Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ પડશે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ-વ્યવસ્થાની કલ્પના એક વિશ્વ બજાર રૂપે કરવામાં આવેલી. - આને ભોળપણ કહો, ભ્રમકહો કે છેતરામણી કહો. મૂડીવાદને સામ્રાજ્યવાદ - જાણે દુનિયામાં ક્યારેય આવ્યો જ નહોતો ! જો કે યુરોપના સહિયારા બજારે આ તર્કને કાંઈક અંશે સાચો પાડ્યો છે, તેની ના કહી શકાય તેમ નથી. યુદ્ધ કરીને વિદેશી ભૂમિ ઉપર કબજો મેળવવા કરતાં નફાખોરીથી પ્રેરાઈને વિદેશી બજાર કબજે કરવાનું વલણ આજે દેખાય છે. અને તેમ છતાં બહુરાષ્ટ્રીય કંપનીઓ અને જાગતિક બેન્કોના આ જમાનામાં આપણે શું વિશ્વશાંતિ તરફ ડગ માંડી રહ્યા છીએ ? વિશ્વ બજાર તરફ એક વાર રાજકીય તાનાશાહીમાંથી છૂટવાના એક ઉપાય તરીકે જોવાતું. આજે વિશ્વ બજાર પોતે એક જબરો તાનાશાહ બની બેઠું છે, જેની આણ હેઠળ ગરીબ ને તવંગર બંને રાષ્ટ્રો ધ્રુજી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે પાછળ પડી જઈશું તો ફેંકાઈ જઈશું, એવા ભય હેઠળ બધા જીવી રહ્યા છે. બજારની ગળાકાપ હરીફાઈમાં બધા પડ્યા છે. તેને લીધે ગરીબ રાષ્ટ્રો પોતે જ પોતાનું શોષણ વધારી રહ્યાં છે. પોતાની નિકાસ વધારવા તેઓ પોતાનું બધું જ આ હરીફાઈમાં હોમી રહ્યાં છે. ઔદ્યોગિક દેશો પણ વેડફાટભર્યા ઉપભોગને પોષતી વધુ ને વધુ ઉત્પાદન કરતા જવાની વિઘાતક ઘેલછાના શિકાર બનેલા છે. બધા જ એક એવી જાળમાં ફસાઈ ગયા છે, કોઈ છુટકારો દેખાતો નથી. આમાં કોણ સ્વતંત્ર છે ? કોણ સ્વાયત્ત છે ? કોણ પોતાનો સ્વતંત્ર નિર્ણય કરી શકે તેમ છે ? કોણ પોતાની આગવી રીતે જીવી શકે તેમ છે ? દરેકનો નિર્ણય અન્યોના નિર્ણય ઉપર આધારિત છે. બજાર કબજે કરવા સામેવાળો જે પગલાં ભરે તેના પ્રત્યાઘાત રૂપે જ તમારે પણ પગલાં ભરવાં પડે છે. તમે તમારી આગવી કોઈ સર્જનાત્મક જીવનશૈલી સાચવી શકો નહીં. ઘર આંગણે તેની ગમે તેટલી અછત હોય છતાં તમે તમારી ખેતપેદાશોની નિકાસર્યા વિના રહી શકો નહીં. વધારે ને વધારે ઊંચી ટેકનોલોજીની ઘોડદોડમાંથી તમે બાકાત રહી શકો નહીં. પોતે પોતાની મરજી મુજબ પોતાનું ભાવિ ઘડી શકે એવો એક પણ દેશ આજે દુનિયામાં ભાગ્યે જ શોધ્યો જડશે. અમેરિકા ભારતની સરખામણીમાં ૨૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36