SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતન અન્યના સંગે રક્ત થયો છે, એ તો ચેતન પોતે જ બતાવે છે. આનંદઘનની આનંદમય સુમંત સિદ્ધસ્વરૂપ કહેવાય છે. ।।૩।। પતિ જ્યારે બીજી સ્ત્રીના પ્રેમમાં પડે, ત્યારે તેની પત્ની તેના લક્ષણો પરથી તે કળી જાય છે. પત્નીની સાથે વાત કરતા ભૂલથી પ્રેમિકાનું નામ બોલાઇ જવું, પત્નીની હાજરીમાં ય કોઈ બીજી દુનિયામાં ખોવાઈ જવું... વગેરે પોતાની વર્તણૂંકો દ્વારા પતિ પોતે જ આડકતરી રીતે જણાવી દે છે, કે પોતે અન્ય સ્ત્રીમાં આસક્ત છે. ‘ચેતન’ની પરિસ્થિતિ પણ એવા પતિ જેવી છે. એ મમતામાં આસક્ત થયો છે. એટલે એની એક-એક ચેષ્ટાઓ વિલક્ષણ બની છે. સમાધિતંત્રમાં કહ્યું છે - उत्पन्नपुरुषभ्रान्तेः, स्थाणौ यद्वद्विचेष्टितम् । તદ્નમે ચેષ્ટિત પૂર્વ, વેદાદ્રિષ્યાત્મવિપ્રમાાાર૧।। यथाऽसौ चेष्टते स्थाणौ, निवृत्ते पुरुषाऽऽग्रहे । तथाचेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ॥२२॥ જંગલમાંથી એક માણસ પસાર થતો હતો. સાંજનો સમય હતો. આછા અંધારામાં તેને એક આકૃતિ દેખાઇ, માણસનું મન ચકરાવે ચડ્યું... કોણ હશે? અહીં કેમ ઊભો હશે? ચોર તો નહીં હોય ને? કેમ બચવું? ક્યાં નાસી જવું... આવા સેંકડો વિકલ્પો એના મનને ઘેરી વળ્યા. ગભરાતા ગભરાતા જ્યારે તે નજીક પહોંચ્યો ત્યારે ખ્યાલ આવ્યો, કે એ કોઇ માણસ છે, એ તો પોતાનો ભ્રમ હતો. વાસ્તવમાં તો એ ઝાડનું ઠુંઠુ હતું, એના પર એક અવજ્ઞાભરી નજર નાખીને એ પથિક ત્યાંથી આગળ વધી ગયો. જ્યાં સુધી ઝાડનું ઠૂંઠું માણસ છે એવી ભ્રાન્તિ હતી, Jain Education International ત્યાં સુધી એ પથિક ચિત્ર-વિચિત્ર વિકલ્પો અને ચેષ્ટાઓ કરતો રહ્યો, એમ જ્યાં સુધી ‘શરીર હું છું’ એવી અહંબુદ્ધિરૂપ ભ્રાન્તિ છે અને ‘સંપત્તિ વગેરે મારા છે' એવી મમબુદ્ધિરૂપ ભ્રમ છે, ત્યાં સુધી જીવ ચિત્ર-વિચિત્ર વિકલ્પો અને ચેષ્ટાઓ કરતો રહે છે. જ્યારે આ ભ્રમ ભાંગે છે, ‘શરીર હું નથી’ અને ‘પુત્રપત્ની-ધન વગેરે મારા નથી', આટલી સમ્યક્ સમજ આવે છે, ત્યારે જીવ પણ પેલા પથિકની જેમ સ્વસ્થ અને નિર્ભય બને છે, અને આત્માનુભૂતિનો આનંદ માણે છે. આવી સમ્યક્ સમજ એનું જ નામ સુમતિ. જ્યાં સુમતિ છે ત્યાં આનંદ છે. સુમતિ આનંદનું કારણ પણ છે અને સુમતિ સ્વયં આનંદમય પણ છે. એટલે જ અહીં સુમતિને ‘આનંદા’ કહીને સંબોધી છે. आनंदघन की सुमति आनंदा વિશ્વમાં કાંઈક સ્પૃહણીય હોય, તો એ સુમતિ છે, કારણ કે વિશ્વની સર્વ સમ્યક્ વસ્તુઓ સુમતિના પગલે પગલે ચાલી આવે છે. કે આપણે ત્યાં નાના બાળકોને શીખવવામાં આવે છે, પ્રભુ પાસે આ રીતે બોલવું... “જે જે દાદા, સર્બુદ્ધિ આપજો...'' આ શીખ ખરેખર ખૂબ જ સુંદર છે. સદ્ગુદ્ધિ છે તો સર્વસ્વ છે દુર્બુદ્ધિ છે, તો સર્વનાશ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે - બુદ્ધિભ્રંશાત્ પ્રતિા એક વાર સર્બુદ્ધિનો ભ્રંશ થાય, એટલે સર્વનાશ થયા વિના રહેતો નથી. જેના પર એક પછી એક આફતો આવતી હોય, તેના For Prisontal Use Only
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy