SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ થતાં. અને હવે સ્પષ્ટ એમ કહ્યું કે મમતાના સ્વરૂપ પ્રત્યે હું અંગુલિનિર્દેશ કરીશ, તો એ તમને સાપ જેવું લાગશે. अंगुली सरप दिखावे લોકિક સર્પનું ઝેર બહુ બહુ તો એક ભવ મારે છે, આ તો લોકોત્તર સર્પ છે. જેનું ઝેર ભવોભવ મારે છે. મમતાસર્પના ડંખથી આપણા અનંત મરણ થયા છે. આચારાંગ સૂત્રની ટીકામાં આ વાસ્તવિકતાનું શબ્દચિત્ર રજુ કરાયું છે - पुत्रा मे भ्राता मे, स्वजना मे गृहकलत्रवर्गो मे । इतिकृतमेमेशब्द, पशुमिव मृत्युर्जनं हरति।। पुत्रकलत्रादिपरिग्रह-ममत्वदोषैर्नरो व्रजति नाशम्। कृमिक इव कोशकारः, परिग्रहाद् दोषमाप्नोति।। મારા (મે) પુત્રો, મારો ભાઈ, મારા સ્વજનો, મારું ઘર તથા પત્ની આ રીતે મે-મે (મારું -મારું) અવાજ કરનાર માણસને મૃત્યુ પશુની જેમ ઉપાડી જાય છે. પુત્ર, પત્ની વગેરે પરિગ્રહના મમત્વના દોષથી મનુષ્ય ! નાશ પામે છે. કોશકાર (કોશેટા) કીડાની જેમ પરિગ્રહ (મૂચ્છ-મમત્વ) ના કારણે જીવ દોષ પામે છે. अंगुली सरप दिखावे નિષ્કારણ વત્સલ સદ્ગુરુ આ મહાભયાનક સર્પ તરફ અંગુલિનિર્દેશ કરે છે. તેઓ જેને જે સ્વરૂપે દેખાડવા માંગે છે, તેને તે સ્વરૂપે આપણે ઓળખી લઈએ. આજ સુધી આપણે કરેલી ગંભીર ભૂલ એ છે, કે આપણે વસ્તુને વિપરીતસ્વરૂપે જાણી છે. વસ્તુ જેવી નથી, તેવી સમજી છે, જેવી છે, તેવી નથી સમજી. અધ્યાત્મસાર માં કહ્યું છે - ममतान्धो हि यन्नास्ति, तत् पश्यति न पश्यति। जात्यन्धस्तु यदस्त्येतद् - भेद इत्यनयोर्महान्।।८-१२।। જન્મથી અંધ વ્યક્તિ ‘જે છે', તેને જોઇ શકતી નથી, પણ મમતાથી અંધ વ્યક્તિ તો ‘જે નથી’, તેને જુએ છે. બંને વચ્ચે કેટલો ફરક ! મમતાથી અંધ વ્યક્તિને સ્ત્રીમાં સૌદર્યના દર્શન થાય છે. સ્ત્રીના માયા-પ્રપંચમાં તેને સરળતા દેખાય છે, પુત્રની અશુચિમાં તેને અમૃતના દર્શન થાય છે. આ વિષમતાના વર્ણનનો કોઇ અંત આવે તેમ નથી. જેને ઝેર ચડ્યું હોય, તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે, તેમ મમતાસ્વરૂપ સાપનું ઝેર જેને ચડ્યું હોય, તેને અસાર સંસાર પણ સારભૂત લાગે છે. e મમતાના સંગે અનંતગુણસંપન્ન આત્માની પણ આવી કાળી કદર્થના થાય છે. આત્મિક સુખ પ્રાપ્ત કરવું હોય, અનંતગુણોનું પ્રગટીકરણ કરવું હોય, તો સમતાનો સંગ કરવો અનિવાર્ય છે, અંતિમ કડીમાં આ જ તત્ત્વ રજુ થઇ રહ્યુ છે...! Jain Education Intematonal For Privale & Personal use only www.jainelibrary.one
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy