Page #1
--------------------------------------------------------------------------
________________
: સંપાદક :
પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય
અઢાર અભિષેક વિધિ
: પ્રકાશક :
હાલારતીર્થ આરાધના ધામ, મુ : વડાલીયા સિંહણ, તા. જામખંભાળીયા, જી. જામનગર. (સૌરાષ્ટ્ર)
For Personal & Private Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
II શિવમસ્તુ સર્વ નાતઃ ॥
શ્રી હાલારતીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામીને નમઃ
શ્રી અઢાર અભિષેક વિધિ
(ભાવાર્થ સાથે)
筑
સંપાદક
ભાવાનુવાદક
પૂ. પં. શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય
筑
-
: દ્રવ્ય સહાયક :
સ્વ. જયંત કેશવલાલ શાહ
Birth Date : 11-6-1952
Death Date : 13-2-1980
Nairobi - Kenya
Denver - U. S. A.
Shri Jayant Keshavlal Shah Memorial Trust 5, Mohamedi Manzil, 1st Floor, 5, Mohamedali Road, Mumbai - 400 003. Phone : 3426523, 3442283. Fax : 342-6523
શાહ વેરસી ગોશર પરિવાર
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
હાલારતીર્થ આરાધના ધામ, મુ: વડાલીયા સિંહણ, તા. જામખંભાળીયા, જી. જામનગર. (સૌરાષ્ટ્ર)
વિ. સં. ૨૦૫૪
ઈ. સ. ૧૯૯૮
વીર સં. ૨૫૫૪
ઃ મુદ્રક ઃ ભરત પ્રિન્ટરી
કાંતિલાલ ડી. શાહ ન્યૂ માર્કેટ, પાંજરાપોળ,
રિલીફ રોડ, અમદાવાદ-૧
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
(પ્રકાશકીય આનંદપૂર્વક જણાવવાનું કે, હાલારના આંગણે અઢાર અભિષેક, અંજનશલાકા તથા આઠ-આઠ દીક્ષાઓ જેવા આ પ્રસંગમાં પાવનીય નિશ્રા પરમપૂજ્ય, સચ્ચારિત્રચૂડામણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરમપૂજ્ય, તપસ્વી સમ્રાટ, વર્ધમાન તપની ૧૦૦+૧૦૦+૮૯મી ઓળીના આરાધક, આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાની મળી અને અંતરના આશીષ મળ્યા છે. પરમપૂજ્ય શાસનશિરોમણી, આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક શિષ્યરત્ન, શાંતમૂર્તિ, ગુરૂપદ ચરણસેવી, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના જેથી આ પરમાત્મ ભક્તિના અવસરે આ પુસ્તક પ્રગટ કરવાનો વિચાર થયો.
પરમપૂજય, પરમોપકારી, હાલારદીપક, અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી કહેતા કે. વર્તમાનકાળમાં આત્માની ઉન્નતિ માટે સહેલો ઉપાય નમસ્કાર મંત્ર સ્મરણ-પરમાત્માની ભક્તિ છે. .
આ બન્ને યોગોની પુષ્ટિનું શ્રેષ્ઠ સાધન પરમાત્માના અભિષેક છે. ૧૮-૧૮વિશિષ્ટ ઔષધીઓથી યુક્ત અભિષેક થવાથી જિનમંદિરજિનમૂર્તિમાં થયેલી આશાતના દૂર થાય છે. આત્મા શુદ્ધ બને છે.
આવા ઉદ્દેશપૂર્વક હાલારના ૪૩ જેટલા જિનાલયોમાં એક જ દિવસે એક જ ટાઈમે જેમ પરમાત્માના જન્મ વખતે સર્વે જીવોને સુખશાંતિ અને સમાધિની અનુભૂતિ થાય છે, તેવા જ પૂર્ણ ભાવપૂર્વક અભિષેકની ભાવના અમારા ઉપકારી, હાલારના હીરલા, આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા તથા હાલારરત્ન મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજની અદેશ્યકૃપા અને આશીર્વાદથી પરમપૂજ્ય, પંન્યાસશ્રી વજસેનવિજયજીગણિશ્રીના સદુપદેશથી થઈ.
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
અને તેને હાલારતીર્થ-આરાધનાધામના ટ્રસ્ટીઓએ ઝીલી લીધી અને એ પ્રસંગની તૈયારીઓ થઈ. વિશિષ્ટ અનેક સ્થાનોમાં શુદ્ધવિધિ કરાવનારા વિધિકારકો તથા પરમાત્માની ભક્તિમાં રસતરબોળ કરનાર, સંગીતકારો દ્વારા આ પ્રસંગ ઉજવવાનો અવસર આવ્યો, બધા સ્થાને એક સરખી વિધિ થાય તેમ જ બધા સમજી શકે તે રીતે આ ૧૮ અભિષેક ક્રિયાની પુસ્તિકા - ભાઈ શ્રી શામજીભાઇએ લાભ લઈને પ્રકાશિત કરી છે. તેની અનુમોદના કરીએ છીએ. સર્વ પરમાત્મભક્તિમાં મગ્ન બની, અભિષેકની ક્રિયા દ્વારા, આત્મા ઉપર લાગેલા કર્મોને દૂર કરી પરમાત્મ સ્વરૂપને પામીએ.
આ વિધિનું પુસ્તકપૂજ્ય પંન્યાસજી વજસેનવિજયજી મહારાજની સુચનાથી તેમજ શ્રેષ્ઠ વિધિકારકનવીનભાઇ બાબુભાઇ જામનગરવાળાના સહકારથી મુનિશ્રી હેમખભવિજયજી મહારાજે સંકલન કરી આપ્યું છે, તે બદલ તેઓશ્રીનો આ તકે આભાર માનીએ છીએ.
ભગવાન અને ભક્તિ જ્ઞાની હોય કે અજ્ઞાની, દુઃખકોઈને છોડતું નથી. જ્ઞાનીઓ સુખ-દુઃખને જાણી શકે, પણ તેમાં અંશ માત્ર ફેરફાર થઈ શકતો નથી. કેમકે કર્મનો નિયમ અટલ છે. તેના ઉપર સત્તા કેવળ ધર્મના નિયમની ચાલે છે. ધર્મનો નિયમ જીવમૈત્રી અને પ્રભુભક્તિને આધીન છે.
ભગવાનની ભક્તિથી જે કાર્ય થયું, તેને ભગવાનથી જ | થયું એમ માનવું - એ વ્યવહારનયનો સિદ્ધાન્ત છે. એ દષ્ટિએ કર્મના નિયમ ઉપર ભગવાનનું પ્રભુત્વ છે. એમ કહી શકાય.
ભગવાનની આજ્ઞાના પાલનથી કર્મનો ક્ષય કરી શકાય છે. તેથી કર્મક્ષયમાં પ્રબળ હેતુ ભગવાનની આજ્ઞા છે. તે આજ્ઞાનું પાલન એ જીવનો ભાવ છે, જ્યારે તેના સ્વામી ભગવાન છે.
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
અઢાર અભિષેક શા માટે? મંદમંદ વાયુ વાતો હોય, બધા જ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હોય, દશે દિશાઓ પ્રફુલ્લિત હોય, આખું જગત્ આનંદ મગ્ન હોય એવા સમયે જગતને આહ્વાદ આપનાર તિર્થંકર પરમાત્માનો જન્મ થાય છે.
પરમાત્માનો જન્મ થતાં જ દિકકુમારીઓ આવે છે, ૬૪ ઇન્દ્રો અભિષેક માટે પરમાત્માને મેરૂશિખર ઉપર લઈ જાય છે. અને ત્યાં અસંખ્ય દેવ-દેવીઓ સાથે ઇન્દ્ર મહારાજાના ખોળામાં બેઠેલા ભગવાનનો આઠ જાતના કળશા વડે એક કરોડને ૬૦ લાખ અભિષેક થાય છે.
જેનો જન્મ આવા અદ્ભુત માહામ્યવાળો છે એવા ભગવાન! વિશ્વ વાત્સલ્યથી ભરપૂર એવા ભગવાન..! આપણા જિનમંદિરમાં બિરાજમાન છે. પ્રતિષ્ઠા થયાને તો વર્ષો થયા હશે..! પ્રતિષ્ઠા પછી એમનો પ્રભાવ દિન પ્રતિદિન વધતો જાય છે. આ પરમાત્મા સ્મરણ માત્રથી, દર્શનમાત્રથી, વંદનમાત્રથી, સ્પર્શનમાત્રથી આપણા ભવોભવના પાપોને દૂર કરનારા છે. આવા પરમાત્મા પોતે તો નિર્મળ છે જ. એમને અભિષેકની જરૂર નથી પણ આપણા કોઈક પ્રમાદથી જાણે-અજાણે આશાતના થઈ ગઈ હોય તો તેની શુદ્ધિ જરૂરી છે અને એ શુદ્ધિ અઢાર અભિષેકથી થાય છે. - સામાન્ય સમજાય એવી વાત છે કે માત્ર પાણીથી સ્નાન કરવાથી પણ શુદ્ધિ થઈ શકે છે તો અભિષેકથી અવશ્ય શુદ્ધિ થાય જ. કારણ આ અભિષેક વિશિષ્ટ દ્રવ્યો, ઔષધીઓ તથા મંત્રોચ્ચારપૂર્વક કરવામાં આવે છે. - ઉત્તમમાં ઉત્તમ ધાતુ સોનું, સુગંધીમાં સુગંધી દ્રવ્ય ચંદન-અગરૂકસ્તુરી વિ. અને શંખપુષ્પી આદિ ગુણકારી ઔષધીઓ તથા દર્ભવિગેરે
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
માંગલિક વસ્તુઓ, પવિત્ર તીર્થસ્થાનની માટી, ૧૦૮ તીર્થ અને નદીઓના જલ આ બધા યુક્ત પાણીથી અભિષેક કરાય છે. આ બધી ઔષધીઓ કે નદીઓના - તીર્થોના પાણી પણ એમને એમ નથી લાવવાના. સર્વઠેકાણે એના અધિષ્ઠાયક દેવોને આહ્વાન કરી, એમની આજ્ઞા માંગી, શક્ય શુદ્ધિપૂર્વક આ સામગ્રી ભેગી કરવામાં આવી છે.
આવી અનુપમ કોટીની સામગ્રી અને સાથોસાથ હૈયાનો ઉમળકો, ભક્તિનો હર્ષાવેશ, અંતરના ભાવપૂર્વક અભિષેક કરવાના છે. એના દ્વારા આપણી વર્ષોની અશુદ્ધિ તત્કાળ દૂર થાય એમાં નવાઈ નહિ.
એમાં પણ... એક જ દેરાસરમાં થાય અને સામુદાયિક થાય એમાં લાભ અનેરો છે. એકબીજાના અંતરના ઉમળકા-હૈયાની લાગણી સામુદાયિક ક્રિયામાં બધાને સાથ પૂરાવતી હોય છે.
હાલારના ઈતિહાસમાં અભૂતપૂર્વ અને ભવિષ્યમાં પણ ક્યારે શક્ય બને? એવો આ અઢાર અભિષેકનો પ્રસંગ આવ્યો છે.
આ પ્રસંગે યાદ આવી જાય સાત વર્ષ પહેલાં થયેલ રજની દેવડીનો પ્રસંગ. આખા શત્રુંજયનો અભિષેક, લાખોની માનવમેદની અને હૈયાના હિલોળાપૂર્વક થયેલા એ અભિષેકે અનેક આત્માઓને નિર્મળ જીવન બક્યું. તે વખતે લવાયેલ જુદા જુદા તીર્થોના જલમાં ગજપદ કુંડ જે ગિરનાર ઉપર આવેલો છે. તે કુંડનું પાણી પણ લાવવામાં આવ્યું હતું.
ગજપદકુંડનું પાણી અત્યંત પવિત્ર છે. તેના પાણીથી શરીરની દુર્ગધ દૂર કરનાર દુર્ગધા સુખ-શાંતિ પામી હતી. - સૂરજકુંડના પાણીથી ચંદરાજ કૂકડો મટીને ફરી માનવરૂપ પામ્યા હતા. આવા તો અનેક દૃષ્ટાંતો પવિત્ર પાણીનું મહત્ત્વ બતાવે છે. આવા જુદા જુદા અનેક તીર્થો-કુંડો-નદીઓનાં પવિત્ર પાણીથી અભિષેક કરવાના છે.
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
અભિષેકની ધારા મસ્તક ઉપરથી શરૂ કરવાની અને ભાવના ભાવવી કે પરમાત્મા ઉપરથી જેમ જેમ એ ધારા નીચે ઉતરેછે તેમ તેમ મારા આત્મા ઉપર લાગેલા કર્મમલને ધોઈ રહીછે. મારો આત્મા નિર્મળ બનતો જાય છે. આવા ભાવપૂર્વક કરેલો અભિષેક આપણા આત્માને ડાયરેક્ટ અસર કરનાર બનશે.
By product (બાય પ્રોડક્ટ) તરીકે તો જે લાભ થશે એની કોઈ વિસાત નથી. કારણ કે કુલ ૪૫ જેટલા દેરાસરોમાં એક સાથે કે અભિષેકનો અનુમોદના દ્વારા લાભ, તેમાં બિરાજમાન ૨૦૦થી અધિક પરમાત્માના અભિષેકનો લાભ તે પરમાત્મા કેટલાક પ્રાચીન, કેટલાક ચમત્કારિક, કેટલાક પ્રભાવશાળી હશે... આવા પરમાત્મા... ! એક સાથે આટલા બધા પરમાત્માનો અભિષેક કરવા મળે છે.
પ્રભાવશાળી પરમાત્માના પ્રભાવે આ અભિષેકનું જળ પણ પ્રભાવિક બની જાય છે એના પ્રભાવે...
જરાસંઘે છોડેલી જરાવિદ્યા દૂર થઈ હતી.
અભયદેવસૂરીશ્વરજી મહારાજાનો કોઢ રોગ દૂર કર્યો હતો. શ્રીપાલરાજા તથા તેમની સાથેના ૭૦૦ કોઢિયાનો કોઢ રોગ આ અભિષેક જળથી દૂર થયો હતો.
મહાબાહુ રાજાનો કોઢ રોગ સૂરજકુંડના ન્વહણ જળથી દૂર થયો
હતો.
પ્રહ્લાદ રાજાનો દાહ રોગ અભિષેકથી દૂર થયો. હજારો ગામો અને નગરમાં ભૂત-પ્રેત આદિના ઉપદ્રવો શાંત થવામાં આ અભિષેક જલની શાંતિધારાએ જ કામ કર્યું છે.
આ છે અભિષેકની મહત્તા... !
પંન્યાસ વજ્રસેનવિજય
વિ.સં. ૨૦૫૪ કારતક સુદ ૧ વઢવાણ શહેર
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
૮
જલ અભિષેક
જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ જલપૂજા ફળ મુજ હો, માગો એમ પ્રભુ પાસ.
જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપુર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૨. અર્થ: શ્રી જિનેશ્વર પરમાત્માની જળપૂજા વિધિ પૂર્વક કરો, જળપૂજા કરવાથી આત્મા ઉપર અનાદિકાળથી વળગેલ કર્મ રૂપ મેલ દૂર થાય છે. જળપૂજા કરી પ્રભુ પાસે માગણી કરો કે હે પ્રભુ આ જળપૂજાના પ્રભાવે કર્મમળ દૂર થવા રૂપ ફળ મને પ્રાપ્ત થાઓ. ૧.
અર્થ: જળપૂજા કરતી વખતે ભાવના ભાવવી કે આ આત્મા જ્ઞાનરૂપી કળશમાં વિપુલ સમતારૂપ રસને ભરીને શ્રી જિનેશ્વરને નવરાવી રહ્યો છે, અને તેથી આપણા આત્મામાં રહેલ કર્મના ચૂરેચૂરા થાય છે. ૨.
મેરૂ શિખર નવરાવે હો સુરતિ - મેરુ૦ જન્મકાળ જિનવરકો જાણી,
પંચરૂપ કરી આવે. હો સુર૦ ૧.
રત્ન પ્રમુખ અડ જાતિના કળશા,
ઔષધિ ચરણ મિલાવે; ખીર સમુદ્ર તીર્થોદક આણી,
સ્નાત્ર કરી ગુણ ગાવે, હો સુર૦ ૨.
વાવે;
એણી પરે જિનપ્રતિમાકો નવણ કરી, બોધિબીજ
માનું
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
૯
અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુર૦ ૩.
અર્થ : શ્રી જિનેશ્વર ભગવંતનો જન્મ સમય જાણી ઇંદ્ર મહારાજ આવે છે. અને પોતાના પાંચ રૂપ કરીને મેરુ પર્વત ઉપર પ્રભુને લઇ જઇને પ્રભુને નવરાવે છે. ૧.
અર્થઃ રત્ન વગેરે આઠ જાતિના કળશો બનાવી તેમાં ક્ષીર સમુદ્ર તેમજ માગધ વગેરે તીર્થો તથા પવિત્ર નદીઓના પાણી ભરી તેમાં ઔષધીના ચૂર્ણો મેળવી પ્રભુનું તે જળથી સ્નાત્ર કરી પ્રભુના ગુણોનું ગાન કરે છે. ૨.
અર્થ : એવી રીતે શ્રી જિનેશ્વર પ્રતિમાનું સ્નાત્ર કરનારા જીવો પોતાના આત્મામાં બોધિબીજ સમક્તિને વાવેછે, અને અનુક્રમે ગુણરૂપી રત્નોના સમૂહનો આત્મામાં સ્પર્શ કરી - આત્મામાં પેદા કરી શ્રી જિનેશ્વરનું ઉત્તમપદ-મોક્ષ પામે છે. ૩.
અઢાર સ્નાત્રમાંની ખાસ ખાસ ઔષધિઓની યાદી
(૩) કષાય ચૂર્ણ :- ૧ પીપર, ૨ પીપળી, ૩ શિરિષ, ૪ ઉંબર, ૫ વડ, ૬ ચંપક, ૭ અશોક, ૮ આમ્ર, ૯ જાંબુ ૧૦ બકુલ, ૧૧ અર્જુન, ૧૨ પાટલ, ૧૩ બીલી, ૧૪ દાડમ, ૧૫ કેસૂડાં, ૧૬ નારિંગ.
(૪) મંગલમૃત્તિકા :- ૧ હાથીના દાંતની, ૨ બળદના શિંગડાંની, ૩ પર્વતની, ૪ ઉદેહીની, ૫ નદીના કાંઠાની, ૬ નદીઓના સંગમની, ૭ સરોવરની, ૮ તીર્થોની.
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
-
૧૦
(૫) સદષધિ -૧ સહદેવી, ૨ સતાવરી, ૩ કુંઆર, ૪ વાલો, ૫ મોટી નાની રિંગણી, ૬ મોરશિખા, ૭ અંકોલ, ૮ શંખાવલી, ૯ લક્ષ્મણા, ૧૦ આજકાજો, ૧૧ થોર, ૧૨ તુલસી, ૧૩મરવો, ૧૪ કુંભી, ૧૫ ગલી, ૧૬ સરપંખો, ૧૭ રાજહંસી, ૧૮ પીઠવણી, ૧૯ શાળવણી, ૨૦ ગંધનોલી, ૨૧ મહાનલી.
(૯) અકવર્ગ ૧ લો -૧ ઉપલોટ, ૨ વજ, ૩ લોદ્ર, ૪ હીરવણીનાં મૂલ, ૫ દેવદાર, ૬ જેઠીમધ, ૭ દુર્વા, ૮ ઋદ્ધિવૃદ્ધિ.
(૭) અકવર્ગ ૨ :- ૧ પતંજારી, ૨ વિદારિકંદ, ૩ કંચૂરો, ૪ કપૂરકાચલી, ૫ નખલા, ૬ કંકોડી, ૭ ખીરકંદ, ૮ મુસલી-કાલી. (ધોલી)
(૮) સદષધિ -૧ પ્રિયંગુ, ૨ હળદર, ૩ વજ, ૪ સૂચા, ૫ વાલો, ૬ મોથ, ૭ અતિકલી, ૮ મુરમાંસી, જટામાંસી, ૧૦ ઉપલોટ, ૧૧ એલચી, ૧૨ લવિંગ, ૧૩ તજ, ૧૪ તમાલપત્ર, ૧૫ નાગકેસર, ૧૬ જાયફળ, ૧૭ જાવંત્રી, ૧૮ કંકોલ, ૧૯ સેલારસ, ૨૦ ચંદન, ૨૧ અગર, ૨૨ પત્રજ, ૨૩ છડ, ૨૪નખલા, ૨૫ ઘઉંલા, ૨૬ કચરો, ૨૭વિરહાલી, ૨૮છડોલી, ૨૯ મરચકંકોલ, ૩૦ વરધારો, ૩૧ આસંધિ, ૩૨ વડીઔષધિ, ૩૩ સહસમૂલી.
(૧૦) સુગંધૌષધિ - ૧ અંબર, ૨ વાળો, ૩ ઉપલોટ, કુષ્ટ, પ દેવદારુ, ૬ મુરમાંસી, ૭ વાસ, ૮ ચંદન, ૯ અગર, ૧૦ કસ્તૂરી, ૧૧ કપૂર, ૧૨ એલચી, ૧૩ લવિંગ, ૧૪ જાયફળ, ૧૫ જાવંત્રી, ૧૬ ગોરોચન, ૧૭ કેસર.
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
અઢાર અભિષેક વિધિ
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિઓ પ્રભુ દરિશન સુખ સંપદા, પ્રભુ દરિશન નવ નિધ; પ્રભુ દરિશનથી પામીએ, સંકલ પદારથ સિદ્ધ... ૧. પંચમ કાળે પામવો, દુર્લભ પ્રભુ દેદાર; તો પણ તારા નામનો, છે મોટો આધાર... ૨. ફુલડા કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ... ૩. છે પ્રતિમા મનોહારિણી દુ:ખહરી, શ્રી વીર જિણંદની; ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની;
આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે; પામી સઘળા સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે... ૪. (ત્યાર પછી વિધિપૂર્વક શાંતિથી સ્નાત્રપૂજા ભણાવવી)
શ્રી આત્મરક્ષા નવકાર મંત્ર ૐ પરમેષ્ઠિ-નમસ્કાર, સારૂં નવપદાત્મકં; આત્મરક્ષાકરવજ-પંજરાભં સ્મરામ્યહં... ૧. ૐ નમો અરિહંતાણં, શિરસ્યું શિરસિ સ્થિતં; ૐ નમો સવ્વસિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમ્. ૨. ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની; ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુદ્ધ હસ્તયો ં. ૩. ૐ નમો લોએ-સવ્વ-સાહૂણં, મોચકે પાદયોઃ શુભે; એસો પંચ નમુક્કારો, શિલા વજ્રમયી તલે. ૪.
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ સવ્ય પાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિ; મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાગાર-ખાતિકા. પ. સ્વાહાંત ચ પદે યં, પઢમં હવઈ મંગલં; વપ્રોપરિ વજમય, પિધાન દેહ-રક્ષણે. ૬. મહાપ્રભાવ રક્ષેય, ક્ષુદ્રોપદ્રવ - નાશિની; પરમેષ્ઠિ - પદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિ. ૭. યશૈવં કુરૂતે રક્ષાં, પરમેષ્ઠિ પદેઃ સદા; તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ - રાધિસ્થાપિ કદાચન. ૮.
અભિષેકની સમજ એક નવી કુંડીમાં પવિત્ર જળ નાખવું. તેમાં વાસ, ચંદન, પુષ્પ વિગેરે થોડાં નાખી જે જે પ્રકારનું સ્નાત્ર કરવાનું હોય તે સ્નાત્રચૂર્ણ નાખી તેના ચાર કળશો ભરવા, પછી જિનમુદ્રાથી દેવ સન્મુખ ઉભા રહીને દરેક સ્નાત્ર માટે નીચે આપેલાં કાવ્યો તેમજ ગીત, ગાન, પંચશબ્દ વાજિંત્રો સાથે મંત્રથી અભિમંત્રિત કરાયેલા સ્નાત્રજળથી અઢાર સ્નાત્રો કરવાં તે આ પ્રમાણે -
અભિષેક: ૧. પહેલું (હિરો ) નીત્ર. (૧) સુવર્ણચૂર્ણ (સોનાના વરખ મિશ્રિત હવણથી ચાર કળશો ભરી “નમોડહેતુ’ કહી નીચેનો શ્લોક બોલવો.
पवित्रतीर्थनीरेण, गन्धपुष्पादिसंयुतैः । पतज्जलं बिम्बोपरि, हिरण्यं मन्त्रपूतनम् ॥१॥
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
सुवर्णद्रव्यसम्पूर्ण, चूर्णं कुर्यात्सुनिर्मलम् ।
ततः प्रक्षालनं चाभि:, पुष्पचन्दनसंयुतैः ॥२॥ ભાવાર્થ:- સર્વ ધાતુઓમાં ઉત્તમ ધાતુ સોનુંછે એના ચૂર્ણથી મિશ્રિત જલવડે પરમાત્માને સૌથી પહેલો અભિષેક કરવામાં खावे छे.
“ॐ हाँ ह्रीं परम अर्हते गन्धपुष्पाक्षतधूपसम्पूर्णैः स्वर्णेन स्नापयामीति स्वाहा”.
એ મંત્રોચ્ચારપૂર્વક સ્નાત્ર કરી બિંબને તિલક, પુષ્પ, વાસ, ધૂપ વિગેરેથી પૂજન કરવું. અને દરેક સ્નાત્ર વખતે મંત્ર બોલી થાળી ડંકો વગાડવો એ રીતે દરેક સ્નાત્ર વખતે કરતા રહેવું.
॥ इति प्रथम स्नात्रम् ॥ અભિષેક: ૨
बीजुं (पंचरत्न चूर्ण) स्नात्र
(२) पंथरत्न सूर्श :- १ भोती, २ सोनुं, ३३५, ४ प्रवास अने ૫ તાંબુ એ પંચરત્નનું ચૂર્ણ કરી ઉપરની જેમજ કુંડીમાં વાસ ચંદન પુષ્પવાળા પાણીમાં નાખી ચાર કળશો ભરી ‘નમોડર્હત્'નો પાઠ કહી નીચેનો શ્લોક બોલવો. અને મંત્ર બોલી ન્હવણ કરવું.
यन्नामस्मरणादपि श्रुतवशाद-प्यक्षरोच्चारतो, यत्पूर्णं प्रतिमा प्रणाम करणात्संदर्शनात्स्पर्शनात् । भव्यानां भवपङ्क-हानिरसकृत्स्यात्तस्य किं सत्पयः, स्नात्रेणापि तथा स्वभक्तिवशतो रत्नोत्सवे तत्पुनः ॥ १ ॥
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
नानारत्नौघसंयुतं, सुगन्धपुष्पाभिवासितं नीरम् । पतताद्विचित्रचूर्णं, मंत्राढ्यं स्थापनाबिम्बे ||२||
-
ભાવાર્થ “માત્ર નામસ્મરણથી, નામને સાંભળવા માત્રથી, નામોચ્ચારણ કરવા માત્રથી, પ્રણામ કરવાથી, દર્શન કરવાથી અથવા સ્પર્શ કરવાથી જે પરમાત્મા આપણા પાપોને દૂર કરે છે એવા ભગવાનનો ! આપણે ભક્તિસભર હૈયાથી અભિષેક કરવાનો છે.
આ બીજો અભિષેક ઉત્તમ જાતિના રત્નોના ચૂર્ણથી મિશ્રિત જલવડે કરાય છે.
“ॐ ह्रीँ ह्रीं परम अर्हते मुक्तास्वर्णरौप्यप्रवालत्र्यम्बकपञ्चरत्नैः स्नापयामीति स्वाहा”
આમ દરેક સ્નાત્ર કાવ્યો અને મંત્ર બોલવાપૂર્વક તે તે સ્નાત્ર કરી તિલક, પુષ્પ, વાસ, ધૂપ વિગેરેથી પૂજન કરવું. ॥ રૂતિ દ્વિતીયસ્નાત્રમ્ |
અભિષેક: ૩
त्रीजुं (कषाय ) स्नात्र
(૩) પીપર વિ. ૧૬ ઔષધિઓનો કષાયચૂર્ણયુક્ત પાણીના કળશો ભરી ‘નમોઽર્હત્’ કહી નીચેનો શ્લોક બોલવો. प्लक्षाश्वत्थोदशोक - आम्रच्छल्यादि - कल्कसंमिश्रम् । बिम्बे कषायनीरं, पततादधिवासितं जैने ॥ १ ॥ पिप्पली पिप्पलश्चैव, शिरीषोम्बरकः पुनः । वटादिकं महाछल्ली, स्नापयामि जिनेश्वरम् ||२||
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
भावार्थ :- प्लक्ष, अश्वत्थ, अशोड, मात्र खाहि वृक्षो महान छे તેના ચૂર્ણથી મિશ્રિત પાણી વડે ભગવાનને ત્રીજો અભિષેક કરાય છે. “ॐ हाँ ह्रीं परम अर्हते पिप्पल्यादि महा छल्लै: स्नापयामीति ॥इति तृतीय स्नात्रम् ॥
स्वाहा”
अभिषेड : ४
चोथुं (मंगलमृत्तिका) स्नात्र
(૪) આઠ જાતિની માટીનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખી ચાર કળશ ભરવા ‘નમોડર્હત્' કહી નીચેનો શ્લોક બોલવો. परोपकारकारी च, प्रवरः परमोज्वलः । भावना-भव्यसंयुक्तैर्मृच्चूर्णेन च स्नापयेत् ॥१॥ पर्वतसरो-नदी-संगमादि - मृद्भिश्च मंत्रपूताभिः ।
उद्धर्त्य जैनबिम्बं स्नापयाम्यधिवासना - समये ॥२॥
,
भावार्थ:- पर्वत, सरोवर, नहीखोना संगमस्थान વિગેરેની પવિત્ર માટી અને મંત્રથી વાસિત જલ વડે ચોથો અભિષેક डराय छे.
“ॐ ह्रीं ह्रीं परम अर्हते नदीनगतीर्थादिमृच्चूर्णैः स्नापयामीति स्वाहा” ॥ इति चतुर्थस्नात्रम् ॥
અભિષેક : ૫
पांचमुं (सदौषधि) स्नात्र
(૫) ઔષધિઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું 'नभोडईतू' ही नीथेनो लोड पोलवो.
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
सहदेवी शतमूली, शतावरी शंखपुष्पिका । कुमारी लक्ष्मणा चैव, स्नापयामि जिनेश्वरम् ||१|| सहदेव्यादिसदौषधि-वर्गेणोद्वर्त्तितस्य बिम्बस्य । गन्धतन्मिश्रं बिम्बो-परिपतज्जलं हरतु दुरितानि ॥२॥
ભાવાર્થ :- સહદેવી, શતાવરી, શંખપુષ્પી વિગેરે બુદ્ધિવર્ધક ઔષધીઓ જે વિશિષ્ટ ગુણકારી છે. એવી ઔષધીઓથી યુક્ત એવા જલ વડે પરમાત્માનો પાંચમો અભિષેક કરાય છે. “ॐ हाँ ह्रीं परम अर्हते सहदेव्यादिसदौषधिना सह स्नापयामीति स्वाहा” ॥ इति पंचमस्नात्रम् ॥
अभिषेड : ६
छड्डुं (प्रथमाष्टकवर्ग) स्नात्र
(૬) ઉપલોટ વિ૦ આઠ વસ્તુઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું ‘નમોડર્હત્' કહી નીચેનો શ્લોક બોલવો. सुपवित्रमूलिकावर्ग-मर्दिते तदुदकस्य शुभधारा । बिम्बेऽधिवाससमये, यच्छतु सौख्यानि निपतन्ती ॥ १ ॥
उपलोट-प्रचालोद्र- हीरवर्णी- देवदारवः । जयेष्ठीमधु - ऋद्धिदूर्वा, स्नापयामि जिनेश्वरम् ॥२॥
भावार्थ:- उपसोट-१४ - हेवहार के ठीभध - दुर्वा हीरवशीनां મૂળ, લોદ્ર, ઋદ્ધિવૃદ્ધિ વિગેરે આઠ મંગલિક વસ્તુઓનાં ચૂર્ણથી મિશ્રિત જલવડે છઠ્ઠો અભિષેક કરાય છે.
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
“ॐ हाँ ह्रीं परम अर्हते उपलोटाद्यष्टकवर्गेण स्नापयामीति स्वाहा”
॥ इति षष्ठस्नात्रम् ॥
अभिषे! : ७
सातमुं (द्वितीयाष्टकवर्ग ) स्नात्र (૭) પતંજારી વિo આઠ વસ્તુઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું ‘નમોડર્હત્' કહી નીચેનો શ્લોક બોલવો. नानाकुष्ठाद्योषधि-सन्मिश्रे तद्युतं पतन्नीरम् । बिम्बे कृतसन्मिश्रं, कर्मोघं हन्तु भव्यानाम् ||१|| पतञ्जारी विदारी च, कर्चूरः कच्चुरी नखः । ककोडी क्षीरकन्दश्च, मुसलैः स्नापयाम्यहम् ॥२॥
भावार्थ :- पतंभरी-डंडोडी-क्षीरह, विहारी ६, ड्युरो, કપૂર, નખલા, મુસલી વિ. આઠ જાતના વિશિષ્ટ ચૂર્ણવડે સાતમો અભિષેક કરાય છે.
“ ॐ हाँ ह्रीं परम अर्हते पतञ्जार्यष्टकवर्गेण स्नापयामीति ॥ इति सप्तमस्नात्रम् ॥
अलिषे : ८
स्वाहा "
आठमुं (सर्दोषधि) स्नात्र
(૮) પ્રિયંગુ વિ૦ ૩૩ ઔષધિઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું ‘નમોડર્હત્' કહી નીચેનો શ્લોક બોલવો. प्रियङ्गुवच्छ - कंकेली, रसालादि - तरूद्भवैः । पल्लवैः पत्रभल्लात, एलची - तजसत्फलैः || १ ||
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
१८
.. विष्णुकान्ता हिमवाल-लवङ्गादिभि-रष्टभिः ।.. मूलाष्टकस्तथाद्रव्यैः, सदौषधि-विमिश्रितैः ॥२॥
सुगन्धद्रव्य-सन्दोहा, मोदमत्तालि-संकुलैः ।। विदधेऽर्हन्महास्नात्रं, शुभ-सन्तति-सूचकम् ॥३॥ मेदाद्यौषधि-भेदोऽपरोऽष्टकवर्ग-सुमंत्रपरिपूतः। निपतबिम्बस्योपरि, सिद्धिं विदधातु भव्यजने ॥४॥
भावार्थ :- प्रियंवत्स-दीपत्र-मेलयी-त४-सवीं વિગેરે આઠ શુભ ઔષધી અને સુગંધી દ્રવ્યથી મિશ્રિત જલવડે કરાતો આ આઠમો અભિષેક શુભ પુન્યની પરંપરાનો સૂચક છે અને પરમાત્મા ઉપર પડતું પાણી આપણા આત્મા ઉપરથી અષ્ટ કર્મ મલને દૂર કરી સિદ્ધિ આપનાર છે. ___ * “ॐ हाँ ही परम अर्हते प्रियङ्ग्वादिभिः सर्वोषधैः स्नापयामीति स्वाहा”
॥ इति अष्टमस्नात्रम् ॥ ત્યારપછી ગુરુ ઉભા થઈ - પરમેષ્ઠિમુદ્રા, ગરુડમુદ્રા અને મુક્તાશુક્તિ મુદ્રા એ ત્રણ મુદ્રાથી જિનશ્વરનું આહ્વાન કરે.
आह्वान करवानो मंत्र “ॐ नमोऽर्हत्परमेश्वराय, त्रैलोक्यगताय अष्टदिक्कुमारीपरिपूजिताय, देवेन्द्रमहिताय, दिव्यशरीराय, त्रैलोक्यपरिपूजिताय आगच्छ आगच्छ स्वाहा"
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
नं १ परमेष्ठि मुद्रा
૧૯
१. उत्तानहस्तद्धयेन वेणीबन्धं विधायाङ्गुष्ठाभ्यां कनिष्ठे, तर्जनीभ्यां मध्यमे संगृह्य अनामिके समीकुर्यादिति પરમણિ મુદ્રા | ૧. બંને હથેળી ખુલ્લી ભેગી કરીને, અંગુઠા વડે ટચલી આંગળીઓ, પહેલી આંગળીઓ વડે બીજી આંગળી ભેગી કરીને, અનામિકાને અનામિકા સાથે જોડવી તે પરમેષ્ઠિ મુદ્રા થાય છે.
नं २ गरुड मुद्रा
૨. ૩માત્માનો મિમુ-કેहस्तकनिष्ठिकया वामक निष्ठि कां संगृह्याधापरावर्तितहस्ताभ्यां गरुडमुद्रा ॥ ૨. પોતાની બાજુ જમણા હાથની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી ભેગી કરીને હાથ ઉંધા કરવાથી ગરૂડમુદ્રા થાય છે.
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
२०
नं ३ मुक्ताशुक्ति मुद्रा
३. मुत्तासुत्तिमुद्दा-जत्थ समा | दोवि गब्भिया हत्था । ते पुण | निलाडदे से, लग्गा अन्न अलग्गत्ति ॥ ૩. જેમાં સરખા બંને હાથ ગર્ભિત રાખી લલાટે અડાડેલા રાખવા અથવા લલાટથી થોડે દૂર રાખવા તે મુક્તાસુક્તિ મુદ્રા थायछ.
અભિષેક: ૯ नवमुं (पंचगव्य अथवा पंचामृत) स्नात्र (e) पंयाभूतनो मरी 'नमोऽईत्' डी नीयनो खोपोलपो. जिनबिम्बोपरि निपतत्, घृतदधि-दुग्धादि-द्रव्यपरिपूतम् । दर्भोदक-सन्मिश्रं, पंचगव्यं हरतु दुरितानि ॥१॥ वरपुष्प-चन्दनैश्च, मधुरैः कृतनि:स्वनैः। दधिदुग्ध-घृतमित्रैः, स्नापयामि जिनेश्वरम् ॥२॥
ભાવાર્થ-આ નવમો અભિષેક આપણે દરરોજ જે પંચામૃત વડે પ્રક્ષાલ કરવાનો હોય છે તેનો છે અર્થાત્ દુધ-દહિં-ઘી-સાકર અને પાણીથી મિશ્રિત આ અભિષેક આપણા દુરિતને હરનાર છે. ___ “ॐ हाँ ही परम अर्हते पञ्चामृतेन स्नापयामीति स्वाहा”
. . ॥ इति नवमस्नात्रम् ॥
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૧ अभिषे: १० दशमुं (सुगंधौषधि) स्नात्र (૧૦) અંબર વિ૦૧૭ સુગંધિ વસ્તુઓનું ચૂર્ણ કરી કળશ ભરવાના પાણીમાં નાખવું ‘નમો હેતુ’ કહી નીચેનો શ્લોક બોલવો. सर्वविज-प्रशमनं, जिनस्नात्र-समुद्भवम् । वन्दे सम्पूर्णपुण्यानां, सुगन्धैः स्नापयेज्जिनम् ॥१॥ सकलौषधि-संयुक्त्या, सुग-न्ध्या घर्षितं सुगतिहेतोः । स्नापयामि जैनबिम्बं, मंत्रित-तन्नीरनिवहेन ॥२॥
ભાવાર્થ - અંબર-ઉશીર વિ. સુગંધી દ્રવ્યોથી આ દશમો અભિષેક કરાય છે. આ અભિષેકથી સંપૂર્ણ પુણ્યનો ઉદ્ભવ થાય છે અને સર્વ વિઘ્નો નાશ પામે છે.
“ॐ हाँ ही परम अर्हते अम्बरउशीरादिसुगन्धद्रव्यैः स्नापयामीति स्वाहा"
॥ इति दशमस्नात्रम् ॥ અભિષેક: ૧૧
अगीयार{ (पुष्पं) स्नात्र ... ' (११) से, मे, मोगरा, गुदा, दूध में तनायो । ભરવાના પાણીમાં નાખવાં નમોડહંતુ કહી નીચેનો શ્લોક બોલવો. • अधिवासितं सुमंत्रैः, सुमनः किजल्कराजितं तोयम् । तीर्थजलादि-सुपृक्तं, कलशान्मुक्तं पततु बिम्बे ॥१॥
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
पुतः ।
२२ . सुगन्ध-परिपुष्पौधै-स्तीर्थोदकेन संयुतैः। भावना-भव्यसन्दोहै:, स्नापयामि जिनेश्वरम् ॥२॥
वार्थ :-सेवंत्रा-यभेदी-मोगरी-गुदाम-वि. सोना કિંજલ્કથી વાસિત જલ વડે ભવ્યજીવોની ભાવનાના પૂર સહિત આ અંગ્યારમો અભિષેક કરાય છે. “ॐ हाँ ही परम अर्हते पुष्पौधैः स्नापयामीति स्वाहा"
॥ इति एकादशस्नात्रम् ॥ અભિષેક: ૧૨
बार, (गन्ध) स्नात्र (१२) सर, पूर, स्तूरी, अगर माने यंहन, पाय घसी मां નાખી “નમોડર્ડ’ કહી નીચેનો શ્લોક બોલવો. गन्धाङ्गस्नानिकया, सन्मृष्टं तदुदकस्य धाराभिः । स्नापयामि जैनबिम्बं, कौघच्छित्तये शिवदम् ॥१॥ कुंकुंमादिकर्पूरश्च, मृगमदेन संयुतः। अगरश्चन्दनमित्रैः स्नापयामि जिनेश्वरम् ॥२॥ ___भावार्थ :- सारी शत घसेवा स२-७५२-स्तूरी-अ॥३ચંદન એવા ઉત્તમ સુગંધી દ્રવ્યયુક્ત જલવડે કર્મના સમૂહને છેદનાર, મોક્ષને આપનાર એવો આ બારમો અભિષેક થાય છે. “ॐ हाँ ह्रीं परम अर्हते गन्धेन स्नापयामीति स्वाहा”
॥ इति द्वादशंस्नात्रम् ॥
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
२3
अभिषे : १३
तेरमुं (वास) स्नात्र (૧૩) ચંદન, કેસર અને કપૂરનું ચૂર્ણ કરી કળશ ભરવાના જળમાં નાખવું ‘નમોડર્ડ' કહી નીચેનો શ્લોક બોલવો. हृद्यै-राह्लादकरैः, स्पृहणीयै-मन्त्रसंस्कृतै-जैनम् । स्नापयामि सुगतिहेतो-सैिरधिवासितं बिम्बम् ॥१॥ शिशिरकर-कराभै-श्चन्दनैश्चन्द्रमित्रैःबहुल-परिमलौधैः प्रीणितं प्राणगन्धैः । विनमदमर-मौलि: प्रोक्त-रत्नांशु-जालैः, जिनपति-वरश्रृङ्गे स्नापयेद्भावभक्त्या ॥२॥
ભાવાર્થ - નમન કરતાં દેવોના મસ્તકના મુકુટમાં જડેલા રનના કિરણોથી દેદિપ્યમાન થતા પરમાત્માને પરમ ભક્તિપૂર્વક સદ્ગતિ મેળવવા માટે મનોહર-આફ્લાદકારી અને સુગંધી એવા ચંદન વિગેરેના ચૂર્ણ વડે મિશ્રિત આ તેરમો અભિષેક કરાય છે. “ॐ हाँ ही परम अर्हते सुगन्धवासचूण्णैः स्नापयामीति स्वाहा"
॥ इति त्रयोदशं स्नात्रम् ॥
अभिषे: १४॥ . चौदमुं (चन्दनदुग्ध) स्नात्र' (૧) ચંદનનેદુધના કળશમાં નાખી ‘નમોડતું કહીનીચેનો શ્લોકબોલવો. शीतलसरस-सुगन्धि-मनोमतश्चन्दन-दुमसमुत्थः । चन्दनकल्क: सजलो, मन्त्रयुत: पततु जिनबिम्बे ॥१॥
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
. २४ क्षीरेणाक्षत-मन्मथस्य च महत् श्रीसिसि-कान्तापते, सर्वज्ञस्य शरच्छशाङ्क-विशद-ज्योत्स्ना-रसस्पर्दिना । कुर्मः सर्वसमृद्धयस्त्रिजगदानन्दप्रदं भूयसा, . स्नानं सद्धिकसत्कुशेशयपद-न्यासस्य शस्याकृतेः ॥२॥
ભાવાર્થ - શરદઋતુના ચંદ્રમાની નિર્મળ ચાંદનીના રસની સાથે સ્પર્ધા કરતા એવા ચંદનના ચૂર્ણથી મિશ્રિત દૂધ વડે પ્રશંસા કરવા લાયક, મનોહર આકૃતિવાળા એવા સર્વજ્ઞ ભગવંતનો કરાતો આ ૧૪મો અભિષેક ત્રણે જગતમાં આનંદને આપનાર એવી સર્વ समृद्धिने ॥५॥२ छ.. .. “ॐ हाँ ही परम अर्हते क्षीरचन्दनाभ्यां स्नापयामीति स्वाहा"
॥ इति चतुर्दशस्नात्रम् ॥ અભિષેક: ૧૫ पंदरमुं (केशर साकर) स्नात्र (१५) सर भने सा२ने ४i नामी मरी 'नमोऽत्' કહી નીચેનો શ્લોક બોલવો. काश्मीरज-सुविलिप्तं, बिम्बं तच्छिरसि धारयामिनवम् । सन्मन्त्र-युक्तयाशुचि-जैनं स्नापयामि सिद्ध्यर्थम् ॥१॥ वाच: स्फार-विचार-सारमपरैः स्याद्वाद-शुद्धामृतस्यन्दिन्या परमार्हतः कथमपि प्राप्यं न सिद्धात्मनः । मुक्तिश्री-रसिकस्य यस्य सुरस-स्नात्रेण किं तस्य च, श्रीपादद्धय-भक्ति-भावितधिया कुर्मः प्रभोस्तत्पुनः ॥२॥
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
ભાવાર્થ :- જેમની સ્યાદ્વાદમયી શુદ્ધ અને અમૃત સમાન વાણીનો વિચાર સરખો પણ બીજા વડે શક્ય નથી અને જેઓ મુક્તિરૂપી લક્ષ્મીને પ્રિય છે એવા પરમાત્માનો પંદરમો અભિષેક તેમની ભક્તિથી ભાવિત મનવાળા આપણે કેસર અને સાકરથી મિશ્રિત જલ વડે, મોક્ષ પ્રાપ્તિ માટે કરવાનો છે.
સ્વાહા”
“ॐ ह्रीँ ह्रीँ परम अर्हते काश्मीरजशर्कराभ्यां स्नापयामीति ॥ કૃતિ પશ્ચદ્રશસ્નાત્રમ્ | (૧) પંદર સ્નાત્ર થયા પછી થોડું વિશેષ વિધાન કરવાનું છે. ચન્દ્રદર્શન, સૂર્યદર્શન અને ષષ્ઠી જાગરણ તે આ પ્રમાણે છે. (૨) પ્રથમદિન કુલ સ્થિતિ, પછી ત્રીજે દિવસે ચન્દ્ર-સૂર્યદર્શન. તેમાં સર્વ બિંબને ચંદ્ર અને સૂર્યના સ્વપ્નનું દર્શન નીચેના મંત્રપાઠ પૂર્વક કરાવવું. સ્વપ્ન ન હોય તો દર્પણ દેખાડવું. (૩) ચંદ્રદર્શન મંત્ર આ પ્રમાણે છે.
ॐ अहं चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमा ગત્તિ, ગ્રહપતિરસિ, નક્ષત્રપતિસિ, હૌમુરીતિરસિ, મનમિત્રમસિ, जगज्जीवनमसि, जैवातृकौऽसि, क्षीरसागरोद्भवोऽसि, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि । ओषधिगर्भोऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, नमस्ते भगवन् ! अस्य कुलस्य ऋद्धिं कुरुकुरु वृद्धि, कुरुकुरु तुष्टि, ઝરુર પુષ્ટિ, રુરુ નચં, રુરુ વિષયં, પુરુષ્ઠુરુ મતું, कुरुकुरु प्रमोदं कुरुकुरु श्रीशशाङ्काय नमः ।
.
ॐ अर्हम् सर्वौषधिमिश्रमरीचिजाल: सर्वापदां संहरणप्रवीणः ।
करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माकमिन्दुः सततं प्रसन्नः ||१||
૧. આ વિધાન ખાસ કરીને અંજનશલાકા પ્રસંગે કરાવવામાં આવેછે. સામાન્ય અઢાર અભિષેક કરાવવા માટે જેવી અનુકૂળતા હોય તેમ કરવું.
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
में प्रभारी डीने यंद्रहशन ४२॥4g. (४) सूर्यशनमंत्र આ પ્રમાણે છે .. ॐ अहँ सूर्योऽसि, दिनकरोऽसि, सहस्रकिरणोऽसि, विभावसुरसि, तमोऽपहोऽसि, प्रियङ्करोऽसि, शिवङ्करोऽसि, जगच्चक्षुरसि, सुरवेष्टितोऽसि, वितत विमानोऽसि, तेजोमयोऽसि, अरुणसारथिरसि, मार्तण्डोऽसि, द्वादशात्माऽसि, चक्रबान्धवोऽसि, नमस्ते भगवन् ! प्रसीदास्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरुकुरु, सन्निहितो भवभव, श्रीसूर्याय नमः
। ॐ अर्ह । , सर्वसुरासुरवन्धः, कारयिता सर्वधर्मकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु-र्मङ्गलदस्ते सपुत्राया: ॥१॥ એ પ્રમાણે સૂર્યદર્શન કરાવવું
अमिषे: १६ सोलमुं (तीर्थोदक) स्नात्र (૧) ગંગા આદિ એકસો આઠ તીર્થોનાં પાણી કળશમાં નાખી 'नमोऽई' 580 नीनो दो गोलपो. जलधि-नदी-द्रहकुण्डेषु, यानि-तीर्थोदकानि शुद्धानि । तैर्मन्त्र-संस्कृतैरिह, बिम्बं स्नपयामि सिद्ध्यर्थम् ॥१॥ नाकनदी-नदविहितैः, पयोभि-रम्भोज-रेणुभिः सुभगैः । श्रीमज्जिनेन्द्रपादौ, समर्चयेत्सर्व-शान्त्यर्थम् ॥२॥
ભાવાર્થ - ગંગા-સિંધૂ આદિ ૧૦૮ તીર્થોનાં, નદીઓના પાણી ભેગા કરીને આ અભિષેક થાય છે.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭ તારે તે તીર્થ કહેવાય, સંસાર અશાંતિથી ભરેલો છે તેમાંથી છૂટવા સર્વ પ્રકારની શાંતિ પ્રાપ્ત કરવા આ સોળમો અભિષેક છે.
“ॐ हाँ ही हूँ हूँ हौँ ह्रः परम अर्हते तीर्थोदकेन स्नापयामीति स्वाहा”
॥ इति षोडशस्नात्रम् ।। भत्मिय : १७
सत्तरमुं (कर्पूर) स्नात्र (૧૭) કપૂર કળશમાં નાખી “નમોડહંતુ કહી નીચેનો શ્લોક બોલવો. शशिकर तुषारधवला, उज्जवलगन्धा सुतीर्थ-जलमिश्रा । कर्पूरोदकधारा, सुमन्त्रपूता पततु जिनबिम्बे ॥१॥ कनक-करकनाली-मुक्तधाराभिरद्भिः, मिलित-निखिलगन्धैः केलि-कर्पूरभाभिः । अखिल-भुवन-शान्ति शान्तिधारां जिनेन्द्रक्रम-सरसिज-पीठे स्नापयेदीतरागान् ॥२॥
ભાવાર્થ-ચંદ્રમાના કિરણો અને હિમ જેવા ઉજ્જવળ અને સુગંધી કપૂરથી મિશ્રિત જલની આખા જગતની શાંતિ કરનાર એવી શાંતિધારા પરમાત્માને ૧૭મા અભિષેકમાં કરવાની છે. .. “ॐ हाँ हाँ हूँ हैं हौँ ह्रः परम अर्हते कर्पूरण स्नापयामीति स्वाहा”
॥ इति सप्तदशस्नात्रम् ॥
અભિષેક: ૧૮ .... अढारमुं (केशर-चंदन-पुष्प) स्नात्र
(१८) शर, यंहनने न पाएीमा नापी नमोऽई'sी નીચેનો શ્લોક બોલવો.
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨.૮
सौरभ्यं घनसार-पकज-रजो-नि:प्रीणितैः पुष्करैः, शीतैः शीतकरावदात-रुचिभिः काश्मीर-सन्मिश्रितैः । श्रीखण्ड-प्रसवाचलैश्च मधुरैः नित्यं लभेष्टैर्वरैः, સૌરમ્ય-સંગ્ર-સાર્વ-ચરબદ્ધ અને માવતઃ આશા
ભાવાર્થ - કેસર, ચંદન અને પુષ્પ મિશ્રિત જલવડે આ અઢારમો અને અંતિમ અભિષેક પરમાત્માના ચરણ યુગલની સેવા : માટે ભાવથી કરવાનો છે.
ॐ हाँ ही हूँ हैं हौँ ह्रः परम अर्हते केशरचन्दनाभ्यां स्नापयामीति स्वाहा"
॥ इति अष्टादशस्नात्रम् ॥ એ મંત્ર બોલી સ્નાત્ર કરી, તિલક આદિથી પૂજન કરી પુષ્પાંજલિ લઈ નીચેનો શ્લોક બોલવો. नानासुगन्ध-पुष्पौध-रज्जिता चञ्चरीक-कृतनादा । धूपामोद-विमिश्रा, पततात्पुष्पाञ्जलि-बिम्बे ॥१॥
पछी “ॐ हाँ ह्रीं हूँ पुष्पाञ्जलिभिरर्चयामीति स्वाहा" એ મંત્ર બોલી પુષ્પાંજલિથી પૂજન કરવું.
પછી અષ્ટપ્રકારી પૂજા કરી આરતી, મંગલદીવો, શાંતિકળશ કરવો, છેલ્લે અવિધિ આશાતના માટે મિચ્છામિ દુક્કડં કરવું.
કૃતિ ૩ઢાર અભિષેક વિધિ ત્યારપછી વિધિપૂર્વક - દૂહા બોલવાપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી બધા જ ગભારામાં સંપૂર્ણ શુદ્ધિ કરીને આરતી - મંગળદીવો કરીને પછી શાંતિકળશ કરવો.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૯ -
શાંતિકળશની વિધિ કુંડીની અંદર કેસરનો સાથિયો કરી સોપારી, બદામ, સાકર, સવારૂપીયો ચોખા અને કુલ પધરાવવા. શાંતિકળશ કરનાર વ્યક્તિને (ભગવંતને પડદો કરીને) કેસર વડે તિલક કરવું - ચોખા ચોટાડવા. (ભગવાનને સામે આપણે તિલક કરાય નહિ માટે ભગવાનને પડદો કરવો.) ફૂલની માળા હોય તો તે પણ પહેરાવવી. પછી વધાવવા માટે ચોખા હાથમાં આપવા અને શાંતિકળશ કરનાર વ્યક્તિ ભગવંતને ચોખાથી વધાવે. પછી તે વ્યક્તિની હથેળીમાં કેસરવડે સાથીયો કરવો. ચોખા પધરાવવા. પછી કળશને નાડાછડી બાંધી, હવણજળ ભરી, કેસરનો સાથીયો કરીને તે કળશ, શાંતિકળશ કરનાર વ્યક્તિના હાથમાં પધરાવવો. પછી ધાર અખંડપણે ચાલુ કરવી. સૌથી પહેલાં ત્રણ નવકાર બોલવા. પછી ઉવસગહર, મોટીશાંતિ બોલવી. પછી
ૐ સં સંતિ સંતિકર, સંતિર્ણ સવ્વભયા; સંતિ ગુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મેં સ્વાહા. ૧. 35 રોગજલજલણવિસહર, ચોરારિ-મઈદ-ગય-રણભાઈ, પાસજિણ-નામ-સંકિરણેણ, પસમંતિ સવાઈ સ્વાહા. ૨. ૐ વરકણયસંખવિદુમ-મરગયઘણસત્રિહ વિગયો, સત્તરિય જિણાણે, સબામર-પૂઈએ વંદે સ્વાહા. ૩. ૐ ભવણવઈ વાણવંતર, જોઈસવાસી વિમાણવાસી અ; જે કેવિ દુ દેવા, તે સત્વે ઉવસગંતુ મમ સ્વાહા. ૪. - આ ચાર ગાથા બોલી નવકાર બોલી શાંતિ કળશ પૂરો કરવો. ત્યારબાદ ઈરિયાવહી કરી ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન કરી લોગસ્સ બોલીને ત્રણ ખમાસમણ દેવાં.
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
પછી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે :સકલ-કુશલ-વલ્લી-પુષ્કરાવર્ત-મેઘો, દુરિત-તિમિર-ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ; ભવ-જલ-નિધિ-પોતઃ સર્વ-સંપત્તિ-હેતુઃ, સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાન્તિનાથઃ, શ્રેયસે પાર્શ્વનાથઃ । ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે; હ્રીઁ ધરણેન્દ્ર વૈરોટ્યા, પદ્માદેવી યુતાયતે. ૧. શાંતિ-તુષ્ટિ-મહાપુષ્ટિ-કૃતિ-કીર્તિ વિધાયિને; ૐ હ્રીં દ્વીક્ળ્યાલ વૈતાલ, સર્વાધિવ્યાધિવિનાશિને. ૨ જયાઽજિતાખ્યાવિજયાખ્યાપરાજિતયાન્વિતઃ; દિશાંપાટૈગ્નેટૈર્યક્ષ - વિદ્યાદેવી - ભિરન્વિતઃ. ૩. ૐ અસિઆઉસાય નમસ્તત્ર ત્રૈલોક્યનાથતામુ; ચતુઃષ્ટિ-સુરેન્દ્રાસ્તે, ભાસન્ને છત્ર-ચામરૈઃ ૪. શ્રી શંખેશ્વરમંડણ ! પાર્શ્વજિન ! પ્રણત-કલ્પતરુકલ્પ ! ચૂરય દુષ્ટ-વ્રાતં, પૂરય મે વાંછિત નાથ ! ૫. જં કિંચિ નામતિર્થં, સગે-પાયાલિ-માણસે લોએ; જાઈ જિણ-બિંબાઈ, તાઇ સવ્વાઈ વંદામિ. ૧
નમુન્થુણં અરિહંતાણં, ભગવંતાણં આઈગરાણું તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં, પુરિમુત્તમાણં પુરિસસીહાણ પુરિસવરપુંડઆિણં પુરિસવરગંધહત્થીણું, લોગુત્તમાણે લોગનાહાણું લોગહિઆણં લોગપઈવાણું લોગપજ્જોઅગરાણું, અભયદયાણું, ચક્ષુદયાણું, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણં, ધમ્મદયાણં ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું ધમ્મસારહીણું ધમ્મવરચાઉરતચક્કવટ્ટીણું,
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૧
અપ્પડિહયવરનાણ દંસણધરાણ, વિયટ્ટછઉમાણં, જિણાણું જાવયાણું, તિશાણું તારયાણં, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણં, સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં, સિવમયલ-મરૂઅ મણંતમક્ક્ષય-મવ્વાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય-ઠાણું સંપત્તાણું - નમો જિણાણ જિઅભયાર્ણ, જે આ અઈઆ સિદ્ધા; જે અ ભવિસંતિણાગએકાલે, સંપઇઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ
જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે અ તિરિઅ લોએ એ, સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ ।
ઇચ્છામિ ખમાળ
જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિખંડ વિરયાણું ॥ નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ।
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતી કરણ ઇન કલિમેં... હો જિનજી... ! તું મેરા મનમેં તું મેરા દિલમેં...ધ્યાન ધરૂં પલપલમેં સાહેબજી...
તું મેરા મનમેં... ૧. ભવમાં ભમતાં મેં દરશન પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. તું. મેરા. ૨. નિરમલ જ્યોત વદન પર સોહે, નીકસ્યો જ્યું ચંદ બાદલમેં હો જિનજી. તું મેરા. ૩. મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યું જલમેં હો જિનજી. તું મેરા. ૪. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર ! દીઠોજી દેવ સકલમેં હો જિનજી. તું મેરા. ૫. આ અથવા જે મૂળનાયક ભગવાન હોય તેમનું સ્તવન કહી જયવીયરાય આખા કહેવા પછી ઉભા થઈ અરિહંતચેઈ-આણં,
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
અન્નત્યં કહી એક નવકારનો કાઉસગ્ગ કરવો. પછી થોય કહેવ
શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે; સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવની તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન-ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે... ૧. ઇચ્છામિ ખમાળ
આવ્યો શરણે તમારા, જીનવર કરજો આશ પૂરી અમારી; નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી પરમ આનંદકારી; પાયો તુમ દર્શનાસે ભવભયભ્રમણા, નાથ ! સર્વે અમારી... ૧. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી... ૧.
ૐ આજ્ઞાહીનં ક્રિયાહીનં, મંત્રહીનં ચ યકૃતમ્ । તત્ સ કૃપા દેવ ! ક્ષમસ્વ પરમેશ્વર ! ||૧|| ૐ આહ્વાનું નૈવ જાનામિ, ન જાનામિ વિસર્જન । પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર ! ॥૨॥ ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ । મનઃ પ્રસશતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ॥ સર્વમંગલ-માંગલ્યું, સર્વકલ્યાણકારણ 1 પ્રધાનં સર્વધર્માણામ્, જૈનં જયતિ શાસનમ્ II પછી ચોખાથી વધાવવા.
ઇચ્છામિ ખમા... અવિધિ આશાતનાએ કરી મિચ્છામિ દુક્કડમ્
સમાપ્ત
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________ પરમાત્મ ભક્તિ le તીર્થકરોનું દર્શન-પૂજન-સ્મરણ વગેરે પરમ નિધાન છે. અમૃતનો કુંપો છે. જનમન-મોહનવેલ છે. રાત-દિવસ સંભારવા લાયક છે. ઘડી પણ ન વિસરવા લાયક છે. તીર્થકરોની ભક્તિ, નામ સ્મરણ વગેરે આળસમાં મળેલી ગંગા છે. મયુરને મન જેમ મેઘ, અને ચકોરને મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમલ, અને કોકિલને મન જેમ આમ્ર, જ્ઞાનીને મન જેમ સંયમધારણ, દાનીને મન જેમ ત્યાગ, અને ન્યાયીને મન જેમ ન્યાય, સીતાને મન જેમ રામ અને પંથીને મન જેમ ધામ, તેમ તત્ત્વગુણરસિક જીવને મન તીર્થકરનું નામ આનંદ આપનારું છે. તીર્થકરના નામને જપનારને નવ નિધાન ઘેર છે. કલ્પવેલી આંગણે છે. આઠ મહાસિદ્ધિ ઘટમાં છે. એમની ભક્તિથી કોઇ પણ જાતના કાયાના કષ્ટ વિના જ ભવજલ તરાય છે. તીર્થકરોના લોકો પર નામ કીર્તનરૂપી અમૃતપાનથી મિથ્યામતિરૂપી વિષ તત્કાલ નાશ પામે છે. તથા અજરામર પદની પ્રાપ્તિ થાય છે. એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવનનાં ઘણાં અશુભ અને ફિલષ્ટ કર્મો નાશ પામે છે. બોધિ (સમ્યત્વ) જ્ઞપ્તિ | (જ્ઞાન) અને વિર ની પરંપરાએ મોક્ષના અનંત સુખોના એ છે (6) વેકી આત્માઓએ શ્રી જિનેશ્વરદેવની - પક્તિમાં સદાકાળ દત્તચિત્તવાળા થવું 083928 પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા ભરત પ્રિન્ટરી : (કાંતિલાલ ડી. શાહ) અમદાવાદ થી ગાજી. Serving JinShasan gyanmandir@kobatirth.org