SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતકાળથી શીખવી રહી છે કે મમતા કરી છે, તો ખેર નથી. હું તમારું ધનોતપનોત કાઢ્યા વિના રહેવાની નથી. દેવીભાગવતમાં કહ્યું છે - _ममता परमं दुःखं, निर्ममत्वं परं सुखम्।। ५-४-४६।। મમતા એ પરમ દુઃખ છે અને નિર્મમત્વ એ પરમ સુખ છે. મારા કહેવાથી ગુસ્સે થઈશ ની. કારણ કે તું, જ એવું શીખવે છે. બટુ કહેવાથી તો એવું લાગે છે, કે આગળી સાપને દેખાડે છે. મમતારૂપે પરિણમેલો આત્મા એ જ મમતા છે. સમતાસ્વરૂપે પરિણતિ પામેલ આત્મા એ જ સમતા છે. મમતાનો પર્દાફાશ થાય એટલે તરૂપે પરિણમેલ આત્મા કોપાયમાન થાય એ સહજ છે. ‘મમતા’નું ઘસાતું સાંભળતા મમતા’ ગુસ્સે થાય જ ને? મમતાએ ગુસ્સે ન થવું જોઈએ, એના કારણ તરીકે અહીં ખૂબ જ માર્મિક વચન રજુ કર્યું છે – तुं ऐसी ही शिखावे। મમતાએ પોતે જ પોતાનું સ્વરૂપ શીખવાડ્યું છે. એણે તો પોતે જ પોતાની વાસ્તવિકતાને છતી કરી છે. જગતમાં દુર્જનોએ કોઇ સારું કામ કર્યું હોય, તો તે એ છે કે તેમણે વહેલા-મોડા પણ પોતાની દુર્જનતાને પ્રગટ કરી છે. હા, આ સારા કામનો તેમના આત્માને કોઈ લાભ નથી થયો, લાભ તો સજ્જનોને થયો છે, કે તેઓ દુર્જનોની દુર્જનતાને જોઇને સહજ રીતે તેમનાથી દૂર થયા છે. तुं ऐसी ही शिखावे । પછી તે શિક્ષિત સજ્જનને નારીમાં નરક દેખાય છે. સંપત્તિમાં સર્વનાશ દેખાય છે, અને શરીરમાં મશાનની રાખ દેખાય છે. આમાં કોના પર મમત્વ રાખવું? મમતા પોતે જ કોઇએ રૂપિયા દબાવી લીધા એટલે આપણે દુઃખી થયા, એવું નથી. આપણને એ રૂપિયા ‘મારા’ લાગ્યા, એ મમત્વે આપણને દુઃખી કર્યા છે. શરીર ઘરડું થયું કે રોગિષ્ટ થયું, એટલે આપણે દુઃખી થયા એવું નથી. શરીર આપણને ‘મારું લાગ્યું એટલે આપણે દુઃખી થયા છીએ. કોઇ પણ દુઃખનું પોસ્ટમોર્ટમ કરો એના પેટાળમાં જઇને શોધ-ખોળ કરો. કોઇ ને કોઈ મમત્વ એના પાયામાં બેઠું છે. મમત્વ ન હોય તો કોઈની શક્તિ નથી કે આપણને જરા પણ દુઃખી કરી શકે. જ્ઞાનીઓ । यक्षरं तु भवेन्मृत्युः, त्र्यक्षरं ननु शाश्वतम्। ममेति च भवेन्मृत्युः, न ममेति च शाश्वतम्।। બે અક્ષર મૃત્યુદાયક છે અને ત્રણ અક્ષર શાશ્વતપદદાયક છે. ‘મારું’ એ મૃત્યુનું કારણ છે અને ‘ન મારું’ એ શાશ્વતપદનું કારણ છે. વધારે કહેવાથી તો એવું લાગે છે કે જાણે આંગળી સાપને દેખાડતી હોય. આ વચન અતિ ગંભીર છે. પહેલા તો પદકારે એમ જ કહ્યું કે મારા વચનથી કોપાયમાન નહીં Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy