Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય ૯ સૂત્રઃ૪૯
૧૮૧ ઉત્કૃષ્ટ (૧)પુલાક,બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ પ્રકારના સાધુઓ ઉત્કૃષ્ટથી દશ પૂર્વધર હોય છે.
(૨)કષાય કુશીલ અને નિર્ગસ્થ સાધુઓ ઉત્કૃષ્ટ થી ચૌદ પૂર્વધરો હોય છે.
જધન્ય (૧)પુલાક સાધુ જધન્યથી આચાર વસ્તુ નવમા પૂર્વમાં નામક ત્રીજું પ્રકરણ છે તે] જેટલું શ્રુત જાણે.
(૨)બકુશ,કુશીલ અને નિર્ગસ્થોને જધન્ય થી આઠ પ્રવચન માતા જેટલું શ્રત હોય. - [અષ્ટપ્રવચન માતા એટલે પ-સમિતિ, ૩-ગુપ્તિ]
જયારે સ્નાતક-કેવળજ્ઞાની હોવાથી તેને જઘન્ય કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન ન હોવાથી તે શ્રુતરહિત શ્રિતાપતા હોય છે.
[૩]પ્રતિસેવનાપ્રતિસેવનાનો અર્થ સામાન્ય થી વિરાધના કરવામાં આવેલ છે
(૧)પુલાક સાધુઓ પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણવ્રત એ છમાંથી કોઈપણ વ્રતનો બીજાના દબાણથી કે બળાત્કારે ખંડન કરનાર હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યકાર લખે છે કે શુમ્ ત ા કેટલાંક આચાર્યોપુલાને ફક્ત મૈથુન વિરમણવ્રતના જ વિરાધક માને છે.
(૨)બકુશ બે પ્રકારે કહ્યા છે. ઉપકરણ બકુશ અને કષાય બકુશ
# ઉપકરણ બકુશ-ઉપકરણમાં મમતા રાખનારા ઘણા મૂલ્યવાળા ઉપકરણો એકઠા કરીને વિશેષ એકત્ર કરવાની ઇચ્છાવાળા તે ઉપકરણ લકુશ.
# શરીર બકુશ - શરીર શોભામાં જેનું મન તત્પર છે એવા હંમેશા વિભુષા કરનારા શરીર લકુશ કહેવાય છે.
(૩)પ્રતિસેવનાકુશીલ-મૂળગુણોને પાળે છે પણ ઉત્તર ગુણોની કંઈક કંઈક વિરાધના કરે છે. (૪)કષાયકુશીલ,નિર્ગસ્થ,સ્નાતક એ ત્રણે ને વિરાધના હોતી જ નથી. [૪]તીર્થ(૧)પાંચ પ્રકારના નિર્ચન્હો -સાધુઆ બધાં તીર્થકરોના શાસનમાં મળી આવે છે.
(૨)કેટલાંકઆચાર્યએમ પણ માને છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલતીર્થમાંશાસનમાં નિત્ય હોય છે. બાકીના સાધુઓ અર્થાત્ કષાયકુશીલ, નિર્ગસ્થતથાસ્નાતકતીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય. જેમ કે મરુદેવી વગેરે.અતીર્થમાં કહેવાય છે.
[પલિંગલિંગ અર્થાત્ ચિહન-બે પ્રકારે છે. દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-રજોહરણ,મુહપત્તિ યુકત વેષ આદિ બાહ્ય સ્વરૂપ. પાર્વત્રિ-ચારિત્ર ગુણ અથવા જ્ઞાન, દર્શન,ચારિત્ર ગુણ.
પાંચ પ્રકારના સાધુઓને ભાવલિંગ અવશ્ય હોય છે. પરંતુદ્રવ્યલિંગ તો એ પાંચમાં હોય પણ ખરું અને ન પણ હોય. ટૂિંકાકાળવાળાને હોય અથવા નહોય,પણ દીર્ઘકાળવાળાને અવશ્ય હોય જ]
[]લેશ્યા - (૧)પુલાકને પાછલી ત્રણ અર્થાત્ તેજો,પા અને શુક્લ લેશ્યા હોય. (૨)બકુશ અને પ્રતિસેવના કુશીલ ને છ એ વેશ્યાઓ હોય છે. એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org