Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 497
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવવણિ કથા. (૪૨૩) જે ભાવી શુભ અથવા અશુભ થવાનું હોય તે તું જલદી નિવેદન કર. આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી તે નૈમિત્તિકે પોતાની વિદ્યાવડે ભાવી શુભાશુભ જાણી લીધું અને કપાળે હાથ દઈ હેટા નિ:શ્વાસ નાખી વારંવાર મસ્તક ધુણાવવા લાગ્યા. તે જોઇ રાજા બે, હવે અભયદાન આપું છું, માટે હારા નિમિત્તશાસ્ત્રથી જે શુભાશુભ જોવામાં આવ્યું હોય તે પ્રમાણે તું બેલ. એમાં કઈ પ્રકારને ત્યારે દેષ નથી. નૈમિત્તિક બેલે, હે રાજન ! આજથી સાતમે દિવસે કુટુંબ સહિત આ બુદ્ધિસાગર મંત્રીને વિનાશ થશે. તે સાંભળી રાજા બોલ્યા–એમાં પ્રમાણ શું? નૈમિત્તિક બોલ્યો, આ પને હસ્તી ગજશાળામાંથી જે બંધન સ્તંભ ભાંગી નાંખીને અહીં આવે તે તે વાત તમારે સત્ય જાણવી. ક્ષણમાત્રમાં તેજ પ્રમાણે હાથીની બમ પડી, જેથી રાજા સંબ્રાંત થઈ ગયે અને જાયું કે જરૂર મંત્રીને વિનાશ થશે, માટે હવે તેને શો ઉપાય કરે? એ પ્રમાણે રાજાને ચિંતાતુર જેઈ બુદ્ધિસાગરમંત્રી બેચે, હે રાજન! આપ ખેદ કરશે નહિં, કારણકે સોપકમ અને નિરૂપક્રમભાવથી આપત્તિઓ બે પ્રકારની હોય છે. એટલા માટે નૈમિત્તિકની સાથે આ બાબતને હારે નિર્ણય કરવાનો છે. એમ યુક્તિપૂર્વક રાજાને શાંત કરી નૈમિત્તિકને સાથે લઈ મંત્રી પોતાને ઘેર ગયે. ત્યારબાદ સુંદર રસોઈ કરાવી બહુ ભક્તિવડે જમાડીને વસ્ત્ર તથા આભરણેથી સત્કાર કરી મંત્રીએ તેને પૂછયું કે હે નૈમિત્તિક! મહારા મરણમાં નિમિત્તભૂત કે શું થશે ? વિચાર કરી નૈમિત્તિક બે, તહારા જ્યેષ્ઠ પુત્રના અપરાધને લીધે હમારા મરણના કારણભૂત રાજા પોતેજ થવાને છે. આટલું હું જાણું છું. વિશેષ તે સર્વજ્ઞ ભગવાન જાણે. આ પ્રમાણે સાંભળી મંત્રીએ સત્કાર કરી તેને વિદાય કર્યો. ત્યારબાદ મંત્રીએ પોતાના મહેટા પુત્રને બોલાવી આ સર્વ વૃત્તાંત કહ્યું, પુત્ર બેલ્યા, હે તાત! હું વિદ્યમાન છતાં મહાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517