Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 134
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપકલાલ * હર્ષનાં નાટકો ઉપર કાલિદાસની અસર '-ના મક લેખમાં હર્ષની નાટ્યરચનાઓનાગનન્દમ, પ્રિયદર્શિકા અને રત્નાવલી- કાલિદાસની નાટ્યકૃતિરંગાની ટલે અંશે અસર પામી છે તેની વિગતવાર છણાવટ કરવામાં આવી છે. કાલિદાસનાં નાટકોમાંની આખે આખા પ્રસંગે, શબ્દપ્રયોગે, પતિરૂપે સીધાં હોવા છતાં હર્ષની નાટ્યકતિએ વર્ણનથી સમૃદ્ધ અને કાવ્યશક્તિના તેમજ કલ્પનાશક્તિના મનોરમ અને આંજી નાંખી દે તેવા ચમકારા ધરાવતી હોવાથી તેઓ હર્ષને ચતુરસહીતા તરીકે ઓળખાવે છે. * કવ ગંગાધરકૃત ગંગાદાસ-પ્રતાપવિલાસ-નાટક’–લેખમાં ગંગાદાસ પ્રતાપ-વલાસનાટકના વસ્તુવિધાનની લંબાણપૂર્વક ચર્ચા કર્યા પછી મધ્યકાલીન ગુઝરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોમાં તે સૌથી વધારે નોંધપાત્ર વિશેષતાઓ ધરાવે છે તેવું વિધાન કરી એ વિશેષતાઓમાં તેઓ નાટ્યલક્ષી કરતાં નાતર એવી વિશેષતાઓ ગણાવે છે જેમ કે પુરાતત્વવિદે માટે રસપ્રદ અને ઉપગી નીવડે તેવું ચાંપાનેરનાં કલાનું ઝીણવટભર્યું ને વિસ્તૃત વર્ણન, ઈસ્લામી તવારીખથી સામા પક્ષની દૃષ્ટિએ ઐતિહાસિક ધટનાનું નિરૂપણ થવાને લીધે તેમજ ભારતભરની સમકાલીન રાજકીય ઘટનાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હોવાને લીધે તેનું આગવું દસ્તાવેજી મૂલ્ય વગેરે. જે કે એક નાટ્યલક્ષી વિશેષતાને ઉલેખ પણ તેમણે કર્યો છે. નાટ્યકાર મહત્વનાં પાત્રોને રંગમંચ પર પ્રથમ પ્રવેશ થાય તે વખતે તેમનાં પાત્રોચિત પહેરવેશ, રંગભૂષા, ચાલ, વ્યક્તિત્વ વગેરેનું સહજ કાવ્યાત્મક શૈલીએ વર્ણન આપે છે. તેના આધારે તેઓ પ્રશિષ્ટ સંસ્કૃત નાટકોમાં પાત્રપરિચાયક રંગસૂચને મૂકનાર કવિ ગંગાધર કદાચ પહેલો હોવાનું તથા એ રંગસૂચને જેમ્સ બેરીનાં નાટકોનાં રંગસૂચને સાથે સામ્ય ધરાવતાં હોવાનું જણાવે છે. નાટકના નવ અંકોના આધારે નવરાત્રિના ઉત્સવમાં રોજના એક અંક લેખે નવ દિવસમાં મહાકાલીના મંદિરને આસ્થાનમંડપમાં તે ભજવાયું હોવું જોઈએ એવા નિષ્કર્ષ પર તેઓ આવે છે. * છાયાશા કુન્તલમ્'-લેખમાં આચાર્ય જે. ટી. પરીખ મૃત ‘ છાયાશાંકુન્તલમ ”એ આ સદીના એથિા દાયકામાં સર્જાયેલી રમણીય લઘુ નાટ્યરચના હોવાનું જણાવી, નાયકાર દ્વારા ઉત્તરરામચરિત માં પ્રયોજાયેલી છાયાસીતાની કલ્પનાને વિનિયોગ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ'ની કથામાં કેવી રીતે કરવામાં આવ્યા તેની વિગતવાર છણાવટ તેમણે કરી છે. કથા કાલિદાસની રાખીને અને દષ્ટિબિંદુ ભવભૂતિનું અપનાવીને લેખકે દાખવેલી સર્જકતા તેમણે વિવિધ દષ્ટિકાણુથી સિદ્ધ કરી બતાવી છે. પ્રાચીન સંસ્કૃત નાટય પરંપરાના બધા અંશે જળવાઈ રહ્યા છતાં એને આકાર અર્વાચીન એકાંકી નાટિકાની વિભાવનાને પ્રતિકુળ ન હોવાને સમૃચત દા પણ કર્યો છે. સંસ્કૃત નાટકમાં વિદૂષક'–આ અંતિમ લેખમાં સંસ્કૃત નાટકના સ્થાયી પાત્ર stock character “વિદૂષક સંબંધી બી. જી. કે. ભટ તથા શ્રી જી. ટી. પરીખનાં વિધાનોના ગુખ્ય દોષની સમીક્ષા સવિશેષપણે કરી હોવા છતાં વિદૂષક' સંબંધી પોતાનાં આગવાં મંતવ્ય પણ વ્યક્ત કર્યા છે, જેમ કે--વિદૂષક આહાણુ જ હાય એ શાસ્ત્રાદેશનું એક પરિસ્થામ કદાચ એ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148