Book Title: Srushtivad Ane Ishwar Author(s): Ratnachandra Maharaj Publisher: Jain Sahitya Pracharak Samiti View full book textPage 9
________________ આ કલ્પનાએ બહુવિધ શક્તિઓ ઉપર જગતના સર્જનનું આપણું કર્યું છે. હિંદુઓના વેદે, ઉપનિષદે અને પુરાણ, ક્રિશ્ચિયુનેનું બાઈબલ, મુસ્લીમેનું કુરાન, જરસ્તીઓના ધર્મગ્રંથ, જનોના સૂત્રગ્રંથ અને વૈજ્ઞાનિકોનાં વિજ્ઞાનસંશોધન એ બધાંમાં તરેહ તરેહની શક્તિઓ આ જગતના અસ્તિત્વની કારણભૂત તરીકે ઉલ્લેખવામાં આવી છે. “સૃષ્ટિ' શબ્દમાં ૬ ધાતુ પણ એમ જ કહી રહ્યો છે કે તે કઈ શક્તિએ કરેલું સર્જન છે. પરંતુ એ સર્જન વિના વિવાદે કહે છે કે તેઓ પોતપોતાના નિર્ણયો વિષે એકમત નથી. તેથી આગળ વધીને એમ પણ કહી શકાય કે જગતને આદિકાળ હજીસુધી કોઈ પણ નિર્ણાત કરી શકયું નથી. એક વેદની જ વાત કરીએ તો તેમાંથી સૃષ્ટિના સંબંધમાં અનેક વાદે પ્રચલિત થયા છે. એક વાદ અનેક દેવોએ આ જગત ઉત્પન્ન કર્યું અને રહ્યું હોવાનું કહે છે. બીજે વાદ બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું હોવાનું કહે છે. ત્રીજે વાદ બ્રહ્મને સ્થાને ઈદને સ્થાપે છે. એથે ઇદ્રને સ્થાને ઈશ્વરને મૂકી તેને ગુણવિશેષથી યુક્ત એક પ્રકારને આત્મા કલ્પે છે. પાંચમે વાદ પ્રકૃતિ અને પુરૂષને જગતનાં આદિ કારણરૂપ કહે છે. તેને આધારે ઉપનિષત્કારે અને પુરાણકારોએ દોડાવેલી બીજી કલ્પનાઓ પણ અનેક છે. કેઈ પ્રકૃતિને ઉપાદાન કારણ માને છે અને પુરૂષને નિમિત્ત કારણ માને છે, તે કઈ પુરૂષને ઉપાદાન અને પ્રકૃતિને નિમિત્ત માને છે. કોઈ એક અંડમાંથી પૃથ્વીનું સર્જન થએલું કહે છે તે કઈ પરમાત્માના અવતારે તેનું સર્જન કર્યું એમ કહે છે. કઈ જગતને સ્વયંભૂકૃત માને છે તે કઈ બ્રાસર્જિત જગત માને છે. એજ રીતે સૃષ્ટિના સર્જનનું આજે પણ પ્રજાપતિ, વિરા, મન, ધાતા, વિશ્વકર્મા, ઈત્યાદિ ઉપર કરવામાં આવે છે અને સર્જનમાં વપરાયેલા તો સંબંધે પણ વિશાળ વિવિધતા દૃષ્ટિગોચર થાય છે. આત્મસૃષ્ટિ, કુંભસૃષ્ટિ, અજસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ, કર્મસૃષ્ટિ, એંકારસૃષ્ટિ, પ્રદPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 456