________________
રાજર્ષિ
મમ સુવર્ણબાહુ એક શિલા
ઉપર ધ્યાનસ્થ ઉભા હતા. તેમને જોતાં જ તે ક્રોધાગ્નિથી ભભૂકી
સિંહ ઊઠો અને
સુવર્ણબાહુ મુનિને સિંહે ચીર્યા
૯ મો ભવ ૧૦મા પ્રાણત અને ચૌથી નરકમાં દેવ મરુભૂતિનો જીવ સુવર્ણબાહુ કાળધર્મ પામી ૧૦મા દેવલોકમાં ૨૦ સાગરોપમ આયુષ્યવાળો દેવ થયા. કમઠનો જીવ સિંહ મરીને ૪થી નરકમાં ગયો.
Main Education International
રાજર્ષિ પર કુદકો મારી તેમનું શરીર ચીરી નાખ્યું. મુનિશ્રીએ સમતા રાખી વૈમાનિક દેવલોકમાં ગમન કર્યું.
મરુભૂતિના જીવે મનુષ્યભવમાં ધાર્મિક સંસ્કારો અને સમ્યગ્દર્શન દેઢ કરેલા હતા. તેથી ત્યાં પણ સુસંસ્કાર અને સમ્યગ્દર્શન રહ્યા. દેવભવમાં મરુભૂતિના જીવે ૫ ભરત અને ૫ ઐરવતના તીર્થંકરના ૫૦૦ કલ્યાણકોની આરાધના અગ્રેસર થઈને કરી અને બીજાને કરાવી હતી. કારણ કે સમ્યગ્દર્શન હોવાથી તીર્થંકર પરમાત્માના આત્મા તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવા જાય. વિમલનાથ ભગવાનના શાસનની પૂર્વે મરુભૂતિનો જીવ દેવલોકમાં ગયેલો છે, તેથી વિમલનાથ ભગવાનથી માંડી નેમિનાથ ભગવાન સુધી ૧૦ તીર્થંકર ભગવાનના પાંચ-પાંચ કલ્યાણક હોવાથી ૫૦ કલ્યાણક અને તે ૫૦ને ૫ ભરત + ૫ ઐરવત = ૧૦ ક્ષેત્રથી ગુણવાથી મરુભૂતિના જીવ દેવને ૫૦૦ કલ્યાણકની આરાધના થઈ. તેથી ઉપાધ્યાય વીરવિજયજી મહારાજે પંચ કલ્યાણકપૂજાની ઢાળમાં કહ્યું છે કે, "ક્ષેત્ર દશ જીનવર પાંચસે ઉત્સવ કરતાં સુર સાથે રે.
For Personal & Private Use Only
www.jainelibrary.org