Book Title: Vicharratnakar
Author(s): Kirtivijay, Chandanbalashree
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ મહત્ત્વપૂર્ણ આ ગ્રંથ છે. શ્રવિચારરત્નાકર ગ્રંથમાં અનેક ઉત્તમ રત્નો-મણિઓ જેવા અનેક વિચારો રજૂ કરીને એના સમાધાનો આગમગ્રંથોના પાઠોની સાક્ષી પૂર્વક આપવામાં આવેલ છે. આ શ્રવિચારરત્નાકર ગ્રંથમાં ડૂબકી લગાવવાથી અનેક જિજ્ઞાસાઓ અને અનેક પ્રશ્નોના સમાધાન થવાથી સમ્યજ્ઞાનરૂપ શ્રેષ્ઠરત્નોની પ્રાપ્તિ થાય છે. શ્રવિચારરત્નાકગ્રંથની વિ.સં. ૧૯૮૩માં શ્રેષ્ઠિદેવચંદ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર સંસ્થાથી ગ્રંથાંક-૭ર તરીકે પ્રકાશિત થયેલ પ્રત જીર્ણ થઈ ગયેલ હોવાથી આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થાય તો આ ગ્રંથ ઘણો ઉપયોગી થાય એ પ્રમાણે વર્ધ્વમાનતપોનિધિ મુનિશ્રી નયભવાણિવર્યશ્રીએ શ્રતોપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને એમની શુભપ્રેરણાને ઝીલીને મારા શુભાશીર્વાદપૂર્વક સાધ્વી ચંદનબાલાશ્રીએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથનું નવીનસંસ્કરણ પુસ્તકાકારે વિસ્તૃત વિષયાનુક્રમ, દશ પરિશિષ્ટો વગેરે સહિત તૈયાર કરેલ છે અને આવો વિશિષ્ટ આગમપાઠોથી ભરપૂર આ ગ્રંથ ભદ્રંકર પ્રકાશની પ્રકાશિત થાય છે તે મારા માટે અત્યંત આનંદનો વિષય બનેલ છે. આ ગ્રંથના વાચન દ્વારા અનેક પદાર્થોનો સચોટ બોધ થાય તેમ હોવાથી આ ગ્રંથ સૌ કોઈ જિજ્ઞાસુ વાંચે એવી પ્રેરણા કરું છું અને આગમના અર્ક સમાન આ ગ્રંથના વાચન માટે ક્ષમતા કેળવી અધિકારી વર્ગ આગમગ્રંથોના વાચનમાં પ્રવેશ કરે અને તેના દ્વારા નિર્મળ બોધ પ્રાપ્ત કરી રત્નત્રયીની વિશેષ આરાધના-સાધના કરી સૌ કોઈ ભવ્યાત્માઓ મુક્તિમંજિલના માર્ગે આગળ વધી શાશ્વત સુખના ભાગી બને એ જ શુભકામના !! - પંન્યાસ વજસેનવિજય ratan-t.pm5 2nd proof

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 452