Book Title: Suyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 201
________________ ૧૮૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો! – 734 “ઘોડા, રથ, હાથી અને માનવોથી હારમાળાઓથી શોભતા વિશાળ સૈન્યથી પરિવરેલા રાજવીને આ યમ નાનકડા માછલાને જે રીતે માછીમાર લઈ જાય તે રીતે દીન બનાવીને લઈ જાય છે.' બોલો, આ એક નરી વાસ્તવિકતા છે કે નહીં ? ચક્રવર્તીનું વિશાળ સૈન્ય પણ શું ચક્રવર્તીને મૃત્યુના જડબામાંથી ઉગારી શકે એમ છે ? આગળ વધીને તેઓશ્રી કહે છે કે 'प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती, निर्दयपौरुषनर्ती ।।३।।' કોઈ વજમાંથી નિર્મિત ઘરમાં પ્રવેશ કરે કે દીનતાપૂર્વક મોઢામાં ઘાસનું તણખલું મૂકે તો પણ નજીકમાં રહેલ નિર્દય એવો યમ સકંજામાં આવેશ જીવને છોડતો નથી.' અહીં યમ માટે પૌરુષનર્તી વિશેષણ વાપર્યું છે. તેનો અર્થ પણ એવો જ માર્મિક છે. પુરુષોને નચાવનાર – પુરુષોના સત્ત્વને હણનાર.” 'वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जिर्यति जरसा ।।५।।' 'કોઈ ગમે તેટલા લાંબા કુંભક પ્રાણાયામ કરે, સમંદરની પેલે પાર જાય કે કોઈ ઝટ પર્વતના શિખર ઉપર ચડે તો પણ તે ઘડપણથી ખખડી જાય છે, બચી શકતો નથી. ઘણા લોકો જુવાની ટકાવવા કેટ-કેટલું કરતા હોય છે; કોઈ દવાઓ કરે તો કોઈ કાયાકલ્પ કરે, કોઈ પ્રાણાયામ કરે તો કોઈ યોગાસનો કરે, કોઈ વનવાસ સ્વીકારે તો કોઈ ગિરિવાર સ્વીકારે, બધું જ નિરર્થક છે. એ ઘડપણ અને મૃત્યુની ઝપટમાંથી ક્યારેય બચી શકતા નથી. એટલે જ એઓશ્રીએ કહ્યું કે – 'विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् ।। रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ।।४।।' વિદ્યાની સાધના કરો, મંત્રનો જાપ કરો, મૂલ્યવાન ઔષધિઓનું આસેવન કરો, વશ કરેલા દેવોને કામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284