Book Title: Suparshvanath Charitra Part 1
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 509
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધુદત્તમંત્ર કથા. (૪૩૫) અર્થ–બહુ પુણ્ય રૂપી ધનવડે આ શરીર રૂપી નાવડું હું ખરીદ્યું છે, માટે જેટલામાં તે ભાગી ન જાય ત્યાં સુધીમાં દુઃખસાગરને ઉદ્ઘઘા સામે કાંઠે તું ચાલ્યો જા.” આ પ્રમાણે મુનીંદ્રનાં વચન સાંભળી ધર્મતત્વનો પરમાર્થ જાણી કુમાર યતિધર્મની પ્રાર્થના કરવા ગુણસેનને વૈરાગ્ય લાગે, તેટલામાં તેને પરિજન પણ ત્યાં ભાવ. આવી પહોંચ્યો. મુનિની આગળ પૃથ્વી ઉપર સ્ત્રી સહિત બેઠેલા કુમારને જોઈ તેના મિત્ર અને સ્ત્રીઓ બેલી, હે કુમારેંદ્ર! આ અનુચિત કાર્ય શું તમને લાયક છે? અહીં કેમ બેઠા છે? ચાલે ! ઉભા થાઓ અને આ વિરાંગનાઓને પરિશ્રમ આપની દૃષ્ટિથી સફલ કરો ! કુમાર છે, અહીં આ સ્ત્રીઓનું શું કામ છે? મુનિ પાસે બેસીને તમે શાંતિથી ધર્મ શ્રવણ કરે, તેમજ આ મનુષ્ય ભવની સફલતા કરવામાં ધ્યાન રાખો. તે સાંભળી લોકે બોલ્યા, શું આ ધર્મશ્રવણને સમય છે? અત્યારે તો સર્વને કીડા મહત્સવને અવસર છે. મુનિ પાસે શું બેસી રહ્યા છે? ઉભા થાઓ! ત્યારબાદ તેઓએ મુનિને પણ કહ્યું કે આ કુમારને અમારી સાથે મોકલો. મુનિ બેલ્યા, હું એમને રેકતા નથી. મારે એમનું શું કામ છે? ત્યારે કુમારે તેઓને કહ્યું, તમારે કોઈએ કંઈપણ હુને કહેવું નહીં, કારણ કે હું એવી પ્રતિજ્ઞા કરી છે કે મહારે દીક્ષા ગ્રહણ કરીનેજ ભોજન કરવું. તે સાંભળી કુમારની સ્ત્રીઓ બેલી, હે નાથ ! આમ સાહસ ન કરે, એક વખત પિતાજીની પાસે ચાલે, પછી તહારી ઈચ્છા પ્રમાણે કરો. કુમાર બલ્ય, વારંવાર આ. વાત કરવાનું કંઈપણ તહારે કારણ નથી, હવે તમે પોતપોતાના પિતાને ત્યાં જાઓ, અથવા તમે પણ દીક્ષા ગ્રહણ કરશે. આ પ્રમાણે કુમારને દૃઢ નિશ્ચય જાણું તેને એક મિત્ર રાજાની પાસે ગયા અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517