Book Title: Varsanu Vitaran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૭૧૪ ] દર્શન અને ચિંતન જુદા પડે, સુગ્રીવ અને વાલી લડે ત્યારે રામબ્રાતાઓ અખંડ રહે–આ લક્ષણ કદાચ આર્ય-અનાર્યનું ભેદસૂચક હેય.ગ્રંથકારે આર્ય આદર્શ દર્શાવવા ગ્રંથ લખ્યો હેય ને તેમાં અનાર્ય વ્યવહાર કેવો છે એ સાથે સાથે દર્શાવી આર્યજીવનની સુરેખતા ઉપસાવી હેય. જે કવિ ખરેખર કેળી જ હોય તે તેને પિતાની જાતિમાં એટલે કે અનાર્યમાં રહેલા સડાને નિવારવાની દૃષ્ટિ હેવી જોઈએ. અને એ પણ કવિને વસેલું હશે કે આવડા મેટા દેશમાં બહારથી આવેલા આ છેવટે ફાવ્યા તે કૌટુમ્બિક એકતાને કારણે. એટલે એને પિતાની જાતિના કુસંપ અને સુદ્રવૃત્તિ ખટક્યાં હોય અને તેનું ચિત્ર પિતાની જાતના અને દ્વારા રજુ કર્યું હોય. ચેથા પ્રકરણમાં બ્રાહ્મણયુગનું ચિત્ર છે. લેખકે ઐતરેય આદિ બ્રાહ્મણગ્રંથને આધારે દર્શાવ્યું છે કે ધીરે ધીરે સાદા યજ્ઞોમાંથી ખર્ચાળ અને આડંબરી મહાય કેવી રીતે વિકસ્યા. એ જ રીતે એ પણ દર્શાવ્યું છે કે પુરોહિતવર્ગની ક્ષત્રિય જેવા યજમાનવર્ગ ઉપર કેવી ધાક બેઠી અને તેઓ કેવા દક્ષિણાલુપ તથા મોજીલા બની ગયા. આની સામે કઈ રીતે ક્ષત્રિયોનો વિધવંટોળ ઊડ્યો અને પુરોહિતેની પકડમાંથી છૂટતાં તેઓએ ક્યા પ્રકારની નવસંસ્કૃતિના નિર્માણમાં ભાગ લેવા માંડ્યો, એ બધું લેખકે સાધાર દર્શાવ્યું છે. - પાંચમા પ્રકરણમાં મહાભારતને પરિચય આવે છે. રામાયણના પરિચય કરતાં આ પરિચય કાંઈક વિસ્તૃત છે, તે ગ્રંથનું કદ અને વિષયવૈવિધ્ય જોતાં ગ્ય જ છે. “વેરથી વેર શમતું નથી' એવી તથાગતની વાણું “ધમ્મપદમાં માત્ર સિદ્ધાંતરૂપે રજુ થઈ છે, જ્યારે મહાભારતમાં એ સિદ્ધાંત અનેક કથા, ઉપકથા અને બીજા પ્રસંગો દ્વારા સુરેખ રીતે વ્યંજિત થયેલે છે, એટલે તે વાચકને પોતાના રસપ્રવાહમાં ખેંચ્યું જ જાય છે, ને જરાય કંટાળો આવવા દેતું નથી. બુદ્ધની એ વાણી અશકે એવું જીવન જીવી શિલાલેખોમાં મૂર્તિ કરી છે, જ્યારે મહાભારતમાં એ વાણી કવિની રસવાહી શૈલી દ્વારા તેમ જ અતિહાસિક, અર્ધ ઐતિહાસિક અને કાલ્પનિક કથા-પ્રસંગો દ્વારા મૂર્ત થઈ છે. આમ મહાભારત અને તથાગતને મૂળ સૂર એક જ છે કે જીતનારના હાથમાં છેવટે પસ્તાવો ને દુઃખ જ રહે છે. લેખકે મહાભારતનો પરિચય આયમર્યાદાને ઉલટાવી નાખનાર યુદ્ધરૂપે આપેલ છે તે બરાબર છે. રામાયણ અને મહાભારતનાં કેટલાંક પાત્ર ઉપરથી જ આ અંતર સ્પષ્ટ થઈ જાય છે, જેમ કે રામ નિષ્ઠાવાન, તે યુધિષ્ઠિર તક જોઈ હું પણ બેલે; સીતા બધું હસતે મેઢે સહી લે, તે પતિભક્તા છતાં દ્રૌપદી પતિઓ અને બીજા વડીલેને પણ વાઘણની પેઠે ત્રાડી ઊઠી ઠપકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8