SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશદના બે બોલ પુણ્યશાળીઓ ! આપ જાણો જ છે કે, પરમાત્મા પાર્થપ્રભુનો પ્રભાવ અજબગજબનો છે. તેમાં પણ વર્તમાનકાળમાં વીતરાગ શંખેશ્વરપાર્શ્વ પ્રભુનો મહિમા વિશેષ જોવામાં આવે છે. તે વીતરાગ પરમાત્માની વિશેષ ભક્તિ થાય, તેથી અહીં પોષદશમી આદિના સામુહિક અઠ્ઠમ, ઉપધાન, ચેત્રી ઓળી, દીક્ષા વગેરે ભવ્ય આયોજનો થાય છે. તેમજ લાખો યાત્રિકો આ તીર્થની યાત્રાએ આવે છે. આવા પ્રગટપ્રભાવી શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુના ગયા વર્ષે સામુહિક અઠ્ઠમપ્રસંગે ત્રણ પ્રવચનો અપાયા હતા. તે કલમથી કંડારી મુખ્યતઃ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. અને ગોપી આર્ટીસ્ટે બનાવેલ, અને "ક્ષમાવતાર પાર્શ્વનાથ" સચિત્ર કલ્પસૂત્ર છાણી આદિના પુસ્તકમાંથી ચિત્રો સાભાર લેવામાં આવ્યા છે. આ પુસ્તક વાંચી વંચાવી પ્રભુભક્તિમાં રસિક બની સર્વે મોક્ષ પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા. ભગવાનની વાણીની વિરુધ્ધ કાંઈપણ લખવામાં આવ્યું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. - લિ. પ્રકાશક વિષયાત્મ ૧ શંખેશ્વર પાર્શ્વનાથની ઐતિહાસિકતા અને પ્રભાવ.. ૨ જીર્ણોદ્ધારના ઐતિહાસીક મળતાં અનુમાનો ૩ ભવયાત્રા(પાર્શ્વનાથ ભગવાનના સચિત્ર૧૦ ભવો) ૪. જિન જભ્યાજી જિણવેલા જનની ઘરે..... ૪ પોષ દશમીની કથા .. ૫ શંખેશ્વર પાર્શ્વનાથના ચૈત્યવંદન, સ્તવન, થોયો ................. ૬ તીર્થમાં સગવડતા ... (ટાઈટલ પેજ ૩) ૭ તીર્થમાં બીજા જિનાલયો ........................................(ટાઈટલ પેજ ૪) : પ્રિન્ટીંગ: સિધ્ધચક્ર ગ્રાફિક્સ એ/૧૧૫, પહેલોમાળ, બી.જી. ટાવર, દિલ્હી દરવાજા બહાર, શાહીબાગ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૪ Phone : (O) 25620579, (R) 26641223, (M) 9825264065 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary org
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy