં ખાડો ખોદ્યો. તેમાંથી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રકટ થયા. ત્યારબાદ પ. પૂ. આ. સેનસૂરીશ્વરજી મ.સા. ને સમાચાર મળતાં તેમના ઉપદેશથી જીન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. બાવન જિનાલય તૈયાર થવાથી વિજયસેન સૂરીશ્વરજી મ.સા. ના
શુભહસ્તે પ્રતિષ્ઠા થઈ. ૫) ફરીથી મુંજપુર લુંટીને પાછા વળતાં મુસ્લિમ સુબાના સૈનિકોએ મંદિર
ધ્વસ્ત કર્યું. પણ અગમચેતી વાપરી પ્રભુ પ્રતિમાને સુરક્ષિત સ્થાને પધરાવી દીધી.
જિનમંદિરના ખંડિયારો મુખ્ય દરવાજાની જમણી બાજુમાં હમણાં પણ છે. ચોકીદારને કહીએ તો યાત્રિકોને બતાવે છે.
૬) ત્યારબાદ ૧૭૬૦ ની આસપાસ પુનઃ જિન મંદિર બન્યું અને પ્રતિષ્ઠા
થઈ તેમાં મૂળ ગભારામાં શંખેશ્વર પાર્શ્વનાથ, ડાબી બાજુમાં અજિતનાથ અને જમણી બાજુમાં ભીડભંજન પાર્શ્વનાથ તેમજ બીજી દેહરીઓમાં જુદા જુદા પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યા. ૭) વિ. સં. ૧૯૬૭મહા સુદ
૫ ના રોજ મૂલનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભીડભંજન ગભારાની ૩ મૂતિઓ અને બીજા નંબરે પદ્માવતી મૂર્તિએ પાંચ સિવાય બધી દેરિયોમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી મહા સુદ ૫ ના રોજ વર્ષગાંઠ તરીકે તમામ ગભારાઓ ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે. આપણા પુણ્યોદયથી આપણને મહાપ્રભાવિક શંખેશ્વર પાર્શ્વનાથ મળી ગયા છે.
or Personal 6 Private Use Only
www.jainetes
Page #11
--------------------------------------------------------------------------
________________
- પાર્થપ્રભુએ હવે પછી કહેવામાં આવનાર પોતાના દસ પૂર્વ ભવ દરમ્યાન ૬-૬ ભવોમાં (મરૂભૂતિ, હાથી, કિરણવેગ, વજનાભ, સુવર્ણબાહુ, પાર્શ્વકુમાર ભવમાં) ભયંકર ઉપદ્રવ કરનાર કમઠ પ્રત્યે એક ભવમાં પણ દ્વેષ ન કર્યો. અરે ભયંકર અપકાર કરનારને પણ ૧૦માં ભવમાં સમ્યગદર્શન આપીને મહાન સુખી કરી દીધો. કહેવાય છે. કે "હિંસકા અપિ ઉપકૃતાઃ" એટલે કે ભયંકર ત્રાસ આપનાર કમઠ ઉપર પણ ઉપકાર કર્યો છે. આપરમાત્માની અનોખી ખૂબી છે. ' અરે! છેલ્લા ભવમાં મેઘમાલી દેવબનેલા કમઠે નાસિકા સુધી પાણી વરસાવ્યું અને ધરણેન્દ્ર પ્રભુને ઉચકીને પ્રભુ ભક્તિ કરી છે. છતાં પ્રભુએ ધરણેન્દ્ર પર રાગ કેકમઠપ્રત્યે દ્વેષ નહોતો કર્યો. આવો અનુપમ સમતાભાવ રાખ્યો છે. આવા પાર્થપ્રભુની આરાધના આપણા જેવા જીવોને જરૂર આ ભવમાં અને પરભવમાં સમાધિ, શાંતિ અને મોક્ષ આપશે. એવો પ્રભુનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ અને ચમત્કાર છે. તેથી ભવરોગ ચાલ્યો જશે.
એટલું જ નહિ શંખેશ્વર પાર્થપ્રભુની આરાધનાથી જબરદસ્ત કર્મ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, જો કે પોતે રાગી દ્વેષી દેવની જેમ ચમત્કાર સર્જતા નથી. પરંતુ તે જીવોની આરાધનાના તેવા પુણ્યથી તેમના અધિષ્ઠાયકો અનેકદ્રવ્યચમત્કારો પણ સર્જે છે.
જેમ ચિંતામણિરત્ન પોતે અચેતન હોવાથી તેના અધિષ્ઠાયક દેવોથી સર્જાતા ચમત્કારો ચિંતામણી રત્નના જ કહેવાય છે, તેમ મુખ્ય રૂપે તેમાં પાર્થ પરમાત્માની શુદ્ધભાવે કરેલી આરાધના હોવાથી તે પાર્થ પ્રભુના જ કહેવાય છે. ૧) લગભગ ૭00 વર્ષ પૂર્વે ૫૦૦ આયંબિલની અખંડ આરાધના
કરનાર વર્ધમાનસૂરીશ્વરજી મ.સાસંઘ સાથે જતાં અંતિમ સમયે 'શરીર ક્ષીણ થતાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વંદન કરવાની ભાવનાથી રસ્તામાંજ કાલધર્મ પામ્યા. અને તેઓ પણ ધરણેન્દ્રની જેમ પ્રભુના અધિષ્ઠાયક દેવબન્યા છે. તેથી તેઓ પ્રભુ ભક્તોને સહાય કરે છે. ચૌદમી સદીમાં ઢાલા રાજપૂત રાણા દૂર્જનશલ્યનો શંખેશ્વર પાર્શ્વપ્રભુની આરાધનાથી દ્રવ્યરોગ કોઢ ચાલ્યો ગયો. ત્યાર પછી
For Personal Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
દાદાના ઉપકારની સ્મૃતિમાં દાદાના દેરાસરનો પુનરુદ્ધાર કરાવ્યો. ૩) નાગપુરનો સુભટ નામે શ્રાવક પરિવાર સહિત શંખેશ્વર મહાતીર્થની
યાત્રા માટે નીકળ્યો હતો. પોતાને ઉપયોગી સામગ્રી સહિત પૂજનાદિની સામગ્રી સહિત બળદ ગાડાઓમાં ભરી દીધી. ચાલતાં ચાલતાં એક રાત્રે ચોરોએ ગાડાઓને બધી સામગ્રી લૂંટી લીધી અને ભાગી ગયા. સુભટ શ્રાવક ગમે તેમકરી ગુજરાન ચલાવતાં શંખેશ્વરતીર્થે પહોંચ્યા. શંખેશ્વર દાદાની સ્તુતિ બોલતાં બોલતાં તેમાં લીન બની ગયો. એટલામાં તેમના પુત્રે આવીને સમાચાર આપ્યા કે આપણી બધી સામગ્રી ગાડામાં આવી ગઈ છે. સુભટ શ્રાવકે ધામધૂમથી પૂજા કરી. હૃદયમાં શંખેશ્વર પ્રભુને બિરાજમાન કરી દીધા. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ વિ. સં. ૧૭૫૦ માં શંખેશ્વર પાર્શ્વપ્રતિમા ઉપર ઠાકોર પોતાનો કજ્જો જમાવી રાખ્યો હતો. સોનાની એક ગીની લીધા વગર કોઈને દર્શન કરવા નહોતો દેતો. પ્રભુની મંજુષા બંધ રહેતી. ઉપાધ્યાયજી ઉદયરત્નજી મ.સા. સંઘ લઈને આવ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે આજે દાદાના દર્શન કર્યા પછી જ આહારપાણી લઈશ. ઠાકોર અને પૂજારીને સમજાવવા પ્રયત્ન કર્યો. પણ તેઓએ મચક ન આપી. તે વખતે ઉપાધ્યાયજી પ્રભુ ધ્યાનમાં લીન બનીને છંદની રચના કરવા લાગ્યા, "પાસ શંખેશ્વરા, સારકર સેવકા, દેવકાં એવડી વાર લાગે" ઈત્યાદિ બોલતાં બોલતાં દરવાજા ઉઘડી ગયા, પછી તો ઠાકોરે વિશાળ દેરાસર શ્રી સંઘને સોપી દીધું અને શંખેશ્વર પાર્થપ્રભુનો ઉપાસક બન્યો. ચાણસ્મા ગામના પટેલભાઈને શ્રી શંખેશ્વર દાદા પર અપાર શ્રધ્ધાના વૃદ્ધાવસ્થામાં આંખે મોતીયો આવ્યો. શંખેશ્વર તીર્થની યાત્રા કરવાની ભાવના આ પટેલ ભાઈને થઈ. પુત્રોને કીધુ કે મોતીયાનું ઓપરેશન પછી કરાવજો. સૌપ્રથમ મને શંખેશ્વર પ્રભુ દાદાના દર્શન
For Personel & date
e Omy
Page #13
--------------------------------------------------------------------------
________________
કરવા લઈ જાઓ. આ વાતનો સ્વીકાર કરી પુત્રો પિતાને શંખેશ્વર તીર્થની યાત્રાર્થે લઈ ગયા. શંખેશ્વરદાદા આગલ પિતાને ઉભા રાખી પુત્રોઓએ કીધું કે તમારી સામે દાદા છે, હાથ જોડો, પ્રભુ પ્રેમી પિતાને મનમાં વિચાર આવ્યો કે જ્યારે આંખ સારી હતી, ત્યારે પ્રભુ દર્શન ધરાઈને કર્યા નથી. હવે પ્રભુના દર્શન કરવાની તક નથી. આ વિચારે દુઃખી થઈ આંખોથી અશ્રુધારા વહી નીકળી તે અશ્રુ ધારાવાટે અનેક જન્મોના પાપો સાથે મોતીયો પણ રુમાલમાં આવી ગયો. જન્મ અર્જન હતો, છતાં કેવી દાદા પર શ્રદ્ધા અને કેવો દાદાનો પ્રભાવ....! આ પાર્થપ્રભુના પ્રતાપે કોઈના આંખના મોતિયા ચાલ્યા ગયા, તો કોઈના ભયંકર સંકટો શાંત પડી ગયા, તો કોઈકના સંકટ સમાપ્ત થઈ ગયા. માર્ગ ભૂલેલા કેટલાકને ઘોડેસ્વાર ભોમિયા બનીને સહાય કરી છે. કેટલાંક આત્માઓ આ પાર્થપ્રભુની અટ્ટમઆદિ આરાધનાથી ચારિત્ર પામી ગયા છે, તો કેટલાક દેશવિરતિ પામી ગયા છે. તો કેટલાક સમ્યગદર્શન પામી ગયા છે, એવા અઢળક દાખલાઓ છે.
આ તીર્થમાં દરવર્ષે યાત્રિકો આવી અઠ્ઠમતપ, ધ્યાન, પૂજા, આદિ કરી ઉત્તમઆરાધના કરે છે. આવા શંખેશ્વર દાદાની આરાધનાથી આપણે પણ પરંપરાએ મોક્ષ પામીએ.
પ્રવચન બીજું ભવયાત્રા પછી પાર્શ્વપ્રભુ તીર્થંકરપદ પામ્યા । श्री पार्श्वः पातु वो नित्यं, जिनः परमशंकरः |
નાથ: પરમશઝિવ , શરબ્યુઃ સર્વછામઃ ||૧|| પરમસુખ આપવાવાળા, પરમશક્તિના આશ્રયસ્થાન, પરમનાથ, સર્વ જીવોના શરણરૂપ અને સર્વ ઈચ્છિત આપવાવાળા એવા રાગદ્વેષને જીતનાર શ્રી પાર્થપ્રભુતમારી સર્વની રક્ષા કરો.
અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે, તીર્થકરના આત્માઓ પણ અનાદિકાળથી અવ્યવહારરાશિ વનસ્પતિકાયમાં રહ્યા પછી જ્યારે
Main
Nuca on International
on
Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
કોઈક એક આત્મા મોક્ષે જાય, ત્યારે ભવિતવ્યતાને કારણે ત્યાંથી વ્યવહારરાશિમાં આવે છે. ત્યારબાદ ભ્રમણ કરતાં કરતાં જ્યારે સમ્યત્વ પામે છે, ત્યારે એમના ભવોની ગણત્રી થાય છે. પાર્થપ્રભુના ૧૦ભવો થયા છે. જ્યારે તે ૧૦ભવોની જીવનયાત્રા આપણે જાણીએ, ત્યારે આપણને પણ જીવન જીવવાની અને સમતા - સમાધિ રાખવાની પ્રેરણા મળે છે. જેમ જેમ આપણે જીવનયાત્રામાં ડોકિયું કરશો, તેમતેમતેમના વિશિષ્ઠ ગુણોનો પરિચય થતો જશે. અભુત ગુણોનો પરિચય થતાં, તેમના પ્રત્યે અનુપમ અહોભાવ ઉત્પન્ન થતાં અનેક ગુણોથી આપણો આત્મા ભાવિત થતો જશે અને તેઓની પ્રત્યે નિષ્કામભક્તિ ઉભરાશે.
પાપ્રભુનો ૧લો ભવ મરુભૂતિ અને કમઠ
આ ભરતક્ષેત્રમાં પોતાનપુર નામનું નગર હતું. ત્યાં અરવિંદરાજા રાજ્ય કરતો હતો. તેનો વિશ્વભૂતિ નામનો પુરોહિત અને તેની પત્નીનું નામ અનુદ્ધરા હતું. વિશ્વભૂતિ રાજાને વફાદાર મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતો હતો. તેને બે પુત્રો હતા. પહેલો કમઠ અને બીજો મરુભૂતિ.
વિશ્વભૂતિ સ્વયં સદાચારી, ગુણવાન, બુદ્ધિવાન હોવાથી બંને પુત્રોમાં તેવા સુસંસ્કાર નાંખવા પ્રયત્ન કરતો હતો. નિમિત્ત બંનેને સરખા મળવા છતાં ઉપાદાન આત્માની યોગ્યતા પ્રમાણે માનવ સંસ્કાર આદિ પામે છે. જેમ એક જ ભૂમિ, પાણી અને ખાતર મળવા છતાં કોઈક જીવ કાંટા તરીકે પરિણમે, તો કોઈક ગુલાબ તરીકે પરિણમે. બસ, વિશ્વભૂતિની પ્રેરણાથી મરુભૂતિ સંસ્કારવાન, ગુણવાન, ચારિત્રવાન વ્યક્તિ બન્યો. કારણ કે તેના કર્મો હળવા હતા. તેથી ગુણો પ્રકટ થયા, પણ ભારે કર્મી હોવાથી કમઠ કુસંસ્કારવાળો દુરાચારી બન્યો.
યુવાન વય થતાં વિશ્વભૂતિએ કમઠના લગ્ન અરુણા સાથે કર્યા. જેથી તે ખરાબ આચારથી વિરામ પામી જશે, પણ કુતરાની પૂંછડી પાઈપમાં નાંખો, તોય વાંકીને વાંકી જ રહે છે. એ રીતે કોઈ પણ રીતે તે સુધર્યો નહિ મરુભૂતિના લગ્ન વસુન્ધરા સાથે કર્યા. ત્યારબાદ માતા - પિતાનું સમાધિ મૃત્યુ થયું અને સ્વર્ગે ગયા.
Fan Education International
For Personal & Private Us Only
www.jainelibrar og
www.saine
Page #15
--------------------------------------------------------------------------
________________
પુનિત આપે છે. અરવિંદ રાજાઓ
પુરોહિતપદ ઉંમરમાં મોટો હોવાથી કમઠને આપ્યું, છતાં દોષોથી તે નિવૃત્ત થયો નહિ. બીજી બાજુ કાર્યની દક્ષતા જોઈને રાજા મરુભૂતિ ઉપર આફરીન થઈ ગયો. તે
રાજાનો પ્રીતિપાત્ર બની ગયેલ. માતા - પિતાનું છત્ર ચાલ્યું જવાથી કમઠ વધારે ઉશૃંખલ થઈ ગયો.
એક વખત હરિશ્ચંદ્ર નામના મુનિરાજશ્રી પોતનપુરમાં પધાર્યા. મરુભૂતિએ સત્સંગ કર્યો. જેમ કોયલને આમ્રવૃક્ષ જ ગમે, તેમ સદાચારીને સત્સંગ ગમે. મુનિરાજશ્રીએ વિષય - વૈરાગ્ય અને કષાય - ત્યાગ તથા સમ્યગ્દર્શન આદિ તાત્ત્વિક વિષયો પર પ્રકાશ પાથર્યો. તેથી મરુભૂતિ
સમ્યગ્દર્શન પામ્યો. તેને વિષયનો વૈરાગ્ય થયો હોવાથી તેની કામવાસના | ઓછી થવા માંડી. આ જોઈને તેની પત્ની વસુંધરા તેનાથી વિમુખ થવા માંડી. મિથ્યાષ્ટિ આત્માઓને ભૌતિક સુખો જ ગમતા હોય છે. જેમ તાવવાળાને જીભે કડવાશ હોવાથી તેને મીઠી વસ્તુ પણ કડવી લાગે છે, તેમ મિથ્યા દૃષ્ટિને વૈરાગ્ય જેવી ઉત્તમ વસ્તુ પણ સારી લાગતી નથી. તેને તો રંગરાગ માણવાની જ તડપ હોય છે. મરુભૂતિ ધર્મધ્યાનમાં સમય પસાર કરતો હતો. આ બાજુ જેઠકમઠ નાનાભાઈની પત્ની વસુન્ધરા સાથે ઠઠ્ઠામશ્કરી કરવા લાગ્યો.
ધીરે ધીરે શારીરિક સંબંધ સુધીના પાપે પહોંચી ગયો. વિષયાનન્દી બનીને માનવ સ્વહિતાહિત જોતો નથી. આલોક અને પરલોકને પણ ભૂલી જાય છે. કમઠની પત્ની અરુણાએ એક દિવસ બંનેની પાપલીલા સગી આંખે જોઈ તેથી તેણે મરુભૂતિને આ અંગે તપાસ કરવા પ્રેરણા કરી, તેથી મરુભૂતિએ એક રાત્રિએ વેષ પરિવર્તન કરી કપટનિદ્રાનો દેખાવ કરીને વસુંધરા અને કમઠની પાપવૃત્તિ
Bible
GALERI
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
જોઈ. તેથી તે હેબતાઈ ગયો. તેણે વિચાર્યું કે, કમઠ મારું માને તેમ નથી, તેથી પિતાતુલ્યરાજા અરવિંદને વાત જણાવી દઉં રાજા મરુભૂતિની વાત સાંભળી ધમધમી ઉઠયો. ઉત્તમપુરોહિત કુલમાં આવી રીતે પાપલીલાનું તાંડવ ચાલતું હોવાનું જાણી રાજા અરવિંદ અત્યંત ક્રોધથી ધમધમી ઊઠયા. હવે પછી આવી પાપલીલામાં બીજા ને સંડોવાય, તેથી તેણે કમઠને ગધેડા પર બેસાડી મોટું કાળું કરી, ગામમાં ફેરવીને દેશવટો આપવાનો આદેશ કર્યો..
રાજાના આદેશ પ્રમાણે સેવકોએ કમઠનું અંગ વિવિધ રંગોથી રંગીને ગધેડા ઉપર બેસાડી કઢંગી રીતે વાજિંત્રો વગાડતાં
વગાડતાં આખા નગરમાં કમઠને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી દેશ નિકાલ છે જ ફેરવીને કમઠને નગર બહાર કાઢી મુકાવ્યો. પછી તે કંટાળીને શિવ તાપસ પાસે જઈને તાપસ બની ગયો. તેથી મરુભૂતિનું હૃદય દુઃખી થયું કે, મારા નિમિત્તે મોટાભાઈ કમઠ તિરસ્કારના ભોગ બન્યા છે. તેથી હવે તે આર્તધ્યાન કરતો હશે. અસમાધિ અને અશાંતિમાં દિવસો પસાર કરતા હશે. તેને એમ થતું હશે કે, નાના ભાઈએ ફરિયાદ કરી. તેથી મને રાજાએ ભયંકર અપમાનિત કર્યો છે. એ મારો ભાઈ નથી, દુશ્મન છે. એમ તેને કષાયથતો હશે, તેથી મોટાભાઈ પાસે જઈ માફી માંગી આવું. તેણે માફી માંગવા અરવિંદ રાજાને પુછયું. રાજાએ ના પાડી, છતાં મરુભૂતિ જંગલમાં કમઠ પાસે માફી માંગવા ગયો. મરુભૂતિને ધન્યવાદ છે કે, પોતે નિરપરાધી હોવા છતાં માફી માંગવા ગયો..
જંગલમાં શિવકુલપતિના આશ્રમમાં તાપસી દીક્ષા લઈને તાપસ બનેલા કમઠે મરુભૂતિને પોતાની પાસે આવતો જોઈ તેની આંખમાં જ્વાળામુખી ફાટયો. જે ક્ષણે મરુભૂતિપગમાં પડીને માફી માંગતો. હતો, તે જ ક્ષણે પોતાની બાજુમાં રહેલી શિલા કમઠે મરુભૂતિના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિનું
H
કમઠ તાપસે મરુભૂતિ ઉપર શિલા ઝીંકી
Jain Education Internetional
www.einelibrary.org
(
For Personal & Private Use Only
12 )
Page #17
--------------------------------------------------------------------------
________________
મસ્તક ફાટી ગયું. જો કે તેને કષાય તો ન આવ્યો, પણ "હાય દુઃખ" એવું આંર્તધ્યાન થઈ જવાથી મરીને તે હાથી તરીકે ઉત્પન્ન થયો.
૨જો ભવ હાથી અને કુર્કટ સર્પ
મરુભૂતિ મૃત્યુ પામી જંગલમાં હાથી બન્યો. કમઠનો આવો અત્યાચાર જોઈ બીજા તાપસો તેની નિંદા કરવા લાગ્યા. તેથી અશુભભાવમાં મરીને કમઠ કુકુટ સર્પ બન્યો. એક દિવસ સંધ્યાના રંગ-બે-રંગી વાદળો નિહાળતાં અનિત્યભાવનાની તીવ્રતા આવતાં પોતાના રાજકુમારનો રાજ્યાભિષેક કરી અરવિંદ રાજા પ. પૂ. સમંતભદ્રાચાર્ય શ્રી પાસે દીક્ષા લઈ મુનિબની વિચરવા લાગ્યા.
સંયમનું વિશિષ્ટ પાલન કરતા અરવિંદમુનિને અવધિજ્ઞાન થઈ ગયું. તેમણે જંગલમાં મરુભૂતિના જીવ હાથીને તોફાનો કરતો જોયો.
તેઓ તેને પ્રતિબોધ કરવા ત્યાં ગયા. હાથી અરવિંદમુનિને
હાથીને અરવિંદમુનિનો પ્રતિબોધ
મારવા સામે દોડયો, પણ મુનિએ આશીર્વાદ મુદ્રામાં "બુજઝ - બુજઝ, મરુભૂઇ બુજઝ" અરે ! મરુભૂતિ બોધ પામ, શાંત થા. અરે ! તું કેવો વિવેકી અને ક્ષમવાન હતો. નિરપરાધી હોવા છતાં માફી માંગવા ગયો હતો અને મરતી વખતે આર્તધ્યાન આવતાં હાથી બની ગયો. આવા વચનો સાંભળતાં જ હાથી ઉહાપોહ કરવા લાગ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તેના હૃદયમાં શુભભાવ ઉત્પન્નથયો. પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તેથી આ તિર્યંચના ભવમાં અરવિંદમુનિનો સંયોગ મળી ગયો અને તેથી પ્રતિબોધ પામી ગયો.
અશુભભાવમાં મરીને કમઠનો જીવ વૈરની ગાંઠ લઈને કુર્કુટ સર્પના ભવમાં આવ્યો છે, તેથી જંગલમાં હાથીને જોતાં જ પૂર્વના દ્વેષસંસ્કારને પર્યાવ
-
Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
લીધે તેનો ક્રોધ ભભૂકી ઉઠયો. તે ઘાતકી ઝેરી કુર્કટ સર્વે હાથીને ડંખ માર્યો. હાથીના શરીરમાં વિષ વ્યાપી ગયું. હાથી સાવધાન બની ગયો. જબરદસ્ત સમતા રાખી શુભભાવમાં રહ્યો, પણ તેણે સર્પઉપર જરાયકષાય ન કર્યો.
ત્રીજો ભવ દેવ અને નારક મરુભૂતિનો જીવ હાથી મરીને આઠમા દેવલોકમાં દેવ થયો અને કમઠનો જીવ સર્પમરીને પાંચમી નરકમાં ગયો.
એક આત્મા વિકાસ તરફ પ્રયાણ કરવા લાગ્યો, તો બીજો વિનાશ તરફ. અરવિંદમુનિએ પણ અષ્ટાપદ પર્વત ઉપર જઈને કેવલજ્ઞાન મેળવ્યું, તેઓ આયુષ્યપૂર્ણથતાં મોક્ષે ગયા.
૪થો ભવ કિરણવેગ રાજા અને કાલ દારૂણ સર્પ
દેવલોકનું આયુષ્ય પૂર્ણ થવાથી મરુભૂતિનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં વૈતાઢય પર્વતની તિલકપુરી નગરીમાં વિદ્યુતિ રાજા અને તિલકાવતી રાણીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો.જન્મ થયા પછી યૌવનવય આવતાં પદ્માવતી નામની કન્યા સાથે લગ્ન કરી તેનો રાજ્યાભિષેક કરી વિધુત્વતિએ દીક્ષા અંગીકાર કરી. તેણે સાધના કરી મોક્ષ મેળવ્યું.
કિરણવેગ રાજાને "ધરણવેગ" નામનો પુત્ર થયો. એક વખત શ્રી વિજયભદ્રાચાર્યશ્રીનું ત્યાં પદાર્પણ થયું. એક જ દેશના સાંભળી કિરણવેગ રાજા વૈરાગ્યવાસિત બન્યા. તરત જ પોતાના પુત્ર ધરણવેગનો રાજ્યાભિષેક કરી રાજા કિરણવેગ અને પદ્માવતી રાણીએ દીક્ષા લીધી.
કિરણગમુનિ ઘોર તપ કરવા લાગ્યા અને જંગલના પહાડોમાં વિચરવા લાગ્યા. કમઠનો જીવ તે જ જંગલમાં પૂર્વનું નરકાયુષ્ય પૂર્ણ કરી કાલદારૂણ સર્પ તરીકે ઉત્પન્ન થયો. તેણે મરુભૂતિના જીવકિરણનેગનેડંખ દીધો. મુનિના આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું. ભલે બંનેના શરીર બદલાઈ ગયા, પણ એકની સમતા અને બીજાનો દ્વેષ વધતા ગયા.
ભાઈ ઉકાણોગ સાનિને ઉન સાથે
For Personal & Private Use
7 14
ja nelibrary.org
Page #19
--------------------------------------------------------------------------
________________
કિરણવેગ મુનિ દેહાધ્યાસ છોડી ધર્મધ્યાનમાં સ્થિર થઈ ગયા. તેથી તેઓનો આત્મા વેદનામુફ બની ગયો. શરીરમાં વેદના થાય છે. આત્મા અને મન ઉપર તેની અસર થતી નથી, વેદનાથી જરાયે આર્તધ્યાનના ભાવ આવતા નથી.
પમો ભવ દેવ અને નારક મરુભૂતિનો જીવ કિરણવેગ મુનિ શુભધ્યાનમાં મૃત્યુ પામી ૧૨મા દેવલોકમાં દેવ થયા અને સર્પ મરીને નરકમાં ગયો. એક આત્મા અસંખ્ય વર્ષો સુધી દૈવિક સુખના ભોક્તા બન્યો. ત્યારે બીજો આત્મા અસંખ્ય વર્ષો સુધી નરકની ભયંકર યાતના અને ત્રાસનો શિકાર બન્યો. એક જીવને શુભકર્મનો અનુબંધ ચાલે છે. બીજાને અશુભ કર્મનો અનુબંધ ચાલે છે. જીવ
જ્યાં સુધી સાવધાન નહિ બને, તો અશુભ અનુબંધ ચાલ્યા જ કરશે. આવું જાણીને આપણે સાવધાન બનવાની જરૂર છે. અશુભ અનુબંધ તોડવા પંચસૂત્રમાં બતાવેલ દુષ્કતગર્ભાવગેરે ઉપાયો અજમાવવા જેવા છે.
છઠ્ઠો ભવ વજનાભ રાજા અને કુરંગ, ભીલ્લા
બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયા પછી મરુભૂતિનો જીવ પશ્ચિમ મહાવિદેહની સુગંધી વિજયમાં શુભંકરા નગરીમાં વજવીર્ય રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ વજનાભ રાખવામાં આવ્યું. યુવાન વયમાં વિજયા નામની રાજકન્યા સાથે લગ્ન થયા. વર્ષો પછી તેણીને એક પુત્ર થયો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું.
એક વખત ક્ષેમંકર નામના તીર્થંકર પરમાત્મા વિચરતાં વિચરતાં ત્યાં આવ્યા. રાજાવજનાભસમવસરણમાં દેશના સાંભળવા ગયા. મીઠી મધુરી પ્રભુવાણી સાંભળીવજનાભનું હૈયું હચમચી ગયું, તેઓ વિરક્તબન્યા.
મહેલમાં આવી પુત્ર આદિને સમજાવીને ચક્રાયુધનો રાજ્યાભિષેક કર્યો. પછી જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વજનાબે તીર્થકર ક્ષેમંકર પ્રભુ પાસે સંયમનો સ્વીકાર કર્યો. તીર્થંકર પ્રભુ પાસે વિશિષ્ટ જ્ઞાન મેળવવા આત્મસાધનામાં તત્પર બની વજાનાભ મુનિ ગીતાર્થ જ્ઞાની બન્યા. યોગ્ય લાગવાથી તેમને પ્રભુએ અલગ વિહારની રજા આપી. તેઓ આકાશગામિની વિદ્યાથી સુકચ્છ વિજયમાં ગયા અને પહાડોમાં વિચરવા લાગ્યા.
Jain Education
a
l
For Personal &75ate Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
કમઠનો જીવ નરકમાં આયુષ્ય પૂર્ણ કરી પશુયોનિમાં નાના નાના ભવો કરી સુકચ્છ વિજયમાં કુરંગક નામે ભીલ્લ તરીકે જન્મ્યો. તે પાપના ઉદયથી અશુભકુલમાં જન્મ્યો. તેથી તેને જન્મથી તો સુસંસ્કાર મળ્યા, પણ મોટા થયા પછી પણ સુસંસ્કારના નિમિત્તો ન મળ્યા. તેથી કુસંસ્કારો વધતાં જ ગયા. આવા કુલમાં સંસ્કાર ક્યાંથી મળે ? જંગલમાં ભટકવું, શિકાર કરવા, માંસાહાર કરવા વગેરે દોષોથી ભીલ્લખદબદવા લાગ્યો.
- એક દિવસે જંગલમાં મુનિ વજનાભને કુરંગ ભીલે જોયા. પૂર્વભવમાં દ્વેષના સંસ્કારોના કારણે જોતાની સાથે જ તેની આંખમાં વેરની આગ ભડકી
| ઊઠી. તેણે ધનુષ પર તીર કરવા બલ્લે વજનાભ મુનિને વિંધ્યા
ચઢાવ્યું. મુનિની છાતી તીરથી વિંધાઈ ગઈ. તેઓ "નમો અરિહંતાણં" બોલતાં બોલતાં પરમાત્માના ધ્યાનમાં જમીન ઉપર સમતા ભાવે ઢળી પડ્યા.
વજનાભ મુનિનો જન્મ સુગંધિ વિજયમાં થયો હતો અને દીક્ષા પણ ત્યાં જ લીધી હતી, છતાં કર્મ તેમને સુકચ્છ વિજયમાં સાધના માટે લઈ ગયું અને ભીલ્લનો સંયોગ કરાવી દીધો. તેથી કહેવાય છે કે, "કર્મ તારી ગતી ન્યારી".
6મો ભવ ગ્રેવેચક દેવ અને ઓમી પૃથિવીમાં નારક
મરુભૂતિનો જીવ વજનાભ રાજર્ષિ કાલધર્મ પામી મધ્ય ગ્રેવેયક દેવલોકમાંદેવથયા અને ભલ્લમરીને સાતમી નરકગયો.
મરુભૂતિનો આત્મા ઉનાળાના થર્મોમીટરની જેમ ઉપર ચઢે છે. જ્યારે કમઠનો આત્મા પર્વત પરથી દડાની જેમ નીચે ગબડે છે. સૌથી નીચું સ્થાન 'સાતમી નરક છે. ત્યાં પહોંચી ગયો.
કર્મની કેવી વિચિત્રતા છે કે, મરુભૂતિના જીવનું મરણ કમઠના જીવના મિલનથી થાય છે. તેમજ કમઠ તેમના મરણમાં નિમિત્ત બને છે.
Jain Educationen
of Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૮મો ભવ સુવર્ણ બાહુ ચક્રવર્તી અને સિંહ
ત્રૈવેયક દેવલોકમાં આયુષ્ય પૂર્ણ થવાથી મરુભૂતિનો જીવ પૂર્વ મહાવિદેહમાં સુરપુર ગામમાં વજ્રબાહુ રાજાની પત્ની સુદર્શનાની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યારે સુદર્શના રાણીએ રાત્રિમાં ચૌદ મહાસ્વપ્ન જોયા. તેનો પુત્ર ચક્રવર્તી થશે, એવું પ્રાતઃકાલે સ્વપ્રપાઠકોએ જણાવ્યું. તે સાંભળીને સુદર્શના આનંદિત બની. યૌવનવય પામતાં વજ્રબાહુનો રાજ્યાભિષેક કરી રાજા-રાણીએ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. ક્રમે કરી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
એક દિવસ સુવર્ણબાહુ રાજા સૈનિકો સાથે અશ્વશાળામાં ગયા, ત્યાં પવનવેગી અશ્વ જોયો. દેખાવમાં તે ઘણો જ સુંદર હતો. તેથી તેની ઉપર સવારી કરવા રાજાનું મન લલચાયું તેની પીઠ ઉપર સુવર્ણબાહુ રાજાએ સવારી કરી દીધી. બધા ખુશ થઈ ગયા, પણ આશ્ચર્ય એવું થયું કે, થોડીક વારમાં ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. સેનાપતિ અને સૈનિકોએ અપહરણ-અપહરણ શબ્દો ઉચ્ચારણ કરી રાડારાડ કરી નાંખી, પણ કશું વળ્યું નથી. ઘોડો ઊડતો ઊડતો વૈતોઢ્ય પર્વતના વનમાં એક આશ્રમપાસે ઊભો રહ્યો. રાજા નીચે ઊતરી એક આસન પર બેસી ગયો. ત્યાં તેણે એક કુલપતિ ગાલવ ઋષિના આશ્રમપાસે અદ્ભૂત રૂપ લાવણ્યવાળી પદ્માવતી નામની કન્યાને અનેક સખીઓ સાથે જોઈ. ત્યારબાદ તેમની સાથે વાર્તાલાપમાં સખીઓને જાણવા મળ્યું કે, આ વજ્રબાહુનો પુત્ર સુવર્ણબાહુ છે. તેથી તેઓએ આશ્રમમાં જઈ ગાલવ ઋષિ અને આશ્રમમાં પદ્માવતીની માતા રત્નાવતીને વાત કરી. ત્યારે બધા મળીને સુવર્ણબાહુ રાજા પાસે આવ્યા. અને ગાલવ ઋષિએ કહ્યું કે, "મને એક મુનિએ કહ્યું હતું કે, વજ્રબાહુનો પુત્ર
ઘોડા દ્વારા સુવર્ણબાહુ રાજાનું અપહરણ
For Personal & Private Oak
nelibran org
Page #22
--------------------------------------------------------------------------
________________
સુવર્ણબાહુને અશ્વઅપહરણ કરીને અહીં લાવશે, તે પદ્માવતીને પરણશે, તેથી તમે આ પદ્માવતીને પરણો" એમ કહ્યું ત્યારે સુવર્ણબાહુ પદ્માવતી સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા, તે સમયે પદ્માવતીનો સાવકો ભાઈ પધ્ધોત્તર વિદ્યાધર ત્યાં આવ્યો અને આગ્રહપૂર્વક સુવર્ણબાહુને પદ્માવતી સહિત પોતાના વૈતાદ્ય પર્વત ઉપર રત્નપુર નગરમાં લઈ ગયા. ત્યાં અનેક વિદ્યાધરોએ પોતાની કન્યાઓને સુવર્ણબાહુ સાથે પરણાવી. ત્યારબાદ તે પોતાની રાજધાની તરફ પાછો ફર્યા.
એક વખત શાસ્ત્રાગારમાં ચૌદ રત્ન પ્રગટ થયા. રાજાએ તેમની સહાયથી છખંડ જીત્યા. ત્યારબાદ રાજાનો બાર વર્ષ સુધી રાજ્યાભિષેક થયો અને ચક્રવર્તી બન્યા.
સુવર્ણબાહુની દીક્ષા એક વખત સુરપુર નગરની બહાર જગન્નાથ તીર્થંકર પરમાત્મા પધાર્યા. ત્યાં સુવર્ણબાહુ સમવસરણમાંદેશના સાંભળવા ગયા. પરમાત્માની વાણી સાંભળતાં સાંભળતાં ચક્રવર્તી સુવર્ણબાહુને જાતિસ્મરણ થવાથી પૂર્વભવની સ્મૃતિ થઈ કે મેં પૂર્વ ભવમાં ક્ષેમંકર તીર્થકર પ્રભુ પાસે ચારિત્ર લીધું હતું, વગેરે સ્મરણ થવાથી તેનું હૃદય હર્ષવિભોર બની ગયું. વૈરાગ્યવાસિત બની તેઓ રાજમહેલમાં પાછા ફર્યા, ત્યારબાદ પુત્રનો રાજ્યાભિષેક કરી તેઓ પ્રભુ પાસે આવ્યા.
પ્રભુએ દીક્ષા આપી સ્થવિરોને સોંપ્યા. સુવર્ણબાહુમુનિ અલ્પકાળમાં શાસ્ત્રાર્થના કરી ગીતાર્થમુનિ બન્યા. પ્રભુ પાસેથી આજ્ઞા મળતાં તેઓ સિંહની જેમ એકલાવિચરવા લાગ્યા.
ત્યારબાદ વિંશસ્થાનકની આરાધના કરતા કરતા "સવિ જીવ કરૂં શાસન રસિ"ની શ્રેષ્ઠ ભાવના ઉત્પન્ન થતાં અર્થાત્ બધા જીવોને જિનશાસનના રસિયા બનાવી મોક્ષસુખના ભોક્તા બનાવું. આવી ભાવનાથી તીર્થકર નામકર્મનો બંધ કરી તેને નિકાચિત કર્યું.
સુવર્ણબાહુમુનિ વિચરતાં વિચરતાં ક્ષીરગિરિ આવ્યા. બીજી બાજુ કમઠ નરકમાંથી આયુષ્યપૂર્ણ કરી એજગિરિમાં સિંહ તરીકે ઉત્પન્ન થયો.
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ
મમ સુવર્ણબાહુ એક શિલા
ઉપર ધ્યાનસ્થ ઉભા હતા. તેમને જોતાં જ તે ક્રોધાગ્નિથી ભભૂકી
સિંહ ઊઠો અને
સુવર્ણબાહુ મુનિને સિંહે ચીર્યા
૯ મો ભવ ૧૦મા પ્રાણત અને ચૌથી નરકમાં દેવ મરુભૂતિનો જીવ સુવર્ણબાહુ કાળધર્મ પામી ૧૦મા દેવલોકમાં ૨૦ સાગરોપમ આયુષ્યવાળો દેવ થયા. કમઠનો જીવ સિંહ મરીને ૪થી નરકમાં ગયો.
Main Education International
રાજર્ષિ પર કુદકો મારી તેમનું શરીર ચીરી નાખ્યું. મુનિશ્રીએ સમતા રાખી વૈમાનિક દેવલોકમાં ગમન કર્યું.
મરુભૂતિના જીવે મનુષ્યભવમાં ધાર્મિક સંસ્કારો અને સમ્યગ્દર્શન દેઢ કરેલા હતા. તેથી ત્યાં પણ સુસંસ્કાર અને સમ્યગ્દર્શન રહ્યા. દેવભવમાં મરુભૂતિના જીવે ૫ ભરત અને ૫ ઐરવતના તીર્થંકરના ૫૦૦ કલ્યાણકોની આરાધના અગ્રેસર થઈને કરી અને બીજાને કરાવી હતી. કારણ કે સમ્યગ્દર્શન હોવાથી તીર્થંકર પરમાત્માના આત્મા તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવા જાય. વિમલનાથ ભગવાનના શાસનની પૂર્વે મરુભૂતિનો જીવ દેવલોકમાં ગયેલો છે, તેથી વિમલનાથ ભગવાનથી માંડી નેમિનાથ ભગવાન સુધી ૧૦ તીર્થંકર ભગવાનના પાંચ-પાંચ કલ્યાણક હોવાથી ૫૦ કલ્યાણક અને તે ૫૦ને ૫ ભરત + ૫ ઐરવત = ૧૦ ક્ષેત્રથી ગુણવાથી મરુભૂતિના જીવ દેવને ૫૦૦ કલ્યાણકની આરાધના થઈ. તેથી ઉપાધ્યાય વીરવિજયજી મહારાજે પંચ કલ્યાણકપૂજાની ઢાળમાં કહ્યું છે કે, "ક્ષેત્ર દશ જીનવર પાંચસે ઉત્સવ કરતાં સુર સાથે રે.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
આવી રીતે મહાવીર પ્રભુના જીવે પણ દેવભવમાં ૫૫૦ કલ્યાણની આરાધના કરી છે. કારણ કે વિમલનાથ ભગવાનના કલ્યાણક વખતે બંને ભગવાનના જીવ એક જ દેવલોકમાં ૨૦ સાગરોપમ આયુસ્થિતિવાળા દેવ હતા અને વિમલનાથ ભગવાનથી પાર્શ્વનાથ ભગવાનનું સાધિક ૧૬ સાગરોપમઆંતરું છે, તેથી વીરપ્રભુના જીવે વિમલનાથથી પાર્શ્વનાથ સુધી ૧૧ તીર્થકરની આરાધના કરી છે. તેથી ૧૧ X૫ = ૧૫ ને ક્ષેત્રથી ૧૦ ક્ષેત્રથી ગુણતાં પ૫૦કલ્યાણકની આરાધના કરી.
દેવલોકમાંથી દેવા થયે લા પાશ્વપ્રભુ પૂર્વભવમાં જ પોતાની ભાવી માતુશ્રીનું મુખ જોવા માટે વારાણસી નગરમાં તે દેવ બાલકનું રૂપ લઈને આવ્યા હતા.
ત્યાં ભાવી માતા દેવ બાલરૂપ કરી ભાવી માતા વામાદેવીને જુએ છે.
વામાદેવીને સુલક્ષણા અને જિનભક્ત જોઈને આનંદ પામ્યા. તેથી પંચકલ્યાણક પૂજામાં કહ્યું છે કે, "બાલરૂપે સુરતિહા, જનની મુખ જોવતાં, શ્રી શુભવીર આનંદપાવે".
ainucation International
For Personal &
Use Oni
Jainelibrary.org
20
Page #25
--------------------------------------------------------------------------
________________
૩જ પ્રવચન જિન જગ્યાજી જિણવેલા જનની ઘરે પાર્શ્વપ્રભુનું ચ્યવન - અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે કે, અનાદિકાળથી ભમતાં આપણા આત્માને કર્મના લીધે જન્મ-મરણ થયા જ છે કરે છે. દશમા દેવલોકનું આયુષ્ય પૂરું થવાથી છેલ્લે ચ્યવન મરુભૂતિના જીવનું આ ભરતક્ષેત્રની કાશી દેશની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં ફાગણ વદ - ૪ ની મધ્યરાત્રિએ થયું. માતાએ ચૌદ સ્વપ્ન જોયા. સ્વપ્ન પાઠકોને બોલાવવામાં આવ્યા. તેઓએ કહ્યું કે, તમારો પુત્ર ભવિષ્યમાં તીર્થકર બનશે. સર્વત્ર આનંદ, આનંદ છવાઈ જશે.
વામાં માતા સાવધાની પૂર્વક ગર્ભસ્થ શિશુનું પાલન કરતા હતા. તે દરમ્યાન કેટલાક સારા દોહલાઓ જે જે ઉત્પન્ન થયાં, તેને અશ્વસેન રાજાએ પૂર્ણ કર્યા.
પાર્થપ્રભુનો જન્મ - માગસર વદ - ૧૦ની મધ્યરાત્રિએ શુભ શુકનો હોતે છતે સંર્વગ્રહ ઉચ્ચસ્થાને આવતાં જ વેદનારહિત સહજતાથી આનંદપૂર્વકવામાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. વિશ્વમાં સર્વત્ર અજવાળાં અને શાતાનો અનુભવ થયો. નરકમાં પણ અજવાળા અને શાતાનો અનુભવ થયો.
પાર્શ્વપ્રભુનો દિક્ષારીકા મહોત્સવ
Jain Edation
Conal
For Person24 Private use only
Page #26
--------------------------------------------------------------------------
________________
છપ્પન દિક્મારિકાઓએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. તેઓ પણ શુચિકર્માદિકરી પોતાના સ્થાને ગઈ.
ત્યારબાદ ઈન્દ્રનું આસન કંપિત થયુ અને ઈન્દ્ર સર્વદેવી દેવતા અને ૬૪ ઈન્દ્રસહિત હર્ષઘેલા બનીને મેરુપર્વત ઉપર જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભસ્થ હતા, ત્યારે
વામામાતાએ બાજુમાંથી જતાં એવા સર્પને જોયો હતો, તેથી પુત્રનું નામ પણ પાર્શ્વકુમાર રાખવામાં આવ્યું. તેઓ સર્વત્ર લોકપ્રિય બની ગયા. અનુક્રમેયૌવનાવસ્થા પ્રાપ્ત થઈ.
એક દિવસ અશ્વસેન રાજાના દરબારમાં એક સંદેશ વાહકે આવીને
wI[IIIIIIUUUUછે. આ
પNSTITUTI
કહ્યું કે,
એક દિવસ કુશળ સ્થળ નગરના પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી ઉદ્યાનમાં સખીઓ સાથે કીડા કરતી હતી. ત્યારે કિન્નરીઓ પાર્થકુમારના રૂપ લાવણ્યનું ગીત ગાયું. તેથી પ્રભાવતી પાશ્વકુમાર અશ્વસેન રાજાને પ્રસન્નસેનજિત રાજાનો દૂત સંદેશ આપે છે. પ્રત્યે અત્યન્ત અનુરાગવાળી બની ગઈ. તેથી પ્રસેનજિતરાજાએ તેણીને તેના સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી દીધું.
આ વાતની કલિંગાદિ અનાર્યદેશના રાજા યવનને ખબર પડી. તેથી પ્રભાવતીના રૂપ લાવણ્યથી આકર્ષાઈને તેણીને કન્જ કરવા સૈન્યસહિત આવી યવનરાજાએ કુશસ્થળનગરને ઘેરો ઘાલ્યો છે. આગળ વધતાં સંદેશ
For Personen Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
વાહકે કહ્યું કે હું આવૃતાંત અંગે ખાસ એ જણાવવા માટે આવ્યો છું કે, સ્વજનને સહાય અને દુર્જનને શિક્ષા કરવી આ સજ્જનનો સ્વભાવ હોય છે, માટે આપ મારા સ્વામિને સહાયભૂત થાઓ.
આ પ્રમાણે પ્રસેનજિતરાજાની આપત્તિ સાંભળી અશ્વસેન રાજા ક્રોધથી ધમધમી ઉઠયો અને રણભેરી વગડાવી. સેનામાં ખળભળી મચી ગઈ અને તરત જ સેના તૈયાર થઈ ગઈ. સેનાસહિત અશ્વસેન રાજા યુધ્ધમાં જવા તૈયાર થયા.
એટલામાં પાર્શ્વકુમારે અશ્વસેન રાજા પાસે આવીને "કુશળસ્થપુરની યુદ્ધભૂમિમાં હું
જ જઈશ." આપને નહિ જવા દઉં, અતિઆગ્રહભરી વિનંતિ કરી તેથી અશ્વસેન રાજાએ પાર્શ્વકુમારને અનુમતિ આપી.
અશ્વસેન રાજા પાસે પાર્શ્વકુમાર અનુમતિ માંગે છે.
પાર્શ્વકુમાર સૈન્ય સાથે રવાના થયા. ઈન્દ્રે પોતાના સારથિને રથ સાથે પાર્શ્વકુમાર પાસે મોકલ્યો. પાર્શ્વકુમાર કુશળસ્થપુર પાસે પહોંચ્યા, દૂત દ્વારા યુદ્ધવિરામ માટે પાર્શ્વકુમારે યવન રાજાને કહેવડાવ્યું. યવનરાજા યુદ્ધવિરામની વાત દૂત દ્વારા સાંભળીને સમસમી ઉઠયો અને આવેશમાં આવીને બબડવા લાગ્યો કે પાર્શ્વકુમાર કોણ છે ? તેણે જે કરવું હોય તે કરે, મારી તેને સંપૂર્ણ છૂટ છે" એમ કહીને દૂતને રવાના કર્યો.
યવનરાજાની શરણમાં આવે છે.
WWWak
ત્યારબાદ યવનરાજાના
મંત્રીઓએ તેને કહ્યું કે, પાર્શ્વકુમાર તો મહાબલિષ્ઠ છે. ઈન્દ્રને પણ સેવ્ય છે. આપણું સૈન્ય તો તેનાથી હારી જવાનું છે. પાર્શ્વકુમારના શરણે જવામાં જ આપણું હિત છે.
For Personalivate Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
યવનરાજા તત્વ સમજી ગયા. મંત્રીઓની સલાહને માન્ય રાખી તેણે પાર્થકુમાર પાસે ક્ષમા માંગી. પાર્થકુમારે ક્ષમા આપી યવનરાજાને પોતાના | રાજ્યમાં સુરાજ્ય કરવાની ભલામણ કરી. કારણે પાર્શ્વકુમાર તો રાજ્યાદિનાનિસ્પૃહી હતા.
દૂતે કુશલસ્થ નગરમાં પ્રવેશ કરીને પાર્થકુમારનો વિજય થવાથી બધી હકીકતપ્રસેનજિતરાજાને જણાવી. તે સાંભળી રાજાપ્રસન્ન થયો.
ત્યારબાદ પ્રસેનજિત રાજાએ પાર્થકુમારને વિનંતિ કરી કે "મારી પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કરો." ત્યારે પાર્થકુમારે કહ્યું કે, હું તો પિતાની આજ્ઞાથી તમારી રક્ષા માટે આવ્યો છું. પરણવા માટે નથી આવ્યો. તેથી હવે હું એમને એમપિતા પાસે જઈશ"
તેથી પ્રભાવતીને લઈને પ્રસેનજિત્ રાજા વારાણસી તરફ પાર્શ્વકુમાર સાથે ગયા.ત્યાં પોતાની પુત્રીને અશ્વસેન રાજાને પુત્રવધુ તરીકે સ્વીકારવા માટે અતિઆગ્રહ કર્યો. ત્યારે અશ્વસેન રાજાની આજ્ઞાથી પોતાના ભોગાવલી કર્મોખપાવવાના માટે સ્ત્રીથી વિરક્ત હોવા છતાં પ્રભાવતી સાથે પાર્શ્વકુમારે લગ્ન કર્યા.
પાર્થકુમારે વિરક્તભાવે સાંસારિક સુખ ભોગવતાં પણ કર્મ નિર્જરા કરી છે. તીર્થંકર પરમાત્મા જે જે પ્રવૃત્તિઓ કરે છે, તે તે પ્રવૃત્તિમાં સભાન અવસ્થા હોવાથી કર્મનિર્જરાજ થાયછે.
આ બાજુ કમઠનો જીવ નરકમાંથી નીકળી મનુષ્ય બન્યો, આ ભવમાં પણ તેનું નામ કમઠ પડયું. તે તાપસ બની ગયો. લોકો બાહ્યતપ વગેરેથી આકર્ષિત બની જાય છે. તેથી તેના હજારો ભક્તો બની ગયા. કારણ કે સામાન્ય લોકોમાં આંતરદૃષ્ટિ હોતી નથી, તેથી તેઓ બાહ્યક્રિયાથી પ્રભાવિત બની જાય છે.
કમઠ ફરતો ફરતો વારાણસી નગરીની બહાર આવીને ચારે બાજુ ફરતાં પાંચ અગ્નિકુંડ રાખી અગ્નિ તપ કરે છે
પાWકુમાર કમઠને અગ્નિમાં . અને જાપ જપે છે. તેના પ્રભાવનો છે.
બળતો સર્પ બતાવે છે. આ
Education Interional
Private Use Only
For Personal
20
Page #29
--------------------------------------------------------------------------
________________
ચારે બાજુ જોરદાર પ્રચાર -પ્રસાર થવા માંડયો. હજારો લોકો હાથમાં ફલ અને નૈવેદ્ય લઈને કમઠ તાપસને ત્યાં જવા માંડયા. પાર્થકુમારે લોકોને પૂછ્યું કે, ક્યાં જાઓ છો? ત્યારે તેઓએ કહ્યું કે "કમઠ તાપસ પાસે" એમ જાણતાં ત્યાં બેઠા બેઠા જ પ્રભુને અવધિ જ્ઞાનથી કમઠને જોયો અને ઘોડા પર સવાર થઈને ગયા. ત્યાં જઈ તેને સમજાવ્યું કે, 'દયા ધર્મનું મૂલછે અને તું જે પંચાગ્નિ તપ કરે છે, તેમાં સળગતાં લાકડામાં પંચેન્દ્રિય સર્પ છે. આવી રીતે દયારહિત ધર્મ ફક્ત કાયકષ્ટ માત્ર છે ઈત્યાદિ સમજાવવા છતાં કમઠની પક્કડ નછૂટી. ત્યારે નોકર પાસે લાકડું અગ્નિમાંથી ખેચી કઢાવ્યું અને ચીરાવ્યું, તો તેમાંથી અર્ધદગ્ધ સર્પ બહાર કઢાવી બતાવ્યો. નોકરે નવકાર મંત્ર સંભળાવ્યો. શાંત ચિત્તે સાંભળીને તે સર્પ ધરણેન્દ્ર દેવ થયો. કમઠ લોકો દ્વારા તિરસ્કાર પામ્યો. તેથી તે દ્વેષ કરતો થકો જંગલમાં જતો રહ્યો. લોકો પ્રભુની પ્રશંસા અને કમઠની નિંદા કરવા લાગ્યા, પણ પ્રભુ તો સ્વપ્રશંસાથી કે પરનિંદાથી જરાએ લેવાયા નહિ. મધ્યસ્થ ભાવે જ રહ્યા અને કમઠની ભાવદયા ચિંતવી. કમઠ મરીને મેઘમાલી દેવ થયો.
પાર્થપ્રભુની દીક્ષા
એક વખત પાર્શ્વકુમાર વસંતઋતુમાં પ્રભાવતી સાથે નગરના ઉદ્યાનમાં ગયા. ત્યાં ફરતાં ફરતાં તેણે એક મહેલમાં આવ્યા અને ત્યાં ભીતોં પર ચિતરેલા ચિત્રો જોતાં જોતાં તેમની નજર નેમિનાથ અને રાજીમતીના ચિત્ર ઉપર પડી. તેમાં જાનૈયાઓને જમાડવા માટે ભેગા કરેલા પશુઓને જોઈ દયાથી નેમિનાથ રથ પાછો વાળી રહ્યા છે. તે જો તાં પાશ્વ કુમાર તીવ્ર વૈરાગ્યવાળા બની ગયા. એમ તો
પાર્શ્વકુમાર નેમિકુમારના જાનનું ચિત્ર જુએ દે
Jai Education Intematonal
For Personale per ate Use only
25.
nelibrary
Page #30
--------------------------------------------------------------------------
________________
કારણ તેઓ સ્વયંસંબુદ્ધ હોય છે, છતાં પણ એક નિમિત્તથી વૈરાગ્ય તીવ્ર બની ગયો એમ કહેવાય છે. તેથી પૂ. ઉપાધ્યાયજી વીર વિજયજી મહારાજે કહ્યું છે કે "ચિત્રામણ જીન જોવતાં વૈરાગ્યે ભીના" ત્યારબાદ લોકાંતિક દેવોએ આવીને પાર્થ પ્રભુને વિનંતી કરી કે, "હે પ્રભુ! ધર્મતીર્થને પ્રવર્તાવો" ત્યારબાદ બધા પરિવારને પ્રભુએ દીક્ષા લેવાની વાત કરી. ત્યારે પ્રભાવતી બોર બોર જેવડા આંસુઓ પાડતીરડવા લાગી. માતા-પિતા પણ ખિન્ન બની ગયા. બધાને પાર્શ્વકુમારે સમજાવ્યા અને એક વર્ષ સુધી વર્ષીદાન આપી પ્રભુએ માગસર વદ (પોષ વદ) -૯થી અઠ્ઠમ તપશરૂ કર્યો.
પાશ્વ
તાકી રક્ષા
માગસર વદ ૧૧ ના શુભ દિવસે ઘરનો ત્યાગ કરી વિશાળા નામની | શિબિકામાં બેસી વાજતે ગાજતે વરઘોડાપૂર્વક કાશીનગરીની બહાર આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં શિબિકામાંથી ઉતરી અશોકવૃક્ષની નીચે આભૂષણો અને વસ્ત્રો પોતાના હાથે ઉતારી પંચમુષ્ટિ લોચ કરી ત્રણસો મુનિઓની સાથે ૩૦વર્ષની યુવાવસ્થામાં ચાર મહાવ્રત અંગીકાર કર્યા.
પૂ. ઉપાધ્યાય વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં કહ્યું છે કે, "અઠ્ઠમતપ ભૂષણ તજી રે ઉચ્ચરે મહાવ્રત ચાર, પોષ બહુલ એકાદશીએ ત્રણ સયા પરિવાર નમો" માગસર વદ-૧૨ ના દિવસે ધન્ય સાર્થવાહને ત્યાં પારણું કર્યું, તે ધન્યાતિ ધન્ય બની ગયો.
valinternational
For 26an & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
તણી પણliળ (Tunી રજૂળsી પૂજા થશે છે. કલિકુંડ તીર્થ - પ્રભુ વિહાર
કરતાં કરતાં કાદંબરી નામના જંગલમાં આવ્યા. ત્યાં કુંડ નામનું મોટું સરોવર હતું, તેમાં કમળો ખીલેલાં હતાં. તેની બાજુમાં કલિ નામનો પર્વત હતો. પ્રભુ કુંડ સરોવરના કિનારે કાઉસગ્ગ મુદ્રામાં ઊભા રહ્યા.
ત્યાં એક જંગલી હાથીએ આવીને સરોવરમાંથી પોતાની સુંઢમાં પાણી ભરી પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુના ચરણે કમળો ચઢાવ્યા. હાથી મરીને દેવગતિમાં
ગયો. તે સ્થાન કલિકુંડ તીર્થ બની ગયું. અહિછત્રાનગરી :- ત્યારબાદ પ્રભુએ કૌસ્તુભ વનમાં પ્રવેશ કર્યો. ત્યાં ત્રણ દિવસ સુધી પ્રભુ ધ્યાનમગ્ન રહ્યા. ધરણેન્દ્ર સર્પરૂપ કરી પોતાની ફણાથી છત્ર ધર્યું. તેથી ત્યાં ધરણેન્દ્ર અહિછત્રાનગરી વસાવી.
મેઘમાળીનો ઉપસર્ગ અને સમ્યગદર્શના
ત્યાંથી પ્રભુ વિહાર કરીને એક વડલા નીચે ધ્યાનમાં રહ્યા. કમઠનો જીવ મેઘમાળી દેવ બની પોતાના પહેલાના દ્વેષભાવને વિભંગ જ્ઞાનથી જાણીને ક્રોધિત થઈ ગયો. કેશરી સિંહ, હાથી, સર્પ, વૈતાળ વગેરે અનેક પ્રકારના ઉપસર્ગો કરવા લાગ્યો. પ્રભુ અડગ રહ્યા. છેવટે થાકીને મુશળધાર વરસાદ વરસાવી ચારે બાજુ તેણે જળબંબાકાર વાતાવરણ કરી દીધું, પ્રભુની નાસિકા સુધી પાણી આવી ગયું. પ્રભુતો નિશ્ચલ રહ્યા.
મેઘમાળ પાર્શ્વનાથ 'ભગાશ્રમનો પસ કરે છે
અને પદ્માવતી, ભક્તિ કરે છે
ET
Nain Education Internation
For Personal
d
ata
Oil
watermelo
27
Page #32
--------------------------------------------------------------------------
________________
અવધિજ્ઞાનથી પ્રભુના દર્શન કરી ધરણેન્દ્ર ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્રભુ ભક્તિથી પદ્માવતી સાથે ત્યાં આવ્યો. ઉપદ્રવ દૂર કરીને મેઘમાળીને ધમકાવ્યો, સમજાવ્યો. મેઘમાળીને પસ્તાવો થયો અને તે સમ્યગ્દર્શન પામ્યો.
પ્રભુની સ્તવના કરી ક્ષમા માંગી, તે પોતાના સ્થાને ગયો. હવેથી તેના લેષની પરંપરા સમાપ્ત થઈ ગઈ.
કેવલજ્ઞાન - કેવલજ્ઞાની પ્રભુવિહાર કરતાં દીક્ષા બાદ ૮૪ દિવસ પછી કાશી નગરની બહાર ઘાતકીવૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમાં ફાગણ વદ - ૪, ના દિવસે અઠ્ઠમતપ કરી ઊભા રહ્યા અને ત્યાંજ ક્ષપકશ્રેણી પર ચઢી શુક્લ ધ્યાનથી ૪ઘાતિકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા.
[ પાર્શ્વનાથ ભગવાનનો ૩૩ મુનિઓ સાથે મોક્ષ.
પ્રભુ અષ્ટ મહાપ્રાતિહાર્યથી યુક્ત બન્યા. સમવસરણની રચના થઈ. અશ્વસેન રાજા, વામાદેવી, પ્રભાવતી વગેરે ત્યાં આવ્યા. ત્યાં દેશના સાંભળી વૈરાગ્યભાવમાં આવવાથી રાજા, રાણી અને પ્રભાવતી આદિએ દીક્ષા લીધી. પ્રભુના શુભ આદિ દશ ગણધર બન્યા. પાર્શ્વયક્ષ અને પદ્માવતી અધિષ્ઠાયકદેવ દેવી બન્યા. પાર્થપ્રભુએ શાસનની સ્થાપના કરી. પાર્શ્વનાથ પ્રભુના પરિવારમાં ૧૬૦૦૦ સાધુ, ૩૮૦૦૦ સાધ્વીજી, એક હજાર કેવલી, ૧૬૪000શ્રાવક અને ૩,૭૭૦૦૦શ્રાવિકાઓ હતી.
For Personal & Private
www.jain library.org
Page #33
--------------------------------------------------------------------------
________________
મોક્ષ - ત્યારબાદ પ્રભુ સમેતશિખરજી તરફ વિહાર કરીને ગયા. ત્યાં પહાડ ઉપર ચઢી ૩૩ મુનિઓ સાથે એક મહિનાનું અણસણ કર્યું. ૧00 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાર્શ્વપ્રભુ મુનિઓ સાથે શ્રાવણ સુદ – ૮ ના રોજ ઊભા ઊભા કાઉસ્સગ્ગ મુદ્રામાં મોક્ષે ગયા. પ્રભુનું તે નિર્વાણ કલ્યાણક કહેવાય છે.
આપણે પણ પ્રભુ પાર્શ્વનાથની આરાધના કરીને મોક્ષ પામીએ આવી શુભસતત ભાવના રાખીએ.
પોષ દશમી આરાધનાની સંક્ષિપ્ત કથા
આ ભરતક્ષેત્રમાં સુરેન્દ્રપુરમાં સુરદત્ત નામનો શેઠ હતો. તેની પત્ની શીલવતી હતી. અઢળક સંપત્તિ છતાં અશુભ કર્મના ઉદયથી ચારે બાજુથી નુકસાનીના સમાચાર આવવા માંડયા.
વાની બીજી રીતે સારા છે.
સમુદ્ર વાટે આવતાં ૨૫૦ વાહનો દરિયાઈ તોફાને બીજે રસ્તે ફંટાઈ ગયા, જમીનમાં દાટેલા ૧૧ કરોડ સોનૈયા જમીન ખોદીને કાઢવા લાગ્યા, તો સાપ, વીંછી અને કોલસા જોવામાં આવ્યાં.
- Personalo
ate Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
૫૦૦ ગાડાઓ લુંટાય છે.
કરિયાણાના ૫૦૦ ગાડાઓ ચોરોએ લૂંટી લીધાં. શેઠ હતાશ બની ગયા. એક દિવસ ત્યાં આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પધાર્યા.
પ્રવચન સાંભળ્યા પછી સુરદત્ત શેઠ આચાર્યશ્રી પાસે બેઠા. તત્વ વિવેચન સાંભળ્યા પછી સુરદત્ત શેઠ આચાર્યશ્રી પાસે બેઠા. તત્વ વિવેચન સાંભળી સમ્યગ્દર્શન પામ્યા અને ત્રણ એકાસણા (સાકરનું પાણી, ખીર અને મર્યાદિત દ્રવ્યના) થી પોષદશમીથી આરાધના શરૂ કરી. આરાધનાના પ્રારંભમાં જ ૨૫૦ વાહન આવવાના સમાચાર આવ્યા, ધરતી ખોદવા માંડી, તો ચરુઓમાં સોનૈયા છલકાવા લાગ્યા. શેઠ પાછા લોકમાન્ય બની ગયા.
અંદરથી મિથ્યાત્વ સાવ નીકળી ગયું. દેઢ સમ્યકત્વી બની ગયા. પોષદશમી ૧૦ વર્ષ ૧૦ મહિના પૂરા થયા આરાધનાના ફરીથી આ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આવ્યા. શેઠે ભવ્ય રીતે ઉદ્યાપન કરાવ્યું. ઉજમણામાં ૧૦જિનચૈત્યવગેરે કરાવી અદ્દભુત શાસનપ્રભાવના કરી.
અનુક્રમે પોતાના પુત્ર સુંદરને ઘરનો ભાર સોંપીને પોતે દીક્ષા લીધી. ૧૨ વર્ષ સુધી વિવિધ તાપૂર્વક ચારિત્રની આરાધના કરી દેવલોકમાં ગયા. શેઠાણી શીલવતી પણ આરાધના કરી દેવલોકમાં ગઈ. બંને મહાવિદેહક્ષેત્રમાં મોક્ષે જશે.
Page #35
--------------------------------------------------------------------------
________________
- ચૈત્યવંદનો
ૐ નમઃપાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે, હધરણેન્દ્ર વૈશ્યા, પદ્માદેવીયુતાય તે શાંતિ- તુષ્ટિ-મહાપુષ્ટિ-વૃતિ- કીર્તિ-વિધાયિને ૐહૂદ્ધિ વ્યાલ-વૈતાલ-સર્વાધિ-વ્યાધિનાશિને
જ્યા-જિતાખ્યા-વિજ્યાખ્યા - પરાજિતયાન્વિતઃ દિશપાલે ગ્રેહેર્યક્ષર્વિદ્યાદેવીભિરન્વિતઃ
ૐ અસિઆઉસાય નમસ્તત્રનૈલોક્યનાથતાં. ચતુઃષષ્ટિ સુરેન્દ્રાસ્તે ભાસત્તે છત્રચામરેઃ શ્રી શંખેશ્વર મંડણ પાર્શ્વજિન -પ્રણત - કલ્પતરૂ - કલ્પ. ચૂરયદુષ્ટવાત, પૂરયમેવાંછિત નાથ
આશપૂરે પ્રભુ પાસજી, તોડે ભવપાસ વામામાતા જનમિયા, અહિ લંછન જાસ અશ્વસેન સુતસુખ કરૂં, નવ હાથની કાયા કાશીદેશ વારાણશી, પુણ્ય પ્રભુ આયા એકસોવરસનું આલંખુ, પાળીપાકુમાર પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખનિરધાર
જયચિંતામણી જયચિંતામણી પાર્શ્વનાથ, જયત્રિભુવનસ્વામી અષ્ટકર્મરિપુજીતીને, પંચમી ગતિ પામી પ્રભુનામે આનંદકંદ, સુખ સંપત્તિ લહિએ પ્રભુ નામે ભવભયતણા, પાતિક સવિદહિયે
હૂવર્ણ જોડી કરી, જપીએ પારસનામ, વિષ, અમૃત થઈ પરિણમે, પામે અવિચલ ઠામ
છાલનો
el drive
Page #36
--------------------------------------------------------------------------
________________
'
જન્મકલ્યાણકનું સ્તવન ચિત્ત સમરી શારદામાયરે, વળી પ્રણમી નિજ ગુરુ પાયરે, ગાઉં ત્રેવીસમો જિનરાય હાલાજીનું જન્મકલ્યાણકગાઉરે, સોનારૂપાને ફૂલડે વધાવું. હા... હા... રે.. થાળ ભરી ભરી મોતીડે વધાવું... વ્હાલાજીનું. ..૧ કાશીદેશ વારાણસીરાજે રે, અશ્વસેન છત્રપતિ છાજે રે, રાણી વામા ગૃહિણી સુરાજેહાલાજીનું ચૈત્રવદિ ચોથે પ્રભુચવિયારે, માતાવામા કુખે અવતરિયારે, અજુવાળ્યાએહનાંપરીયાં.... વ્હાલાજીનું પોષ વદી દશમી જગ ભાણજે, હોવે પ્રભુજીનું જન્મલ્યાણરે વીશ સ્થાનકસુકૃત કમાણ.... વ્હાલાજીનું નારકી નરકે સુખપાવે રે, અંતર્મુહૂર્તદુઃખ જાવે રે, એતોજન્મકલ્યાણક કહેવાયવ્હાલાજીનું પ્રભુત્રણ ભુવનશિરતાજ રે, તમે તારણતરણજહાજ રે, કહેદીપવિજય કવિરાય... વ્હાલાજીનું
- શ્રી શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન નિત્ય સમરૂં સાહિબસયણાં, નામસુણતાં શીતલ શ્રવણાં, જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લસે વયણાં રે, શંખેશ્વર સાહેબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખેશ્વર...૧ દ્રવ્યથી દેવદાનવ પૂજે, ગુણ શાંત રુચિપણું લીજે, અરિહા પદ પર્યવછાજે, મુદ્રાપદ્માસન રાજેરે. શંખેશ્વર... ૨ સંવેગે તજી ઘરવાસો, પ્રભુપાર્શ્વના ગણધર થાશો, તવ મુક્તિપુરીમાં જાશો, ગુણીલોકમાં વયણે ગવાશો રે. શંખેશ્વર...૩ એમ દામોદર જિનવાણી, આષાઢી શ્રાવકે જાણી, જિનવંદીને નિજ ઘર આવે,પ્રભુપાર્શ્વની પ્રતિમા ભરાવેરે. શંખેશ્વર...૪
For Person
Private Use Only
www.lainen
og
Page #37
--------------------------------------------------------------------------
________________
ત્રણ કાળ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે પછી તેહવૈમાનિકથાવે, તે પ્રતિમા પણ તિહાં લાવેરે. શંખેશ્વર..૫ ઘણાં કાળ પૂજીબહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોકનાં કષ્ટનિવાર્યા, જ્યારે પાર્શ્વપ્રભુજી પધાર્યારે. શંખેશ્વર...૬ યદુસૈન્ય રહ્યું રણ ઘેરી, જીત્યા નવિ જાયે વૈરી, જરાસંઘે જરાતવમેલી, હરિબલવિના સઘળે ફેરીરે. શંખેશ્વર..૭ નેમીશ્વર ચોકી વિશાળી, અટ્ટમતપ કરે વનમાળી, તૂઠી પદ્માવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે. શંખેશ્વર...૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુજી, છંટકાવ હવણ જળ જોતી, જાદવનીજરા જાયરોતીરે. શંખેશ્વર...૯ શંખપૂરી સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખેશ્વર...૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવાંછિતપૂરે, પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈનારાજે રે. શંખેશ્વર..૧૧ નાના માણેક કેરાનંદ, સંઘવી પ્રેમચંદવીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘમિલાવે રે. શંખેશ્વર...૧૨ અઢાર ઈઠ્ઠોતેર વરસે, ફાગણ વદિ તેરસ દિવસે, જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. શંખેશ્વર..૧૩
અબ૦૧
અબ૦૨
અબ મોહે ઐસી આયબની શ્રી શંખેશ્વર પાસજિનેશ્વર, મેરે તું એક ધની. તુમ બિન કોઈ ચિત્તનસુહાવે, આવે કોડિગુની. મેરો મનતુમઉપર રસિયો, અલિજિમ કમલભની. તુમ નામે સવિસંકટ ચૂરે, નાગરાજધરણી, નામ જપુંનિશિવાસર તેરો, એ મુજ શુભકરણી. કોપાન ઉપજાવતદુર્જન, મથન વચન અરણી, નામજપુંજલધાર તિહાં તુજ, ધારું દુઃખહરણી.
અબ૦૩
અબ૦૪
For Personal
Q
vate Use Only
www.jainelibre
Page #38
--------------------------------------------------------------------------
________________
અબ૦૫
મિથ્યાતિબહુજન હૈ જગમેં, પદ ન ધરત ધરણી, ઉનકો અબતુમ ભક્તિપ્રભાવે, ભય નહિ એક કની. સજ્જન-નયન સુધારસ-અંજન,દુરજનરવિભરણી તુજ મૂરતિનિરખે સોપાવે, સુખ "જશ" લીલ ધની.
અબ૦૬
સ્તુતિઓ
૧ શંખેશ્વર પાસજી પૂજીએ નરભવનો લાહોલિજીએ, મનવાંછિતપૂરણ સુરતરૂ,જયવામા સુત અલવેસરૂ ...૧ દોરાતાજિનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા દોયનીલાદોયશામળ કહ્યા, સોળજિનકંચનવર્ણ લહ્યા ... ૨ આગમતે જિનવર ભાખીયો, ગણધર તે હિયડે રાખીયો, તેમનોરસ જેણે ચાખીયો, તેહુવો શિવસુખ સાખીયો ધરણેન્દ્રરાય પદ્માવતી,પ્રભુપાર્શ્વતણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલનાં વાંચ્છિતપૂરતી ...૪
પાસજિર્ણોદાવામાનંદા, જબ ગરબેફળી, સુપનાંદખે અર્થવિશેષે કહે મધવા મળી, જિનવર જાયા, સુર ફુલરાયાહુવા રમણી પ્રિયે! નેમિરાજીચિત્તવિરાજી, વિલોકિતવ્રતલીએ. ...૧ વીર એકાકીચાર હજારે દીક્ષા પૂરે જિનપતિ, પાસને મલ્લી ત્રયશત સાથે બીજા સહસેવતી. ષટશત સાથે સંજમધરતાવાસુપૂજ્ય જગ ધણી, અનુપમલીલા, જ્ઞાનરસીલા, દેજો મુજનેઘણી. ....૨ જિનમુખ દીઠીવાણી મીઠી સુરતરૂવેલડી દ્રાક્ષવિદાસે ગઈ વનવાસે પીલે રસશેલડી
For e34a & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
સાકર સેતી તરણાં લેતીમુખે પશુચાવતી અમૃત મીઠું સ્વર્ગદીઠું, સુર વધૂ ગાવતી. ગજમુખદક્ષો વામન યક્ષો, મસ્તકે ફણાવલી. ચારતે બાંહી કચ્છપવાહી, કાયા જશ શામલી, ચઉકર પ્રૌઢા, નાગારુઢાદેવીપદ્માવતી સોવન કાંતિપ્રભુ ગુણ ગાતીવીર ઘરે આવતી ....૪
પાર્શ્વનાથ ભગવાનનો છંદ પાસ શંખેશ્વરા, સારકર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે. કોડી કરજોડીદરબાર આગે ખડા, ઠાકુરા, ચાકુરા માન માગે. ૧ પ્રગટ થાપાસજી મેલીપડદોડરો, મોડ અસુરાણને આપછોડો. મુજ મહિરાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધખોલો. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ઉંઘે મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દેજેહ જગ કાળ મોશે. ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રીકમે તું જ સંભાર્યો, પ્રગટપાતાલથી પલકમાં તે પ્રભુ, ભક્ત જન તેહનો ભયનિવાર્યો. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કોણ દૂજો "ઉદયરત્ન" કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજણો એહ પૂજો. ૫
હે શંખેશ્વરસ્વામી હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી, તમને વંદન કરીયે (૨) શિવ સુખના સ્વામી હે શંખેશ્વર .....૧ મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ તારા નામે ચાલે (૨) મારા શ્વાસોશ્વાસ હે શંખેશ્વર દુ:ખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો. પાપ હમારા હરજો (૨) શિવ સુખને દેજો હે શંખેશ્વર રાત દિવસ જંખુ છું સ્વામી ! તમને મળવાને આતમ અનુભવ માંગુ (૨) ભવ દુઃખ ટળવાને હે શંખેશ્વર .....૪ કરુણાના છો સાગર સ્વામી, કૃપા તણાભંડાર.. ત્રિભુવનના છો નાયક, (૨) જગના તારણહાર હે શંખેશ્વર .....૫
For Personal private Use Only
5
Page #40
--------------------------------------------------------------------------
________________
પાશ્વનાથ.
ખેશ્વર ,
શં.
હેઠળવી .
શ્રી
(
જેના સ્મરણથી જીવનના સંદબધાદૂરેટળે, જેના સ્મરણથી મનતણાં વાંછિત સહુ આવી મળે, જેના સ્મરણથી આધિવ્યાધિને ઉપાધિ નાટક, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું વિનો તણા વાદળ ભલે, ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિના કંટક ભલે, ચોમેર વેરાઈ જતાં, વિશ્વાસ છે જસ નામથી એ, દૂર ફેંકાઈ જતાં, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં, વિખ્યાત મહિમા જેહનો, અદ્ભુત છે દેદાર જેહના, દર્શનીય આ દેહનો, લાખો કરોડો સૂર્યપણ જસ આગળ ઝાંખા પડે, એવા શ્રી શંખેશ્વરપ્રભુના ચરણમાં પ્રેમે નમું. ધરણેન્દ્રપદ્માવતી, જેની સદા સેવા કરે, ભક્તો તણા વાંછિત સઘળા, ભક્તિથી પૂરા કરે, ઈન્દ્રો નરેન્દ્રોને મુનીન્દ્રો જાપ કરતાજેહનો, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું જેના પ્રભાવે જગતના જીવો બધા સુખપામતા, જેના હવણથી જાદવોના, રોગ દૂર ભાગતા, જેનાચરણના સ્પર્શને, નિશદિન ભક્તો ઝંખતા, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. બે કાને કુંડળજેહના, માથે મુગટ બિરાજતો,
Private Use On
www.jalnella org
For Person
36
Page #41
--------------------------------------------------------------------------
________________
આંખો મહિકરુણા અને, નિજ હૈયે હારવિરાજતો, દર્શનપ્રભુનું પામીમનનો, મોરલો મુજ નાચતો, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું.
હુપદોને જોડીને શંખેશ્વરાને જેજપે, ધરણેન્દ્રપદ્માવતી સહિત શંખેશ્વરાને જે જપે, જન્મોજન્મના પાપને સહુ અંતરાયો જસ તુટે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. કલિકાલમાં હાજરાહજુર દેવો તણાયે દેવજે, ભક્તો તણી ભવભાવઠોને ભાંગનારાદેવજે, "મુક્તિ કિરણ" ની જ્યોતને પ્રગટાવનારાદેવજે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું. પ્રગટપ્રભાવી નામતારું, નાથ સાચું હોય જો, કલિકાલમાં મુજને પ્રભુજી, મુક્તિસુખદેખાડતો, તુજ નામ સત્ય ઠરે જ છે, મુજ આતમા આનંદ તો, "પ્રગટ પ્રભાવી" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના જે પ્રભુના દર્શનથી સહુ આપદાદૂ થતી, ને પ્રભુના સ્પર્શથી, સહુ સંપદાઓ મળી જતી, વિનોહરી શિવમાર્ગના, જે મુક્તિસુખને આપતા, "વિનહરા" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના જેના ગુણોને વર્ણવા શ્રુતસાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સહુ સાગરોપાછા પડે, જેની ધવલતા આગળ ક્ષીરસાગરો છાંખા પડે, "શંખેશ્વરા" પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના જેના વદનનું તેજ નિરખી સૂર્ય આકાશે ભમે, વળી નેત્રના શુભપીયૂષ પામીચંદ્રનિશાએ ઝગે, જેની કૃપાદૃષ્ટિથકી આ વાદળાઓવરસતા. "શંખેશ્વરી" પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના
(૧૧)
(૧૨)
Jain Edaletional
of Persphal Prive. Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
(૧૩)
(૧૪)
અતીત ચોવીશી તણા નવમા દામોદર પ્રભુ, અષાઢી શ્રાવક પૂછતા કો માહરા તારકવિભુ, ત્યાં જાણતા પ્રભુ પાર્શ્વને પ્રતિમા ભરાવીને પૂજતા, "શંખેશ્વરા" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના સૌધર્મ કલ્યાદિ વિમાને પૂજ્યતા જેની રહી, વળી સૂર્યચંદ્ર વિમાનમાં પૂજા થઈ જેની સહી, ને નાગલોકે નાથ બનીને શાંતિ સુખને અર્પતા, "શંખેશ્વરા" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના આલોકમાં આ કાળમાં પૂજાય આદિકાળથી, વળીનમિવિનમિવિદ્યાધરો જેને સેવે બહુમાનથી, ત્યાંથી ધરણપતિલઈ પ્રભુને નિજભવનપધરાવતા, "શંખેશ્વરા" પ્રભુપાર્થને ભાવે કરું હું વંદના જરાસંઘની વિદ્યા જરા, જ્યાં જાદવોને ઘેરતી, નેમિપ્રભુ ઉપદેશથી શ્રીકૃષ્ણ અટ્ટમને તપી, પદ્માવતી બહુમાનથી પ્રભુપાર્શ્વપ્રતિમા આપતી, "શંખેશ્વરા" પ્રભુપાર્થને ભાવે કરું હું વંદના જેના હવણથી જાદવોની જરા દૂર ભાગતી, શંખધ્વનિ કરી સ્થાપના ત્યાં પાર્શ્વની પ્રતિમાખરી, જેના પ્રભાવે નૃપગણોના રોગ સહુ દૂર થતાં, "શંખેશ્વરા" પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના જેના સ્મરણથી ભવિકના ઈચ્છિત કાર્યો સિદ્ધતાં, જેનોનામથી પણ વિષધરોના વિષ અમૃત બની જતાં, જેનાપૂજનથી પાપીઓના પાપ-તાપશમી જતાં, "શંખેશ્વરા" પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના
જ્યાં કામધેનું કામઘટને સુરત પાછા પડે, ચિંતામણિ પારસમણિ તેજ જ્યાં ઝાંખા પડે, મણિ મંત્ર તંત્રને યંત્રજેના નામથી ફલ આપતા, "શંખેશ્વરા" પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના '
(૧૮
(૧૯)
Jain Eucation international
For Per38a Private Use Only
jainelibrary.org
Page #43
--------------------------------------------------------------------------
________________
શંખેશ્વર તીર્થ ની ધર્મશાળા અંગે ની સામાન્ય માહિતી
સંકલનકર્તા - હેમરાજ જૈન
શંખેશ્વર તીર્થમાં મુખ્ય પેઢીનું નામ જીવણદાસ ગોડીદાસ જૈન પેઢી છે. આ પેઢી દ્વારા તીર્થની દેખરેખ, આર્થિક વ્યવસ્થા, રહેવા આદિની વ્યવસ્થા શાલીનતાથી કરવામાં આવે છે. સરનામું - શંખેશ્વરતીર્થ, વાયા હારિજ, જિલ્લો પાટણ -૩૮૪૨૪૬ ફોનઃ આ ટ્રસ્ટના પ્રમુખશ્રીયકભાઈ અરવિંદભાઈ છે. આ પેઢી તરફથી દરરોજ ભાતુ આપવામાં આવે છે.
બોરીંગવાળી ધર્મશાળા પેઢીની બાજુમાં છે. (૪) ભોજનશાળાની વિશાળ સગવડ છે. તેમાં અટ્ટમના તપસ્વીઓને પારણા અને
અત્તરવાયણા કરાવવામાં આવે છે. ફોનઃ ૨૭૩૩૩૧ (૫) ધુલચંદજી બેચરજી ભવન (રાધનપુરની ધર્મશાળા) ફોનઃ૭૨૭૩૩૧૫
ઈચ્છાચંદ ધર્મચંદ ધર્મશાળા (૭) વંડાની ધર્મશાળા અને શ્રમણીવિહાર ફોનઃ ૨૭૩૪૧૪ (૮) ૧૦૮ પાર્શ્વનાથ ધર્મશાળા ફોનઃ ૨૩૩૩૨૪
આગમમંદિર ધર્મશાળા ફોનઃ ૨૭૩૩૩૫ (૧૦) પુરાબાઈ હીરજી ધર્મશાળા. ફોનઃ ૨૭૩૨૯૯ (૧૧) પાર્શ્વપદ્માવતી ધર્મશાળાફોનઃ ૨૭૩૨૯૯ (૧૨) રાજેન્દ્રભવન ધર્મશાળા ફોનઃ ૨૭૩૪૩૬ (૧૩) હાલારી ધર્મશાળાફોનઃ ૨૭૩૩૧૦ (૧૪) કે. પી. સંઘવી ધર્મશાળા ફોનઃ (૧૫) યાત્રિક ભવનફોનઃ ૨૭૩૩૪૪ (૧૬) અચલગચ્છની કચ્છી ધર્મશાળા ફોનઃ ૨૭૩૫૦૫ (૧૭) વિક્રમકૃપાકેન્દ્રભવનફોનઃ (૧૮) (B) પાયચંદ ગચ્છની ધર્મશાળા (૧૯) જૂની ભોજન શાળામાં જ્ઞાનમંદિર પણ છે. (૨૦) ૧૦૮ પાર્શ્વનાથ તરફથી હોસ્પીટલ છે. તથા અન્નક્ષેત્ર ચાલે છે. (૨૧) વિશિષ્ટ ભાવિ યોજના - વગેરે નિર્માણ થશે. પૂર્વાભિમુખ દરવાજાની બહાર
- પેઢી તરફ ધર્મશાળા પાર્કીગ, માહિતિ સ્થળ વગેરે નિર્માણ થશે. (૨૨) ખતરગચ્છ દાદાવાડી ફોનઃ ૨૭૩૫૦૫
For Personal & Private se Only
Page #44
--------------------------------------------------------------------------
________________ * શંખેશ્વર તીર્થમાં અન્ય શિખરબંધ દેરાસરો આગમમંદિરમાં વિશાળ મહાવીર સ્વામીનું જિનાલય છે. તેમાં તામ્રપત્રોમાં કોતરાવીને આગમો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ (મોન્ટેક્ષ ગૃપવાળા) છે ' IT IT 108 પાર્શ્વનાથ જિનાલયમાં મહાકાય વિશાળ | ભક્તિ પાર્શ્વનાથ પ્રભુનું છે. અહીં જુદા - જુદા 108 પાર્શ્વનાથ ભગવાનની દેરીઓ વગેરે છે. પાર્થ પદ્માવતી ધર્મશાળામાં પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. (4) ત્રિસ્તુતિક નું નવકાર (પંચ પરમેષ્ઠિ) યુક્ત દેરાસર પાર્થ પધાદેવી દેરાસર (5) ભક્તામર દેરાસર) (6) હાલારી ધર્મશાળામાં ભવ્ય જિનાલયો છે. એકમાં 31 ફૂટની ધાતુની પ્રતિમાજી (અદ્ભુત પાર્શ્વનાથ) પ્રતિષ્ઠિત થયેલ છે. (7) તેમજ પાયચંદગચ્છ, ખતરગચ્છ, અચલગચ્છ દ્વારા નિર્મિત દેરાસરો SIDDHACHAKRA GRAPHICS PH.: 079-O)256 20579 (R)26641223|