________________
[ ૭ ] આવા દેવદ્રવ્યની વૃદ્ધિનું સર્વવ્યાપી માધ્યમ આજે તે સુપનાની, પયુંષણમાં બોલાતી બેલી જ બની શકે એમ છે. કારણ કે ભારતભરનાં અનેક ગામોમાં દરેક વર્ષે પર્યુષણમાં વમ ઉતારવાની પરંપરા ચાલતી આવે છે.
સ્વમ ઉતારવાની ક્રિયા પ્રભુના અવન-કલ્યાણકની ઉજવણીનું એક અંગ હોવાથી, એને અનુલક્ષીને બેલાતું દ્રવ્ય, પ્રભુભક્તિ નિમિત્તક હોઈ દેવદ્રવ્ય જ ગણાય ! આ સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાની આપણી શાસ્ત્રીય-પ્રણાલિકાના કારણે જ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને વારસામાં મળેલા ભવ્ય મંદિર અને ભવ્યાતિભવ્ય તીર્થો આજેય બેનમૂન અમિતા જાળવી રહ્યા છે, તેમજ ભવ્યાતિભવ્ય નવા મંદિરનું સર્જન થતું જ રહે છે.
ભારતભરના સંઘમાં, પર્યુષણના પ્રસંગે, સવમવાચનના એક જ દિવસે થતી બોલીઓનો સરવાળે માંડીએ, તે એનો અંદાજિત આંકડો કોડની સંખ્યાને ય વટાવી જાય! અને આ સવમદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જતી હેવાથી જ ભારતભરનાં આપણાં મંદિર અને તીર્થો શિલ્પ તેમજ સ્થાપત્યની અજોડતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.