________________
૮
જલ અભિષેક
જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ જલપૂજા ફળ મુજ હો, માગો એમ પ્રભુ પાસ.
જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપુર; શ્રી જિનને નવરાવતાં, કર્મ હોયે ચકચૂર. ૨. અર્થ: શ્રી જિનેશ્વર પરમાત્માની જળપૂજા વિધિ પૂર્વક કરો, જળપૂજા કરવાથી આત્મા ઉપર અનાદિકાળથી વળગેલ કર્મ રૂપ મેલ દૂર થાય છે. જળપૂજા કરી પ્રભુ પાસે માગણી કરો કે હે પ્રભુ આ જળપૂજાના પ્રભાવે કર્મમળ દૂર થવા રૂપ ફળ મને પ્રાપ્ત થાઓ. ૧.
અર્થ: જળપૂજા કરતી વખતે ભાવના ભાવવી કે આ આત્મા જ્ઞાનરૂપી કળશમાં વિપુલ સમતારૂપ રસને ભરીને શ્રી જિનેશ્વરને નવરાવી રહ્યો છે, અને તેથી આપણા આત્મામાં રહેલ કર્મના ચૂરેચૂરા થાય છે. ૨.
મેરૂ શિખર નવરાવે હો સુરતિ - મેરુ૦ જન્મકાળ જિનવરકો જાણી,
પંચરૂપ કરી આવે. હો સુર૦ ૧.
રત્ન પ્રમુખ અડ જાતિના કળશા,
ઔષધિ ચરણ મિલાવે; ખીર સમુદ્ર તીર્થોદક આણી,
સ્નાત્ર કરી ગુણ ગાવે, હો સુર૦ ૨.
વાવે;
એણી પરે જિનપ્રતિમાકો નવણ કરી, બોધિબીજ
માનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org