SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ માટે લોકો એવું કહે છે, કે એના પર કાળ રુઠ્યો છે. પ્રશ્ન એ થાય છે, કે કાળ કુપિત થાય એટલે એ કરે શું? એની કઇ પ્રવૃત્તિ જીવનું અહિત કરે છે? આનો ઉત્તર મહાભારતમાં આપ્યો છે – न कालो दण्डमुद्यम्य शिरः कृन्तति कस्यचित्। कालस्य बलमेतावद्, विपरीतार्थदर्शनम्।। કાળ એ કાંઇ તલવાર લઇને કોઈનું માથું કાપી નાખતો નથી. કાળનું બળ તો એટલું જ છે, કે એ માણસની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. એને વસ્તુસ્થિતિ હોય, એના કરતા વિપરીત દેખાડવું, એટલું જ કાળનું કામ. એના પછી એ વ્યક્તિનો વિનાશ નોતરવાનું કામ તો એની કુમતિ જ કરી લે છે. સ્વાધ્યાય, ધ્યાન, પ્રભુભક્તિ, ધર્મશ્રવણ આદિ સર્વસાધનાઓનું અનંતર લક્ષ્ય છે સુમતિની પ્રાપ્તિ, અને પરંપર લક્ષ્ય છે મોક્ષની પ્રાપ્તિ. आनंदघन की सुमति आनंदा અનંત જીવોના કાજળકાળા ઇતિહાસના મૂળમાં હતી કુમતિ અને અનંત જીવોના સુવર્ણ ઇતિહાસના પાયામાં હતી સુમતિ. તિર્યંચગતિ અને નરકગતિના દારુણ દુઃખો આપે છે કુમતિ અને સ્વર્ગ તથા મોક્ષના સુખો આપે છે સુમતિ. સમાન વર્તમાનને કલુષિત બનાવે છે કુમતિ અને એ જ વર્તમાનને ભવ્ય બનાવે છે સુમતિ. આનંદઘન એટલે આપણો જીવ. શ્રુતિમાં કહ્યું છે - 1 नित्यं विज्ञानमानन्दं ब्रह्म || બૃહદારણ્યકોપનિષદ્ ૩-૯|૨૮॥ આત્મા નિત્ય વિજ્ઞાનમય અને આનંદમય છે. આ આનંદઘન આત્માની સુમતિ = સર્બુદ્ધિ એ જ આનંદમય છે. આ પંક્તિ ગંભીર ચિંતન માંગી લે છે. आनंदघन की सुमति आनंदा આનંદઘન આત્માના આનંદમય સ્વરૂપનો આધાર એની સુમતિ છે, એ આ પંક્તિનું તાત્પર્ય છે. સુમતિ છે, તો જીવ આનંદઘન છે, કુમતિ છે, તો જીવ આર્લિઘન (દુઃખમય) છે. રમણ મહર્ષિને અંત સમયે જ્યારે આખા શરીરમાં કેન્સર પ્રસરી ગયું હતું, ત્યારે એક ભક્ત તેમની પ્રસન્નતા જોઇને ચકિત થઇ ગયો હતો. જે સ્થિતિમાં માણસ હાય વોય કરે, વિલાપ કરે, ચીસાચીસ કરે, શું થશે... વગેરે ચિંતાઓમાં બની ગળાડુબ જાય, એ સ્થિતિમાં આટલી પ્રસન્નતા ! આટલી સ્વસ્થતા ! આ શી રીતે શક્ય બને??? એ ભક્ત ભોળે ભાવે રમણ મહર્ષિને પૂછ્યું, “આપને એવો ભય નથી લાગતો? કે દેહ પડી જશે તો??? રમણ મહર્ષિએ કહ્યું, “જો સામે બળદ છે ને? એના શિંગડા પર માળા લટકે છે. એ રહે કે પડે, એમાં બળદને શું ફરક પડે? એ જ રીતે આ શરીર રહે કે પડે, એમાં મને કોઈ ફરક પડતો નથી.’’ સુમતિની હાજરી છે, તો સદા ય સુખ છે અને કુમતિનું સાન્નિધ્ય છે, તો સદા ય દુઃખ છે. સુમતિ એટલે તત્ત્વમતિ... સમ્યક્ સમજ... સબુદ્ધિ... એક વાર આનંદઘન આત્માને આનંદમય સુમતિનો યોગ થાય, તેના દ્વારા આનંદઘનરૂપ નિજસ્વરૂપનું પ્રાગટ્ય થાય અને પરિણામે આનંદના અદ્ભુત સામ્રાજ્યની અનુભૂતિ થાય... આ જ અનુભૂતિ આત્માનુભૂતિનું બીજું નામ છે. આ જ અનુભૂતિ જીવન્મુક્તિનો પર્યાય છે, અને આ જ અનુભૂતિ સિદ્ધસ્વરૂપનું સંવેદન છે. आनंदघन की सुमति आनंदा सिद्ध सरूप कहावे જેઠ સુદ ૧૨, વિ.સં. ૨૦૬૭૭ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્.
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy