________________
(૨)
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપીયો, વર્તુ ચરણાધીન,
છીએ.
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફી માગું એજ; સદગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ.
*
કોઈ સંતના કહેવાથી મારી મતિ કલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર ને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું.
જુ
મેં તો આત્મા જાણ્યો નથી. પરંતુ યથાતથ્ય જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે અને અનંતા જ્ઞાનીએ) એ જાણ્યો છે. તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુદેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલો ભવ મારે તો એ જ કરવું છે, એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધસમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય.
*
સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનુંળ નિશ્ચયે મુક્તપણું છે.
*
એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ