Book Title: Shrutsagar Ank 2012 11 022
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra १२ સુલસાને ધર્મલાભ કહેવડાવે છે. અંતિમસમયે દેશના :- વિહાર કરતાં પ્રભુ અપાપાપુરી(પાવાપુરીમાં પધાર્યા, હસ્તિપાલ રાજા અને સમગ્ર નગરજનો પ્રભુને વાંદવા આવે છે, ભવની ભૂખ ભાંગી નાંખે અને અનંતકાળની તરસ છીપાવનારી અમૃતમય દેશના આપે છે, તે સમયે પુણ્ય ફળ વિપાકનાં પંચાવન અધ્યયનો અને પાપફળ વિપાકના બીજા પંચાવન અધ્યયનો અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપતા છત્રીસ અધ્યયનોની વિભાવના કરતાં પ્રભુ મોક્ષમાં પધારે છે. ગૌતમસ્વામીને પોતાનાથી દૂર મોક્લ્યા - એ જ રાત્રિએ પોતાનો મોક્ષ જાણી પ્રભુ વિચારે છે, કે મારી ઉપર ગૌતમને અવિહડ રાગ છે. એ રાગ જ એમના કેવલજ્ઞાનમાં અવરોધક છે, તેથી એ રાગનું મારે જ છેદન કરવું જોઈએ. એમ વિચારી, નજીકના બીજા ગામમાં દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબંધ કરવા માટે ભગવાન ગૌતમસ્વામીને મોક્કે છે. ક્ષણ માટે આયુષ્ય વધારવા શક્રની વિનંતિ :- પ્રભુનો મોક્ષ સમય જાણી સર્વ સુર અસુરોના ઇંદ્રો પરિવાર સહિત પ્રભુ સમીપે આવ્યા, સજળ નેત્રે અને ભાવસભર હૈયે શકેંદ્રએ કરજોડી પ્રભુને પ્રાર્થના કરી કે હે નાથ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું, આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાત થવાનો છે, અને તમારા જન્મનક્ષત્રમાં સંક્રમેલો ને ગ્રહ બે હજાર વર્ષ સુધી તમારા સંતાન (સાધુ-સાધ્વી)ને બાધા અને પીડા ઉત્પન્ન કરશે, એ ભસ્મકગ્રહ ઉપર આપની દૃષ્ટિ પડતા તે નિષ્ફળ અને નિષ્ક્રિય બની જશે, તો અમારી ઉપર પ્રસન્ન થઈ ક્ષણવાર માટે આપ અહીં રહો, જેથી એ દુગ્રહનો ઉપશમ થઈ જાય. પ્રભુની હયાતીમાં તીર્થંકરનામકર્મનો બંધ* :- પ્રભુની હયાતીમાં શ્રેણિક, સુપાર્શ્વ, ઉદાયી, પોટિલ અણગાર, દૃઢાયું, શંખ, શતક, સુલસા, રેવતી એમ કુલ નવ જીવોએ તીર્થંકર નામકર્મનો બંધ કર્યો. પ્રભુ | એકલા જ મોક્ષે પધાર્યાગ :- પ્રભુના નિર્વાણ સમયે પ્રભુ એકાકી જ મોક્ષમાં પધાર્યા, બાકીના ૨૩ તીર્થંકરોની સાથે મોક્ષે જનાર બીજા હજ્જારો આત્માઓ હતાં, પ્રભુએ દીક્ષા પણ એકાકીપણે જ લીધી અને એકાકીપણે જ મુક્ત થયા. કેવળજ્ઞાનનો સમય :- પરમાત્મા મહાવીર સિવાયના બીજાં ત્રેવીસ તીર્થંકરોને સુર્યોદયના મુહૂર્તમાં (દિવસના પ્રથમ ભાગમાં) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, જ્યારે પરમાત્મા મહાવીરને દિવસના અંતિમ ભાગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ૭પ ઉપવાસ ૩૦ ઉપવાસ ૪૫ ઉપવાસ ૩૦ ઉપવાસ ૧૫ ઉપવાસ www.kobatirth.org પ્રભુનો છાસ્યકાળ એટલે સાધનાકાળ, પ્રભુએ કરેલા તપની નોંધ ઃ ૧૮૦ ઉપવાસ ૧ વાર ૧૭૫ ઉપવાસ ૧ વાર ૧૨૦ ઉપવાસ ૯ વાર ૦ ઉપવાસ ૨ વાર ૨ વાર ઙ વાર ૨ વાર ૧૨ વાર ૭૨ વાર ૨ દિવસ ૪ દિવસ ૧૦ દિવસ ૧૨ વાર ૨૨૯ વાર પારણાના દિવસ ૩૪૯ એમાંય લાગ લગાટ બે દિવસ પ્રભુએ ક્યારેય વાપર્યું નથી. ને એક દિવસમાં બે વાર પણ પ્રભુએ ક્યારેય વાપર્યું નથી. પ્રભુએ પોતાના જીવનમાં ઉતારેલી અને આરાધતી સાધનાની વાતો છે. આપકો એને વાંચીએ, વિચારીએ અને પ્રભુપ્રત્યેના રાગમાં અભિવૃદ્ધિ કરીએ. ભદ્રપ્રતિમા મહાભઢમતિમા સર્વતોભદ્રપ્રતિમા ૩ ઉપવાસ ૨ ઉપવાસ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only नवम्बर २०१२

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20