Book Title: Anandghan ni Atmanubhuti 08
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005049/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ oreid. > < s 3 wla, Lificatio cre than 1 which o in clons otice Willow આનંદઘનની આત્માનુભૂતિ Jan Education International આ વાત Page #2 -------------------------------------------------------------------------- ________________ The meanest fl wer that blows can give thoughts that Le do often lie too deep for tears. Page #3 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસદગુરુભ્યો નમઃ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૮૪ અધ્યાત્મ યોગીરાજ અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત પદ પર પરિશીલન આનંદઘ6ની આ માતુર્માત (ઝિમ પદ) S પરિશીલનકાર ? પ્રાચીન શ્રતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ' પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ ૦ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ કે For Private & Personal use only Page #4 -------------------------------------------------------------------------- ________________ EsA પુસ્તકનું નામ : આનંદઘનની આત્માનુભૂતિ મૂળ કૃતિ વિષય વિશેષતા ના પડદા ૩૮૨ ૦૦y : અલગારી અવધૂત ૫. પૂ. આનંદઘનજી મહારાજ પ્રણીત અષ્ટમ આધ્યાત્મિક પદ : આત્મનુભૂતિ ઃ રાગ – વિરાગ - વીતરાગદશાના ઉર્વારોહણ માટે... મમતાના પરિહાર અને સમતાના સ્વીકાર માટે... તથા સિદ્ધસ્વરૂપના સંવેદન માટે એક અણમોલ આલંબન. આત્માનુભૂતિના સાધકો માટે એક નવલું નજરાણું. વિ. સં. ૨૦૬૭ " પ્રતિઃ ૨૦૦૦ • મૂલ્ય : ૧૦૦/ પ્રાપ્તિ સ્થાન ઃ 1) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા .. દુ.નં.6, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-400 002. ફોન ઃ 22818390, Email : devanshjariwala@gmail.com 2) શ્રી અક્ષયભાઈ શાહ .. 506, પદ્મ એપાર્ટ, જૈન મંદિર કે સામને, સર્વોદયનગર, મુલુંડ (પ.). મો. : 9594555505, Email : jinshasan108@gmail.com ૩) શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા .. સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-5. મો. 9426585904, Email : ahoshrut.bs@gmail.com 4) શ્રી મેહુલ જે. વારૈયા .. 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા, સ્ટેટ બેંક ની ઉપર, ગોપીપુરા, સુરત-395 001. મો. : 9374717779, Email : mehulvaraiya@grnal.com 5) શ્રી દિનેશભાઈ જૈન .. રૂમ નં.૮, પહેલે માળે, ૯, મલ્હાર રાવ વાડી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400 002. મો. 7738500031 6) પરેશભાઈ શાહ .. A/202, શિવકૃપા, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (૫.), મુંબઈ - 400 062. મો. 9820017030 7) મલ્ટી ગ્રાફિક્સ .. 18, khotachl Wadi, Vardhaman Bldg., 3rd Floor, V P Road, Prathana Samaj, Mumbai - 4. Ph.: 23873222 / 23884222. E-mail: support@multygraphics.com Design & Printed by : MULTY GRAPHICS... www.mullygraphics.com (c) Copyright held by Publisher & Author under Indian copyright uct, 1957, http://copyright.gov.in/documerits copyright rules 1957.pdf www.jalnellbrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ Wy92cre Flowers are the BX words which even p o a baby can understand. Jain Ede Stion Interior HSS wwhere and Page #6 -------------------------------------------------------------------------- ________________ जिन मन्दिर-जल मन्दिर-जीव मन्दिर का पुण्य प्रयाग अर्थात् पावापुरी तीर्थ-जीवमैत्रीधाम SPONSOR (સુકૃત સહયોગી) વિશ્વવિખ્યાત શ્રી પાવાપુરી તીર્થ-જીવમેત્રી ધામ નિર્માતા શ્રી કે. પી. સંઘવી પરિવાર... અનેક આત્મસાધકો માટે અનુભૂતિનું આકાશ સુલભ કરવા બદલ ખૂબ ખૂબ અનુમોદના અભિનંદન. K. P. SANGHVI GROUP Name of the Entity K. P. Sanghvi & Sons Sumatinath Enterprises K. P. Sanghvi International Limited KP Jewels Private Limited Seratreak Investment Private Limited K. P. Sanghvi Capital Services Private Limited K. P. Sanghvi Infrastructure Private Limited KP Fabrics Fine Fabrics King Empex APO Page #7 -------------------------------------------------------------------------- ________________ અતુભૂતિના આકાશમાં કૂવામાં રહેતો એક દેડકો. એને લાગતું કે આ કૂવો છે, એટલી જ દુનિયા છે. દુનિયામાં જે કાંઇ પણ વસ્તુ છે, તે બધી જ આ કૂવામાં આવી ગઈ છે. આના સિવાય કાંઇ છે જ નહીં. Let's fly Kyjs-fləsu! તાTILIT' [' આજનું મોટા ભાગનું વિશ્વ એ દેડકા જેવી ગંભીર ગેરસમજનો ભોગ બન્યું છે... | વિશ્વમાં જે કાંઇ સુખ છે, તે વિષયસુખ જ છે, વિષયસુખ સિવાય કોઇ સુખ છે જ નહીં... આનંદઘનજી મહારાજ આ ગેરસમજને દૂર કરી રહ્યા છે... તું એક વાર તારા કૂવામાંથી બહાર નીકળ અને અનુભૂતિના આકાશમાં આવ... | એક વાર આ સુખનો સ્વાદ લે... પછી તો તું કૂવાનું નામ પણ ભૂલી જઇશ. ચાલો, આનંદઘનજી મહારાજની આંગળી પકડીને... આપણે ય જઇએ... અનુભૂતિના આકાશમાં. HTTTTTTTTER - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ MITTITUDE Page #8 -------------------------------------------------------------------------- ________________ TdR91 ERU ( તીતરાગ દશા आतम अनुभव फूल की, नवली कोउ रीत; नाक न पकरे वासना. कान गहे परतीत ||साखी।। अनुभव नाथ कुं क्युं न जगावे? ममता संग सो पाय अजागलथनतें दूध दुहावे...१ अनुभव नाथ कुं क्यु न जगावे?... मैरे कहेतें खीज न कीजे, तुं ऐसी ही शिखावे: बहोत कहेतें लागत ऐसी. अंगुली सरप दिखावे...२ अनुभव नाथ कुं क्युं न जगावे?... औरन के संग राते चेतन, चेतन आप बतावे; आनंदघन की सुमति आनंदा, सिद्ध सरूप कहावे...३ अनुभव नाथ कुं क्युं न जगावे?... A divine fragrance of a divine flower. Rાગ દશા आतम अनुभव फूल की, नवली को रीत: नाक न पकरे वासना, कान गहे परतीत ||साखी।। Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ - પુષ્પની રીત કોઈ નવી જ છે. કારણ કે નાક એની સુવાસ લઈ શકતું નથી, પણ કાન એની પ્રતીતિ કરે છે. ।।સાખી।। કે એક ગુરુ અને બે શિષ્ય... ત્રણેની પદયાત્રા ચાલી રહી છે. વચ્ચે એક બાગ આવ્યો. રસ્તો બરાબર તેની વચ્ચેથી થઈને જતો હતો. ગુલાબ, મોગરો, ચંપો... ચારે બાજુ સુવાસનું અદ્વૈત સામ્રાજ્ય ફેલાયેલું હતું. એક શિષ્યનું મન એ સુવાસ પ્રત્યે આકર્ષિત થઇ ગયું. બાગમાંથી પસાર થઇ ગયા પછી આ સુવાસ માણવા નહી મળે, એ વિચારે એની ચાલ ધીમી પડી ગઇ. બીજા શિષ્યને આ સુવાસમાં ભયાનકતા દેખાઈ ઇન્દ્રિયોની ગુલામી દેખાઇ. આ સુગંધ તો દુર્ગંધ કરતા ય બુરી છે, એવી સમજ સાથે તેણે ઝડપ વધારી, એક શિષ્ય પાછળ છે, બીજો આગળ છે અને ગુરુ તો પોતાની સ્વાભાવિક ચાલમાં મસ્ત બનીને ચાલી રહ્યા છે. બાગનો રસ્તો કપાઇ ગયો. થોડી વારમાં બંને શિષ્યો પૂર્વવત્ ગુરુની સાથે ચાલવા લાગ્યા. ત્યાં તો મોટો ઉકરડો આવ્યો. જ્યાં ગટરો ઉભરાતી હતી. આખા ગામની દુર્ગંધે જ્યાં ડેરો નાખ્યો હતો. કૂતરા, બિલાડી, ઉંદરના મડદાઓ જ્યાં માથુ ફાડી નાખે એવી બદબૂ ફેલાવતા હતા. અહીં પહેલા શિષ્યની ઝડપ વધી ગઇ. બીજો શિષ્ય થોડી મુશ્કેલીથી આ દુર્ગંધને સહન કરે છે અને ગુરુની સાથે સાથે ચાલવા પ્રયાસ કરે છે. અને ગુરુ તો પહેલાની જેમ જ પોતાની મસ્તીમાં ચાલી રહ્યા છે. પ્રસંગ નાનો છે, પણ વિરાટ વિશ્વની ત્રણ આત્મિક દશાને એ પોતાનામાં સમાવી લે છે. (૧) વિરાગ દશા (૨) રાગ દશા (૩) વીતરાગ દશા. અષ્ટાવક્રગીતામાં કહ્યું છે - विरक्तो विषयद्वेष्टा, रागी विषयलोलुपः । ग्रहमोक्षविहीनस्तु, न विरक्तो न रागवान् ।। વિરાગી વ્યક્તિ વિષયદ્વેષી છે. રાગી વિષયાસક્ત છે. પણ જેને હેયબુદ્ધિ કે ઉપાદેયબુદ્ધિ નથી, એ વિરાગી પણ નથી અને રાગી પણ નથી. એ તો હંમેશા માધ્યસ્થ્યભાવમાં રમણ કરે છે. ફૂલોની સુવાસમાં આકર્ષાઇ જવું એ રાગદશા... તે સુવાસમાં હેયબુદ્ધિનું અનુસંધાન કરવું તે વિરાગદશા... સુગંધ અને દુર્ગંધ બંનેમાં સમભાવ ધારણ કરવો... સર્વ સંયોગો પ્રત્યે પરમ ઔદાસીન્યને આત્મસાત્ કરવું, એનું નામ વીતરાગદશા. રાગદશા સંસારનું કારણ છે. જ્ઞાનગર્ભિત વિરાગદશા વીતરાગદશાનું કારણ છે. અને વીતરાગદશા એ મુક્તિનું કારણ છે, એટલું જ નહીં, બલ્કે એ જીવન્મુક્તિરૂપ છે. જ્યાં સુધી સંસાર છે, ત્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે. જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે, ત્યાં સુધી વિષયવેદન છે. પણ એ વેદનમાં રાગ-દ્વેષ કરવા... એ વિષયો સારા-નરસા લાગવા... એ વૃત્તિનો ત્યાગ કરવો જોઇએ. આચારાંગસૂત્રમાં કહ્યું છે - न सक्का गंधमग्घाउं, नासाविसयमागयं । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ।। ૨-૩-૧૬ / ૧૨રૂ || નાસિકાનો વિષય બની ચૂકેલ ગંધનું વેદન ન થાય એ તો શક્ય નથી. પણ તેમાં જે રાગ-દ્વેષ છે, તેનો મુનિએ ત્યાગ કરવો જોઈએ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ પાંચ વિષયોનું તો અનાદિ કાળથી www.jalhelllbrary, org Page #10 -------------------------------------------------------------------------- ________________ | આપણે વેદન કરી રહ્યા છીએ. એ વેદનમાં વળી રાગ-દ્વેષને ભેળવીને આપણે જ આપણા આત્માને દુઃખી કર્યો છે. હવે એક નવલા વિષયનું વેદન કરવું છે. જે વિષયનું નામ છે આત્મા. એનું વેદન એટલે જ આત્માનુભૂતિ. આ વેદન ઇન્દ્રિયાતીત છે. માટે જ આ વેદન રાગ-દ્વેષથી મુક્ત છે. પરમ માધ્યશ્મની પરિણતિ વિના આ વેદન થવું શક્ય નથી. પ્રસ્તુત પદમાં આ વેદનને ફૂલની ઉપમા આપીને એક આશ્ચર્યજનક કલ્પના કરી છે. आतम अनुभव फूल की नवली कोउ रीत ભૌતિક વિષયો લૌકિક કક્ષાના હોય છે. જ્યારે આધ્યાત્મિક વિષયો લોકોત્તર કક્ષાના હોય છે. જીવમાત્ર પરિવર્તનપ્રિય હોય છે. તો ય કોણ જાણે કેમ... શબ્દ વગેરે જુના-પુરાણા વિષયોનો કંટાળાજનક એક સરખો ભોગવટો કરવા છતાં પણ જીવ હજી સુધી કંટાળ્યો નથી, તેનાથી ધરાયો નથી, હવે કાંઇક પરિવર્તન (change) જોઇએ છે, એમ એનું મન બંડ પોકારતું નથી. e આ સ્થિતિમાં પરમ કાણિક પદકાર પોતે જ નવલા વિષયની રજુઆત કરે છે... વત્સ ! મુકી દે આ અનાદિના એકના એક વિષયોની તૃષ્ણા. આજે આ એક નૂતન વિષયની તને ભેટ આપું છું. જે વિષય અનંત સંસારયાત્રામાં તદ્દન અપૂર્વ છે, અને પુરાણા વિષયો તેની આગળ સાવ જ તુચ્છ લાગે એવા છે. પાંચ ઇન્દ્રિયોના સર્વોત્કૃષ્ટ વિષયોનો સર્વકાલીન ભોગવટો જો કોઈ કરે, અને એને જે સુખ મળે, એના કરતાં પણ અનંતગણું સુખ તેને મળે કે જે એક ક્ષણ માટે આત્માનુભૂતિના આંશિક આનંદને માણે. ખરેખર પદના શબ્દો સચોટ છે. नवली कोउरीत. દર છ મહિને ઓફિસનું ઇન્ટરીયર ડેકોરેશન બદલી નાખનારાઓનો તોટો નથી. કપડાં, બૂટ, મનોરંજનના સાધનો, વાહન, ઘડિયાળ, પેન... બધું જ બદલતો રહીને પરિવર્તન (change) નો આનંદ માનતો માણસ વાસ્તવમાં પોતાના આત્માને છેતરે છે. જુનું ફર્નિચર પણ લાકડા વગેરે જડ વસ્તુનું બનેલું હતું. અને નવું ફર્નિચર પણ તેવું જ છે. માત્ર બાહ્ય આકાર વગેરેના પરિવર્તનથી વસ્તુમાં પરિવર્તન નથી થઇ જતું. | આગમસૂત્રો તો ત્યાં સુધી કહે છે, કે આપણે સંસારના સર્વ પુદ્ગલોનો અનેક રીતે અનેક વાર ભોગવટો કરી ચૂક્યા છીએ. ઇન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે – संसारचक्कवाले सव्वे वि य पुग्गला मए बहसो। आहरिया य परिणामिया य न य तेसिं तित्तोऽहं।।१८।। સંસારના આ ચકરાવામાં મેં સર્વ પુગલોનો ઘણી વાર આહાર કર્યો અને ખલ-રસરૂપે તેમને પરિણમાવ્યા. છતાં પણ હું તેમનાથી તૃપ્ત થયો નથી. તૃપ્તિ મળે પણ ક્યાંથી? પુદ્ગલાનુભૂતિના માર્ગે તૃપ્તિ છે. જ નહીં, તૃપ્તિ તો એક માત્ર આત્માનુભૂતિના માર્ગે છે. મુંબઈથી દક્ષિણ દિશામાં પ્રયાણ કરે, તે કદી દિલ્હી પહોંચે ખરો? આત્માનુભૂતિ નવલી જ છે, તેવું નથી, એ તો અનેક રીતે નવલી છે. એમાં વાસ્તવિક પરિવર્તન પણ છે, નવીનતા પણ છે, તો અપૂર્વ આનંદ પણ છે. આત્માનુભૂતિને ફૂલની ઉપમા આપી છે, તો હવે એ જ ઉપમામાં ‘નવલી રીત'ની સંગતિ કરે છે. नाक न पकरे वासना कान गहे परतीत allion Inm Page #11 -------------------------------------------------------------------------- ________________ Soul લૌકિક પુષ્પને નાકથી સુંઘવામાં આવે છે. કાન ન તો | એને જોઇ શકે છે, કે ન તો સૂંઘી શકે છે. પણ આત્માનુભૂતિ એ એવું પુષ્પ છે, જેને નાક સૂધી શકતું નથી. પણ કાન તેની પ્રતીતિ કરી શકે છે. le આ નવલી રીત અનેક આશ્ચર્યોનું સર્જન કરે છે, એક તો ફૂલ હોવા છતાં પણ નાકથી તેની સુવાસ લઈ શકાય તેમ નથી. આત્મા ઇન્દ્રિયાતીત છે, માટે એનું સમાધાન હજી કદાચ મેળવી લઈએ, પણ કાન તેની પ્રતીતિ કરે છે, એનું શું? એ શી રીતે શક્ય બને? જો કોઇ રીતે કાન તેની પ્રતીતિ કરતો હોય, તો પછી નાકે શું અપરાધ કર્યો ? પુષ્પનો સંબંધ તો નાક સાથે જ વધુ હોવો જોઇએ. આ તમામ પ્રશ્નોનો ઉત્તર ‘કાન’ શબ્દની વિશિષ્ટ પરિભાષા આપે છે. શબ્દશાસ્ત્રોમાં ‘કાન'નો એક અર્થ કર્યો છે પ્રજ્ઞા. માટે જ પ્રાજ્ઞ પુરુષો માટે ‘સકર્ણ’ એવું સંબોધન કરવામાં આવ્યું છે. આત્માનુભૂતિ કરવી એ જેમ નાકથી શક્ય નથી. એ જ રીતે બાહ્ય ઇન્દ્રિયરૂપ કાનથી પણ શક્ય નથી. એ તો શક્ય બને છે એકમાત્ર આંતરપ્રજ્ઞાથી. બ્રહ્મનાદ કે અનાહતનાદની જે પ્રતીતિ થાય છે, તે પણ બાહ્ય ઈન્દ્રિયરૂપ કાનથી નહીં પણ આંતરપ્રજ્ઞારૂપ કાનથી થાય છે. બાહ્ય ઈન્દ્રિય માત્ર પૌગલિક વિષયનું ગ્રહણ કરી શકે. આત્માનુભૂતિ કરવા માટે તો આંતરપ્રજ્ઞા સિવાય બીજું કોઇ જ સક્ષમ નથી. હજુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો નાદપ્રતીતિ આત્માનુભૂતિનું સોપાન બની શકે, પણ એ સ્વયં આત્માનુભૂતિ ન બની શકે. કારણ કે આત્મા તો શબ્દાતીત છે. પંચસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે - of supreme pleasure. से ण सद्दे આત્મા એ શબ્દ નથી. માટે શબ્દથી તેની અનુભૂતિ ન થઇ શકે. આ તો નવલા વિષયની નવલી રીત છે. અનાદિ કાળથી તદ્દન અપરિચિત છે. આત્માનુભૂતિ થવી તો મુશ્કેલ છે જ. આત્માનુભૂતિની યાત્રામાં ડગ માંડવા પણ મુશ્કેલ છે. અરે, આ યાત્રાનો માર્ગ જડવો પણ મુશ્કેલ છે. આ બધી જ મુશ્કેલીઓને દૂર કરનારા... શીઘ અને સુગમ રીતે આત્માનુભૂતિની પ્રાપ્તિ કરાવનારા ટંકશાળી વચનો હવે એક પછી એક રજુ થઇ રહ્યા છે. જાણે આપણા અંતરના આંગણે કલ્પતરુ... કામઘટ... ને કામધેનુ અવતરી રહ્યા છે... આ ધન્ય પળને એક રસ થઇને માણીએ, અને સાર્થક કરીએ... R Page #12 -------------------------------------------------------------------------- ________________ अनुभव नाथ कुं क्युं न जगावे? ममता संग सो पाय अजागल थनतें दूध दुहावे...१ આત્મા તો શાહ-દtcલીત છે . अनुभव नाथ कुं क्युं न जगावे?... eye only ere Yઆત્મા તો શાશ્વાતીત છે . be looked by a It can be loo For Plate & Fersonal use only Harjainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુભવ નાથને કમ જગાડતો નથી? મમતાના તેમના શસ્ત્રો કલ્પનાતીત. આ સ્થિતિમાં તાત્કાલિક ‘અનુભવ સંગને પામીને તે બકરીના ગળાના સ્તનમાંથી દૂધ નાથ' ને જાગૃત ન કરવામાં આવે તો ભયાનક પરિણામ નિશ્ચિત છે. છતાં ય આ આતમરામ... કોણ જાણે કેમ? દોહે છે. ||૧|| . દિમૂઢ બન્યો છે... એ સમયે અધ્યાત્મ યોગીરાજના ઉદગારો ભારત-પાકિસ્તાનની સરહદની ભૂમિ. આ બાજુ સહસા અભિવ્યક્ત થાય છે... ભારતની લશ્કરી છાવણી હતી, અને બીજી બાજુ પાકિસ્તાનની अनुभव नाथ कुं क्युं न जगावे? લશ્કરી છાવણી હતી. મધરાતના સમયે છાવણીની બહાર એક સૈનિક પહેરો ભરી રહ્યો હતો. અચાનક એને ખ્યાલ આવ્યો કે આત્માનુભૂતિ જ્યાં સુધી જાગૃત નથી થઈ, ત્યાં સુધી પાકિસ્તાનની છાવણીએ ઓચિંતો હલ્લો કર્યો છે. આવા સમય એ સૂતેલા સિંહ જેવી છે. જેમ સૂતેલા સિંહની સાથે ઉંદરો પણ ચેડા કરી જાય, સસલાઓ પણ ઉછળકૂદ કરી જાય, માટે એને સ્પષ્ટ સૂચના હતી કે તરત સાયરન વગાડીને તમામ છાવણીને સંકેત આપવો. પછી બાકીનું કામ તો લશ્કર જ કરી દે. એમ આત્માનુભૂતિની અજાગૃતિની પળોમાં અધમ કક્ષાના ક્ષુદ્ર આંતરશત્રુઓ પણ આત્માની કદર્થના કરી જાય. ક્યાં પણ કોણ જાણે કેમ? પેલા સૈનિકે સાયરન ન વગાડી સુધી આ કદર્થનાને જોતા રહેવી? ક્યાં સુધી આત્મોન્નતિની એના નકામા હથિયાર સાથે એ સામે ધસી ગયો. સામે આધુનિક સુશક્યતાઓને નિષ્ફળ કરવી? આવા અનેક પ્રશ્નોના શસ્ત્રો સાથે આખી ફોજ હતી. આ બાજુ હાસ્યાસ્પદ હથિયાર વમળમાંથી ઉદ્ભવેલો એક મહાપ્રશ્ન છે – સાથે તે એકલો હતો. પરિણામ કહેવાની જરૂર નથી. अनुभव नाथ कुं क्युं न जगावे? કા...શ એણે છાવણીને ઉઠાડી દીધી હોત, તો પરિણામ આ નાથને જાગૃત કરવાનો એક અર્થ છે - આપણા કાંઇક ઓર જ આવ્યું હોત. સૈનિકની તક એના હાથમાંથી સરી “નાથ” તરીકે તેમનો સ્વીકાર કરવો. આત્માનુભૂતિને આપણા ગઈ... આપણી તકે હજી આપણા હાથમાં છે. આંતરશત્રુઓનું | સર્વસ્વ તરીકે સ્થાપિત કરવી. જ્યાં સુધી ઉપયોગમાં આત્મા આક્રમણ થઈ ચૂક્યું છે. આપણી ફરજ (duty) છે અનુભૂતિને રમતો રહે છે, ત્યાં સુધી આત્માનુભૂતિ આપણો નાથ બને છે. જાગૃત કરવાની. એક વાર એ જાગૃત થઈ જાય, પછી બાકીનું. એ સર્વથા આપણો યોગક્ષેમ કરતી રહે છે. અનાદિ કાળ સમગ્ર કામ પાર પાડવા માટે એ સમર્થ છે. માટે જ તો એને સુધી આપણે અનાથ રહ્યા. કોઇ આપણો હાથ પકડનાર અહીં ‘નાથ' તરીકે સંબોધન કર્યું છે. યોગ અને ક્ષેમ કરે, એનું કે આપણી સારસંભાળ કરનાર ન હતું. વિભાવોએ નામ નાથ. આપણું સ્વરૂપ તદ્દન વિકૃત કરી નાખ્યું. કર્મોએ આ આ નાથ વિના તો આપણી કોઇ હેસિયત જ નથી કે ઉજ્વળ આત્મા પર કાળા લપેડાઓ કરી નાખ્યા. આંતરશત્રુઓનો મુકાબલો કરી શકીએ. આપણે સાવ એકલા- વિભાવો અને કર્મો એક બીજાની પુષ્ટિ કરતા ગયા, અને અટૂલા અને તેઓ અસંખ્ય. આપણું શસ્ત્ર કાલ્પનિક અને એમાં આત્માનું નિકંદન નીકળી ગયું. Jan Education tornational For Fivate & Fersonal use only www.jalne bary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ is a fruitless effort effort for MAMATA આત્મા અમર છે, એમણે તેની ઠાઠડીઓ કાઢી. આત્મા અનંત શક્તિમાન છે, એમણે તેને નિઃસત્ત્વ બનાવ્યો. આત્મા પરમજ્ઞાની છે, વિભાવોએ અને કર્મોએ તેને ઘોર અજ્ઞાની બનાવ્યો. આત્મા અનંત આનંદનો સ્વામી છે, એમણે તેને અનંત વાર નરકમાં ધકેલી દીધો. આત્માની કાળી કદર્થના કરવામાં વિભાવો અને કર્મોએ કોઈ કસર નથી છોડી. આજે અવસર મળ્યો છે એનાથી આત્માને મુક્ત કરવાનો. આત્માની મુક્તિનો આધાર છે આત્માનુભૂતિ. | ઉંદરો અને સસલાઓને દૂર કરવા માટે સિંહે યુદ્ધ કરવાની જરૂર ન હોય, સિંહ માત્ર જાગૃતિની પળમાં પ્રવેશ કરે, એટલું જ પૂરતું હોય છે. સિંહની આંખો ખૂલી નથી અને એ ક્ષુદ્ર પ્રાણીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા નથી. આવી સિંહ જેવી સ્થિતિ છે આત્માની. તો પછી એ જાગૃતિને પામવામાં વિલંબ શા માટે? अनुभव नाथ कुं क्युं न जगावे? આત્માનુભૂતિની ઉપેક્ષા શા માટે? આ પ્રશ્નનો જવાબ છે મમતા. જીવને પોતાના શરીર, સંપત્તિ, પરિવાર વગેરે પર ખૂબ જ મમત્વ છે. એ માને છે કે આ બધું મને સુખી કરશે, અને એ જ કારણે એને આત્માનુભૂતિમાં સુખનો સ્ત્રોત દેખાતો નથી. પરિણામ સ્પષ્ટ છે- ‘આત્મા’ની અનુભૂતિ તો દૂર રહી, આત્માનું સ્મરણ કરવા પૂરતો ય એને અવકાશ રહેતો નથી. બીજી બાજુ, જેને એ સુખનો સ્ત્રોત માને છે, એ તેને સુખ આપી શકતું નથી. ममता संग सोपाय अजागल-थनतें दुध दुहावे। | મમતાથી જેનો સંગ કર્યો છે, એ સંપત્તિ વગેરેને અહીં બકરીના ગળા પર રહેલા સ્તનની ઉપમા આપી છે. એ સ્તન માત્ર નામના હોય છે. કારણ કે એને દોહવાથી દૂધ મળી શકતું નથી. કદાચ કોઇ આખી જિંદગી તેને દોહવાનો પ્રયત્ન કરે, તો પણ તેને વ્યર્થ પરિશ્રમ સિવાય બીજું કાંઇ પણ મળી શકે નહીં. તે જ રીતે શરીર, ધન, પરિવાર પાસેથી સુખની આશા રાખીને કોઇ સમગ્ર જીવન તેમની પાછળ મચી પડે, તો પણ તેને સુખ મળી શકે નહીં, કારણ કે આ બધું ય બકરીના ગળાના સ્તન જેવું છે. જેને દોહવાથી ક્લેશ અને સંક્લેશ સિવાય બીજું કશું જ મળતું નથી. શમોપનિષમાં કહ્યું છે - दुग्धो वृथैव वृषभो नु पयःस्पृहेण, सम्पीलिताऽपि सिकता ननु तैलहेतोः। सौख्याशयाऽऽश्रितवतेह मया परौघं, स्वात्मन्यथ सुखमये नितरां निलीये।। મને દૂધ જોઈતું હતું, અને તેના માટે મેં બળદને દોહ્યો. મને તેલ જોઇતું હતું અને તેના માટે મેં રેતીને ખૂબ પીલી. આવી મૂખાર્મી મેં કરી, કારણ કે સુખની ખાતર હું ‘પર’ના પનારે પડ્યો. પણ હવે મારી આંખો ઉઘડી ગઈ છે. સુખ પુગલમાં નથી, પણ આત્મામાં જ છે એનું મને ભાન થયું છે. અને હવે હું મારા આત્મસ્વરૂપમાં જ નિલીન થાઉં છું. જે અત્યંત સુખમય છે. | દ - - ) ૩ ale Fersonal use only Page #15 -------------------------------------------------------------------------- ________________ મુંબઇથી એક ફ્રેન્ડ સર્કલ કાશ્મીર ફરવા ગયું. યાદ કરવા જોઇએ. ઋષભકૂટ પર પોતાનું નામ લખવાની ય શ્રીનગરની સારી હોટલમાં તેઓ ઉતર્યા. મુંબઇની વ્યસ્ત અને જગ્યા ન હતી ત્યારે ય તેમની આંખમાં આંસુ આવ્યા હતા અને ત્રસ્ત જિંદગીમાંથી થોડા સમય માટે છૂટકારો મળ્યો. બધાના જ્યારે કો'કનું નામ ભૂસીને પોતાનું નામ લખવું પડ્યું, ત્યારે ય ચહેરા પર હાશકારો હતો, અલ્પ સમયની કૃત્રિમ પ્રસન્નતા તેમની આંખમાં આંસુ આવ્યા હતા. હતી. મુંબઈના ધુમાડાઓ ક્યાં? અને શ્રીનગરના સરોવરો e પહેલી વાર અશ્રુ એટલા માટે આવ્યા કે ૬૦,૦૦૦ વર્ષ ક્યાં? એ પ્રદૂષણ ક્યાં? અને આ પ્રાકૃતિક સૌંદર્ય ક્યાં? આ સુધી યુદ્ધો કર્યા બાદ પોતે ચક્રવર્તી બન્યો, છતાં ય ભૂતકાળના ભાવો બધાના દિલમાં રમતા હતા. કુદરતી વાતાવરણ, હરવા ચક્રવર્તીઓ સાથે તેનું નામ લખવા જેટલી ય જગ્યા નથી. ફરવાના સ્થળો, હોટલની વ્યવસ્થા બધું જ તેમને ગમી ગયું હતું. તેમાં પણ હોટલના સ્ટાફના એક માણસે તો જે કાળજીથી હજારો આફતોને પાર કર્યા પછી જ્યાં પહોંચો ત્યાં દરવાજે તેમની સગવડો સાચવી, તેનાથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા ‘નો વેકેન્સી’નું પાટિયું હોય, તો શી દશા થાય? તેવી દશા હતાં. ડિસ્ચાર્જના દિવસે તેમણે એ માણસને કહ્યું, “તે અમને ભરતચક્રીની થઇ હતી. બીજી વાર આંસુ એટલા માટે આવ્યા પૂર્ણ સંતોષ આપ્યો છે. તને જે જોઇએ, તારી જે ઈચ્છા હોય છે, કે જેમ હું કોઇનું નામ ભૂંસીને મારું નામ લખું છું, એમ કોઈ એ માંગી લે, તને મળી જશે.” તે માણસ થોડો મુંઝાયો. કાંઈ મારું નામ ભૂંસીને એનું નામ લખશે. ઇચ્છા તો છે, પણ કહેવામાં સંકોચ થાય છે, એવા સ્પષ્ટ અનંત તીર્થકરોનાં નામો ય આજે ભૂંસાઇ ગયા છે, અરે, ભાવો તેના મોઢા પર દેખાતા હતા. બધાએ એને ખૂબ આગ્રહે ત્રણ ચોવીશીને બાદ કરતાં આગળ-પાછળની ચોવીશીના નામ કર્યો, ત્યારે એ બોલ્યો, “જોઇતું તો કાંઈ નથી. પણ જીવનમાં પણ મળતા નથી. તો પછી ‘નામ’નું મમત્વ ને ‘નામના’ની એક ઇચ્છા છે... કે એક વાર મુંબઈ જોવું છે, તમે લઈ જતા મમતા શી રાખવી ? આત્માને કોઇ નામ નથી. નામ તો શરીરનું હો તો...” છે. અને શરીરની સાથે જ નષ્ટ થઈ જવાનું છે. જે અનિત્યનું કોને મૂર્ખ સમજવો? આ માણસને કે પોતાને, તે જ છે, એ સ્વયં અનિત્ય જ હોય. અનિત્ય પાસે નિત્ય સુખની મુંબઈગરાઓને સમજાતું ન હતું. મુંબઇવાળાને કાશ્મીરમાં સુખ આશા રાખવી, એટલે અજાગલ સ્તનને દોહવા... દેખાય છે, અને કાશ્મીરવાળાને મુંબઈમાં સુખ દેખાય છે. વાસ્તવમાં સુખ કાશમીરમાં પણ નથી અને મુંબઈમાં પણ નથી. મમતા સંગ સો પાય ઝગાગન-થનાઁ સુઘ ટુહાવે.. સુખ તો છે માત્ર ને માત્ર આત્મામાં. જેમાં જે વસ્તુ છે જ નહીં, કોઈને શરીરની મમતા હોય. સમગ્ર જીવન એની પાસેથી તે વસ્તુની આશા રાખવી, એ વ્યર્થ છે, એ મોટી તેની આળ-પંપાળ કર્યા કરે. શરીરની ટાપ-ટીપ, મૂર્ખતા છે. સાર સંભાળ, સ્નાન, શણગાર... આ પ્રત્યેક મમતા સંગ સો પાય નાગલ-ચનતંતુઘ દુહાવે.. ચેષ્ટાઓ સાથે શરીર પ્રત્યેના મમત્વ ભાવને વધુ e કોઈને નામની મમતા હોય છે. એણે ભરત ચક્રવર્તીને ને વધુ દૃઢ બનાવે... બિચારાને ખબર નથી - ACHARYA SRIKAILASSAGARSURI GYANMANDIR SRI MAHAVIR JAIN ARADHANA KENORA www.janolleranyang Für Private & Fersonat Loe Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અનાદે ઝાળ સુધી આવો અનાથ ૨હ્યા. કોઈ આપણૉ હાથ પકડનાર કૅ આપણી સારસંભાળ કરનાર ન હતું. વિભાવોએ આપણું સ્વરૂધ તદ્દન વિરૃત ઝરી નાખ્યું. sમોંએ આ ઉજજવળ આત્મા પર શાળા બૉડાઓ કરી નાખ્યા. વિભાગો અને ડમ ઍઝ બીજાની પુષ્ટિ ક૨તા ગયા, એમાં આત્માનું નિકંદન નીsળી ગયું. Jal Educ a tional Page #17 -------------------------------------------------------------------------- ________________ Jain Education Inframational Yes, it's our own history For Priv Page #18 -------------------------------------------------------------------------- ________________ Educan Imational fame flame but Name is not यह काया काच का कुंभा, नाहक तूं देख के फुलता; पलक . फूट जायेगा, में पता ज्यूँ डाल से गिरता. www.dainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ કેન્સર આખા શરીરમાં પ્રસરી ગયું હોય. શરીરમાં ઠેકઠેકાણે બાકોરા પડી ગયા હોય, અને તેમાંથી કીડાઓ બહાર આવતાં હોય... શરીરના અંગે અંગમાં કીડાઓ ખદબદી રહ્યા હોય, ભલભલાને કમકમાટી ઉપજાવે, તેવું ભયાનક દશ્ય હોય. માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગધ આવતી હોય... તરફડાટ અને ચીસાચીસ જોઇને સ્વજનોને પણ એક જ વિચાર આવતો હોય કે “છૂટે તો સારું.” શરીરનો આવો અંજામ સુસંભવિત હોય, એના પર શો રાગ કરવો... શું મમત્વ કરવું? શાસ્ત્રકારો તો કહે છે કે જે શરીરની લાખ સાર-સંભાળ કરવા છતાં, સુખાકારી સાચવવા છતાં, ખવડાવવા-પીવડાવવા છતાં એ દ્રોહ કર્યા વિના રહેતું નથી, એ શરીર કૂતરા કરતાં ય અધમ કક્ષાનું છે. એક બટકું રોટલી ખાધા પછી ય કૂતરો માલિકને વફાદાર રહેતો હોય છે. ખરેખર... सुणएण विण समो देहो। આ શરીર કૂતરાની ય તોલે આવી શકે તેમ નથી. આવા શરીર પર મમત્વ રાખવું, એની પાસેથી સુખની આશા રાખવી, એ ઝેર પાસેથી અમૃતની આશા રાખવા બરાબર છે, એ આશા ક્યારે પણ પૂરી થઈ શકે તેમ નથી. ममता संग सो पाय अजागल-थनतें दुध दुहावे... કોઈને પરિવાર પ્રત્યે મમતા હોય છે. ‘મારો પરિવાર’ આટલું સંવેદન પણ મમતાનો જ વિકાર છે. બહુ મોટી ગેરસમજ છે આ મમતા. અધ્યાત્મકલ્પદ્રુમમાં તો સ્પષ્ટ કહ્યું છે - त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः। ममत्वमेतेषु दधन् मुधाऽऽत्मन्, પટ્ટે પદ્દે વિરું શુષિ મૂઢ?II૧-૩રૂ II ભવભ્રમણના ભયાનક દુઃખથી નથી તો પરિવાર તને બચાવી શકવાનો, કે નથી તો તું પરિવારને બચાવી શકવાનો, તો પછી તેમના પર મમત્વ રાખીને તું ડગલે ને પગલે દુઃખી શા માટે થાય છે? છોડી દે આ મૂર્ખતા. in જેને જીવ ‘મારા’ સમજે છે, એને ખબર નથી કે એમણે મારું અનંત વાર ખૂન કર્યું છે, અને મેં તેમનું અનંત વાર ખૂન કર્યું છે. तैर्भवेषु निहतस्त्वमनन्ते - ष्वेव तेऽपि निहता भवता च। આમાં કોના પર મમત્વ કરવું? કોની પાસે સુખની આશા રાખવી? અને એવી આશાને શેની ઉપમા આપવી? ममता संग सो पाय अजागल-थनतें दुध दुहावे.. કોઈને વળી સંપત્તિ પર કારમી મૂર્છા હોય છે. સંપત્તિ જ એને મન સર્વસ્વ હોય છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાનો એક ગ્રંથ છે સમરાદિત્ય કથા - આ ગ્રંથમાં એક પ્રસંગ આવે છે. એક યુવાન જ્ઞાની ભગવંતને પૂછે છે કે આ નાળિયેરીના મૂળ આટલા ઊંડા અને આટલા ઘેરાવાવાળા કેમ છે? જ્ઞાની ભગવંત કહે છે કે એ વૃક્ષનો જીવ પૂર્વભવમાં ખૂબ જ લોભી માણસ હતો. એણે એ જગ્યાએ પોતાનું ધન દાઢ્યું હતું. આખું જીવન એના પરના મમત્વ ભાવને પુષ્ટ કર્યો. ધન પરની કારમી મમતાએ એને એકેન્દ્રિયમાં મોકલી દીધો. जहा मोहोदओ तिव्वो अन्नाणं खु महब्भयं। पेलवं वेयणीयं तु तया एगिंदियत्तणं।। in Education International SEPT VE & Pero Page #20 -------------------------------------------------------------------------- ________________ - હવેં મારી આંખો ઉઘડી ગઈ છે. સુખ પુગલમાં નથી, પણ આત્મામાં જ છે એનું મને ભાન થયું છે. અને આતમાં હવે હું મારા આત્મસ્વરૂપમાં જ નિલીન થાઉં છું. , નિલીન © જે અત્યંત સુખમય છે સુખમય Now I found it's address. address From Pre Falcona de Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મોહોદય માઝા મૂકે છે, અજ્ઞાન મહાભયાનક સપાટીને વટાવી દે છે, અને વેદનીય દુર્બળ (અવ્યક્ત) બને છે, ત્યારે એકેન્દ્રિયપણું મળે છે. એક વખતનો શ્રીમંત આજે નાળિયેરીનું ઝાડ બન્યો છે. ભવ બદલાયો છે પણ ભાવ બદલાયા નથી, ગતિ બદલાઇ છે, પણ મતિ બદલાઇ નથી. પોતે દાટેલા ધન પરના તીવ્ર મમત્વભાવથી અવ્યક્ત સંજ્ઞાને કારણે એણે એ ધનની આસપાસ પોતાના મૂળ ફેલાવી દીધા છે. જેથી કોઈને એ દેખાય નહીં, અને કોઈ એને લઇ ન જાય. સંપત્તિ પર મમત્વ કરતા પહેલા તેની આજુ બાજુ ગરોળી કે વાંદો બનીને ફરતી પોતાની જાતના દર્શન કરી લેજો. એ જ શેરના કાગળિયાઓ પર કંથવા બનીને ફરતા પોતાના આત્માનો વિચાર કરી લેજો. એ જ પોતાની માલિકીની જમીન પર છોડ બનીને ઉગેલા પોતાના જીવનું ચિંતન કરી લેજો. રે... એ ગરોળીને તમારો પોતાનો જ નોકર નવમા માળેથી નીચે નાખી દે છે. એ કંથવો તમારા જ પુત્રના હાથથી ચગદાઇ જાય છે, એ છોડ તમારા જ એક મજૂર દ્વારા ઉખેડાઈ જાય છે. કંપારી છૂટી જાય એવી આ ઘટના છે. સદ્નસીબ હોય તો એટલું જ કે આજે આ માત્ર એક શક્યતા છે, વાસ્તવિકતા નથી. અને તમે ચાહો તો એને વાસ્તવિકતા બનતા અટકાવી શકો છો. જે સંપત્તિએ આપણા અનંતકાળને ઘોર દુઃખમય બનાવી દીધો છે, જે સંપત્તિ પરના મમત્વ ભાવે આપણને દુ:ખી દુ:ખી કરી દેવામાં કોઇ કસર નથી રાખી, એ સંપત્તિ પાસેથી સુખની આશા રાખવી, એટલે મરચા પાસેથી મીઠાશની આશા રાખવા બરાબર છે. તમે પૂરા થઇ જશો, પણ આ આશા પૂરી થવાની નથી. ममता संग सो पाय अजागल-थनतें दुध, दुहावे પ્રેય (પ્રિય) એ શ્રેય બની શકે એવી કોઇ જ શક્યતા નથી, આ સ્થિતિમાં શાણપણ એમાં જ છે કે આપણે શ્રેયને જ પ્રેય બનાવી દઇએ. મમતાને મારીને સમતાનો સાથ સ્વીકારી લઈએ. શ્રામણ્યોપનિષદ્માં કહ્યું છે ममत्वमरणे जाते समत्वे सुप्रतिष्ठिते। यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ।। એક વાર મમતા મૃત્યુ પામે, અને સમતાની સમ્યક્ પ્રતિષ્ઠા થઇ જાય, પછી તો મન જ્યાં જ્યાં જાય, ત્યાં સમાધિ જ સમાધિ છે. સમતા એ કામધેનુ ગાયના સ્તન છે, અને મમતા એ બકરીના ગળાના સ્તન છે, કોની પાસેથી સુખની આશા કરવી... એ સ્વયં વિચારી લો, કદાચ આ વાતો કડવી પણ લાગે, પ્રેયને હેય સમજવું તો મુશ્કેલ છે જ, ‘પ્રેય હેય છે’ એવું સાંભળવું પણ મુશ્કેલ છે. એના જ અનુસંધાનમાં આગળની કડી રજુ થઇ રહી છે... Page #22 -------------------------------------------------------------------------- ________________ मैरे कहेतें खीज न कीजे, तुं ऐसी ही शिखावे; बहोत कहेतें लागत ऐसी, अंगुली सरप दिखावे...२ મનમવ નાથ $ વયું ન નમાવે?... બિeના ભયાન$" વારને બચાવી શgat 18 કુ:ખથી નથી તો પરિવાર ૨વા૨ તને બચાવી શgવાનો, નો, કે નથી તો તું વરતારને “ ડૉના પર મમત્વ s૨વું? ડૉની પાસે સુખની આશા રાખવી? Page #23 -------------------------------------------------------------------------- ________________ અનંતકાળથી શીખવી રહી છે કે મમતા કરી છે, તો ખેર નથી. હું તમારું ધનોતપનોત કાઢ્યા વિના રહેવાની નથી. દેવીભાગવતમાં કહ્યું છે - _ममता परमं दुःखं, निर्ममत्वं परं सुखम्।। ५-४-४६।। મમતા એ પરમ દુઃખ છે અને નિર્મમત્વ એ પરમ સુખ છે. મારા કહેવાથી ગુસ્સે થઈશ ની. કારણ કે તું, જ એવું શીખવે છે. બટુ કહેવાથી તો એવું લાગે છે, કે આગળી સાપને દેખાડે છે. મમતારૂપે પરિણમેલો આત્મા એ જ મમતા છે. સમતાસ્વરૂપે પરિણતિ પામેલ આત્મા એ જ સમતા છે. મમતાનો પર્દાફાશ થાય એટલે તરૂપે પરિણમેલ આત્મા કોપાયમાન થાય એ સહજ છે. ‘મમતા’નું ઘસાતું સાંભળતા મમતા’ ગુસ્સે થાય જ ને? મમતાએ ગુસ્સે ન થવું જોઈએ, એના કારણ તરીકે અહીં ખૂબ જ માર્મિક વચન રજુ કર્યું છે – तुं ऐसी ही शिखावे। મમતાએ પોતે જ પોતાનું સ્વરૂપ શીખવાડ્યું છે. એણે તો પોતે જ પોતાની વાસ્તવિકતાને છતી કરી છે. જગતમાં દુર્જનોએ કોઇ સારું કામ કર્યું હોય, તો તે એ છે કે તેમણે વહેલા-મોડા પણ પોતાની દુર્જનતાને પ્રગટ કરી છે. હા, આ સારા કામનો તેમના આત્માને કોઈ લાભ નથી થયો, લાભ તો સજ્જનોને થયો છે, કે તેઓ દુર્જનોની દુર્જનતાને જોઇને સહજ રીતે તેમનાથી દૂર થયા છે. तुं ऐसी ही शिखावे । પછી તે શિક્ષિત સજ્જનને નારીમાં નરક દેખાય છે. સંપત્તિમાં સર્વનાશ દેખાય છે, અને શરીરમાં મશાનની રાખ દેખાય છે. આમાં કોના પર મમત્વ રાખવું? મમતા પોતે જ કોઇએ રૂપિયા દબાવી લીધા એટલે આપણે દુઃખી થયા, એવું નથી. આપણને એ રૂપિયા ‘મારા’ લાગ્યા, એ મમત્વે આપણને દુઃખી કર્યા છે. શરીર ઘરડું થયું કે રોગિષ્ટ થયું, એટલે આપણે દુઃખી થયા એવું નથી. શરીર આપણને ‘મારું લાગ્યું એટલે આપણે દુઃખી થયા છીએ. કોઇ પણ દુઃખનું પોસ્ટમોર્ટમ કરો એના પેટાળમાં જઇને શોધ-ખોળ કરો. કોઇ ને કોઈ મમત્વ એના પાયામાં બેઠું છે. મમત્વ ન હોય તો કોઈની શક્તિ નથી કે આપણને જરા પણ દુઃખી કરી શકે. જ્ઞાનીઓ । यक्षरं तु भवेन्मृत्युः, त्र्यक्षरं ननु शाश्वतम्। ममेति च भवेन्मृत्युः, न ममेति च शाश्वतम्।। બે અક્ષર મૃત્યુદાયક છે અને ત્રણ અક્ષર શાશ્વતપદદાયક છે. ‘મારું’ એ મૃત્યુનું કારણ છે અને ‘ન મારું’ એ શાશ્વતપદનું કારણ છે. વધારે કહેવાથી તો એવું લાગે છે કે જાણે આંગળી સાપને દેખાડતી હોય. આ વચન અતિ ગંભીર છે. પહેલા તો પદકારે એમ જ કહ્યું કે મારા વચનથી કોપાયમાન નહીં For Private & Personal use only Page #24 -------------------------------------------------------------------------- ________________ થતાં. અને હવે સ્પષ્ટ એમ કહ્યું કે મમતાના સ્વરૂપ પ્રત્યે હું અંગુલિનિર્દેશ કરીશ, તો એ તમને સાપ જેવું લાગશે. अंगुली सरप दिखावे લોકિક સર્પનું ઝેર બહુ બહુ તો એક ભવ મારે છે, આ તો લોકોત્તર સર્પ છે. જેનું ઝેર ભવોભવ મારે છે. મમતાસર્પના ડંખથી આપણા અનંત મરણ થયા છે. આચારાંગ સૂત્રની ટીકામાં આ વાસ્તવિકતાનું શબ્દચિત્ર રજુ કરાયું છે - पुत्रा मे भ्राता मे, स्वजना मे गृहकलत्रवर्गो मे । इतिकृतमेमेशब्द, पशुमिव मृत्युर्जनं हरति।। पुत्रकलत्रादिपरिग्रह-ममत्वदोषैर्नरो व्रजति नाशम्। कृमिक इव कोशकारः, परिग्रहाद् दोषमाप्नोति।। મારા (મે) પુત્રો, મારો ભાઈ, મારા સ્વજનો, મારું ઘર તથા પત્ની આ રીતે મે-મે (મારું -મારું) અવાજ કરનાર માણસને મૃત્યુ પશુની જેમ ઉપાડી જાય છે. પુત્ર, પત્ની વગેરે પરિગ્રહના મમત્વના દોષથી મનુષ્ય ! નાશ પામે છે. કોશકાર (કોશેટા) કીડાની જેમ પરિગ્રહ (મૂચ્છ-મમત્વ) ના કારણે જીવ દોષ પામે છે. अंगुली सरप दिखावे નિષ્કારણ વત્સલ સદ્ગુરુ આ મહાભયાનક સર્પ તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેઓ જેને જે સ્વરૂપે દેખાડવા માંગે છે, તેને તે સ્વરૂપે આપણે ઓળખી લઈએ. આજ સુધી આપણે કરેલી ગંભીર ભૂલ એ છે, કે આપણે વસ્તુને વિપરીતસ્વરૂપે જાણી છે. વસ્તુ જેવી નથી, તેવી સમજી છે, જેવી છે, તેવી નથી સમજી. અધ્યાત્મસાર માં કહ્યું છે - ममतान्धो हि यन्नास्ति, तत् पश्यति न पश्यति। जात्यन्धस्तु यदस्त्येतद् - भेद इत्यनयोर्महान्।।८-१२।। જન્મથી અંધ વ્યક્તિ ‘જે છે', તેને જોઇ શકતી નથી, પણ મમતાથી અંધ વ્યક્તિ તો ‘જે નથી’, તેને જુએ છે. બંને વચ્ચે કેટલો ફરક ! મમતાથી અંધ વ્યક્તિને સ્ત્રીમાં સૌદર્યના દર્શન થાય છે. સ્ત્રીના માયા-પ્રપંચમાં તેને સરળતા દેખાય છે, પુત્રની અશુચિમાં તેને અમૃતના દર્શન થાય છે. આ વિષમતાના વર્ણનનો કોઇ અંત આવે તેમ નથી. જેને ઝેર ચડ્યું હોય, તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે, તેમ મમતાસ્વરૂપ સાપનું ઝેર જેને ચડ્યું હોય, તેને અસાર સંસાર પણ સારભૂત લાગે છે. e મમતાના સંગે અનંતગુણસંપન્ન આત્માની પણ આવી કાળી કદર્થના થાય છે. આત્મિક સુખ પ્રાપ્ત કરવું હોય, અનંતગુણોનું પ્રગટીકરણ કરવું હોય, તો સમતાનો સંગ કરવો અનિવાર્ય છે, અંતિમ કડીમાં આ જ તત્ત્વ રજુ થઇ રહ્યુ છે...! Jain Education Intematonal For Privale & Personal use only www.jainelibrary.one Page #25 -------------------------------------------------------------------------- ________________ you aware of this dangerous blindness? જન્મથી અંધ વ્યકત ‘જે છે”, તેને જોઈ શSતી નથી, પણ મમતાથી અંધ વ્યtત તો જે નથી’, તેને જુઍ છે. બંને વચ્ચે કૅટલો ૨s Personal use only www.jainelibrary Page #26 -------------------------------------------------------------------------- ________________ Jamnication international औरन के संग राते चेतन, चेतन आप बतावे; आनंदघन की सुमति आनंदा, सिद्ध सरूप कहावे...३ अनुभव नाथ कुं क्युं न जगावे... ? Eccess www.jainerary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ચેતન અન્યના સંગે રક્ત થયો છે, એ તો ચેતન પોતે જ બતાવે છે. આનંદઘનની આનંદમય સુમંત સિદ્ધસ્વરૂપ કહેવાય છે. ।।૩।। પતિ જ્યારે બીજી સ્ત્રીના પ્રેમમાં પડે, ત્યારે તેની પત્ની તેના લક્ષણો પરથી તે કળી જાય છે. પત્નીની સાથે વાત કરતા ભૂલથી પ્રેમિકાનું નામ બોલાઇ જવું, પત્નીની હાજરીમાં ય કોઈ બીજી દુનિયામાં ખોવાઈ જવું... વગેરે પોતાની વર્તણૂંકો દ્વારા પતિ પોતે જ આડકતરી રીતે જણાવી દે છે, કે પોતે અન્ય સ્ત્રીમાં આસક્ત છે. ‘ચેતન’ની પરિસ્થિતિ પણ એવા પતિ જેવી છે. એ મમતામાં આસક્ત થયો છે. એટલે એની એક-એક ચેષ્ટાઓ વિલક્ષણ બની છે. સમાધિતંત્રમાં કહ્યું છે - उत्पन्नपुरुषभ्रान्तेः, स्थाणौ यद्वद्विचेष्टितम् । તદ્નમે ચેષ્ટિત પૂર્વ, વેદાદ્રિષ્યાત્મવિપ્રમાાાર૧।। यथाऽसौ चेष्टते स्थाणौ, निवृत्ते पुरुषाऽऽग्रहे । तथाचेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ॥२२॥ જંગલમાંથી એક માણસ પસાર થતો હતો. સાંજનો સમય હતો. આછા અંધારામાં તેને એક આકૃતિ દેખાઇ, માણસનું મન ચકરાવે ચડ્યું... કોણ હશે? અહીં કેમ ઊભો હશે? ચોર તો નહીં હોય ને? કેમ બચવું? ક્યાં નાસી જવું... આવા સેંકડો વિકલ્પો એના મનને ઘેરી વળ્યા. ગભરાતા ગભરાતા જ્યારે તે નજીક પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો, કે એ કોઇ માણસ છે, એ તો પોતાનો ભ્રમ હતો. વાસ્તવમાં તો એ ઝાડનું ઠુંઠુ હતું, એના પર એક અવજ્ઞાભરી નજર નાખીને એ પથિક ત્યાંથી આગળ વધી ગયો. જ્યાં સુધી ઝાડનું ઠૂંઠું માણસ છે એવી ભ્રાન્તિ હતી, ત્યાં સુધી એ પથિક ચિત્ર-વિચિત્ર વિકલ્પો અને ચેષ્ટાઓ કરતો રહ્યો, એમ જ્યાં સુધી ‘શરીર હું છું’ એવી અહંબુદ્ધિરૂપ ભ્રાન્તિ છે અને ‘સંપત્તિ વગેરે મારા છે' એવી મમબુદ્ધિરૂપ ભ્રમ છે, ત્યાં સુધી જીવ ચિત્ર-વિચિત્ર વિકલ્પો અને ચેષ્ટાઓ કરતો રહે છે. જ્યારે આ ભ્રમ ભાંગે છે, ‘શરીર હું નથી’ અને ‘પુત્રપત્ની-ધન વગેરે મારા નથી', આટલી સમ્યક્ સમજ આવે છે, ત્યારે જીવ પણ પેલા પથિકની જેમ સ્વસ્થ અને નિર્ભય બને છે, અને આત્માનુભૂતિનો આનંદ માણે છે. આવી સમ્યક્ સમજ એનું જ નામ સુમતિ. જ્યાં સુમતિ છે ત્યાં આનંદ છે. સુમતિ આનંદનું કારણ પણ છે અને સુમતિ સ્વયં આનંદમય પણ છે. એટલે જ અહીં સુમતિને ‘આનંદા’ કહીને સંબોધી છે. आनंदघन की सुमति आनंदा વિશ્વમાં કાંઈક સ્પૃહણીય હોય, તો એ સુમતિ છે, કારણ કે વિશ્વની સર્વ સમ્યક્ વસ્તુઓ સુમતિના પગલે પગલે ચાલી આવે છે. કે આપણે ત્યાં નાના બાળકોને શીખવવામાં આવે છે, પ્રભુ પાસે આ રીતે બોલવું... “જે જે દાદા, સર્બુદ્ધિ આપજો...'' આ શીખ ખરેખર ખૂબ જ સુંદર છે. સદ્ગુદ્ધિ છે તો સર્વસ્વ છે દુર્બુદ્ધિ છે, તો સર્વનાશ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે - બુદ્ધિભ્રંશાત્ પ્રતિા એક વાર સર્બુદ્ધિનો ભ્રંશ થાય, એટલે સર્વનાશ થયા વિના રહેતો નથી. જેના પર એક પછી એક આફતો આવતી હોય, તેના For Prisontal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ‘શરીર હું નથી” ' અને ‘પુત્ર-પત્ની-ધન વગેરે મારા નથી’, આટલી સમ્યક્ સમજ આવે છે અને આત્મા આત્માનુભૂતિનો | આનંદ માણે છે.. જ્યાં સુમાત છે ત્યાં આનંદ છે. Www.jainello Page #29 -------------------------------------------------------------------------- ________________ માટે લોકો એવું કહે છે, કે એના પર કાળ રુઠ્યો છે. પ્રશ્ન એ થાય છે, કે કાળ કુપિત થાય એટલે એ કરે શું? એની કઇ પ્રવૃત્તિ જીવનું અહિત કરે છે? આનો ઉત્તર મહાભારતમાં આપ્યો છે – न कालो दण्डमुद्यम्य शिरः कृन्तति कस्यचित्। कालस्य बलमेतावद्, विपरीतार्थदर्शनम्।। કાળ એ કાંઇ તલવાર લઇને કોઈનું માથું કાપી નાખતો નથી. કાળનું બળ તો એટલું જ છે, કે એ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. એને વસ્તુસ્થિતિ હોય, એના કરતા વિપરીત દેખાડવું, એટલું જ કાળનું કામ. એના પછી એ વ્યક્તિનો વિનાશ નોતરવાનું કામ તો એની કુમતિ જ કરી લે છે. સ્વાધ્યાય, ધ્યાન, પ્રભુભક્તિ, ધર્મશ્રવણ આદિ સર્વસાધનાઓનું અનંતર લક્ષ્ય છે સુમતિની પ્રાપ્તિ, અને પરંપર લક્ષ્ય છે મોક્ષની પ્રાપ્તિ. आनंदघन की सुमति आनंदा અનંત જીવોના કાજળકાળા ઇતિહાસના મૂળમાં હતી કુમતિ અને અનંત જીવોના સુવર્ણ ઇતિહાસના પાયામાં હતી સુમતિ. તિર્યંચગતિ અને નરકગતિના દારુણ દુઃખો આપે છે કુમતિ અને સ્વર્ગ તથા મોક્ષના સુખો આપે છે સુમતિ. સમાન વર્તમાનને કલુષિત બનાવે છે કુમતિ અને એ જ વર્તમાનને ભવ્ય બનાવે છે સુમતિ. આનંદઘન એટલે આપણો જીવ. શ્રુતિમાં કહ્યું છે - 1 नित्यं विज्ञानमानन्दं ब्रह्म || બૃહદારણ્યકોપનિષદ્ ૩-૯|૨૮॥ આત્મા નિત્ય વિજ્ઞાનમય અને આનંદમય છે. આ આનંદઘન આત્માની સુમતિ = સર્બુદ્ધિ એ જ આનંદમય છે. આ પંક્તિ ગંભીર ચિંતન માંગી લે છે. आनंदघन की सुमति आनंदा આનંદઘન આત્માના આનંદમય સ્વરૂપનો આધાર એની સુમતિ છે, એ આ પંક્તિનું તાત્પર્ય છે. સુમતિ છે, તો જીવ આનંદઘન છે, કુમતિ છે, તો જીવ આર્લિઘન (દુઃખમય) છે. રમણ મહર્ષિને અંત સમયે જ્યારે આખા શરીરમાં કેન્સર પ્રસરી ગયું હતું, ત્યારે એક ભક્ત તેમની પ્રસન્નતા જોઇને ચકિત થઇ ગયો હતો. જે સ્થિતિમાં માણસ હાય વોય કરે, વિલાપ કરે, ચીસાચીસ કરે, શું થશે... વગેરે ચિંતાઓમાં બની ગળાડુબ જાય, એ સ્થિતિમાં આટલી પ્રસન્નતા ! આટલી સ્વસ્થતા ! આ શી રીતે શક્ય બને??? એ ભક્ત ભોળે ભાવે રમણ મહર્ષિને પૂછ્યું, “આપને એવો ભય નથી લાગતો? કે દેહ પડી જશે તો??? રમણ મહર્ષિએ કહ્યું, “જો સામે બળદ છે ને? એના શિંગડા પર માળા લટકે છે. એ રહે કે પડે, એમાં બળદને શું ફરક પડે? એ જ રીતે આ શરીર રહે કે પડે, એમાં મને કોઈ ફરક પડતો નથી.’’ સુમતિની હાજરી છે, તો સદા ય સુખ છે અને કુમતિનું સાન્નિધ્ય છે, તો સદા ય દુઃખ છે. સુમતિ એટલે તત્ત્વમતિ... સમ્યક્ સમજ... સબુદ્ધિ... એક વાર આનંદઘન આત્માને આનંદમય સુમતિનો યોગ થાય, તેના દ્વારા આનંદઘનરૂપ નિજસ્વરૂપનું પ્રાગટ્ય થાય અને પરિણામે આનંદના અદ્ભુત સામ્રાજ્યની અનુભૂતિ થાય... આ જ અનુભૂતિ આત્માનુભૂતિનું બીજું નામ છે. આ જ અનુભૂતિ જીવન્મુક્તિનો પર્યાય છે, અને આ જ અનુભૂતિ સિદ્ધસ્વરૂપનું સંવેદન છે. आनंदघन की सुमति आनंदा सिद्ध सरूप कहावे જેઠ સુદ ૧૨, વિ.સં. ૨૦૬૭૭ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. Page #30 -------------------------------------------------------------------------- ________________ O)()) 10 - સમ્યક્ સમજ... એટલે તત્ત્વતિ... 00 સદ્ધિ... ô Ó d • ૢ Yes, ne 0 0 23 = આત્મા નિત્ય વિજ્ઞાનમય અને આનંદમય છે. આ આનંદઘન આત્માની સુત – આનંદઘન અ ૭ ૭ yed Phene joy SRI KAILASSAR *t Prate & Prot ADHAN KENORA 509 શ | Page #31 -------------------------------------------------------------------------- ________________ forever Jocsi lower's Smellt a devine t of Tory of ve Story of a story story of a divine flower or which smells forever v For Prwale & Personal use only Page #32 -------------------------------------------------------------------------- ________________ Have a happy flight in Self-Sky ચાર્ટર્ડ વ્હેન કહો, આકાશગામિની લબ્ધ કહો, એ અનુભૂતિના આSાશમાં ઉડવાનું આલંબન છે, ખે ચૂડી જતા... Don't miss it. MUSTY GRAPHICS Jednorational Fat Pirate & Frontal De Only www.janolbar