SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સર આખા શરીરમાં પ્રસરી ગયું હોય. શરીરમાં ઠેકઠેકાણે બાકોરા પડી ગયા હોય, અને તેમાંથી કીડાઓ બહાર આવતાં હોય... શરીરના અંગે અંગમાં કીડાઓ ખદબદી રહ્યા હોય, ભલભલાને કમકમાટી ઉપજાવે, તેવું ભયાનક દશ્ય હોય. માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગધ આવતી હોય... તરફડાટ અને ચીસાચીસ જોઇને સ્વજનોને પણ એક જ વિચાર આવતો હોય કે “છૂટે તો સારું.” શરીરનો આવો અંજામ સુસંભવિત હોય, એના પર શો રાગ કરવો... શું મમત્વ કરવું? શાસ્ત્રકારો તો કહે છે કે જે શરીરની લાખ સાર-સંભાળ કરવા છતાં, સુખાકારી સાચવવા છતાં, ખવડાવવા-પીવડાવવા છતાં એ દ્રોહ કર્યા વિના રહેતું નથી, એ શરીર કૂતરા કરતાં ય અધમ કક્ષાનું છે. એક બટકું રોટલી ખાધા પછી ય કૂતરો માલિકને વફાદાર રહેતો હોય છે. ખરેખર... सुणएण विण समो देहो। આ શરીર કૂતરાની ય તોલે આવી શકે તેમ નથી. આવા શરીર પર મમત્વ રાખવું, એની પાસેથી સુખની આશા રાખવી, એ ઝેર પાસેથી અમૃતની આશા રાખવા બરાબર છે, એ આશા ક્યારે પણ પૂરી થઈ શકે તેમ નથી. ममता संग सो पाय अजागल-थनतें दुध दुहावे... કોઈને પરિવાર પ્રત્યે મમતા હોય છે. ‘મારો પરિવાર’ આટલું સંવેદન પણ મમતાનો જ વિકાર છે. બહુ મોટી ગેરસમજ છે આ મમતા. અધ્યાત્મકલ્પદ્રુમમાં તો સ્પષ્ટ કહ્યું છે - त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः। ममत्वमेतेषु दधन् मुधाऽऽत्मन्, પટ્ટે પદ્દે વિરું શુષિ મૂઢ?II૧-૩રૂ II ભવભ્રમણના ભયાનક દુઃખથી નથી તો પરિવાર તને બચાવી શકવાનો, કે નથી તો તું પરિવારને બચાવી શકવાનો, તો પછી તેમના પર મમત્વ રાખીને તું ડગલે ને પગલે દુઃખી શા માટે થાય છે? છોડી દે આ મૂર્ખતા. in જેને જીવ ‘મારા’ સમજે છે, એને ખબર નથી કે એમણે મારું અનંત વાર ખૂન કર્યું છે, અને મેં તેમનું અનંત વાર ખૂન કર્યું છે. तैर्भवेषु निहतस्त्वमनन्ते - ष्वेव तेऽपि निहता भवता च। આમાં કોના પર મમત્વ કરવું? કોની પાસે સુખની આશા રાખવી? અને એવી આશાને શેની ઉપમા આપવી? ममता संग सो पाय अजागल-थनतें दुध दुहावे.. કોઈને વળી સંપત્તિ પર કારમી મૂર્છા હોય છે. સંપત્તિ જ એને મન સર્વસ્વ હોય છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાનો એક ગ્રંથ છે સમરાદિત્ય કથા - આ ગ્રંથમાં એક પ્રસંગ આવે છે. એક યુવાન જ્ઞાની ભગવંતને પૂછે છે કે આ નાળિયેરીના મૂળ આટલા ઊંડા અને આટલા ઘેરાવાવાળા કેમ છે? જ્ઞાની ભગવંત કહે છે કે એ વૃક્ષનો જીવ પૂર્વભવમાં ખૂબ જ લોભી માણસ હતો. એણે એ જગ્યાએ પોતાનું ધન દાઢ્યું હતું. આખું જીવન એના પરના મમત્વ ભાવને પુષ્ટ કર્યો. ધન પરની કારમી મમતાએ એને એકેન્દ્રિયમાં મોકલી દીધો. जहा मोहोदओ तिव्वो अन्नाणं खु महब्भयं। पेलवं वेयणीयं तु तया एगिंदियत्तणं।। in Education International SEPT VE & Pero
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy