________________
[ * ]
રણાને બાજુ પર રાખીને, આ પ્રશ્નના શાસ્ત્ર-સંમત ઉકેલ શેા છે? -એ તા જરૂર જાણવું જ રહ્યું !
“ સ્વ×દ્રવ્ય દેવદ્રવ્ય જ છે. ” પુસ્તિકા દ્વારા આ પ્રશ્ન પર સુંદર પ્રકાશ પાથરવામાં આવી રહ્યો છે. આ પ્રશ્નનાં શાસ્ત્રીય-ઉકેલ માટે થયેલા નિશ્ચે અને પ્રયાસાને, સહુ કેાઈ સહેલાઈથી સમજી શકે, એ રીતે શબ્દસ્થ કરીને પુસ્તકના આકારમાં પ્રસિદ્ધ કરવાની, જ્યારે આવશ્યક જ - નહિ, પશુ અનિવાય ગણી શકાય-એવી જરૂરિયાત હતી, ત્યારે આ પુસ્તકની થતી પ્રસિદ્ધિ-એક મહત્ત્વનું અને મનનીય માર્ગદર્શન પૂરૂ ́ પાડી જશે, એ નિ:શંક વાત છે.
સ્વદ્રવ્યને ધ્રુવદ્રબ્ય તરીકે પુરવાર કરી આપતા પુરાવાએથી ભરપૂર આ પુસ્તકમાં સપાતિ-સ'કલિત કરેલી હકીકતાના ઊંડાણમાં ઉતરતા પહેલાં એકવાર એ વાત વિચારી લઈ એ કે-દેવદ્રવ્ય કાને કહેવાય ? અને દેવદ્રવ્યની વૃદ્ધિનું સર્વ વ્યાપી-માધ્યમ આજે કયુ છે?
પહેલાં દેવદ્રવ્યની વાત લઈએ: દેવની આગળ ભક્તિ નિમિત્તે સ્વેચ્છાથી સમર્પિત થતું દ્રષ, દેવદ્રવ્ય ગણાય ! આ સમપશુના પ્રકારામાં ભગવાનના પાંચ કલ્યાણક તેમજ માળા પરિધાનાદિ અનેક પ્રસંગેાને અનુલક્ષીને થતું સપત્તિસમર્પણુ આવી શકે છે.